ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/જટાશંકર લીલાધર ત્રિવેદી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સ્વ. વૈદ્ય પંચાનન જટાશંકર લીલાધર ત્રિવેદી}}
{{Heading|સ્વ. વૈદ્ય પંચાનન જટાશંકર લીલાધર ત્રિવેદી}}
[[File:Jatashankar Liladhar Trivedi.jpg|200px|right]]
{{Poem2Open}}
{{Poem2Open}}
તેમનો જન્મ કાઠીઆવાડમાં જામનગર પાસે આવેલ ધ્રોળ નામના ગામમાં સંવત ૧૯૧૫ના ચૈત્ર સુદી ૩ ના રોજ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના પારાશરગોત્રી ગાદે કુટુમ્બના લીલાધર લક્ષ્મીધર ત્રિવેદીને ત્યાં થયો હતો; જટાશંકર એ લીલાધર ત્રિવેદીના સૌથી નાના પુત્ર હતા; અને તેમની બાળવયમાંજ લીલાધર ત્રિવેદીનું અવસાન થવાથી મોટાભાઈના આશ્રય નીચે કેળવણી મેળવી હતી. એ વખતે સાધનોની અનુકૂળતા વગર ઈંગ્રેજી કેળવણી મેળવવી બહુ મુશ્કેલ હતી. છતાં અનેક પ્રકારનાં સંકટો વેઠી જામનગરની હાઇસ્કુલમાં મેટ્રીક સુધીનો અભ્યાસ તેમણે કર્યો. અભ્યાસ પુરો થયા પછી કાઠીઆવાડના કેળવણી ખાતાના વડાને દફતરદાર નિમાયા હતા. જેથી ત્રણ ચાર વર્ષ સુધી આખા કાઠીઆવાડમાં તેઓ એજ્યુકેશનલ ઈન્સ્પેકટર રા. ગોપાળજી સુરભાઈ દેસાઈ સાથે ફર્યા હતા. ત્યાર પછી જામનગર હાઈસ્કુલમાં શિક્ષક તરીકે નિમાયા હતા. જામનગરમાં પોતાના ૪-૫ વર્ષના વસવાટમાં શ્રીમાળી જ્ઞાતિની ઘણી સારી સેવા કરી હતી અને ત્યાં શ્રીમાળી શુભેચ્છક સભા તથા “ શ્રીમાળી શુભેચ્છક” માસિક સ્થાપ્યાં હતાં અને “સ્વધર્માભિમાન” વિગેરે પુસ્તકો લખ્યાં હતાં. આ અરસામાં તેમણે જ્ઞાતિમાં કેળવણીની પ્રગતિ થાય તેવા હેતુથી એક છાત્રાલય ખોલવા ઈચ્છા રાખી હતી; અને જ્ઞાતિ હિતચિન્તક સ્વ. કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ તથા સ્વ. બાવાભાઈ મીઠારામ ઓઝાએ જ્ઞાતિના કારણે રૂા. ૫૦૦) આપવાની પહેલ પણ કરી હતી. પરન્તુ અન્ય સહાય નહિં મળવાથી એ સમયની તેમની મુરાદ બર આવી શકી નહિં.
તેમનો જન્મ કાઠીઆવાડમાં જામનગર પાસે આવેલ ધ્રોળ નામના ગામમાં સંવત ૧૯૧૫ના ચૈત્ર સુદી ૩ ના રોજ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના પારાશરગોત્રી ગાદે કુટુમ્બના લીલાધર લક્ષ્મીધર ત્રિવેદીને ત્યાં થયો હતો; જટાશંકર એ લીલાધર ત્રિવેદીના સૌથી નાના પુત્ર હતા; અને તેમની બાળવયમાંજ લીલાધર ત્રિવેદીનું અવસાન થવાથી મોટાભાઈના આશ્રય નીચે કેળવણી મેળવી હતી. એ વખતે સાધનોની અનુકૂળતા વગર ઈંગ્રેજી કેળવણી મેળવવી બહુ મુશ્કેલ હતી. છતાં અનેક પ્રકારનાં સંકટો વેઠી જામનગરની હાઇસ્કુલમાં મેટ્રીક સુધીનો અભ્યાસ તેમણે કર્યો. અભ્યાસ પુરો થયા પછી કાઠીઆવાડના કેળવણી ખાતાના વડાને દફતરદાર નિમાયા હતા. જેથી ત્રણ ચાર વર્ષ સુધી આખા કાઠીઆવાડમાં તેઓ એજ્યુકેશનલ ઈન્સ્પેકટર રા. ગોપાળજી સુરભાઈ દેસાઈ સાથે ફર્યા હતા. ત્યાર પછી જામનગર હાઈસ્કુલમાં શિક્ષક તરીકે નિમાયા હતા. જામનગરમાં પોતાના ૪-૫ વર્ષના વસવાટમાં શ્રીમાળી જ્ઞાતિની ઘણી સારી સેવા કરી હતી અને ત્યાં શ્રીમાળી શુભેચ્છક સભા તથા “ શ્રીમાળી શુભેચ્છક” માસિક સ્થાપ્યાં હતાં અને “સ્વધર્માભિમાન” વિગેરે પુસ્તકો લખ્યાં હતાં. આ અરસામાં તેમણે જ્ઞાતિમાં કેળવણીની પ્રગતિ થાય તેવા હેતુથી એક છાત્રાલય ખોલવા ઈચ્છા રાખી હતી; અને જ્ઞાતિ હિતચિન્તક સ્વ. કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ તથા સ્વ. બાવાભાઈ મીઠારામ ઓઝાએ જ્ઞાતિના કારણે રૂા. ૫૦૦) આપવાની પહેલ પણ કરી હતી. પરન્તુ અન્ય સહાય નહિં મળવાથી એ સમયની તેમની મુરાદ બર આવી શકી નહિં.

Navigation menu