દક્ષિણાયન/સુન્દરમ્: જીવનવહી અને સાહિત્યસર્જન
૧૯૦૮: ૨૨મી માર્ચ: જન્મ, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાં-માતર ગામે. જન્મનામ: ત્રિભુવનદાસ. પિતાનું નામ: પુરુષોત્તમદાસ લુહાર, માતાનું નામ: ઊજમબહેન. ૧૯૧૭: લગ્ન: મંગળાબહેન સાથે. અભ્યાસ: મિયાં-માતરમાં ગુજરાતી સાત ધોરણ સુધી. આમોદની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી. ભરૂચમાં. છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં એક વર્ષ. ૧૯૨૫-૨૭: ભરૂચમાંથી ‘વિનીત’ થઈ, અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં. ત્યાંના ત્રૈમાસિક ‘સાબરમતી’માંના ઉત્તમ લેખ માટે ‘તારાગૌરી ચંદ્રક. ૧૯૨૬: ‘સાબરમતી’માં ‘મરીચિ’ ઉપનામથી ‘એકાંશ દે’ – એ- પ્રથમ કાવ્યની પ્રસિદ્ધિ. ૧૯૨૮-૨૯: ‘સાબરમતી’માં ‘બારડોલી’ને – એ કાવ્ય ‘સુન્દરમ્’ના નામથી પ્રસિદ્ધ ‘સાબરમતી’ના તંત્રી. ૧૯૨૯: સંસ્કૃત-અંગ્રેજી સાથે બીજા વર્ગમાં ‘ભાષાવિશારદ’. સોનગઢ ગુરુકુળમાં અધ્યાપક. ૧૯૩૦: ઉમાશંકર સાથે મૈત્રી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા. એમની કાવ્યદીક્ષા જેવું કાવ્ય ‘બુદ્ધનાં ચક્ષુ’નું સર્જન. ૧૯૩૩: પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’નું પ્રકાશન. બીજા કાવ્યસંગ્રહ ‘કાવ્યમંગલા’નું પ્રકાશન. ૧૯૩૪: જ્યોતિ સંઘમાં શિક્ષક. ‘કાવ્યમંગલા’ માટે રણજિતરામ સુવર્ણચંદ્રક. વર્ષના અંતભાગમાં દક્ષિણ ભારતની યાત્રા. ૧૯૩૮: ‘ત્રિશૂળ’ ઉપનામથી પ્રસિદ્ધ થયેલી વાર્તાઓનો પ્રથમ સંગ્રહ ‘હીરાકણી અને બીજી વાતો’નું પ્રકાશન. ૧૯૩૯: કાવ્યસંગ્રહ ‘રંગ રંગ વાદળિયાં’ (બાળકાવ્યો) નુંપ્રકાશન. બીજા વાર્તાસંગ્રહ ‘ખોલકી અને નાગરિકા’અને ચોથા કાવ્યસંગ્રહ ‘વસુધા’નું પ્રકાશન. ૧૯૪૦: ત્રીજા વાર્તાસંગ્રહ ‘પિયાસી’નું પ્રકાશન. પોંડિચેરીમાં શ્રી અરવિંદદર્શન. બોધાયનકૃત ‘ભગવદજ્જુકીયમ્’નો અનુવાદ પ્રકાશિત ૧૯૪૧: ‘દક્ષિણાયન’ પ્રવાસગ્રંથનું પ્રકાશન ૧૯૪૩: પોંડિચેરીમાં શ્રીઅરવિંદદર્શન (બીજી વાર) ૧૯૪૪: શુદ્રકકૃત ‘મૃચ્છકટિકમ્’ના અનુવાદનું પ્રકાશન. ૧૯૪૫: ચોથા વાર્તાસંગ્રહ ‘ઉન્નયન’નું પ્રકાશન. ‘ખોલકી અને નાગરિકા’માં નવી પાંચ વાર્તાઓ સાથે સંવર્ધિત આવૃત્તિ રૂપે પ્રકાશન. બુધસભા, મિજલસ, પ્રગતિશીલ સાહિત્ય મંડળ, લેખક મિલન જેવી સંસ્થાઓના સંસ્થાપન – સંચાલનમાં સહાય, શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સપરિવાર નિવાસ. ૧૯૪૬: પ્રથમ વિવેચનગ્રંથ ‘અર્વાચીન કવિતા’નું પ્રકાશન. ‘અર્વાચીન કવિતા’ને મહીડા પારિતોષિક, ૧૯૪૭ ૧૫ મી ઑગસ્ટથી શરૂ થયેલ ત્રૈમાસિક ‘દક્ષિણા’ના તંત્રી. ૧૯૫૦ ‘શ્રીઅરવિંદ મહાયોગી’ (જીવનચરિત્ર) નું પ્રકાશન. ૧૯૫૧: પાંચમા કાવ્યસંગ્રહ ‘યાત્રા’નું પ્રકાશન. ૧૯૫૪: ચિદમ્બરમ્ ખાતે પી. ઈ. એન. યોજિત ત્રીજી અખિલ ભારતીય લેખક પરિષદમાં ભાગ લીધો. ૧૯૫૫: ‘યાત્રા’માટે નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૫૯: ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ ખાતેના વીસમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૬૧: જર્મન નાટ્યકાર, અનર્સ્ટ ટોલરના ‘ટ્રાન્સફિગ્યુરેશન’ના ‘કાયાપલટ’ નામના અનુવાદનું પ્રકાશન. ૧૯૬૫: ટોલરના ‘માસિઝ ઍન્ડ મૅન’નાટકના ‘જનતા અને જન’ નામના અનુવાદનું પ્રકાશન. બીજા વિવેચનગ્રંથ ‘અવલોકના’નું પ્રકાશન. ૧૯૬૭: ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’માં મુંબઈ યુનિ.માં વ્યાખ્યાનો ૧૯૬૮: ‘ચિદંબરા’ લેખસંગ્રહનું પ્રકાશન ૧૯૬૯-: ‘અવલોકન’ માટે સાહિત્ય અકાદમી – દિલ્હીનું પારિતોષિક. બીજી સપ્ટેમ્બરે મંગળાબહેનનું અવસાન. ડિસેમ્બરમાં જૂનાગઢ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પચીસમા અધિવેશનના પ્રમુખ. ‘તપોવન’ ગ્રંથનો અર્પણ-સમારંભ. ૧૯૭૪: શ્રીઅરવિંદ તત્ત્વજ્ઞાન વ્યાખ્યાનમાળા, વલ્લભવિદ્યાનગર, ઝામ્બિયા (આફ્રિકા)માં શ્રીઅરવિંદ શિબિર. ‘ઐસી હૈ જિન્દગી’(અનુવાદ) નું પ્રકાશન. ૧૯૭૭: ‘તારિણી’ અને ‘પાવકના પંથે’વાર્તાસંગ્રહોનું પ્રકાશન. ‘વાસંતી પૂર્ણિમા’ નાટ્યસંગ્રહનું પ્રકાશન. ૧૯૭૮: ‘સાહિત્ય ચિંતન’ (સાહિત્યલેખો), ‘સમર્ચના’ (ચારિત્ર્યપ્રધાન લેખો). सा विद्या (તત્ત્વચિંતનના લેખો)નું પ્રકાશન ૧૯૭૯: દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરતમાં શ્રી અરવિંદ વિશે પાંચ વ્યાખ્યાનો. ૧૯૮૩: ૐપુરી નગરનું માતર પાસે વાત્રક-તટે ખાતમુહૂર્ત: ૧૧-૧૧-૧૯૮૩. ૧૯૮૪: અમૃત મહોત્સવની ઉજવણી અંબાજી તથા મિયાં-માતરમાં. ૧૯૮૫: ‘પદ્મભૂષણ’ ઍવૉર્ડ એનાયત (૧૬-૩-૧૯૮૫) ૧૯૮૭: દિલ્હી સાહિત્ય અકાદમીના કાર્યમંડળમાં નિયુક્તિ. ફ્રાન્સના પૅરિસમાં શ્રીઅરવિંદ શિબિર. લંડનમાં શ્રીઅરવિંદ હાઉસનું નિર્માણ (૨૩-૯-૧૯૮૭). ૧૯૮૯: લંડનની શ્રીઅરવિંદ હાઉસમાં શ્રીમાતાજી તથા શ્રીઅરવિંદની છબીઓનું અનાવરણ. ૧૯૯૦: ગુજરાત સરકાર તરફથી ‘શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર’ (૨૫-૧-૧૯૯૦). ‘વરદા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન. ૧૯૯૧: દેહોત્સર્ગ (૧૩-૧-૧૯૯૧). ‘મુદિતા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન. ૧૯૯૨: ‘ઉત્કંઠા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન. ૧૯૯૩: ‘અનાગતા’કાવ્યસંગ્રહનું પ્રકાશન. ૧૯૯૫: ‘લોકલીલા’ (આખ્યાનકાવ્ય), ‘ઈશ’ (કાવ્યસંગ્રહ), ‘સાવિત્રીના કાવ્યખંડો’(કાવ્યાનુવાદ), ‘પલ્લવિતા’ (કાવ્યસંગ્રહ) અને ‘મહાનદ’ (કાવ્યસંગ્રહ)નું પ્રકાશન. ૧૯૯૭: ‘પ્રભુપદ’, ‘અગમ નિગમા’ અને ‘પ્રિયંકા’ કાવ્યસંગ્રહોનું તેમ જ नित्यश्लोक (કાવ્યગ્રંથ)નું પ્રકાશન. ૧૯૯૮: ‘નયા પૈસા’ તેમ જ ‘વરદા’ કાવ્યસંગ્રહોનું પ્રકાશન. (‘વરદા’ની બીજી આવૃત્તિમાં ‘વરદા’, ‘મુદિતા’, ‘ઉત્કંઠા’ અને ‘અનાગતા’ સમાવિષ્ટ છે.) ૧૯૯૯: ‘ચક્રદૂત’ કાવ્યસગ્રંહનું પ્રકાશન. ૨૦૦૦: ‘લોકલીલા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન. ૨૦૦૨: ‘દક્ષિણા-૧’ તથા ‘દક્ષિણા-૨’નું પ્રકાશન. ચંદ્રકાન્ત શેઠ સંપાદિત ‘સુન્દરમ્ની શ્રેષ્ઠ વાર્તાઓ’નું પ્રકાશન.