ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યથાસંખ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


યથાસંખ્ય : ક્રમને જાળવીને ક્રમિક વસ્તુઓનો સમન્વય થાય તે યથાસંખ્ય અલંકાર કહેવાય. અહીં વસ્તુઓના ઉલ્લેખનો એકવાર જે ક્રમ સ્વીકાર્યો હોય તે જ ક્રમ પછી પણ જાળવી રાખવાનો હોય છે. જેમકે “શત્રુ, મિત્ર અને વિપત્તિને જીતી લે, ખુશ કર અને નષ્ટ કર” અહીં શત્રુ વગેરે ત્રણ શબ્દોનો જે ક્રમ સ્વીકાર્યો છે તે જ ક્રમ તેમની સાથે સંબંધ ધરાવતી ક્રિયાઓનો પણ છે. જ.દ.