હિમાંશી શેલતની વાર્તાઓ/વાર્તાકાર હિમાંશી શેલત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| વાર્તાકાર હિમાંશી શેલત | – શરીફા વીજળીવાળા }} {{Poem2Open}} આધુનિક...")
 
No edit summary
 
Line 7: Line 7:
જે સમયે હિમાંશી શેલતે વાર્તા લખવાનો આરંભ કર્યો ત્યારે ગુજરાતી ટૂંકી વાર્તા આધુનિકતાથી સ્પષ્ટપણે છેડો ફાડી ચૂકી હતી. આઝાદી પછીનો આ સૌથી વિકટ અને સંકુલ સમયગાળો હતો. બબ્બે અનામત આંદોલનોએ ગુજરાતના સમાજજીવનને ખળભળાવી મૂકેલું, એમાં રામજન્મભૂમિ આંદોલને થાગડથીગડ કરી માંડ માંડ સાચવેલા સમાજજીવનના લીરેલીરા કરી નાખ્યા. બાબરી ધ્વંસ અને મુંબઈના વિસ્ફોટો પછી સાવ વેરવિખેર થઈ ગયેલ સમાજજીવનને ૨૦૦૧નો ધરતીકંપ જરાક સાંધે એ પહેલાં ૨૦૦૨ના વરવાં કોમી તોફાનોએ એને સાવ જ તારતાર કરી નાખ્યું. આ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓની સમાંતર બદલાઈ રહેલાં માનવમનને, સમૂહની માનસિકતાને, તંત્રની બધિરતાને હિમાંશી શેલતે કળાના ધોરણે આલેખવાની કોશિશ કરી છે.
જે સમયે હિમાંશી શેલતે વાર્તા લખવાનો આરંભ કર્યો ત્યારે ગુજરાતી ટૂંકી વાર્તા આધુનિકતાથી સ્પષ્ટપણે છેડો ફાડી ચૂકી હતી. આઝાદી પછીનો આ સૌથી વિકટ અને સંકુલ સમયગાળો હતો. બબ્બે અનામત આંદોલનોએ ગુજરાતના સમાજજીવનને ખળભળાવી મૂકેલું, એમાં રામજન્મભૂમિ આંદોલને થાગડથીગડ કરી માંડ માંડ સાચવેલા સમાજજીવનના લીરેલીરા કરી નાખ્યા. બાબરી ધ્વંસ અને મુંબઈના વિસ્ફોટો પછી સાવ વેરવિખેર થઈ ગયેલ સમાજજીવનને ૨૦૦૧નો ધરતીકંપ જરાક સાંધે એ પહેલાં ૨૦૦૨ના વરવાં કોમી તોફાનોએ એને સાવ જ તારતાર કરી નાખ્યું. આ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓની સમાંતર બદલાઈ રહેલાં માનવમનને, સમૂહની માનસિકતાને, તંત્રની બધિરતાને હિમાંશી શેલતે કળાના ધોરણે આલેખવાની કોશિશ કરી છે.
પ્લૅટફૉર્મ પર રખડતાં બાળકો, ઝૂંપડપટ્ટીનાં બાળકો, રિમાન્ડહોમ તથા અનાથાશ્રમનાં બાળકો સાથે પોતીકી રીતે કામ કરતાં હિમાંશી શેલતે થોડાક સમયગાળા માટે સુરતની વારાંગનાઓ સાથે પણ કામ કર્યું હતું. એમનું આ વિશિષ્ટ અનુભવજગત એમની ઘણી બધી વાર્તાઓની કાચી સામગ્રી બનેલ છે. કોમી તણાવ, રાજકીય દબાણો, ટોળાં સામે સામાન્ય માણસની લાચારી, એનો વાંઝિયો આક્રોશ – એવા સાંપ્રતના સળગતા પ્રશ્નોને વાર્તારૂપ આપતાં આ સર્જકની નિસ્બત ખૂણે બેસીને વાત કરનારની નિસ્બત નથી. જે સમસ્યાઓની, જે જીવનમૂલ્યોની એ વારેવારે વાત કરે છે એને કળારૂપ આપવાની પ્રામાણિક મથામણ એ કરતાં જ રહ્યાં છે. નારી સંવેદનાનાં અને નારીની એકલતાનાં અનેક પરિમાણો આલેખતાં હિમાંશી શેલતની વાર્તાઓમાં સ્ત્રીની કેટલી તો વિવિધરંગી છબી ઝિલાયેલી છે! સ્ત્રીની ખમી ખાવાની, સમાધાન કરવાની, જતું કરવાની, વેઠવાની, ચાહવાની આંતરિક તાકાતને આલેખતાં આ વાર્તાકાર સ્ત્રીનાં નકારાત્મક પાસાંને પણ પૂરા તાટસ્થ્યથી આલેખે છે. એમનાં સ્વસ્થ અને તટસ્થ દૃષ્ટિકોણને કારણે એમની વાર્તાઓમાં વ્યક્તિગત સંવેદના પ્રગટ થતી જોઈ શકાય છે. સાંપ્રત પ્રશ્નોને આલેખતી વાર્તાઓમાં ક્યારેક જરાક અભિનિવેશયુક્ત વલણ ડોકાઈ જાય. પરંતુ વાર્તાકળાનું સૂત્ર કોઈ જગ્યાએ સર્જકના હાથમાંથી સરી જતું દેખાતું નથી.
પ્લૅટફૉર્મ પર રખડતાં બાળકો, ઝૂંપડપટ્ટીનાં બાળકો, રિમાન્ડહોમ તથા અનાથાશ્રમનાં બાળકો સાથે પોતીકી રીતે કામ કરતાં હિમાંશી શેલતે થોડાક સમયગાળા માટે સુરતની વારાંગનાઓ સાથે પણ કામ કર્યું હતું. એમનું આ વિશિષ્ટ અનુભવજગત એમની ઘણી બધી વાર્તાઓની કાચી સામગ્રી બનેલ છે. કોમી તણાવ, રાજકીય દબાણો, ટોળાં સામે સામાન્ય માણસની લાચારી, એનો વાંઝિયો આક્રોશ – એવા સાંપ્રતના સળગતા પ્રશ્નોને વાર્તારૂપ આપતાં આ સર્જકની નિસ્બત ખૂણે બેસીને વાત કરનારની નિસ્બત નથી. જે સમસ્યાઓની, જે જીવનમૂલ્યોની એ વારેવારે વાત કરે છે એને કળારૂપ આપવાની પ્રામાણિક મથામણ એ કરતાં જ રહ્યાં છે. નારી સંવેદનાનાં અને નારીની એકલતાનાં અનેક પરિમાણો આલેખતાં હિમાંશી શેલતની વાર્તાઓમાં સ્ત્રીની કેટલી તો વિવિધરંગી છબી ઝિલાયેલી છે! સ્ત્રીની ખમી ખાવાની, સમાધાન કરવાની, જતું કરવાની, વેઠવાની, ચાહવાની આંતરિક તાકાતને આલેખતાં આ વાર્તાકાર સ્ત્રીનાં નકારાત્મક પાસાંને પણ પૂરા તાટસ્થ્યથી આલેખે છે. એમનાં સ્વસ્થ અને તટસ્થ દૃષ્ટિકોણને કારણે એમની વાર્તાઓમાં વ્યક્તિગત સંવેદના પ્રગટ થતી જોઈ શકાય છે. સાંપ્રત પ્રશ્નોને આલેખતી વાર્તાઓમાં ક્યારેક જરાક અભિનિવેશયુક્ત વલણ ડોકાઈ જાય. પરંતુ વાર્તાકળાનું સૂત્ર કોઈ જગ્યાએ સર્જકના હાથમાંથી સરી જતું દેખાતું નથી.
૧૯૮૭માં પ્રગટ થયેલા પ્રથમ વાર્તાસંગ્રહ ‘અંતરાલ’થી જ ભાવક-વિવેચક ઉભયનું ધ્યાન ખેંચનાર હિમાંશી શેલતે પછીના ૨૦ વર્ષમાં બીજા સાત વાર્તાસંગ્રહ આપ્યા છે. એમની વાર્તાઓની ઈયત્તા અને ગુણવત્તા બેઉ એમને ગુજરાતી ભાષાનાં મહત્ત્વનાં વાર્તાકાર તરીકે સ્થાપિત કરે છે. અનુકરણ કે અનુરણન નહીં પણ પૂરેપૂરી આત્મપ્રતીતિથી, પોતાનો આગવો અવાજ શોધીને કોઈ આગ્રહ કે પૂર્વગ્રહ વગર વાર્તા સાથેની નિસ્બતથી મથામણ કરનાર હિમાંશી શેલત આપણી આસપાસના પરિવેશમાં આકાર લેતી રોજિંદી ઘટનાઓમાંથી જ વાર્તા ઘડે છે. એમની વાર્તાઓમાં ક્યાંય ઘટનાઓ ભારઝલ્લી નથી બનતી તો ઘટનાઓને શોધવી પણ નથી પડતી. લગભગ બધી જ વાર્તાઓમાં પાત્રના આંતરસંવિદમાં ઝબકોળાઈને આવતી ઘટનાઓ પાત્રની સંવેદનાને ભાવકની બનાવી દેવા સક્ષમ છે. આ વાર્તાકાર વાર્તાકસબ વિશે સભાન છે, પરંતુ કસબ જ એમના માટે સર્વેસર્વા નથી. ‘વાંચવાનો રસ સાવ સૂકાઈ જાય એટલી હદે પહોંચતી ક્લિષ્ટતા, ટૅકનિક વધુ પડતી ચિંતા અને આળપંપાળ કે ભાષાના આંજી દે એવા ઝગમગાટ કે ચબરાકીની તરફેણમાં હું નથી.’ એવું માનનારા હિમાંશી શેલતે એમની લગભગ તમામ વાર્તાઓમાં આંતરબાહ્ય વાસ્તવને, સંકુલ સંવેદનને સરળ અને સાફ અભિવ્યક્તિથી નિરૂપ્યાં છે. જીવનની વિષમતા, વેદના અને એકલતાની સમાંતરે આ સર્જક પાત્રમાનસનાં સૂક્ષ્મ સંવેદનો અને ઋજુ લાગણીઓને સંયતપણે આલેખે છે.
૧૯૮૭માં પ્રગટ થયેલા પ્રથમ વાર્તાસંગ્રહ ‘અંતરાલ’થી જ ભાવક-વિવેચક ઉભયનું ધ્યાન ખેંચનાર હિમાંશી શેલતે પછીના ૨૮ વર્ષમાં બીજા અગિયાર વાર્તાસંગ્રહ આપ્યા છે. ૧૨ વાર્તા સંગ્રહમાં ૧૮૯ વાર્તાઓ આપના આ સર્જકની વાર્તાઓની ઈયત્તા અને ગુણવત્તા બેઉ એમને ગુજરાતી ભાષાનાં મહત્ત્વનાં વાર્તાકાર તરીકે સ્થાપિત કરે છે. અનુકરણ કે અનુરણન નહીં પણ પૂરેપૂરી આત્મપ્રતીતિથી, પોતાનો આગવો અવાજ શોધીને કોઈ આગ્રહ કે પૂર્વગ્રહ વગર વાર્તા સાથેની નિસ્બતથી મથામણ કરનાર હિમાંશી શેલત આપણી આસપાસના પરિવેશમાં આકાર લેતી રોજિંદી ઘટનાઓમાંથી જ વાર્તા ઘડે છે. એમની વાર્તાઓમાં ક્યાંય ઘટનાઓ ભારઝલ્લી નથી બનતી તો ઘટનાઓને શોધવી પણ નથી પડતી. લગભગ બધી જ વાર્તાઓમાં પાત્રના આંતરસંવિદમાં ઝબકોળાઈને આવતી ઘટનાઓ પાત્રની સંવેદનાને ભાવકની બનાવી દેવા સક્ષમ છે. આ વાર્તાકાર વાર્તાકસબ વિશે સભાન છે, પરંતુ કસબ જ એમના માટે સર્વેસર્વા નથી. ‘વાંચવાનો રસ સાવ સૂકાઈ જાય એટલી હદે પહોંચતી ક્લિષ્ટતા, ટૅકનિક વધુ પડતી ચિંતા અને આળપંપાળ કે ભાષાના આંજી દે એવા ઝગમગાટ કે ચબરાકીની તરફેણમાં હું નથી.’ એવું માનનારા હિમાંશી શેલતે એમની લગભગ તમામ વાર્તાઓમાં આંતરબાહ્ય વાસ્તવને, સંકુલ સંવેદનને સરળ અને સાફ અભિવ્યક્તિથી નિરૂપ્યાં છે. જીવનની વિષમતા, વેદના અને એકલતાની સમાંતરે આ સર્જક પાત્રમાનસનાં સૂક્ષ્મ સંવેદનો અને ઋજુ લાગણીઓને સંયતપણે આલેખે છે.
સ્ત્રીસ્વાતંત્ર્યની કે એવી તેવી પ્રચારાત્મક વાતોથી દૂર રહીને લખતાં હિમાંશી શેલતની અર્ધીથી વધારે વાર્તાઓના કેન્દ્રમાં સ્ત્રી છે. આ દરેક સ્ત્રીનું પોતીકું આગવું સંવેદનાવિશ્વ છે. મોટાભાગે આ સંવેદનાજગત ભાવકને અજાણ્યું નથી લાગતું. સ્ત્રી હોવાને કારણે પોતાના ભાગે આવતી લાચારીથી આ પાત્રો સભાન છે. લગભગ દરેક સ્તરની સ્ત્રીના સંવેદનાજગતને નિરૂપતાં હિમાંશી શેલતના વાર્તાજગતમાં નારીની અનેકરંગી છબિની સમાંતરે એની પીડાના પણ કેટકેટલા પ્રકારો જોવા મળે છે? સ્ત્રીની સમસ્યાઓના સૂક્ષ્મ પાસાં આલેખતાં હિમાંશી શેલતે સ્ત્રીની એકલતાનાં, હતાશાનાં પણ અનેક પરિમાણ આલેખ્યાં છે. દા.ત. ‘સુવર્ણફળ’ કે ‘છત્રીસમે વર્ષે ઘટનાની પ્રતીક્ષા.’
સ્ત્રીસ્વાતંત્ર્યની કે એવી તેવી પ્રચારાત્મક વાતોથી દૂર રહીને લખતાં હિમાંશી શેલતની અર્ધીથી વધારે વાર્તાઓના કેન્દ્રમાં સ્ત્રી છે. આ દરેક સ્ત્રીનું પોતીકું આગવું સંવેદનાવિશ્વ છે. મોટાભાગે આ સંવેદનાજગત ભાવકને અજાણ્યું નથી લાગતું. સ્ત્રી હોવાને કારણે પોતાના ભાગે આવતી લાચારીથી આ પાત્રો સભાન છે. લગભગ દરેક સ્તરની સ્ત્રીના સંવેદનાજગતને નિરૂપતાં હિમાંશી શેલતના વાર્તાજગતમાં નારીની અનેકરંગી છબિની સમાંતરે એની પીડાના પણ કેટકેટલા પ્રકારો જોવા મળે છે? સ્ત્રીની સમસ્યાઓના સૂક્ષ્મ પાસાં આલેખતાં હિમાંશી શેલતે સ્ત્રીની એકલતાનાં, હતાશાનાં પણ અનેક પરિમાણ આલેખ્યાં છે. દા.ત. ‘સુવર્ણફળ’ કે ‘છત્રીસમે વર્ષે ઘટનાની પ્રતીક્ષા.’
કોઈ ને કોઈ કારણસર પરણી નહીં શકેલી કે એકલાં રહેવાનું પસંદ કરતી સ્ત્રીઓની મોટી ઉંમરે કેવી હાલત હોય છે? એકલતા કોઠે પડી જાય છે કે પછી એ કોઈના સાથને ઝંખે છે? ‘સુવર્ણફળ’ વાર્તામાં ૪૩-૪૫ વર્ષની બે બહેનો વત્સલા અને સુમિત્રા એકમેકના સહારે બીબાંઢાળ જિંદગી જીવે જાય છે. જિંદગીના એક વળાંક પર વત્સલા પ્રૌઢ ચંદ્રવદન જાગીરદારના પ્રેમમાં પડે છે અને પરણવાનું નક્કી કરે છે. અત્યાર સુધી ગોઠવી રાખેલી જિંદગી અચાનક જ વિખેરાઈ જાય છે. આ લગ્નથી સમાજને કેવો આંચકો લાગશે એ લેખિકાને નથી કહેવું. અહીં તો સુમિત્રાના હૈયામાં સર્જાયેલા ઝંઝાવાતની જ વાત છે. હવે ટકવા માટે એક જ રસ્તો છે સુમિત્રા પાસે. વત્સલાનું આ નવું લગ્નજીવન નિષ્ફળ જાય તેવી રાહ જોતાં બેસી રહેવાનું. ‘વત્સલા કંઈ એમ સહેલાઈથી ગોઠવાય એવી નથી... એવું હોત તો કોઈ તેંતાળીસ વર્ષ બેસી ઓછું રહે?’ અચાનક એક મમળાવવી ગમે એવી કલ્પના તેને હાથ ચડી ગઈ. પણ એમાં વત્સલા પ્રત્યેની ઈર્ષા, આવી પડનારી એકલતાનો ઓથાર અને સુમિત્રાની વેદના છૂપાં રહેતાં નથી.
કોઈ ને કોઈ કારણસર પરણી નહીં શકેલી કે એકલાં રહેવાનું પસંદ કરતી સ્ત્રીઓની મોટી ઉંમરે કેવી હાલત હોય છે? એકલતા કોઠે પડી જાય છે કે પછી એ કોઈના સાથને ઝંખે છે? ‘સુવર્ણફળ’ વાર્તામાં ૪૩-૪૫ વર્ષની બે બહેનો વત્સલા અને સુમિત્રા એકમેકના સહારે બીબાંઢાળ જિંદગી જીવે જાય છે. જિંદગીના એક વળાંક પર વત્સલા પ્રૌઢ ચંદ્રવદન જાગીરદારના પ્રેમમાં પડે છે અને પરણવાનું નક્કી કરે છે. અત્યાર સુધી ગોઠવી રાખેલી જિંદગી અચાનક જ વિખેરાઈ જાય છે. આ લગ્નથી સમાજને કેવો આંચકો લાગશે એ લેખિકાને નથી કહેવું. અહીં તો સુમિત્રાના હૈયામાં સર્જાયેલા ઝંઝાવાતની જ વાત છે. હવે ટકવા માટે એક જ રસ્તો છે સુમિત્રા પાસે. વત્સલાનું આ નવું લગ્નજીવન નિષ્ફળ જાય તેવી રાહ જોતાં બેસી રહેવાનું. ‘વત્સલા કંઈ એમ સહેલાઈથી ગોઠવાય એવી નથી... એવું હોત તો કોઈ તેંતાળીસ વર્ષ બેસી ઓછું રહે?’ અચાનક એક મમળાવવી ગમે એવી કલ્પના તેને હાથ ચડી ગઈ. પણ એમાં વત્સલા પ્રત્યેની ઈર્ષા, આવી પડનારી એકલતાનો ઓથાર અને સુમિત્રાની વેદના છૂપાં રહેતાં નથી.

Navigation menu