રવીન્દ્રપર્વ/૬૩. નાગિણીઓ ચારે બાજુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬૩. નાગિણીઓ ચારે બાજુ

નાગિણીઓ ચારે બાજુ ફુત્કારે છે વિષાક્ત નિ:શ્વાસ,
શાન્તિની લલિત વાણી ઉચ્ચારતી વ્યર્થ પરિહાસ —
વિદાય લઉં તે પ્હેલાં તેથી
હાંક પાડી જાઉં
દાનવની સાથે જેઓ ઝૂઝવાને કાજે
કમર કસે છે ઘરે ઘરે તેને.