ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૌભાગ્યવિજ્ય-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૌભાગ્યવિજ્ય-૩ [અવ. ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, કારતક વદ ૭] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં લાલવિજ્યના શિષ્ય. પિતા નરપાલ. માતા ઇન્દ્રાણી. ઈ.૧૬૬૩માં લાલવિજ્ય પાસે દીક્ષા. અવસાન ઔરંગાબાદમાં. ૧૪ ઢાળ અને ૩૦૭ કડીનું ‘તીર્થમાળા-સ્તવન’ (ર.ઈ.૧૬૯૪; મુ.), ‘દશવૈકાલિસૂત્રની સઝાય’, ‘વિજ્યસેનસૂરિ-સઝાય’ તથા ‘સમ્યકત્વ ૬૭ બોલ-સ્તવન’ એ કૃતિઓના કર્તા. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૩૭-‘દો ઐતિહાસિક રાસોંકા સાર’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]