પૂર્વાલાપ/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કૃતિ-પરિચય


પૂર્વાલાપની ૧૦૦ ઉપરાંત કૃતિઓમાં ખંડકાવ્યો જેવી કેટલીક દીર્ઘ છંદ-રચનાઓ છે જેમાં અતિજ્ઞાન, વસંતવિજય, ચક્રવાકમિથુન કાન્તની જ નહીં પણ સમગ્ર ગુજરાતી કવિતાની સર્વોત્તમ ખંડકાવ્ય-કૃતિઓ છે. ઉપહાર જેવી સઘન સૉનેટ રચનાઓ તથા સાગર અને શશી જેવી સુંદર ગીતમય માત્રામેળી રચનાઓ છે. સુમધુર અને સ્નાયુબદ્ધ છંદવિન્યાસ, સહજ પ્રાસની શિલ્પરચના, ભાવ-અનુસાર પલટાતા વિવિધ છંદોનું સંયોજન તથા ચિંતન અને ઊર્મિની સંયુક્ત પ્રભાવકતા — કાન્તની કવિતાની આગવી ઓળખ છે. એમની શક્તિઓ સર્વ કાવ્યોમાં એકસરખી ઊંચાઈએ રહી નથી છતાં ભાવની આર્દ્રતા અને અભિવ્યક્તિની સફાઈ તો એમાં જોવા મળે છે.

પહેલા કાવ્યથી જ વાચકને આકર્ષી લેતી આ કવિતામાં પ્રવેશવા હાર્દિક નિમંત્રણ….

નોંધ : જેમને કાન્ત અને એમની કવિતા વિશે વધુ જાણવામાં રસ હોય તે નીચેનાં પુસ્તકો જોઈ શકે ૧. રામનારાયણ પાઠક : પૂર્વાલાપની બીજી આવૃત્તિનો ઉપોદ્ઘાત [પ્રસ્તાવના] અને ટિપ્પણો, ૧૮૨૬ ૨. સુન્દરમ્ : અર્વાચીન કવિતા, ૧૯૪૬ ૩. ઉમાશંકર જોશી : સમસંવેદન,૧૯૬૫ ૪. સુરેશ દલાલ (સંપા.) : ઉપહાર, ૧૯૬૭ ૫. ભૃગુરાય અંજારિયા : કાન્ત વિશે, ૧૯૮૩ તથા ગુજરાતી સાહિત્યના ઇતિહાસો

(પરિચય—રમણ સોની )