બાળ કાવ્ય સંપદા/શરણાઈવાળો
શરણાઈવાળો
લેખક : દલપતરામ
(1820-1898)
એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગરાગણી વગાડવામાં વખણાણો છે.
એકને જ જાચું એવી ટેક છેક રાખી, એક
શેઠને રીઝવી મોજ લેવાને મંડાણો છે.
કહે દલપતરામ પછી બોલ્યો તે કંજૂસ શેઠ,
"ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે,
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે !"