બાળ કાવ્ય સંપદા/જઈને કોઈ કે'જો

જઈને કોઈ કે’જો

લેખક : નિરંજન સરકાર
(મૂળ નામ : શ્રીકાંત શાહ)
(1936)

ઓલી વાદળીને જઈને કોઈ કે’જો, કે
દિન-રાત વરસ્યાં કરે. (૨)

ડુંગરિયે ડોલતાં રંગીલાં ફૂલડાંને
સંદેશો જઈને કોઈ કે’જો, કે
દિન-રાત મલક્યાં કરે. (૨)

વનરાતે વન કેરી ઘેરી ઘટામાં,
મોરલાને જઈને કોઈ કે’જો, કે
દિન-રાત ગેહક્યાં કરે. (૨)

ઘૂઘવતા સાગરના ઘોડલે પલાણ કરી,
મોજાંને જઈને કોઈ કે’જો, કે
દિન-રાત ઊછળ્યાં કરે. (૨)

અંધારી રાત કેરી ઊડતી ઓઢણીમાં,
તારલાને જઈને કોઈ કે’જો કે
રોજ રોજ ચમક્યાં કરે. (૨)