બાળ કાવ્ય સંપદા/સૂરજદાદા આવ્યા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સૂરજદાદા આવ્યા

લેખક : ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ’
(1947)

અંધારાનો પડદો ચીરી
સૂરજદાદા આવ્યા.
નભની નાની બારીએથી
સૂરજદાદા આવ્યા.
પૃથ્વી કેરે પગથારેથી
સૂરજદાદા આવ્યા.
ક્ષિતિજની ધારેધારેથી
સૂરજદાદા આવ્યા.
સાગરમાં ડૂબકી મારીને
સૂરજદાદા આવ્યા.
કિરણોની દાઢી વધારી
સૂરજદાદા આવ્યા.
અવનીને નવજીવન દેવા
સૂરજદાદા આવ્યા.