રવીન્દ્રપર્વ/૭૨. ઓઇ આસનતલેર માટિર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭૨. ઓઇ આસનતલેર માટિર

આ તારા આસન તળેની ધૂળમાં હું પડ્યો રહીશ. તારી ચરણરજથી હું ધૂળભર્યો થઈને રહીશ. મને માન દઈને હજી દૂર શા માટે રાખે છે? આવી રીતે સદા કાળ મને ભૂલી જઈશ નહીં. અસમ્માન કરીને મને તારાં ચરણ પાસે ખેંચી લાવ. હું તો તારી ચરણરજથી ધૂળભર્યો થઈને રહીશ. હું તારા જાત્રીઓનાં ટોળાંમાં સહુથી છેવાડે રહીશ. મને તું સહુથી નીચેનું સ્થાન આપજે. પ્રસાદ માટે કેટલું બધું લોક દોડ્યું આવે છે. હું તો કશુંય માગીશ નહીં, માત્ર જોઈ રહીશ. છેક છેલ્લે જે કાંઈ બચ્યું હશે તે જ હું લઈશ. હું તો તારી ચરણરજથી ધૂળભર્યો થઈને રહીશ. (ગીત-પંચશતી)