ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુકીર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાધુકીર્તિ : આ નામે ‘સવ્વત્થવેલિ-પ્રબંધ’ (ઈ.૧૫૫૮ આસપાસ), અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં રચાયેલી ૩૧ કડીની ‘ગર્ભવિચાર-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી) તથા ૧૫ કડીની ‘નેમબારહ-માસા’ (લે.સં.૧૯મી સદી અનુ.) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા સાધુકીર્તિ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]