ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુકીર્તિ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાધુકીર્તિ-૨ [ઈ.૧૪૪૩માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. જિનદત્તસૂરિના શિષ્ય. ‘વિક્રમકુમારચરિત્ર-રાસ/હંસાવતી વિક્રમચરિત્ર-રાસ’(ર.ઈ.૧૪૪૩), ‘મત્સ્યોદરકુમાર-રાસ’, ‘ગુણાસ્થાનકવિચાર-ચોપાઈ’, ‘ઉત્તરાધ્યયન છત્રીસી અધ્યયન-સ્તવન’(ર.ઈ.૧૪૪૩), ૧૧ કડીનું ‘અનાથીમુનિ-ગીત’ (ર.ઈ.૧૪૪૩), ૪૬ કડીનું ‘અર્હંત્પરિવાર-સ્તોત્ર’(ર.ઈ.૧૪૪૩), ‘કંથુનાથ-સ્તોત્ર’ (ર.ઈ.૧૪૪૩), ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’ (ર.ઈ.૧૪૪૩), ‘ચૈત્રીપૂનમવિધિ-સ્તવન’ (ર.ઈ.૧૪૪૩), ‘જિનકુશલસૂરિ-સ્તવન’ (ર.ઈ.૧૪૪૩) તથા ‘પુંડરિક-સ્તવન’ (ર.ઈ.૧૪૪૩) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૫; ૨. ગુસાઇતિહાસ : ૧, ૨; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન(સૂચિ), બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧, ૨); ૭. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]