7,290
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ચાર કવિઓ વિશે એક જુદી વાત| સુમન શાહ}} | {{Heading|ચાર કવિઓ વિશે એક જુદી વાત| સુમન શાહ}} | ||
<small>(હરીશ મીનાશ્રુ, વિનોદ જોશી, મણિલાલ હ. પટેલ તથા બાબુ સુથારની કવિતા વિશે)</small> | <small>(હરીશ મીનાશ્રુ, વિનોદ જોશી, મણિલાલ હ. પટેલ તથા બાબુ સુથારની કવિતા વિશે)</small> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મને સોંપાયેલા ૪ કવિઓમાંના પ્રિય હરીશ, પ્રિય વિનોદ, પ્રિય મણિલાલ, અનુપસ્થિત છતાં ઉપસ્થિત બાબુ સુથાર, ‘પ્રતિપદા’ના સૌ આયોજકો, બીજા કવિમિત્રો અને સૌ સભાજનોઃ | મને સોંપાયેલા ૪ કવિઓમાંના પ્રિય હરીશ, પ્રિય વિનોદ, પ્રિય મણિલાલ, અનુપસ્થિત છતાં ઉપસ્થિત બાબુ સુથાર, ‘પ્રતિપદા’ના સૌ આયોજકો, બીજા કવિમિત્રો અને સૌ સભાજનોઃ | ||
Line 15: | Line 13: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Center|ooo}} | |||
જો તમારી હા છે, તો શરૂમાં જ જણાવી દઉં કે હું બે વસ્તુ નથી કરવાનોઃ એકઃ હું સર્જનના કૅટેગોરાઈઝેશનમાં, કોટિ-કરણમાં, નહીં ઊતરું. એટલે કે આ કવિતા અનુ-આધુનિક છે કે નથી એ હું નથી કહેવાનો. એ જ રીતે કયો કવિ મૉડર્નિસ્ટ, પોસ્ટમૉડર્નિસ્ટ, પોસ્ટ-પોસ્ટમૉડર્નિસ્ટ કે કયો એ ત્રણેયનાં લક્ષણોથી સમવેત છે એ પણ નથી કહેવાનોઃ બીજુંઃ હું સર્જનના પ્રપંચસમવાયમાં નહીં ઊતરું. એટલે કે જેને આપણે રૂપનિર્મિતિ કહીએ છીએ એ ફૉર્મની સાધકબાધક પંચાતમાં નથી ઊતરવાનો – એનો અર્થ એ કે જેને આપણે કૃતિલક્ષી કહીએ છીએ એ જાતની ચીલાચાલુ વાતો નથી કરવાનો. એટલે કે જીવનક્ષેત્રમાંથી સ્ફુરતાં કાવ્યવસ્તુઓ વિશે, ગીત ગઝલ સૉનેટ વગેરે કાવ્યના પ્રકારો વિશે, છાન્દસ અછાન્દસ વગેરે કાવ્યનાં માધ્યમો વિશે અને શિષ્ટ, અર્ધ-શિષ્ટ કે લોકતત્ત્વો ધરાવતી સર્વસામાન્ય કે કવિવિશિષ્ટ કાવ્યબાનીઓ વિશે નથી કહેવાનો. નથી કહેવાનો એટલે એ બાબતોની પરીક્ષા નથી કરવાનો – આ ખરું આ ખોટું પ્રકારે માર્ક્સ આપીને કશાં પરિણામો જાહેર નથી કરવા. | જો તમારી હા છે, તો શરૂમાં જ જણાવી દઉં કે હું બે વસ્તુ નથી કરવાનોઃ એકઃ હું સર્જનના કૅટેગોરાઈઝેશનમાં, કોટિ-કરણમાં, નહીં ઊતરું. એટલે કે આ કવિતા અનુ-આધુનિક છે કે નથી એ હું નથી કહેવાનો. એ જ રીતે કયો કવિ મૉડર્નિસ્ટ, પોસ્ટમૉડર્નિસ્ટ, પોસ્ટ-પોસ્ટમૉડર્નિસ્ટ કે કયો એ ત્રણેયનાં લક્ષણોથી સમવેત છે એ પણ નથી કહેવાનોઃ બીજુંઃ હું સર્જનના પ્રપંચસમવાયમાં નહીં ઊતરું. એટલે કે જેને આપણે રૂપનિર્મિતિ કહીએ છીએ એ ફૉર્મની સાધકબાધક પંચાતમાં નથી ઊતરવાનો – એનો અર્થ એ કે જેને આપણે કૃતિલક્ષી કહીએ છીએ એ જાતની ચીલાચાલુ વાતો નથી કરવાનો. એટલે કે જીવનક્ષેત્રમાંથી સ્ફુરતાં કાવ્યવસ્તુઓ વિશે, ગીત ગઝલ સૉનેટ વગેરે કાવ્યના પ્રકારો વિશે, છાન્દસ અછાન્દસ વગેરે કાવ્યનાં માધ્યમો વિશે અને શિષ્ટ, અર્ધ-શિષ્ટ કે લોકતત્ત્વો ધરાવતી સર્વસામાન્ય કે કવિવિશિષ્ટ કાવ્યબાનીઓ વિશે નથી કહેવાનો. નથી કહેવાનો એટલે એ બાબતોની પરીક્ષા નથી કરવાનો – આ ખરું આ ખોટું પ્રકારે માર્ક્સ આપીને કશાં પરિણામો જાહેર નથી કરવા. | ||
: | '''૧:''' | ||
{{Poem2Open}}એનું મુખ્ય કારણ એ છે કે કાવ્યની એ પ્રકારની રૂપપરક પરીક્ષા પછી આપણો સમીક્ષક ત્યાં જ અટકી જતો હોય છે. કશી આગળની શોધમાં નથી ઊતરતો. કાવ્ય અને કવિ ઉપરાન્ત મનુષ્યજીવન અને સંસાર અંગે સાહિત્ય શું કરે છે એવુંતેવું કંઈક કહેવાવું જોઈએ એ એનાથી નથી કહેવાતું. કેમકે એને તો સંતોષભરી મજા લેવી હોય છે કે કૃતિલક્ષી રહીને પોતે પદ પદ વચ્ચેના સમ્બન્ધોને કેવા ઉકેલી આપ્યા, સર્જનનું કેવું બધું રહસ્ય ખોલી દીધું. ઇતિ સિદ્ધમ્ ગણીને એ ખુશહાલ થઈ જાય છે. એથી એના અહમ્-ની પુષ્ટિ થાય છે પણ એથી સાહિત્યકલાની સંસ્થિત સમજમાં કશો નવતર સંચાર નથી થતો. | {{Poem2Open}}એનું મુખ્ય કારણ એ છે કે કાવ્યની એ પ્રકારની રૂપપરક પરીક્ષા પછી આપણો સમીક્ષક ત્યાં જ અટકી જતો હોય છે. કશી આગળની શોધમાં નથી ઊતરતો. કાવ્ય અને કવિ ઉપરાન્ત મનુષ્યજીવન અને સંસાર અંગે સાહિત્ય શું કરે છે એવુંતેવું કંઈક કહેવાવું જોઈએ એ એનાથી નથી કહેવાતું. કેમકે એને તો સંતોષભરી મજા લેવી હોય છે કે કૃતિલક્ષી રહીને પોતે પદ પદ વચ્ચેના સમ્બન્ધોને કેવા ઉકેલી આપ્યા, સર્જનનું કેવું બધું રહસ્ય ખોલી દીધું. ઇતિ સિદ્ધમ્ ગણીને એ ખુશહાલ થઈ જાય છે. એથી એના અહમ્-ની પુષ્ટિ થાય છે પણ એથી સાહિત્યકલાની સંસ્થિત સમજમાં કશો નવતર સંચાર નથી થતો. | ||
Line 28: | Line 26: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
: | '''૨:''' | ||
{{Poem2Open}}મેં નક્કી એમ રાખ્યું છે કે પહેલાં એ ચિન્તા-સૂરને ધ્યાનમાં રાખીને વાત કરું. એટલે કે મને સોંપાયેલા ૪ કવિઓની સૃષ્ટિ સંદર્ભે એવો વિકાસશીલ ઉછેર કેવી રીતે થઈ શકે એના કંઈક ઇશારા કરું. અને પછી એક બીજા સૂરને રમતો મૂકી વિદ્વદ્જનો કરતા હોય છે એમ હું પણ મારી વાણીને વિરામ આપું. | {{Poem2Open}}મેં નક્કી એમ રાખ્યું છે કે પહેલાં એ ચિન્તા-સૂરને ધ્યાનમાં રાખીને વાત કરું. એટલે કે મને સોંપાયેલા ૪ કવિઓની સૃષ્ટિ સંદર્ભે એવો વિકાસશીલ ઉછેર કેવી રીતે થઈ શકે એના કંઈક ઇશારા કરું. અને પછી એક બીજા સૂરને રમતો મૂકી વિદ્વદ્જનો કરતા હોય છે એમ હું પણ મારી વાણીને વિરામ આપું. | ||
Line 38: | Line 36: | ||
મારું મન્તવ્ય એમ છે કે કવિઓ જ્યારે આ બધી બાબતે નીવડેલા હોય ત્યારે એમની ખાલી રૂપપરક પરીક્ષા-સમીક્ષા કરવી એ મને કાલા થઈને કાછડીમાં હાથ ઘાલવા જેવું હસનીય લાગે છે. સોનાને, અરે આ તો સોનું છે કહેવા પ્રકારની એમાં મને આછકલાઈ લાગે છે. કવિઓ સર્જનનાં ચારે ચાર પરિમાણને વિશે—વસ્તુ, પ્રકાર, માધ્યમ અને બાની વિશે – સમજદાર અને સૂઝબૂઝવાળા હોય, પોતાની રચનામાં જે-તેના યોગ-પ્રયોગ કે વિનિયોગને વિશે વિવેકી હોય, એમનું કવિ તરીકેનું શીલ બંધાયું હોય, વ્યક્તિત્વ નીખર્યું હોય, ત્યારે એઓની માત્ર રૂપપરક પરીક્ષા-સમીક્ષા કરવાનો કોઈ મતલબ નથી રહેતો – આખી પ્રવૃત્તિ સ્વાન્તઃ સુખાય દીસે છે.{{Poem2Close}} | મારું મન્તવ્ય એમ છે કે કવિઓ જ્યારે આ બધી બાબતે નીવડેલા હોય ત્યારે એમની ખાલી રૂપપરક પરીક્ષા-સમીક્ષા કરવી એ મને કાલા થઈને કાછડીમાં હાથ ઘાલવા જેવું હસનીય લાગે છે. સોનાને, અરે આ તો સોનું છે કહેવા પ્રકારની એમાં મને આછકલાઈ લાગે છે. કવિઓ સર્જનનાં ચારે ચાર પરિમાણને વિશે—વસ્તુ, પ્રકાર, માધ્યમ અને બાની વિશે – સમજદાર અને સૂઝબૂઝવાળા હોય, પોતાની રચનામાં જે-તેના યોગ-પ્રયોગ કે વિનિયોગને વિશે વિવેકી હોય, એમનું કવિ તરીકેનું શીલ બંધાયું હોય, વ્યક્તિત્વ નીખર્યું હોય, ત્યારે એઓની માત્ર રૂપપરક પરીક્ષા-સમીક્ષા કરવાનો કોઈ મતલબ નથી રહેતો – આખી પ્રવૃત્તિ સ્વાન્તઃ સુખાય દીસે છે.{{Poem2Close}} | ||
: | '''૩:''' | ||
{{Poem2Open}}ચાલોને જોઈએ આપણે કે મને સોંપાયેલાં કાવ્યોની રૂપનિર્મિતિ બાબતે પરીક્ષા-સમીક્ષા કરું તો કેવું થાય અને મેં જણાવ્યું એમ રૂપથી આગળ વધવા ચાહું તો કેવું થાય – જરા ધ્યાન આપોઃ | {{Poem2Open}}ચાલોને જોઈએ આપણે કે મને સોંપાયેલાં કાવ્યોની રૂપનિર્મિતિ બાબતે પરીક્ષા-સમીક્ષા કરું તો કેવું થાય અને મેં જણાવ્યું એમ રૂપથી આગળ વધવા ચાહું તો કેવું થાય – જરા ધ્યાન આપોઃ | ||
Line 96: | Line 94: | ||
તો એ પદાવલિઓ કશા સુદીર્ઘ સમયથી ઠરી ગયેલા વિચારપિણ્ડને નથી ઢંઢોળતી? હાંસિયામાં ધકેલાઈ ગયેલી જીવન-ઢબછબની યાદ નથી અપાવતી? અગ્નિ વાયુ જળ વડે રમાતી એ ચોપાટ કઈ? અન્ધકાર માટી તેજ વાયુ ભેજ કે તેતર સાથેનો શબદનો કયો અનુબન્ધ કે સમ્બન્ધ? ટૂંકમાં, એ કાવ્યવસ્તુ ઘણું જ ઘણું રહસ્યસૂચક અને તેથી ધ્યાનપાત્ર છે. જો એવું ધ્યાન અપાય તો એ વસ્તુ અને કવિની સર્જકચેતના વચ્ચેના અણજાણ સમ્બન્ધને ઓળખવાની ઘડી આવે. પણ એમ ધ્યાન નથી અપાતું.{{Poem2Close}} | તો એ પદાવલિઓ કશા સુદીર્ઘ સમયથી ઠરી ગયેલા વિચારપિણ્ડને નથી ઢંઢોળતી? હાંસિયામાં ધકેલાઈ ગયેલી જીવન-ઢબછબની યાદ નથી અપાવતી? અગ્નિ વાયુ જળ વડે રમાતી એ ચોપાટ કઈ? અન્ધકાર માટી તેજ વાયુ ભેજ કે તેતર સાથેનો શબદનો કયો અનુબન્ધ કે સમ્બન્ધ? ટૂંકમાં, એ કાવ્યવસ્તુ ઘણું જ ઘણું રહસ્યસૂચક અને તેથી ધ્યાનપાત્ર છે. જો એવું ધ્યાન અપાય તો એ વસ્તુ અને કવિની સર્જકચેતના વચ્ચેના અણજાણ સમ્બન્ધને ઓળખવાની ઘડી આવે. પણ એમ ધ્યાન નથી અપાતું.{{Poem2Close}} | ||
: | '''૪:''' | ||
{{Poem2Open}}રૂપપરક સમીક્ષા પોતાની શરૂઆત હમેશાં કૃતિ લઈને કરશે. રસકારણ સમજાવશે. પણ એક સવાલ કરુંઃ એવું કશું ભણતર ન હોય તો પણ વાચકોને મજાઓ પડતી હોય છે – તે કેમ? મારો ઉત્તર એ છે કે એ મનુષ્ય છે, ભલે શિક્ષિત-દીક્ષિત ભાવક નથી. મારું મન્તવ્ય છે કે વાચકને પોતાની રીતનો રસતોષ હમેશાં થતો હોય છે. ભલે એ રસતોષને શાસ્ત્રનો સધિયારો ન હોય. કશી ચોક્કસ કલા-સમજ વિના એ સર્જકને ઓળખતો થઈ જાય છે. જેમકે, આ ૪ કવિવર્યોના બારામાં એવું જરૂર થયું છે. જેમકે, એ તરત કહેશે, આ રચના હરીશની છે, વિનોદની નથી. આ રચના મણિલાલની નથી, બાબુની છે. નિજી અને સ્વૈર ભૂમિકાના આવા રસતોષનું શું કારણ હશે? | {{Poem2Open}}રૂપપરક સમીક્ષા પોતાની શરૂઆત હમેશાં કૃતિ લઈને કરશે. રસકારણ સમજાવશે. પણ એક સવાલ કરુંઃ એવું કશું ભણતર ન હોય તો પણ વાચકોને મજાઓ પડતી હોય છે – તે કેમ? મારો ઉત્તર એ છે કે એ મનુષ્ય છે, ભલે શિક્ષિત-દીક્ષિત ભાવક નથી. મારું મન્તવ્ય છે કે વાચકને પોતાની રીતનો રસતોષ હમેશાં થતો હોય છે. ભલે એ રસતોષને શાસ્ત્રનો સધિયારો ન હોય. કશી ચોક્કસ કલા-સમજ વિના એ સર્જકને ઓળખતો થઈ જાય છે. જેમકે, આ ૪ કવિવર્યોના બારામાં એવું જરૂર થયું છે. જેમકે, એ તરત કહેશે, આ રચના હરીશની છે, વિનોદની નથી. આ રચના મણિલાલની નથી, બાબુની છે. નિજી અને સ્વૈર ભૂમિકાના આવા રસતોષનું શું કારણ હશે? | ||
મારો ઉત્તર છે કવિની સિગ્નેચર, એનો માર્કો, એની વૈયક્તિક વિશેષતા. એ વિશેષતાનું એના વડે ભાત-ભાતની રીતે થયા કરતું વિકસન. આ સિગ્નેચર એવી વસ્તુ છે જેની કશી વ્યાખ્યા કરી શકાતી નથી, એને શાસ્ત્રમાં બાંધવાનું કામ કપરું છે. મને કહેતાં આનન્દ થાય છે કે હરીશ, વિનોદ, મણિલાલ કે બાબુ ભલે આયોજકોને અનુ-આધુનિક કાવ્યોત્સવનાં સર્વસાધારણ કે સહિયારાં ભાજન લાગ્યાં હોય પણ એ ચારેય કવિવ્યક્તિ છે, એકમેકથી વ્યાવર્તક છે, વિશિષ્ટ છે, ચારેયની પોતાની સિગ્નેચર છે. | મારો ઉત્તર છે કવિની સિગ્નેચર, એનો માર્કો, એની વૈયક્તિક વિશેષતા. એ વિશેષતાનું એના વડે ભાત-ભાતની રીતે થયા કરતું વિકસન. આ સિગ્નેચર એવી વસ્તુ છે જેની કશી વ્યાખ્યા કરી શકાતી નથી, એને શાસ્ત્રમાં બાંધવાનું કામ કપરું છે. મને કહેતાં આનન્દ થાય છે કે હરીશ, વિનોદ, મણિલાલ કે બાબુ ભલે આયોજકોને અનુ-આધુનિક કાવ્યોત્સવનાં સર્વસાધારણ કે સહિયારાં ભાજન લાગ્યાં હોય પણ એ ચારેય કવિવ્યક્તિ છે, એકમેકથી વ્યાવર્તક છે, વિશિષ્ટ છે, ચારેયની પોતાની સિગ્નેચર છે. |