ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનુચ્ચારિતનાટ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનુચ્ચારિતનાટ્ય(Theatre of silence) : અનુચ્ચારિત નાટ્યનો આ સિદ્ધાન્ત ૧૯૨૦-’૩૦ વચ્ચે ઝાં ઝાક બર્નારે આપ્યો છે. આ ફ્રેન્ચ નાટકકારને મતે સંવાદ પર્યાપ્ત નથી. પાત્રો જે ઉચ્ચારતાં નથી અને ઉચ્ચારી શકતાં નથી એ પણ એટલું જ મહત્ત્વનું છે. બર્નાર સિવાય બહુ ઓછા નાટ્યકારો આ અનુચ્ચારિતનાટ્યની શક્યતાઓને તાગી શક્યા છે. ચેખોવ એમાં એકમાત્ર અપવાદ છે. ચં.ટો.