ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/મહાત્માશ્રી શ્રીમન્‌ નથુરામ શર્મા (આચાર્યજી)

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મહાત્માશ્રી શ્રીમન્‌ નથુરામશર્મા આચાર્યજી

જ્ઞાતિઃ—ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ, સિદ્ધપુર સમવાય. મૂળ વતન તથા જન્મસ્થળઃ–મોજીદડ, સંસ્થાન લીંબડી. જન્મ દિવસઃ-સંવત્‌ ૧૯૧૪ ના આશ્વિન સુદ ૪ રવિવાર. પિતાશ્રીનું નામઃ–રાવળ પીતાંબરજી જીવરામ માતુશ્રીનું નામઃ-નંદુબા, આશ્રમઃ-બ્રહ્મચર્યાશ્રમ. વર્તમાન મુખ્ય નિવાસસ્થાનઃ-આનંદાશ્રમ, બીલખા-કાઠિયાવાડ. એઓશ્રી ગુજરાતી છ ધોરણોનો અભ્યાસ પૂરો કરી રાજકોટ ટ્રેનિંગ કૉલેજમાં બે વર્ષ રહેલા, અને પ્રમાણપત્ર મેળવ્યા બાદ સાતેક વર્ષ કાઠિયાવાડનાં ગામો અડવાણા, લીંબુડા અને જાફરાબાદમાં શિક્ષક તરીકે જીવન ગાળેલું. તે પછી માંગરોળ-દિવાન ઑફિસમાં આશરે બે વર્ષ રહેલા, અને ત્યાંથી ભાવનગર તાબે વરલના દરબાર શ્રીમાન્‌ હરિસિંહજી પાસે તેમના કારભારી તરીકે આશરે સાતેક માસ રહેલા. પણ એ બધો વખત અંતરમાં રહેલી ગુપ્ત શક્તિઓ એઓશ્રીને આધ્યાત્મિક માર્ગે ખેંચી રહી હતી. એકાદ એવી કોઈ પ્રેરણાથી યુવાવસ્થામાં પોતાનાં લગ્નનો પ્રસંગ ચૂકાવી તેઓશ્રી થોડો સમય યાત્રાર્થે ચાલ્યા ગયા હતા, અને આજીવન તેઓશ્રી નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યા છે; એ જેમ વિરલ તેમ કોઈ પણ અદના વ્યક્તિને ભૂષણરૂપ છે; તો પછી આવા મહાસમર્થ આચાર્ય માટે કહેવાનું જ શું હોય? ન્હાનપણમાંથી તેઓશ્રીને કુદરતનું અવલોકન કરવાનું તેમ એકાંત સેવવાનું બહુ પ્રિય હતું. એઓશ્રીનું હૃદય એટલુંબધું કોમળ અને સમભાવી હતું કે બાલ્યાવસ્થામાં પણ દુકાળની વાતો વા દુઃખની વાત સાંભળીને તે દ્રવી પડતું, અને આંખમાંથી અશ્રુ વહેતાં. વળી આંતર વિચારોને પ્રકટ કરવાને સ્ફુરણો થતાં, જેને વશ થઈને “વ્યભિચાર નિષેધક” નામક એક લેખ ગુજરાતી શાળામાં ચાલતા અભ્યાસવેળા પ્રથમ લખ્યો હતો. તેઓશ્રીએ શિક્ષકની નોકરી સ્વીકાર્યા પછી અનેક પ્રતિકૂળતાઓની વચ્ચે અધ્યાત્મવિદ્યાના–ખાસકરીને યોગ ને વેદાંતના-અભ્યાસ સાથે ખાનગી અભ્યાસવડે પોતાના સંસ્કૃત ભાષાના જ્ઞાનમાં અસાધારણ વૃદ્ધિ કરવા ઉપરાંત હિંદી, બંગાળી ને મરાઠી ભાષાનું જ્ઞાન પણ મેળવ્યું છે. ભારતવર્ષના અનેક સંસ્કૃત ધર્મગ્રંથોના અભ્યાસ ઉપરાંત બહોળા વાચન વડે વિશ્વના ભિન્ન ભિન્ન ધર્મોનું અને અનેક વ્યાવહારિક ઉપયોગી વિષયોનું વિસ્તૃત સામાન્ય જ્ઞાન તેઓશ્રીએ પ્રાપ્ત કર્યું છે. સ્વાભાવિક બુદ્ધિ-બળ, ઉંચી સ્મરણશક્તિ, સ્વાશ્રય, નિયમિતતા ને ઉદ્યોગી સ્વભાવ એ ગુણો તેઓશ્રીના જ્ઞાનમાં વૃદ્ધિ થવામાં બહુ ઉપયોગી થયા છે. “સ્વાભાવિક ધર્મ,” “મનુષ્યમિત્ર,” “પરમપદબોધિની” ને “યોગકૌસ્તુભ” એ ચાર પુસ્તકો તેઓશ્રીએ નોકરીના કાળમાં લખ્યાં હતાં, તેમજ જિજ્ઞાસુઓને સનાતનધર્મનો ઉપદેશ કરવાનું પણ તે સમયે શનૈઃ શનૈઃ ચાલુ કર્યું હતું. સં. ૧૯૪૪ માં નોકરી છોડ્યા પછી ધર્મોપદેશનું કાર્યક્રમાત્‌ વૃદ્ધિ પામતું ગયું છે. ધર્મપ્રચારાર્થે સ્થાપેલા તેઓશ્રીના પાંચ આનંદાશ્રમો કાઠિયાવાડમાં છે. સિવાય કરાંચીમાં પણ તેઓશ્રીના શિષ્યવર્ગે સ્થાપેલી “શ્રી આનંદાશ્રમ” ને “શ્રી નાથમંદિર” એવી બે સંસ્થાઓ ચાલે છે. તેઓશ્રીએ ધર્મગ્રંથોનું શ્રવણ કરાવીને, જાહેર વ્યાખ્યાનો આપીને અને સમયાનુકૂળ સત્સંગલાભ આપીને જિજ્ઞાસુઓને સ્વધર્મપરાયણ કર્યા છે એટલુંજ નહિ, પણ સાથે સાથે તેઓશ્રીની લેખિની સતત્‌ ચાલુ રહી છે; અને જે વિશાળ જ્ઞાનવારસો તેઓશ્રીએ પ્રજાને આપ્યો છે તેનું મૂલ્ય થાય એમ નથી. તેનું માપ કાઢવાને આપણે કેવી કેવી સ્થિતિમાંથી થયા છીએ, અને પાશ્ચાત્ય કેળવણીએ આપણા જીવન પર કેવી અને કેટકેટલી અસર કરી છે તે લક્ષમાં લઈશું તો સામાન્ય જનતાની ધર્મપિપાસા સંતોષવાને જે જૂદી જૂદી મહાન્‌ વ્યક્તિઓએ ગુજરાતી પ્રજાને એક વા અન્ય રીતે ધર્મમાર્ગે પ્રેરી છે તેમાં શ્રીમન્‌ નયુરામશર્મા અગ્ર સ્થાન લે છે, અને એમનું શિષ્યમંડળ ગુજરાતમાં એક છેડેથી બીજા છેડા સુધી તથા સિંધમાં કરાંચીપર્યંત મોટી સંખ્યામાં મળી આવે છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ અને સંસ્કારને એકલા જીવંત રાખવામાં જ નહિ; પણ પારસમણિની પેઠે અન્યને એનો સ્પર્શ કરાવી તેમનાં જીવન ધાર્મિક, સંસ્કારી અને ઉન્નત કરવામાં પોતાને પ્રાપ્ત થયેલી શક્તિઓનો-બુદ્ધિ અને જ્ઞાનનો-ઉપયોગ કર્યો છે, તે એઓશ્રીને એક આચાર્ય તરીકે અને પૂજ્ય માનનું સ્થાન અપાવવાને પૂરતું છે. અને તેઓશ્રીનું પવિત્ર નામ ગુજરાતી જનતામાં સદા ભાવપૂર્વક યાદ રહેશે. એઓશ્રીની સાહિત્યસેવા ધર્મજ્ઞાનપ્રચારાર્થે કેટલી બહોળી અને મોટી છે તેનો કંઇક ખ્યાલ નીચેની એમના ગ્રંથોની યાદી પરથી આવશે.

: : એમની કૃતિઓ : :

અનુક્રમ પુસ્તકનું નામ સંવત્‌ પ્રથમાવૃત્તિનો કેટલી

આવૃત્તિ થઈ?

સ્વાભાવિક ધર્મ ૧૯૩૫
ત્રણ
શ્રીમનુષ્યમિત્ર ૧૯૪૧
શ્રી પરમપદબોધિની ૧૯૪૩
ચાર
શ્રીયોગકૌસ્તુભ ૧૯૪૫
શ્રીદ્વિજકલ્પલતિકા પ્રભૃત્તિ
(પાછળથી સાતમી આવૃત્તિથી),
યજુર્વેદીય સંધ્યાદિ નિત્યકર્મ
૧૯૪૬
અડતાળીશ
ઋગ્વેદની વેદોક્ત ત્રિકાળી સંધ્યા ૧૯૪૭
એક
યજુર્વેદની વેદોકત " "
સામવેદની વેદોકત " "
અથર્વવેદની વેદોક્ત " "
૧૦ શ્રીયોગપ્રભાકર
ત્રણ
૧૧ શ્રીપાતંજલ યોગદર્શન, રહસ્યદીપિકા ટીકા સહિત
ચાર
૧૨ શ્રીયજુર્વેદીય આહ્‌નિક પ્રકાશ
સોળ
૧૩ લઘુસંધ્યા
ઓગણચાળીશ
૧૪ શ્રીઉપદેશ ગ્રંથાવલિ અંક ૧ થી ૭૮
(સંવત્‌ ૧૯૪૮ થી સં. ૧૯૮૭)
૧૯૪૮
અઠ્યોતેર
૧૫ શ્રીસાંખ્યદર્શન રહસ્ય દીપિકા સહિત ૧૯૪૯
એક
૧૬ શ્રીઋગ્વેદીય આહ્નિકપ્રકાશ
૧૭ શ્રીસામવેદીય આહ્નિકપ્રકાશ
સાત
૧૮ ઋગ્વેદીય સંધ્યાદિ નિત્યકર્મ
નવ
૧૯ શ્રીસામવેદીય સંધ્યાદિ નિત્યકર્મ
૨૦ શ્રી અથર્વવેદીય સંધ્યાદિ નિત્યકર્મ
ચાર
૨૧ શ્રીઅથર્વવેદીય આહ્‌નિક પ્રકાશ ૧૯૫૦
બે
૨૨ શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા રહસ્ય દીપકિા
-ટીકા સહિત-
૧૯૫૦
પાંચ
૨૩ મંગલાચરણ ૧૯૫૨
બાર
૨૪ લઘુવૈશ્વ દેવ
અગિયાર
૨૫ શ્રીનાથસ્વરોદય ૧૯૫૩
ત્રણ
૨૬ આશૌચ વિવેક
પાંચ
૨૭ મુમુક્ષુએ પિતાને પૂછવાના સોળ પ્રશ્નો
એક
૨૮ શ્રીપ્રણવપટ્ટ ૧૯૫૪
ચાર
૨૯ શ્રીવેદાંતદર્શન તાત્પર્ય દીપિકા ટીકા સહિત ૧૯૫૫
એક
૩૦ શ્રી ઉપદેશ ગ્રંથાવલિ અંક ૧ થી
૧૦ (એકઠું પુસ્તક)
બે
૩૧ ટુંકી સંધ્યા (ચારે વેદની) ૧૯૫૬
એક
૩૨ સંધ્યાવંદન, શિવપૂજા ઔ પંચમહા
યજ્ઞ (હિંદી)
૩૩ સૂર્યોપાસન, શિવપૂજન ઔ વૈશ્વ દેવ (હિંદી)
૩૪ સ્ત્રીઓકે લિયે સૂર્યોપાસન ઔર
શિવપૂજન (હિંદી)
૩૫ શ્રી પ્રણવ વિસ્તાર પટ્ટ ૧૯૫૮
બે
૩૬ શ્રી ઉપનિષદો (૧૨+૧૦૬)
તાત્પર્ય દીપિકા ટીકા સહિત
૧૯૫૯
ત્રણ
૩૭ શ્રીસુબોધ કલ્પલતા
બે
૩૮ શ્રીસદુપદેશ દિવાકર-પ્રથમ કિરણ ૧૯૬૦
૩૯ શ્રીમદ્‌ ભગવદગીતા સરલ
ટીકા સહિત
૪૦ ઉલટી વાણીનું સ્પષ્ટીકરણ
ત્રણ
૪૧ શ્રીઉપદેશગ્રંથાવલિ અંક ૧૧ થી
૨૫ (એકઠું પુસ્તક)
એક
૪૨ શ્રીપ્રશ્નોત્તરરૂપે વિવિધ ઉપદેશ ૧૯૬૧
ત્રણ
૪૩ ચાસ્તોત્ર ૧૯૬૨
એક
૪૪ તમાકુસ્તોત્ર ૧૯૬૨
૪૫ અફીણસ્તોત્ર તથા વિજ્યાસ્તોત્ર ૧૯૬૩
૪૬ મદિરાસ્તોત્ર તથા કામસ્તવ
૪૭ શ્રીસદુપદેશ દિવાકર-દ્વિતીય કિરણ ૧૯૬૪
બે
૪૮ મુમુક્ષુપ્રતિ શ્રી અંતર્યામીના આદેશો
દિવ્ય પ્રભા ટીકા સહિત
૧૯૬૪
બે
૪૯ ક્રોધસ્તવ તથા લોભ સ્તવ
એક
૫૦ મોહસ્તવ તથા મદસ્તવ
૫૧ શ્રીસદુપદેશમાલા ૧૯૬૫
પર ગુરુગીતાસાર
બે
૫૩ શ્રીસંધ્યાનો વેદાંતાનુસાર વિચાર
૫૪ મત્સરસ્તવ તથા દંભસ્તવ
એક
૫૫ ભયસ્તવ તથા ચિંતારત્વ
૫૬ શ્રીઉપદેશ ગ્રંચાવલિ અંક ૨૬
થી ૩૫ (એકઠું પુસ્તક)
૧૯૬૬
૫૭ શ્રીનાથકાવ્ય પ્રથમ ભાગ
૫૮ આલસ્યસ્તવ તથા પ્રમાદરસ્તવ
૫૯ અવિદ્યા સ્તવરાજ
૬૦ સ્વભાવ સ્તવરાજ ૧૯૬૭
૬૧ ગપાષ્ટક તથા સત્યાષ્ટક
૬૨ ચારે વેદના શાંતિપાઠ અર્થસહિત
૬૩ અનન્ય ભક્તિ અને અનન્ય
ભક્તનાં લક્ષણો
૧૯૬૮
એક
૬૪ ભગવાન્‌ રામચંદ્ર ને ભક્તિનિષ્ઠ
શબરીને સંવાદ
૬૫ શ્રીવૈરાગ્યોપદેશ
૬૬ ભક્તિપોષક સંવાદો
૬૭ સદુપદેશ દિવાકર-તૃતીય કિરણ ૧૯૬૯
૬૮ શ્રીરાસ પંચાધ્યાયી જ્ઞાનપક્ષની તથા
ભક્તિ પક્ષની શ્રી રહસ્યાર્થ પ્રકાશિકા
ટીકા સહિત
૬૯ શ્રીમદ્‌ ભગવદગીતાદિ પાંચ
રત્નો તાત્પર્ય બોધિની ટીકા સહિત
બે
૭૦ શ્રી પત્રકલ્પમંજરી ૧૯૭૦
એક
૭૧ દુરાચાર ગિરિવજ્ર ૧૯૭૧
બે
૭૨ શ્રીવિનોદમાલા
એક
૭૩ સુવિચાર ચંદ્રિકા
બે
૭૪ શ્રી મહામંત્ર માલિકા
એક
૭૫ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો
ભાવાર્થ દીપિકા ટીકા સહિત
બે
૭૬ શ્રીસનાતનધર્મનું નિરૂપણ
ત્રણ
૭૭ ભારત વ. ઔદીચ્ય બ્રહ્મસમાજમાં
પ્રમુખસ્થાનેથી આપેલું ભાષણ
(ભાવનગર)
એક
૭૮ શ્રી રુદ્રસૂકત, પુરુષસૂકત તથા
ઈશાવાસ્યાદિ તાત્પર્યબોધિની
ટીકા સહિત
૧૯૭૨
બે
૭૯ શ્રીસાંખ્ય પ્રવચન સાંખ્યતાત્પર્ય
બોધિની ટીકા સહિત
એક
૮૦ શ્રીસૂકત વ્યાવહારિક તથા પારમાર્થિક
પક્ષની ટીકા સહિત
બે
૮૧ ભક્તિસુધા
એક
૮૨ વૈરાગ્યસુધાકર ૧૯૭૪
એક
૮૩ ભારત વ. ઔદીચ્ય બ્રહ્મસમાજમાં
પ્રમુખસ્થાને આપેલું ભાષણ (કરાંચી)
બે
૮૪ શ્રીસદુપદેશ દિવાકર-ચતુર્ય કિરણ ૧૯૭૮
એક
૮૫ શ્રી ઉપદેશ ગ્રંથાવલિ અંક ૩૬
થી ૫૮ (એકઠું પુસ્તક)
૧૯૮૦
૮૬ શ્રીવેદાંતનાં મૂલતત્ત્વો ૧૯૮૧
૮૭ શ્રીનાથકાવ્ય-દ્વિતીય ભાગ
૮૮ શ્રીમહિમ્નસ્તોત્ર તથા જયશંકર
સ્તોત્રાદિ સ્તોત્રા સટીક
ત્રણ
૮૯ શ્રીપરમસુખી થવાના ઉપાય ૧૯૮૪
એક
૯૦ શ્રીવિવેક ભાસ્કર-પ્રથમ રશ્મિ ૧૯૮૫
૯૧ શ્રીબ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિનાં વીશ સાધનો ૧૯૮૫
એક
૯૨ શ્રીવર્ણ વિચાર ૧૯૮૫
એક
૯૩ પ્રાવેશિક દીક્ષા
૯૪ શ્રીમદ્‌ ભગવદગીતાના મુખ્યોપદેશ
સંબંધી વિચાર
૧૯૮૬
એક
૯૫ શ્રીવેદાંતનાં મૂલતત્ત્વો તથા
શ્રેયોભાવના
૯૬ પ્રભુભક્ત થવા ઈચ્છનારે ત્યજવા
યોગ્ય દોષો
૯૭ મંત્રપુષ્પાંજલિ સટીક
૯૮ શ્રીપંચદશી (શ્રીવિદ્યારણ્ય સ્વામિકૃત
ભાવાર્થ દીપિકા ટીકા સહિત
૯૯ શ્રીસદુપદેશ દિવાકર, પંચમ કિરણ ૧૯૮૭
૧૦૦ શ્રીવિવેક ભાસ્કર, દ્વિતીય રશ્મિ
૧૦૧ શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા, અન્વયાર્થ
દીપિકા ટીકા સહિત