સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/પ્રેમાનંદની રસસમૃદ્ધિ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
 
Line 2: Line 2:
{{Heading|૨. પ્રેમાનંદની રસ-સમૃદ્ધિ}}
{{Heading|૨. પ્રેમાનંદની રસ-સમૃદ્ધિ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સોળમા સૈકાથી આગળ ચાલતાં આપણને ગુજરાતના મહાન કવિ પ્રેમાનંદ મળે છે. તેણે લાંબું લગભગ સો વરસનું આયુષ્ય ભોગવ્યું ગણાય છે. આપણા પ્રાચીન સાહિત્યમાં દરેક મોટા કવિ વિશે દંતકથાઓ ઉત્પન્ન થઈ છે તેવી આને વિશે પણ થઈ છે. પણ પ્રેમાનંદ વિશે વધારે મહત્ત્વની વાત એ છે કે તેને નામે અનેક કાવ્યો ચડ્યાં છે જેને વિશે પ્રથમથી જ આપણા વિદ્વાનોએ શંકા દર્શાવી છે. સદ્‌ભાગ્યે એ સંદિગ્ધ કૃતિઓ એની નથી એમ અત્યારે લગભગ સર્વત્ર સ્વીકારાયું છે.
સોળમા સૈકાથી આગળ ચાલતાં આપણને ગુજરાતના મહાન કવિ પ્રેમાનંદ મળે છે. તેણે લાંબું લગભગ સો વરસનું આયુષ્ય ભોગવ્યું ગણાય છે. આપણા પ્રાચીન સાહિત્યમાં દરેક મોટા કવિ વિશે દંતકથાઓ ઉત્પન્ન થઈ છે તેવી આને વિશે પણ થઈ છે. પણ પ્રેમાનંદ વિશે વધારે મહત્ત્વની વાત એ છે કે તેને નામે અનેક કાવ્યો ચડ્યાં છે જેને વિશે પ્રથમથી જ આપણા વિદ્વાનોએ શંકા દર્શાવી છે. સદ્‌ભાગ્યે એ સંદિગ્ધ કૃતિઓ એની નથી એમ અત્યારે લગભગ સર્વત્ર સ્વીકારાયું છે.
લાંબા આયુષ્ય દરમિયાન તેણે અનેક આખ્યાનો અને બીજાં કાવ્યો લખ્યાં છે. તેમાંનો મોટો ભાગ, કાવ્યાન્તે મળતી રચ્યાસાલો જોતાં સત્તરમા શતકની છેલ્લી પચ્ચીસીમાં લખાયો જણાય છે. તેની નિઃસંદેહ ઉત્તમ કૃતિઓ સુદામાચરિત્ર, મામેરું, નળાખ્યાન અને દશમસ્કંધ છે. છેલ્લી તેના મૃત્યુને લીધે તેણે અધૂરી મૂકી છે. તેનાથી ઊતરતી કૃતિઓ તરીકે ઓખાહરણ, હૂંડી, શ્રાદ્ધ, રણયજ્ઞ, ચંદ્રહાસાખ્યાન વગેરે ગણાવી શકાય.
લાંબા આયુષ્ય દરમિયાન તેણે અનેક આખ્યાનો અને બીજાં કાવ્યો લખ્યાં છે. તેમાંનો મોટો ભાગ, કાવ્યાન્તે મળતી રચ્યાસાલો જોતાં સત્તરમા શતકની છેલ્લી પચ્ચીસીમાં લખાયો જણાય છે. તેની નિઃસંદેહ ઉત્તમ કૃતિઓ સુદામાચરિત્ર, મામેરું, નળાખ્યાન અને દશમસ્કંધ છે. છેલ્લી તેના મૃત્યુને લીધે તેણે અધૂરી મૂકી છે. તેનાથી ઊતરતી કૃતિઓ તરીકે ઓખાહરણ, હૂંડી, શ્રાદ્ધ, રણયજ્ઞ, ચંદ્રહાસાખ્યાન વગેરે ગણાવી શકાય.
Line 11: Line 10:
મધ્યકાલીન કાવ્યોમાં આખ્યાનને અંતે કવિ પોતા વિશે કંઈક કહેતો તે પ્રમાણે પ્રેમાનંદે પોતા વિશે નળાખ્યાનના અંતભાગમાં કહ્યું છે તે આપણે વલણ સહિત જોઈએ.
મધ્યકાલીન કાવ્યોમાં આખ્યાનને અંતે કવિ પોતા વિશે કંઈક કહેતો તે પ્રમાણે પ્રેમાનંદે પોતા વિશે નળાખ્યાનના અંતભાગમાં કહ્યું છે તે આપણે વલણ સહિત જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> વીરક્ષેત્ર વડોદરા નામે ગુર્જરદેશ ગુજરાતજી;  
{{Block center|'''<poem>વીરક્ષેત્ર વડોદરા નામે ગુર્જરદેશ ગુજરાતજી;  
કૃષ્ણસુત કવિ પ્રેમાનન્દ, મેવાડા ચોવીસા ન્યાતજી.  
કૃષ્ણસુત કવિ પ્રેમાનન્દ, મેવાડા ચોવીસા ન્યાતજી.  
ગુરુપ્રતાપે પદબંધ કીધે, કાલાવાલા ભાખીજી;  
ગુરુપ્રતાપે પદબંધ કીધે, કાલાવાલા ભાખીજી;  
Line 23: Line 22:
{{gap|5em}}વલણ
{{gap|5em}}વલણ
રાધાવરપદ પામશે, તે સાંભળતાં પદબંધ રે,  
રાધાવરપદ પામશે, તે સાંભળતાં પદબંધ રે,  
શ્રોતાજન શ્રીકૃષ્ણ જપો, કહે ભટ પ્રેમાનંદ રે.</poem>}}
શ્રોતાજન શ્રીકૃષ્ણ જપો, કહે ભટ પ્રેમાનંદ રે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હવે આપણે પ્રેમાનંદની કવિ તરીકેની શક્તિનાં કેટલાંક દૃષ્ટાંતો જોઈએ. તે જીવનના બધા થરોનાં—ગરીબ, શ્રીમંત, બધાંનાં સુંદર વર્ણનો કરી શકે છે. શ્રીમંતનાં વર્ણનો તો શોધવા જવાં પડે તેમ નથી કારણ કે ખુદ દ્વારકામાં કૃષ્ણ રહે છે, જે અનેક વેળા એના કાવ્યનો વિષય છે. સુદામો દ્વારકા જાય છે અને ત્યાં–
હવે આપણે પ્રેમાનંદની કવિ તરીકેની શક્તિનાં કેટલાંક દૃષ્ટાંતો જોઈએ. તે જીવનના બધા થરોનાં—ગરીબ, શ્રીમંત, બધાંનાં સુંદર વર્ણનો કરી શકે છે. શ્રીમંતનાં વર્ણનો તો શોધવા જવાં પડે તેમ નથી કારણ કે ખુદ દ્વારકામાં કૃષ્ણ રહે છે, જે અનેક વેળા એના કાવ્યનો વિષય છે. સુદામો દ્વારકા જાય છે અને ત્યાં–
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> શોભે હાટ ચૌટાં ને ચોક, છજાં ઝરૂખા બારી ગોખ;
{{Block center|'''<poem> શોભે હાટ ચૌટાં ને ચોક, છજાં ઝરૂખા બારી ગોખ;
અટાળી જાળી મેડી માળ, જડિત કઠોરા ઝાકઝમાળ,  
અટાળી જાળી મેડી માળ, જડિત કઠોરા ઝાકઝમાળ,  
ચળકે કામ ત્યાં મીનાકારી, અમરાપુરી નાંખું ઓવારી,  
ચળકે કામ ત્યાં મીનાકારી, અમરાપુરી નાંખું ઓવારી,  
Line 36: Line 35:
બોલે શરણાઈ ભેર નફેરી, ઉત્સવ મંગળ શેરીએ શેરી.  
બોલે શરણાઈ ભેર નફેરી, ઉત્સવ મંગળ શેરીએ શેરી.  
હરતા ફરતા હીડે ઘોડા, બાંધ્યા હેમતણા અછોડા,  
હરતા ફરતા હીડે ઘોડા, બાંધ્યા હેમતણા અછોડા,  
ડોલે મદગળતા માતંગ ગજશાળાનો નવલો રંગ.</poem>}}
ડોલે મદગળતા માતંગ ગજશાળાનો નવલો રંગ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આમાં—અલબત્ત સ્ફટિક મણિ વગેરે કેવળ કલ્પના છે, પણ છતાં આમાં ગુજરાતના રાજદરબારનું અત્યુક્તિ ભરેલું પણ વાસ્તવિક ચિત્ર છે. પણ આથી વિરુદ્ધ પરિસ્થિતિનું વર્ણન પણ મળે છે. મામેરામાં નરસિંહ મહેતાને વહેવાઈએ
આમાં—અલબત્ત સ્ફટિક મણિ વગેરે કેવળ કલ્પના છે, પણ છતાં આમાં ગુજરાતના રાજદરબારનું અત્યુક્તિ ભરેલું પણ વાસ્તવિક ચિત્ર છે. પણ આથી વિરુદ્ધ પરિસ્થિતિનું વર્ણન પણ મળે છે. મામેરામાં નરસિંહ મહેતાને વહેવાઈએ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ઊતરવા ઘર આપ્યું એક, ઝાઝા ચાંચડ મચ્છર વિશેક;  
{{Block center|'''<poem> ઊતરવા ઘર આપ્યું એક, ઝાઝા ચાંચડ મચ્છર વિશેક;  
ખાડા ટેકરા વસમો ઠામ, ઉપર નળિયાંનું નહિ નામ;  
ખાડા ટેકરા વસમો ઠામ, ઉપર નળિયાંનું નહિ નામ;  
કોહ્યું છાજ ને જૂની વળી, ભીંતો દોદશ બેવડી વળી;  
કોહ્યું છાજ ને જૂની વળી, ભીંતો દોદશ બેવડી વળી;  
ઝાઝા માંકડ ઝાઝા જૂઆ, ત્યાં મહેતાના ઉતારા હુઆ.</poem>}}
ઝાઝા માંકડ ઝાઝા જૂઆ, ત્યાં મહેતાના ઉતારા હુઆ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘સુદામાચરિત્ર’માં
‘સુદામાચરિત્ર’માં
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>નીચાં ઘર ભીંતડીઓ પડી, શ્વાન માર્જાર આવે છે ચડી.</poem>}}
{{Block center|'''<poem>નીચાં ઘર ભીંતડીઓ પડી, શ્વાન માર્જાર આવે છે ચડી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગામડામાં ઘણાએ ઘર ઉપર કૂતરાં ફરતાં જોયાં હશે. એકબે લીટીમાં પણ તે આખું ચિત્ર રજૂ કરે છે. એ જ પ્રમાણે માણસોનાં, પોતાનાં પાત્રોનાં, સુંદર ચિત્રો તે આપે છે. સુદામાનું વર્ણન, મામેરામાં દામોદર દોશી થઈ આવેલા કૃષ્ણનું વર્ણન ઘણાને માદ હશે. હું હૂંડીમાંથી પેલું જ એક વર્ણન લઉં છું :
ગામડામાં ઘણાએ ઘર ઉપર કૂતરાં ફરતાં જોયાં હશે. એકબે લીટીમાં પણ તે આખું ચિત્ર રજૂ કરે છે. એ જ પ્રમાણે માણસોનાં, પોતાનાં પાત્રોનાં, સુંદર ચિત્રો તે આપે છે. સુદામાનું વર્ણન, મામેરામાં દામોદર દોશી થઈ આવેલા કૃષ્ણનું વર્ણન ઘણાને માદ હશે. હું હૂંડીમાંથી પેલું જ એક વર્ણન લઉં છું :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જેને વેદ પુરાણે વખાણિયો રે, મારો વ્હાલોજી થયો છે વાણિયો રે;  
{{Block center|'''<poem>જેને વેદ પુરાણે વખાણિયો રે, મારો વ્હાલોજી થયો છે વાણિયો રે;  
વેષ પૂરો આણ્યો મારે વહાલે રે, નાથ ચઉટાની ચાલે ચાલે રે.  
વેષ પૂરો આણ્યો મારે વહાલે રે, નાથ ચઉટાની ચાલે ચાલે રે.  
છે અવળા આંટાની પાઘડી રે, વાલાજીને કેમ બાંધતા આવડી રે;  
છે અવળા આંટાની પાઘડી રે, વાલાજીને કેમ બાંધતા આવડી રે;  
Line 60: Line 59:
સોનાની સાંકળી ને કંઠે દોરો રે, કેડે પાટીવાળો કંદોરો રે.  
સોનાની સાંકળી ને કંઠે દોરો રે, કેડે પાટીવાળો કંદોરો રે.  
કરે હીંડતાં હાથના લટકા રે, સાદી દોરીના કેડે પટકા રે;  
કરે હીંડતાં હાથના લટકા રે, સાદી દોરીના કેડે પટકા રે;  
પટકે લટકે ફૂમતડાં જ્યોત રે, કેડે ખોસી પીતલની દોત રે.</poem>}}
પટકે લટકે ફૂમતડાં જ્યોત રે, કેડે ખોસી પીતલની દોત રે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એકેએક વિગત યાદ કરી કરીને કવિએ વાણિયાનું ચિત્ર દોર્યું છે. પ્રેમાનંદની વર્ણનશક્તિ વળી જુદા જ ઠાઠથી દશમસ્કંધના વર્ષાવર્ણનમાં આપણે જોઈએ છીએ:
એકેએક વિગત યાદ કરી કરીને કવિએ વાણિયાનું ચિત્ર દોર્યું છે. પ્રેમાનંદની વર્ણનશક્તિ વળી જુદા જ ઠાઠથી દશમસ્કંધના વર્ષાવર્ણનમાં આપણે જોઈએ છીએ:
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>ગોવિંદ ચરિત્ર કહે ગર્ભજોગી, સાંભળીએ ભૂપાળજી;  
{{Block center|'''<poem>ગોવિંદ ચરિત્ર કહે ગર્ભજોગી, સાંભળીએ ભૂપાળજી;  
અદ્‌ભુત લીલા વૃંદાવનની વર્ણવું વર્ષાકાળજી.  
અદ્‌ભુત લીલા વૃંદાવનની વર્ણવું વર્ષાકાળજી.  
શ્રી ગોકુળમાં ગાજી ગાજી વરસે છે વરસાદજી;  
શ્રી ગોકુળમાં ગાજી ગાજી વરસે છે વરસાદજી;  
Line 77: Line 76:


લીલાં તૃણ થયાં અવનીમાં ઊદ્યા દ્રુમ અંકુરજી;  
લીલાં તૃણ થયાં અવનીમાં ઊદ્યા દ્રુમ અંકુરજી;  
નવીન પત્ર કુસુમ નાનાવિધ નદીએ આવ્યાં પૂરજી.</poem>}}
નવીન પત્ર કુસુમ નાનાવિધ નદીએ આવ્યાં પૂરજી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને આ વર્ષાચિત્રની સુંદર ભૂમિકા ઉપર તે પોતાના ઇષ્ટદેવ રામકૃષ્ણને મૂકે છે.
અને આ વર્ષાચિત્રની સુંદર ભૂમિકા ઉપર તે પોતાના ઇષ્ટદેવ રામકૃષ્ણને મૂકે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ઝડી કરી વરસે મેવલિયો નયણે સૂરજ ન સૂઝેજી;  
{{Block center|'''<poem> ઝડી કરી વરસે મેવલિયો નયણે સૂરજ ન સૂઝેજી;  
વૃક્ષ તળે ઊભા અવિનાશી ટાઢે થરથર ધ્રૂજેજી.
વૃક્ષ તળે ઊભા અવિનાશી ટાઢે થરથર ધ્રૂજેજી.
ઉપર જળ તળે જળ વહે છે, નથી બેસવાનો ઠામજી;  
ઉપર જળ તળે જળ વહે છે, નથી બેસવાનો ઠામજી;  
પલાશ પત્રના ટોપ કરી પરે મસ્તક કેશવરામજી.</poem>}}
પલાશ પત્રના ટોપ કરી પરે મસ્તક કેશવરામજી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પણ કવિની ખરી કસોટી ગતિવાળાં ચિત્રો આપવામાં રહેલી છે. પ્રેમાનંદનાં આખ્યાનોમાં એવા અનેક પ્રસંગો આવે છે જેમાં તે વર્ણનના વિષયને ગતિવાળો નિરૂપી શકે છે. તે ગતિવાળાં પશુઓનાં સુંદર વર્ણન કરે છે. દશમસ્કંધમાં વૃષભાસુરનું વર્ણન સુંદર છે, તે લાંબું ન લેતાં ‘ઓખાહરણ’માંથી ટૂંકું જ રણસ્થલના ઘોડાનું વર્ણન લઉં.
પણ કવિની ખરી કસોટી ગતિવાળાં ચિત્રો આપવામાં રહેલી છે. પ્રેમાનંદનાં આખ્યાનોમાં એવા અનેક પ્રસંગો આવે છે જેમાં તે વર્ણનના વિષયને ગતિવાળો નિરૂપી શકે છે. તે ગતિવાળાં પશુઓનાં સુંદર વર્ણન કરે છે. દશમસ્કંધમાં વૃષભાસુરનું વર્ણન સુંદર છે, તે લાંબું ન લેતાં ‘ઓખાહરણ’માંથી ટૂંકું જ રણસ્થલના ઘોડાનું વર્ણન લઉં.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> પાખર બખ્તર ઘૂઘરમાળ, ડચકારે ઘોડા દે ફાળ,  
{{Block center|'''<poem> પાખર બખ્તર ઘૂઘરમાળ, ડચકારે ઘોડા દે ફાળ,  
ભલા અસ્વાર ઉપર ટકે, હસતા હય હીંડે છે લટકે.  
ભલા અસ્વાર ઉપર ટકે, હસતા હય હીંડે છે લટકે.  
વાનરિયા વેગે આવે નાચંતા, છૂટા કચ્છી જેમ પાણીપંથા;  
વાનરિયા વેગે આવે નાચંતા, છૂટા કચ્છી જેમ પાણીપંથા;  
કાબરા કાળા ને કલંકી, પંખાળા ઊડે છે અબલખી.</poem>}}
કાબરા કાળા ને કલંકી, પંખાળા ઊડે છે અબલખી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એક ડચકારો બસ થાય એવા, અને પોતાનો પડછાયો દેખીને પણ ભડકે એવી તેજી ઘોડીનું સુંદર વર્ણન છે. લાંબા પટ ઉપરનાં ગતિવાળાં વર્ણનો પણ પ્રેમાનંદને સુલભ છે.
એક ડચકારો બસ થાય એવા, અને પોતાનો પડછાયો દેખીને પણ ભડકે એવી તેજી ઘોડીનું સુંદર વર્ણન છે. લાંબા પટ ઉપરનાં ગતિવાળાં વર્ણનો પણ પ્રેમાનંદને સુલભ છે.
નળાખ્યાનમાં ઋતુપર્ણની સ્વારીનું વર્ણન ઘણાને યાદ હશે. પ્રથમ હાસ્યને ખાતર તેમાં એક બાજુ લગ્નવિહ્‌વલ ઋતુપર્ણ છે, બીજી બાજુ એની ગરજનો લાભ લઈ રાજાને હીણો અને મૂરખ બનાવનાર બાહુક છે. ગામના ઉતાર જેવાં હલકો ત્રણ ટકાનાં ટટુવાંથી રાજાની સવારી શરૂ થાય છે. અને પછી એ જ રથ અને એ જ ટટવાંને સો સો જોજનના વેગે એ જ બાહુક હાંકે છે, એ વર્ણન ચમત્કારક છે. પણ આપણે જરા ટૂંકું વર્ણન, પણ એટલું જ સુંદર વર્ણન મામેરામાંથી લઈએ — મહેતાજીની મામેરાની વેલનું.
નળાખ્યાનમાં ઋતુપર્ણની સ્વારીનું વર્ણન ઘણાને યાદ હશે. પ્રથમ હાસ્યને ખાતર તેમાં એક બાજુ લગ્નવિહ્‌વલ ઋતુપર્ણ છે, બીજી બાજુ એની ગરજનો લાભ લઈ રાજાને હીણો અને મૂરખ બનાવનાર બાહુક છે. ગામના ઉતાર જેવાં હલકો ત્રણ ટકાનાં ટટુવાંથી રાજાની સવારી શરૂ થાય છે. અને પછી એ જ રથ અને એ જ ટટવાંને સો સો જોજનના વેગે એ જ બાહુક હાંકે છે, એ વર્ણન ચમત્કારક છે. પણ આપણે જરા ટૂંકું વર્ણન, પણ એટલું જ સુંદર વર્ણન મામેરામાંથી લઈએ — મહેતાજીની મામેરાની વેલનું.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> નરસિંહ મહેતે ઘર તેડાવ્યાં સગાં તો વૈષ્ણવ સંતજી,  
{{Block center|'''<poem> નરસિંહ મહેતે ઘર તેડાવ્યાં સગાં તો વૈષ્ણવ સંતજી,  
મોસાળું લઈ આપણે જાવું બાઈનું છે સીમંતજી.
મોસાળું લઈ આપણે જાવું બાઈનું છે સીમંતજી.
જૂની વેલ ને ધૂંસરી વાંકી સાંગી સોટા ભાંગીજી,  
જૂની વેલ ને ધૂંસરી વાંકી સાંગી સોટા ભાંગીજી,  
Line 107: Line 106:
ગાંઠડી ગોપીચંદનની છે તુલસી કાષ્ઠ પવિત્રજી.
ગાંઠડી ગોપીચંદનની છે તુલસી કાષ્ઠ પવિત્રજી.
મોસાળાની સામગ્રીમાં છાપાં તિલક ને તાળજી,  
મોસાળાની સામગ્રીમાં છાપાં તિલક ને તાળજી,  
નરસૈંયાને નિર્ભય છે જે ભોગવશે ગોપાળજી.</poem>}}
નરસૈંયાને નિર્ભય છે જે ભોગવશે ગોપાળજી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં સુધી વહેલનું ચિત્ર આપ્યું. હવે એ વહેલ ચાલવા માંડે છે. સાંભળોઃ
અહીં સુધી વહેલનું ચિત્ર આપ્યું. હવે એ વહેલ ચાલવા માંડે છે. સાંભળોઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> બળહીણ બળદો શું હીંડે, ઠેલે વૈષ્ણવ સાથજી,  
{{Block center|'''<poem> બળહીણ બળદો શું હીંડે, ઠેલે વૈષ્ણવ સાથજી,  
સોર પાડે ને ઢાળ ચઢાવે, જય જય વૈકુંઠનાથજી.
સોર પાડે ને ઢાળ ચઢાવે, જય જય વૈકુંઠનાથજી.
એક બળદ ગળિયો થઈ બેસે, આખલો તાણી જાયજી,  
એક બળદ ગળિયો થઈ બેસે, આખલો તાણી જાયજી,  
Line 118: Line 117:
સાંગીનો બહુ શબ્દ જ ઊઠે, ચૂચવે છે બહુ ચક્રજી.
સાંગીનો બહુ શબ્દ જ ઊઠે, ચૂચવે છે બહુ ચક્રજી.
ચડે બેસે ને વળી ઊતરે લે રામકૃષ્ણનું નામજી,  
ચડે બેસે ને વળી ઊતરે લે રામકૃષ્ણનું નામજી,  
મધ્યાહ્ને મહેતાજી પહોંચ્યા જોવા મળ્યું સૌ ગામજી.</poem>}}
મધ્યાહ્ને મહેતાજી પહોંચ્યા જોવા મળ્યું સૌ ગામજી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
લગભગ સિનેમાની પેઠે દૃષ્ટિ આગળ ચિત્ર ચાલે છે. એની એકેએક વિગત આપણે નજરે જોઈએ છીએ, કાને સાંભળીએ છીએ. આ શક્તિથી પ્રેમાનંદ આપણા સાહિત્યનો અમર કવિ છે.
લગભગ સિનેમાની પેઠે દૃષ્ટિ આગળ ચિત્ર ચાલે છે. એની એકેએક વિગત આપણે નજરે જોઈએ છીએ, કાને સાંભળીએ છીએ. આ શક્તિથી પ્રેમાનંદ આપણા સાહિત્યનો અમર કવિ છે.
પણ આથી પણ વધારે શક્તિ મહાકવિમાં જોઈએ અને તે શક્તિ તે વિશિષ્ટ માનવસ્વભાવનિરૂપણની. એ શક્તિ પ્રેમાનંદમાં હતી. આપણે થોડા દાખલા લઈએ. ઓખાહરણમાં ચિત્રલેખા અનિરુદ્ધને હરણ કરીને લાવે છે ત્યારે પહેલાં તો અનિરુદ્ધ લગ્ન કરવાની ના પાડે છે. વધૂવરમાં સામાન્ય રીતે પુરુષ પહેલાં મોહ પામી પછી સંવનન કરી સ્ત્રીને જીતે છે. તેથી અહીં ઊલટું બને છે. એકદંડિયા મહેલમાં આવ્યા પછી, ધીમે ધીમે અનિરુદ્ધ ઓખાના મોહમાં પડે છે. એ વર્ણન જોઈએ :
પણ આથી પણ વધારે શક્તિ મહાકવિમાં જોઈએ અને તે શક્તિ તે વિશિષ્ટ માનવસ્વભાવનિરૂપણની. એ શક્તિ પ્રેમાનંદમાં હતી. આપણે થોડા દાખલા લઈએ. ઓખાહરણમાં ચિત્રલેખા અનિરુદ્ધને હરણ કરીને લાવે છે ત્યારે પહેલાં તો અનિરુદ્ધ લગ્ન કરવાની ના પાડે છે. વધૂવરમાં સામાન્ય રીતે પુરુષ પહેલાં મોહ પામી પછી સંવનન કરી સ્ત્રીને જીતે છે. તેથી અહીં ઊલટું બને છે. એકદંડિયા મહેલમાં આવ્યા પછી, ધીમે ધીમે અનિરુદ્ધ ઓખાના મોહમાં પડે છે. એ વર્ણન જોઈએ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> શીશફૂલ સેંથે સિંદૂર, તેણે મોહ્યો છે અનિરુદ્ધ શૂર;
{{Block center|'''<poem> શીશફૂલ સેંથે સિંદૂર, તેણે મોહ્યો છે અનિરુદ્ધ શૂર;
કાને ઝાલ અમૂલક જોઈ, કામકુંવર રહ્યો છે મોહી.  
કાને ઝાલ અમૂલક જોઈ, કામકુંવર રહ્યો છે મોહી.  
નાકે સોહે મોતીની વાળી, તેને અનિરુદ્ધ રહ્યો છે ન્યાળી;
નાકે સોહે મોતીની વાળી, તેને અનિરુદ્ધ રહ્યો છે ન્યાળી;
નારી તારી નાસિકાનો મોર, નોય ભૂષણ ચિત્તનો ચોર.
નારી તારી નાસિકાનો મોર, નોય ભૂષણ ચિત્તનો ચોર.
રક્ત અધર હસે મંદ મંદ, નહિ હાસ્ય એ મોહનો ફંદ;  
રક્ત અધર હસે મંદ મંદ, નહિ હાસ્ય એ મોહનો ફંદ;  
ચપળ નેત્ર ઝીણું અંજન, જાણે જાલે પડયાં ખંજન.</poem>}}
ચપળ નેત્ર ઝીણું અંજન, જાણે જાલે પડયાં ખંજન.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઓખા તો પહેલેથી જ મોહમાં પડી હતી, પણ તે જ્યારે અનિરુદ્ધને દાનવ સૈન્યમાં એકલો ઝૂઝતો જુએ છે ત્યારે વિશેષ રીતે તેનાં મોહ મમત્વ આદર આશ્ચર્ય અહોભાવ એકસાથે દ્વિગુણિત થાય છે.
ઓખા તો પહેલેથી જ મોહમાં પડી હતી, પણ તે જ્યારે અનિરુદ્ધને દાનવ સૈન્યમાં એકલો ઝૂઝતો જુએ છે ત્યારે વિશેષ રીતે તેનાં મોહ મમત્વ આદર આશ્ચર્ય અહોભાવ એકસાથે દ્વિગુણિત થાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> કોઈ અધસસ્તા કોઈ પૂરા, એમ સેના કરી ચકચૂરા;  
{{Block center|'''<poem> કોઈ અધસસ્તા કોઈ પૂરા, એમ સેના કરી ચકચૂરા;  
તે રણ ભયાનક ભાસે, બળ દેખીને ઓખા ઉલ્લાસે.  
તે રણ ભયાનક ભાસે, બળ દેખીને ઓખા ઉલ્લાસે.  
મેં તો આવડું નો’તું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું.</poem>}}
મેં તો આવડું નો’તું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘મેં તો આવડું નો’તું જાણ્યું, ચિત્રલેખાએ રતન જ આણ્યું,’ અને નળાખ્યાનમાં આવતી ‘એકએકપે અદકાં મોતી, રાજમાતા ટગટગ જોતી’ એ પંક્તિઓને નિરલંકાર સાદી છતાં કાવ્યની અમર પંક્તિઓ હું ગણું છું. બીજા પ્રસિદ્ધ પ્રસંગો છોડી એક જરા ઓછો પ્રસિદ્ધ પ્રસંગ લઉં. નળ વનવાસમાં દમયંતીનો ત્યાગ કરે છે અને ત્યારે તેનું મન દ્વિધાભક્ત થાય છે તેનું વર્ણન જોઈએ :
‘મેં તો આવડું નો’તું જાણ્યું, ચિત્રલેખાએ રતન જ આણ્યું,’ અને નળાખ્યાનમાં આવતી ‘એકએકપે અદકાં મોતી, રાજમાતા ટગટગ જોતી’ એ પંક્તિઓને નિરલંકાર સાદી છતાં કાવ્યની અમર પંક્તિઓ હું ગણું છું. બીજા પ્રસિદ્ધ પ્રસંગો છોડી એક જરા ઓછો પ્રસિદ્ધ પ્રસંગ લઉં. નળ વનવાસમાં દમયંતીનો ત્યાગ કરે છે અને ત્યારે તેનું મન દ્વિધાભક્ત થાય છે તેનું વર્ણન જોઈએ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>નળે લીધું છુરિકાશસ્ત્ર, વચ્ચેથી વહેર્યું અડધું વસ્ત્ર;  
{{Block center|'''<poem>નળે લીધું છુરિકાશસ્ત્ર, વચ્ચેથી વહેર્યું અડધું વસ્ત્ર;  
કટકા બે પટકુળના કરી, મૂકી નળ ચાલ્યો સુંદરી.  
કટકા બે પટકુળના કરી, મૂકી નળ ચાલ્યો સુંદરી.  
ગયો ડગલાં સાત જ ભરી, પ્રીત શ્યામાની સાંભરી;  
ગયો ડગલાં સાત જ ભરી, પ્રીત શ્યામાની સાંભરી;  
Line 150: Line 149:
બળ પ્રબળ કળિનું થયું, પ્રેમ બંધન ત્રૂટીને ગયું.  
બળ પ્રબળ કળિનું થયું, પ્રેમ બંધન ત્રૂટીને ગયું.  
સર્પ કંચુકીને તજે જેમ, મેં દમયંતી તજવી તેમ.  
સર્પ કંચુકીને તજે જેમ, મેં દમયંતી તજવી તેમ.  
એવું કહીને દીધી દોટ, ઉવાટે દોડ્યો સાસોટ.</poem>}}
એવું કહીને દીધી દોટ, ઉવાટે દોડ્યો સાસોટ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણા આખા પ્રાચીન સાહિત્યમાં આવા દ્વિધાત્વનાં ચિત્રો ક્યાંક જ મળશે.
આપણા આખા પ્રાચીન સાહિત્યમાં આવા દ્વિધાત્વનાં ચિત્રો ક્યાંક જ મળશે.
Line 159: Line 158:
અને છતાં હું પ્રેમાનંદને હાસ્યથી પણ વિશેષ કરુણનો કવિ કહું છું. તેનાં કાવ્યોમાં હૃદયભેદક કરુણ વારંવાર આવે છે. નળ, દમયંતીનો ત્યાગ કર્યા પછી ‘મનગમયંતી બાલ દમયંતી’ કરી સાદ દઈ હૈયાફાટ રુદન કરે છે એ કરુણ છે. પણ એ કરતાં પણ એનાં સ્ત્રી-પાત્રોનો કરુણ વધારે મર્મઘાતક છે. પસંદગી કરવી મુશ્કેલ પડી જાય એટલાં બધાં આવાં કાવ્યો એકસાથે યાદ આવે છે. પણ પ્રેમાનંદના દશમસ્કંધને પૂરતું મહત્ત્વ નથી મળ્યું એમ હું માનું છું માટે એમાંથી જ દૃષ્ટાંતો લઉં છું. કૃષ્ણના યમુનામાં ઝંપાપાત વખતનું યશોદાનું કલ્પાંત ‘મારું માણેકડું રિસાવ્યું રે શામળિયા’ એ ન લેતાં, તેની પહેલાં આવી ગયેલ દેવકીવિલાપ લઉં છું. કંસ, દેવકીપુત્રથી પોતાનો નાશ થવાની દેવવાણી સાંભળી, હમણાં જ પરણી ઊતરેલા દેવકીને ઘાત કરવા જાય છે તે વખતનો દેવકીનો વિલાપ જોઈએ.
અને છતાં હું પ્રેમાનંદને હાસ્યથી પણ વિશેષ કરુણનો કવિ કહું છું. તેનાં કાવ્યોમાં હૃદયભેદક કરુણ વારંવાર આવે છે. નળ, દમયંતીનો ત્યાગ કર્યા પછી ‘મનગમયંતી બાલ દમયંતી’ કરી સાદ દઈ હૈયાફાટ રુદન કરે છે એ કરુણ છે. પણ એ કરતાં પણ એનાં સ્ત્રી-પાત્રોનો કરુણ વધારે મર્મઘાતક છે. પસંદગી કરવી મુશ્કેલ પડી જાય એટલાં બધાં આવાં કાવ્યો એકસાથે યાદ આવે છે. પણ પ્રેમાનંદના દશમસ્કંધને પૂરતું મહત્ત્વ નથી મળ્યું એમ હું માનું છું માટે એમાંથી જ દૃષ્ટાંતો લઉં છું. કૃષ્ણના યમુનામાં ઝંપાપાત વખતનું યશોદાનું કલ્પાંત ‘મારું માણેકડું રિસાવ્યું રે શામળિયા’ એ ન લેતાં, તેની પહેલાં આવી ગયેલ દેવકીવિલાપ લઉં છું. કંસ, દેવકીપુત્રથી પોતાનો નાશ થવાની દેવવાણી સાંભળી, હમણાં જ પરણી ઊતરેલા દેવકીને ઘાત કરવા જાય છે તે વખતનો દેવકીનો વિલાપ જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વિનવે દેવકી હો, વીરાને વલવલી,  
{{Block center|'''<poem>વિનવે દેવકી હો, વીરાને વલવલી,  
માનને માગે હો, મુખે દશ આંગળી.  
માનને માગે હો, મુખે દશ આંગળી.  
માનુષી દેહ પરી હો, વિપત્તિ શી આવડી,  
માનુષી દેહ પરી હો, વિપત્તિ શી આવડી,  
Line 180: Line 179:


રોયા ગગને દેવતા હો, રોયા વસુદેવ પતિ,  
રોયા ગગને દેવતા હો, રોયા વસુદેવ પતિ,  
પણ નિરદે કંસને હો, દયા નથી આવતી.</poem>}}
પણ નિરદે કંસને હો, દયા નથી આવતી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ બધા કરુણ અન્યાય અને ત્રાસનો કર્તા કંસ છે એ કવિ યાદ આપે છે, કારણ કે કંસનો નાશ કરવા કૃષ્ણ અવતાર લેવાના છે. કાવ્યનું મધ્યબિંદુ કવિ ભૂલતો નથી. નળાખ્યાનના કરુણની તીવ્રતમ કોટી, દમયન્તી ઉપર હાર ચોર્યાનું આળ આવે છે અને એનો જીવ ચીસ પાડી ઊઠે છે :
આ બધા કરુણ અન્યાય અને ત્રાસનો કર્તા કંસ છે એ કવિ યાદ આપે છે, કારણ કે કંસનો નાશ કરવા કૃષ્ણ અવતાર લેવાના છે. કાવ્યનું મધ્યબિંદુ કવિ ભૂલતો નથી. નળાખ્યાનના કરુણની તીવ્રતમ કોટી, દમયન્તી ઉપર હાર ચોર્યાનું આળ આવે છે અને એનો જીવ ચીસ પાડી ઊઠે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘હો હરિ સત્યતણા સંઘાતી, હરિ હું કહીયે નથી સમાતી.”</poem>}}
{{Block center|'''<poem>‘હો હરિ સત્યતણા સંઘાતી, હરિ હું કહીયે નથી સમાતી.”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ દૃષ્ટાંત ન લેતાં બીજું દૃષ્ટાંત પણ દશમસ્કંધમાંથી લઉં છું. કૃષ્ણે મથુરા જઈ કંસને માર્યો, પોતે માતાપિતા દેવકીવસુદેવને મળ્યા અને તેમણે કહ્યું હવે તમે નંદને સાચી વાત કહીને ગોકુળ વિદાય કરો. પ્રસંગની નાજુકતા અને ભયંકરતા વસુદેવ પણ જાણે છે :
એ દૃષ્ટાંત ન લેતાં બીજું દૃષ્ટાંત પણ દશમસ્કંધમાંથી લઉં છું. કૃષ્ણે મથુરા જઈ કંસને માર્યો, પોતે માતાપિતા દેવકીવસુદેવને મળ્યા અને તેમણે કહ્યું હવે તમે નંદને સાચી વાત કહીને ગોકુળ વિદાય કરો. પ્રસંગની નાજુકતા અને ભયંકરતા વસુદેવ પણ જાણે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> વિનય કરી વળાવજો, માગી માન નમજો પાય,  
{{Block center|'''<poem> વિનય કરી વળાવજો, માગી માન નમજો પાય,  
ઉત્તર દેજો એવી રીતે, જેમ ડોસો નવ દુભાય.</poem>}}
ઉત્તર દેજો એવી રીતે, જેમ ડોસો નવ દુભાય.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કૃષ્ણ, નંદને અને ગોવાળોને કહેવા જાય છે, ત્યારે નંદ તો પુત્રે મથુરામાં કરેલા ઉધમાતથી ચિંતાતુર થયેલા છે અને કૃષ્ણને ઠપકો-શિખામણ આપવા માંડે છે. અને ત્યારે જ કૃષ્ણને કહેવું પડે છે :
કૃષ્ણ, નંદને અને ગોવાળોને કહેવા જાય છે, ત્યારે નંદ તો પુત્રે મથુરામાં કરેલા ઉધમાતથી ચિંતાતુર થયેલા છે અને કૃષ્ણને ઠપકો-શિખામણ આપવા માંડે છે. અને ત્યારે જ કૃષ્ણને કહેવું પડે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> અમે ઓશિંગણ કેમ થઈએ રે ગોકુળસ્વામી  
{{Block center|'''<poem> અમે ઓશિંગણ કેમ થઈએ રે ગોકુળસ્વામી  
એવું કરીને આંસુ ભરિયાં રે અંતરયામી.  
એવું કરીને આંસુ ભરિયાં રે અંતરયામી.  
નાસરડે ગોકુળમાં આવ્યા મામાજીને માટે,  
નાસરડે ગોકુળમાં આવ્યા મામાજીને માટે,  
ઉછેરનારને ઉત્તર દેતાં કાળજ નવ ફાટે.</poem>}}
ઉછેરનારને ઉત્તર દેતાં કાળજ નવ ફાટે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને નંદ તો એ માની પણ શકતા નથી.
અને નંદ તો એ માની પણ શકતા નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> એ શું બોલો છો શામળા, ઘેલો થયો રણછોડ.  
{{Block center|'''<poem> એ શું બોલો છો શામળા, ઘેલો થયો રણછોડ.  
પાણિગ્રહણ કીધું નથી, વહુ જોવાના કોડ.  
પાણિગ્રહણ કીધું નથી, વહુ જોવાના કોડ.  
વણવિચાર્યું નવ બોલીએ, હસે દુરિજન લોક.  
વણવિચાર્યું નવ બોલીએ, હસે દુરિજન લોક.  
નથી દીઠું નથી સાંભળ્યું, પુત્રનું સગપણ ફોક.</poem>}}
નથી દીઠું નથી સાંભળ્યું, પુત્રનું સગપણ ફોક.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને આખા પ્રસંગની આ જ અનન્યતા છે! સોરાબરુસ્તમના પ્રસંગમાં પિતા-પુત્ર એકબીજાને ન ઓળખી દ્વંદ્વયુદ્ધ કરે છે અને પિતાને હાથે પુત્ર હણાય છે તે પછી ઓળખાણ પડે છે. રામ અને લવકુશ, સંબંધના અજ્ઞાનમાં લડે છે પણ છેવટે તો ઓળખાણ થઈ એટલા પૂરતો સુખાન્ત આવે છે. ક્યાંય – કથામાં પણ – આવું જોયું નથી કે માતાપિતાએ પોતાનો ધારી ઉછેરેલો પુત્ર જુવાન થતાં, માતાપિતાને કહે કે તમે મારાં સાચાં માતાપિતા નથી, મારાં માતાપિતા તો બીજાં છે. નંદનો આખો જીવ કકળી ઊઠે છે :
અને આખા પ્રસંગની આ જ અનન્યતા છે! સોરાબરુસ્તમના પ્રસંગમાં પિતા-પુત્ર એકબીજાને ન ઓળખી દ્વંદ્વયુદ્ધ કરે છે અને પિતાને હાથે પુત્ર હણાય છે તે પછી ઓળખાણ પડે છે. રામ અને લવકુશ, સંબંધના અજ્ઞાનમાં લડે છે પણ છેવટે તો ઓળખાણ થઈ એટલા પૂરતો સુખાન્ત આવે છે. ક્યાંય – કથામાં પણ – આવું જોયું નથી કે માતાપિતાએ પોતાનો ધારી ઉછેરેલો પુત્ર જુવાન થતાં, માતાપિતાને કહે કે તમે મારાં સાચાં માતાપિતા નથી, મારાં માતાપિતા તો બીજાં છે. નંદનો આખો જીવ કકળી ઊઠે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> હતું વૈકુંઠ ગોકુળ ગામ રે, હવે નેસડો ફરી થયું નામ રે.
{{Block center|'''<poem> હતું વૈકુંઠ ગોકુળ ગામ રે, હવે નેસડો ફરી થયું નામ રે.
યશોદા કેમ બહાર નીસરશે રે, વંઝા કહી લોક પાછાં ફરશે રે.
યશોદા કેમ બહાર નીસરશે રે, વંઝા કહી લોક પાછાં ફરશે રે.
અમને માણસમાંથી ટાળ્યાં રે, દીકરો થઈ કાળજ બાળ્યાં રે.
અમને માણસમાંથી ટાળ્યાં રે, દીકરો થઈ કાળજ બાળ્યાં રે.
અમો ભૂલ્યાં આશા આણી રે, પારકી થાપણ નવ જાણી રે.
અમો ભૂલ્યાં આશા આણી રે, પારકી થાપણ નવ જાણી રે.
વાયસ ગણી વાત્સલ્ય કીધું રે, ફરી કોયલે બચલું લીધું રે.
વાયસ ગણી વાત્સલ્ય કીધું રે, ફરી કોયલે બચલું લીધું રે.
વિપ્ર પ્રભુ પરમેશ્વર રે, મારું ફરી વસાવો ઘર રે.</poem>}}
વિપ્ર પ્રભુ પરમેશ્વર રે, મારું ફરી વસાવો ઘર રે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નંદજી કૃષ્ણ વિનાનું ઘર કલ્પી નથી શકતા. એ ફરી ફરીને કૃષ્ણને ઘેર આવવા વીનવે છે, અને કૃષ્ણને પણ બધો ઉપકાર માનતાં છતાં છેવટે તો વિદાય આપવાની જ રહે છે.
નંદજી કૃષ્ણ વિનાનું ઘર કલ્પી નથી શકતા. એ ફરી ફરીને કૃષ્ણને ઘેર આવવા વીનવે છે, અને કૃષ્ણને પણ બધો ઉપકાર માનતાં છતાં છેવટે તો વિદાય આપવાની જ રહે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> અમો છૌં તમારા રે નંદજી છૌં તમારા;  
{{Block center|'''<poem> અમો છૌં તમારા રે નંદજી છૌં તમારા;  
અમો દાસ તમારા રાયજી રે ફરી ચરણે નામ્યું શીશ.  
અમો દાસ તમારા રાયજી રે ફરી ચરણે નામ્યું શીશ.  
{{gap}}વિદાય આજથી આપણે રે કહી ચાલ્યા શ્રીજુગદીશ.  
{{gap}}વિદાય આજથી આપણે રે કહી ચાલ્યા શ્રીજુગદીશ.  
{{gap}}ગોકુળ જાઓ રે નંદજી ગોકુળ જાઓ.  
{{gap}}ગોકુળ જાઓ રે નંદજી ગોકુળ જાઓ.  
{{gap}}ધરણે ઢળિયા રે નંદજી ધરણે ઢળિયા,  
{{gap}}ધરણે ઢળિયા રે નંદજી ધરણે ઢળિયા,  
{{gap}}ધરણે ઢળિયા નંદજી રે થઈ પડયા અચેત.</poem>}}
{{gap}}ધરણે ઢળિયા નંદજી રે થઈ પડયા અચેત.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કોઈને પણ થાય : કેટલો ભયંકર અન્યાય! કેટલો વિશ્વાસઘાત! કેટલો દારુણ ઘાત! આટલી બધી મર્મભેદક યોજના ‘પરિત્રાણાય સાધૂનામ્‌ વિનાશાય ચ દુષ્કૃતામ્‌, ધર્મસંસ્થાપનાર્થાય...’ સાધુઓના રક્ષણને માટે, દુષ્કર્મીઓના વિનાશને માટે, અને વિશેષ તો ધર્મની સંસ્થાપનાને માટે, ઈશ્વરને અવતાર લેવો હતો માટે કરવી પડી હતી; એવા મહાન પ્રયોજન વિના આપણે કોઈ માફ કરી શકીએ નહિ. ઈશ્વર પણ અવતાર લે ત્યારે, માનવમર્યાદાથી એટલો બધો બંધાયેલો હોય છે કે આટલાં દુઃખ વિના તે પણ પોતાનો હેતુ બર લાવી શકતો નથી, એવું આ જગત છે, એવું આ જીવન છે!
કોઈને પણ થાય : કેટલો ભયંકર અન્યાય! કેટલો વિશ્વાસઘાત! કેટલો દારુણ ઘાત! આટલી બધી મર્મભેદક યોજના ‘પરિત્રાણાય સાધૂનામ્‌ વિનાશાય ચ દુષ્કૃતામ્‌, ધર્મસંસ્થાપનાર્થાય...’ સાધુઓના રક્ષણને માટે, દુષ્કર્મીઓના વિનાશને માટે, અને વિશેષ તો ધર્મની સંસ્થાપનાને માટે, ઈશ્વરને અવતાર લેવો હતો માટે કરવી પડી હતી; એવા મહાન પ્રયોજન વિના આપણે કોઈ માફ કરી શકીએ નહિ. ઈશ્વર પણ અવતાર લે ત્યારે, માનવમર્યાદાથી એટલો બધો બંધાયેલો હોય છે કે આટલાં દુઃખ વિના તે પણ પોતાનો હેતુ બર લાવી શકતો નથી, એવું આ જગત છે, એવું આ જીવન છે!

Navigation menu