ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહજસ્ફુરણા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સહજસ્ફુરણા(Spontaneity) : રંગદર્શી કવિતા(Romantic Poetry)નું આ મહત્ત્વનું લક્ષણ સાહિત્યકૃતિમાં આયાસના અભાવે સહજ રીતે વ્યક્ત થતી સર્જકતાનું સૂચન કરે છે. વર્ડ્ઝવર્થ દ્વારા અપાયેલી ઊર્મિકવિતાની વ્યાખ્યામાં કવિતામાં સહજસ્ફુરણાનો પુરસ્કાર થયો છે. વિચારની સરખામણીમાં પ્રેરણાનું મહત્ત્વ સ્વીકારતી રંગદર્શી કવિતામાં આ લક્ષણ જેટલું મહત્ત્વ ધરાવે છે તેટલું આધુનિક વિવેચનમાં તેનું સ્થાન નથી. ચં.ટો.