ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિવિજ્ય-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુમતિવિજ્ય-૩[ ] : તપગચ્છના જૈન સાધુ. યશોવિજ્યશિષ્ય-ગુણવિજ્યના શિષ્ય. ૫ ઢાળના ‘દીક્ષાકલ્યાણકવર્ણનાત્મક શ્રી મહાવીરજિન-સ્તવન’(મુ.) તથા હિંદી કૃતિ ‘અધ્યાત્મવલોણું’ (મુ.)ના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ : ૨ (+સં.). [ર.ર.દ.]