બાળ કાવ્ય સંપદા/કેમ ચાલે ?
કેમ ચાલે ?
લેખક : બાલમુકુન્દ દવે
(1916-1993)
ઘરમાં રહો તે કેમ ચાલે ?
ચકીબાઈ, ઘ૨માં રહો તે કેમ ચાલે ?
ઘરની તે બહાર જુઓ કાબર ને કાગડો
ખુલ્લી હવામાં તે મહાલે;
ખિસકોલી ઝાડ પર દોડાદોડીમાં
એ ડાળીઓ બધીયે ઝાલે
જીવનનું દુઃખ બધું ટાળે !
ચકીબાઈ ઘ૨માં...
ઘરની તે બહાર પેલાં લીલાંછમ ખેતરો ને
ઉપર આકાશની છાયા,
લૂંટવાનો હોય હવે આનંદ બસ આનંદ તો
ઘરની તે લાગી કેમ માયા ?
તમે રહો ઘરમાં, ના કેમ પાળે ?
ચકીબાઈ ઘ૨માં...
ઘરમાં રહેનારાયે ટાબરિયાં ખુશ થઈ
દોડી દોડીને બહાર જાય
હૂપાહૂપ વાંદર શા એમના ચાળા તોય
ભોળાભટાક ગમી જાય
તમે બહાર ના આવો તે કેમ ચાલે ?
ચકીબાઈ ઘરમાં...