મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૮૭.નિરાંત

૮૭.નિરાંત

નિરાંત (ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ – ૧૯મી સદી પૂર્વાર્ધ): જ્ઞાનમાર્ગી કવિ. ભજન-કીર્તન દ્વારા ઉપદેશ આપતા હોવાથી નિરાંત મહારાજને નામે પણ જાણીતા આ કવિએ મુખ્યત્વે કાફી, ઝૂલણા, ધોળ વગેરે પ્રકારોમાં ગુજરાતી તેમજ હિંદી ભાષામાં બસો ઉપરાંત પદો રચ્યાં છે. લોકભોગ્ય સરળ વાણીમાં તત્ત્વવિચાર તથા ભક્તિનું નિરૂપણ કરતાં આ પદો ઉપરાંત વેદાંત અંગેની જિજ્ઞાસા પ્રગટ કરતા, હરિરામ, સવિસાહેબ તથા મંછારામને લખેલા પદો-પાત્રો પણ આ કવિની લાક્ષણિકતા રચનાઓ છે. આ ઉપરાંત એમણે ‘યોગસાંખ્ય-દર્શનનો સલોકો’ તેમજ અવતારોનું માર્મિક ચિત્રાત્મક આલેખન કરતી ‘અવતારખંડન’ નામની કૃતિઓ પણ રચી છે.