સોરઠિયા દુહા/49

From Ekatra Wiki
Jump to navigation Jump to search


49

નરનારી બંને ભલાં, કદી ન આંગણ કાળ;
આવેલાને આદર કરે, પડ જોવો પાંચાળ.

ઘેરઘેર પુરુષ અને સ્ત્રી બંને ઉદાર દિલનાં હોય છે. એમને આંગણે આવનાર દરેક માનવીની એ મોંઘેરી પરોણાગત કરે છે, એમને ઘેર કાંઈ કમીના નથી હોતી.