મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૧૧.લોયણ


૧૧૧.લોયણ

લોયણ આ જ્ઞાનમાર્ગી સંત સ્ત્રીકવિએ, પશ્ચાત્તાપ કરતા લાખાને સંબોધતાં હોય એ રીતે રચેલાં, પચાસેક પદોમાં નિર્ગુણભક્તિમહિમા તથા સદ્ગુરુમહિમાનું આલેખન માર્મિકતાથી અને આર્દ્ર ભક્તિભાવપૂર્વક કરેલું છે. એમની ભજનવાણી ઘણી લોકપ્રિય છે.