બાળ કાવ્ય સંપદા/હંસગાન
Jump to navigation
Jump to search
હંસગાન
લેખક : કૃષ્ણલાલ શ્રીધરાણી
(1911-1960)
દરિયાના બેટથી ઊડ્યાં અમે તો,
હિમાળા ડુંગર જાવાં જી !
સાત સાત સમદર ઊડી અમારે,
માનસ-સરમાં નાવાં જી !
લૂમે દાડમડી ને ઝૂમે જમરુખડી,
મોતી માનસનાં ખાવાં જી !
વનવન શેવતી વેરે પાંખડલી,
સરનાં પંકજડાં હસાવાં જી !
જગનાં પ્રવાસી અમે ઊડતાં પંખીડલાં,
માનસ મરવા જાવાં જી !
આભ ચીરી અવનિ ઊભરાવી,
છેલ્લાં કો હંસગીત ગાવાં જી !