ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સુખસિદ્ધાન્ત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુખસિદ્ધાન્ત(Pleasure Principle) : મનુષ્યમાં નૈસર્ગિક આવેગો કે ઇચ્છાઓની બધાં જ કારણોને વેગળાં રાખીને સુખ શોધવાની એક જન્મજાત સહજ ગતિ હોય છે. ફ્રોય્ડના મત અનુસાર આરંભથી વ્યક્તિ પર શાસન કરતો આ સિદ્ધાન્ત એના અચેતનમાં રહી વ્યક્તિને દોરતો રહે છે. ફ્રોય્ડે સુખ-સિદ્ધાન્ત સાથે વાસ્તવસિદ્ધાન્ત (Realitl principle) આપ્યો છે. સુખસિદ્ધાન્ત દ્વારા સંતુષ્ટિ મેળવવા પર ભૌતિક અને સામાજિક સંદર્ભ જે પરિસ્થિતિ લાદે છે એને આ સિદ્ધાન્ત સૂચવે છે. સાહિત્યક્ષેત્રે આ બંને સંજ્ઞાઓ સાહિત્યના આનંદ અને વાસ્તવના સંપ્રત્યયમાં માર્ગદર્શક બની છે. ચં.ટો.