પ્રતિપદા/ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:
શરૂઆતમાં જ, એક બીજો આનંદ મારે વ્યક્ત કરવો છે એ આ કાર્યક્રમના ‘પ્રતિપદા’ એવા નામ માટે. આપણા ઉત્સવનો આ પડાવ સરસ છે – પ્રતિપદા. અને પ્રતિપદાથી પૂર્ણ ચંદ્ર તરફની યાત્રા – એવું સમજવું કાંઈ જરૂરી નથી. આપણને તો રાજેન્દ્ર શાહ કાનમાં કહી ગયા છે – કવિ હોય તે કાનમાં જ કહે, મોં સામે સંભળાવી જાય નહીં. રાજેન્દ્રભાઈએ કહ્યું જ છે કે ‘જાણે બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા ઝાઝેરો ઘૂમટો તાણી.’ પ્રતિપદા અને બીજના એ લયવળાંકો અને એમનું સ્પૃહા જગાડનારું ગોપન – એ પૂર્ણ ચંદ્ર કરતાં પણ વધુ આસ્વાદ્ય બની શકે. અલબત્ત, આપણને તો પૂર્ણ ચંદ્ર સામે પણ કોઈ તકરાર નથી. અનુઆધુનિક કવિતાને તો (ચંદ્ર-કળાના ને સાહિત્ય-કળાના) બધા જ વળાંકો, ને બધા જ પ્રવાહો સ્વીકાર્ય છે. હા, એક શરતે – કવિતાના ને કલાના સૌંદર્યલાભની શરતે, એવો આનંદલાભ ન થતો હોય તો હું વાચક તરીકે પણ કોઈ સોદો ન કરું!
શરૂઆતમાં જ, એક બીજો આનંદ મારે વ્યક્ત કરવો છે એ આ કાર્યક્રમના ‘પ્રતિપદા’ એવા નામ માટે. આપણા ઉત્સવનો આ પડાવ સરસ છે – પ્રતિપદા. અને પ્રતિપદાથી પૂર્ણ ચંદ્ર તરફની યાત્રા – એવું સમજવું કાંઈ જરૂરી નથી. આપણને તો રાજેન્દ્ર શાહ કાનમાં કહી ગયા છે – કવિ હોય તે કાનમાં જ કહે, મોં સામે સંભળાવી જાય નહીં. રાજેન્દ્રભાઈએ કહ્યું જ છે કે ‘જાણે બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા ઝાઝેરો ઘૂમટો તાણી.’ પ્રતિપદા અને બીજના એ લયવળાંકો અને એમનું સ્પૃહા જગાડનારું ગોપન – એ પૂર્ણ ચંદ્ર કરતાં પણ વધુ આસ્વાદ્ય બની શકે. અલબત્ત, આપણને તો પૂર્ણ ચંદ્ર સામે પણ કોઈ તકરાર નથી. અનુઆધુનિક કવિતાને તો (ચંદ્ર-કળાના ને સાહિત્ય-કળાના) બધા જ વળાંકો, ને બધા જ પ્રવાહો સ્વીકાર્ય છે. હા, એક શરતે – કવિતાના ને કલાના સૌંદર્યલાભની શરતે, એવો આનંદલાભ ન થતો હોય તો હું વાચક તરીકે પણ કોઈ સોદો ન કરું!
આ આનંદ-ઑચ્છવનો પ્રસંગ છે એટલે આપણે આ કવિમિત્રોની જે કવિતા હમણાં સાંભળી, એનાથી બંધાયેલા લયને ખલેલ પહોંચાડ્યા વિના જ મારી ભાવક-કથા રજૂ કરીશ. પણ હું માનું છું કે રાજીપો પણ પારદર્શક જ હોવો જોઈએ – પેટછૂટી વાત થવી જોઈએ. પ્રશંસા પણ ઘણીવાર અપારદર્શક, ધુમાડા જેવી હોય છે અને ધુમાડાથી તો ગૂંગળામણ જ થવાની – આપણને તેમજ કવિમત્રોને પણ. વળી અસલી ચાહકો તો સમજે છે કે પ્રેમમાં પણ થોડુંક આક્રમણ તો રહેવાનું જ – એનો નિર્દોષમાં નિર્દોષ દાખલો લઈએ તો ટેરવાંથી પીઠ પસવારતાં-પસવારતાં ક્યારેક ધબ્બો તો ક્યારેક એક ચૂંટી...
આ આનંદ-ઑચ્છવનો પ્રસંગ છે એટલે આપણે આ કવિમિત્રોની જે કવિતા હમણાં સાંભળી, એનાથી બંધાયેલા લયને ખલેલ પહોંચાડ્યા વિના જ મારી ભાવક-કથા રજૂ કરીશ. પણ હું માનું છું કે રાજીપો પણ પારદર્શક જ હોવો જોઈએ – પેટછૂટી વાત થવી જોઈએ. પ્રશંસા પણ ઘણીવાર અપારદર્શક, ધુમાડા જેવી હોય છે અને ધુમાડાથી તો ગૂંગળામણ જ થવાની – આપણને તેમજ કવિમત્રોને પણ. વળી અસલી ચાહકો તો સમજે છે કે પ્રેમમાં પણ થોડુંક આક્રમણ તો રહેવાનું જ – એનો નિર્દોષમાં નિર્દોષ દાખલો લઈએ તો ટેરવાંથી પીઠ પસવારતાં-પસવારતાં ક્યારેક ધબ્બો તો ક્યારેક એક ચૂંટી...
:::બસ. ભૂમિકા બહુ થઈ. હવે પ્રવેશ કરું.
:બસ. ભૂમિકા બહુ થઈ. હવે પ્રવેશ કરું.
અહીં ચાર કવિઓની કવિતા આપણે એકસાથે સાંભળી છે. દરેકની મુદ્રા અલબત્ત અલગ છે. પણ ક્યાંક આછીપાતળી સ્થૂળસૂક્ષ્મ સરખામણીને અવકાશ છે. કમલ વોરા અને જયદેવ શુક્લની મુખ્ય પીઠિકા નગરનિવાસની છે. પતંગિયું ને પુષ્પ, એનાં રંગ અને ગંધ, વૃક્ષો-પર્વતો-નદી-સમુદ્ર, અજવાસ અને અંધકાર, ને એનાં આદિમ ઊંડાણ – એ બધું એમની કવિચેતનામાં છે જ પણ એને નિતાન્ત વનસંદર્ભ નથી, એનો સંવેદનસ્પર્શ ને એનાં શબ્દરૂપો જુદાં છે. જ્યારે દલપત પઢિયાર અને કાનજી પટેલમાં જનપદ અને તળપદ છે. છેક તળિયે રહી ગયેલા આનંદની સાથે જ એમાં વિચ્છેદની વેદના છે, કાનજીમાં તો ચીસની સાથે એક આક્રોશ પણ છે. એટલે એ બંનેની કવિતાનો સંવેદનસ્પર્શ અને એનાં શબ્દરૂપો નોખાં છે. આ કારણે, આપણને તો એક મોટા ફલક પરના કવિતા-આલેખો મળે છે. આ ચારેમાં, કવિતા તરફ લઈ જતી ગતિમાં જે સરખું તત્ત્વ છે તે છે કલ્પનોનું, કલ્પનના વિવિધ રૂપોની હાજરીનું – અને ચારેમાં ગઝલની ગેરહાજરીનું.
અહીં ચાર કવિઓની કવિતા આપણે એકસાથે સાંભળી છે. દરેકની મુદ્રા અલબત્ત અલગ છે. પણ ક્યાંક આછીપાતળી સ્થૂળસૂક્ષ્મ સરખામણીને અવકાશ છે. કમલ વોરા અને જયદેવ શુક્લની મુખ્ય પીઠિકા નગરનિવાસની છે. પતંગિયું ને પુષ્પ, એનાં રંગ અને ગંધ, વૃક્ષો-પર્વતો-નદી-સમુદ્ર, અજવાસ અને અંધકાર, ને એનાં આદિમ ઊંડાણ – એ બધું એમની કવિચેતનામાં છે જ પણ એને નિતાન્ત વનસંદર્ભ નથી, એનો સંવેદનસ્પર્શ ને એનાં શબ્દરૂપો જુદાં છે. જ્યારે દલપત પઢિયાર અને કાનજી પટેલમાં જનપદ અને તળપદ છે. છેક તળિયે રહી ગયેલા આનંદની સાથે જ એમાં વિચ્છેદની વેદના છે, કાનજીમાં તો ચીસની સાથે એક આક્રોશ પણ છે. એટલે એ બંનેની કવિતાનો સંવેદનસ્પર્શ અને એનાં શબ્દરૂપો નોખાં છે. આ કારણે, આપણને તો એક મોટા ફલક પરના કવિતા-આલેખો મળે છે. આ ચારેમાં, કવિતા તરફ લઈ જતી ગતિમાં જે સરખું તત્ત્વ છે તે છે કલ્પનોનું, કલ્પનના વિવિધ રૂપોની હાજરીનું – અને ચારેમાં ગઝલની ગેરહાજરીનું.
દરેક વિશે અલગ વાત કરીએ.{{Poem2Close}}
દરેક વિશે અલગ વાત કરીએ.{{Poem2Close}}
Line 26: Line 26:
છાંટો પડ્યો ય ના હોય ને છકે
છાંટો પડ્યો ય ના હોય ને છકે
છીંક ખાય છોડીઓ ને છકે છકેલાજી.</poem>
છીંક ખાય છોડીઓ ને છકે છકેલાજી.</poem>
અને એથી વધારે સારું આ :
{{Poem2Open}}અને એથી વધારે સારું આ :{{Poem2Close}}
<poem>ફેંકે એટલે કેવું?
<poem>ફેંકે એટલે કેવું?
બંદા હાથ ઊંચો કરે ને વાદળમાંથી પડતી વીજળી  
બંદા હાથ ઊંચો કરે ને વાદળમાંથી પડતી વીજળી  
26,604

edits