મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૭૭.દાસીજીવણ


૭૭.દાસીજીવણ

દાસી જીવણ/ જીવણદાસ (ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ):

જીવણ/જીવણદાસ એવી નામછાપ પણ ધરાવતા પરંતુ ‘દાસી જીવણ’ તરીકે વધુ જાણીતા રવિભાણ સંપ્રદાયના ભીમસાહેબના શિષ્ય એવા આ સંતકવિએ યૌગિક રહસ્યાનુભૂતિ, ગુરુમહિમા તથા પ્રેમલક્ષણા ભક્તિનાં માધુર્યભર્યાં પદો રચ્યાં છે. રૂપકાત્મકતા, તળપદા વાણીવળોટો તથા હિંદીની છાંટ એમનાં પદોની વિશેષતા છે.