સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ/ચિનુ મોદીની દીર્ઘકૃતિ ‘બાહુક’: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 5: Line 5:
દુર્ભાગ્યની ક્ષણે પુષ્કરને હાથે દ્યૂતમાં પરાજિત થતાં નળ રાજાએ રાજપાટ રાજવૈભવ અને સત્તા ખોયાં. કારમો અરણ્યવાસ તેને સહેવાનો આવ્યો. પ્રાચીન કથાકાર કહે છે તે પ્રમાણે અરણ્યમાં પ્રવેશ કરતાં પહેલાં નળરાય અને વૈદર્ભીએ તેમના નિષધનગરની સરહદ પર ત્રણ રાત્રિઓ ગુજારી. એકાએક રાજ્યસત્તા ધનવૈભવ અને માનમરતબો ખોઈ બેસતા, અને વધુ તો નિષધનાં નગરજનથી, પોતાનાં જ પ્રજાજનોથી, ઘોર અવહેલના પામતા નળરાયમાં ઘેરી હતાશા જન્મી પડે છે. તેના હૃદયમાં એકલતા દૈન્ય જડતા પામરતા સ્થગિતતા અને નિસ્સારતાની લાગણીઓ છવાઈ જઈ તેના સમગ્ર અસ્તિત્વને રુંધી રહે છે. અને અંતે પોતાના અસ્તિત્વપરક વિષમ સંયોગોની તીવ્ર અભિજ્ઞતા કેળવી નળરાય ‘બાહુક’ની દશાનો સ્વીકાર કરી લે છે. પોતાના વિષમ સંયોગોને ભેદી જવાના સંકલ્પમાં નળની મનોદશા એક નવી જ સંપ્રજ્ઞા સિદ્ધ કરે છે :
દુર્ભાગ્યની ક્ષણે પુષ્કરને હાથે દ્યૂતમાં પરાજિત થતાં નળ રાજાએ રાજપાટ રાજવૈભવ અને સત્તા ખોયાં. કારમો અરણ્યવાસ તેને સહેવાનો આવ્યો. પ્રાચીન કથાકાર કહે છે તે પ્રમાણે અરણ્યમાં પ્રવેશ કરતાં પહેલાં નળરાય અને વૈદર્ભીએ તેમના નિષધનગરની સરહદ પર ત્રણ રાત્રિઓ ગુજારી. એકાએક રાજ્યસત્તા ધનવૈભવ અને માનમરતબો ખોઈ બેસતા, અને વધુ તો નિષધનાં નગરજનથી, પોતાનાં જ પ્રજાજનોથી, ઘોર અવહેલના પામતા નળરાયમાં ઘેરી હતાશા જન્મી પડે છે. તેના હૃદયમાં એકલતા દૈન્ય જડતા પામરતા સ્થગિતતા અને નિસ્સારતાની લાગણીઓ છવાઈ જઈ તેના સમગ્ર અસ્તિત્વને રુંધી રહે છે. અને અંતે પોતાના અસ્તિત્વપરક વિષમ સંયોગોની તીવ્ર અભિજ્ઞતા કેળવી નળરાય ‘બાહુક’ની દશાનો સ્વીકાર કરી લે છે. પોતાના વિષમ સંયોગોને ભેદી જવાના સંકલ્પમાં નળની મનોદશા એક નવી જ સંપ્રજ્ઞા સિદ્ધ કરે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> પ્રિયે, માતા પેઠે વસન અમને આપ ધરશો?  
{{Block center|'''<poem> પ્રિયે, માતા પેઠે વસન અમને આપ ધરશો?  
ફરી પાછી ભાષા અવશ કરનારી શીખવશો?  
ફરી પાછી ભાષા અવશ કરનારી શીખવશો?  
મરેલાં મત્સ્યોને સજીવન કરી એ જ જળમાં  
મરેલાં મત્સ્યોને સજીવન કરી એ જ જળમાં  
Line 12: Line 12:
તડાકે તોડું આ વિકટ સરખાં બંધન...તદા,  
તડાકે તોડું આ વિકટ સરખાં બંધન...તદા,  
નહીં દોરાયેલાં, પણ, સમયના ભાવિ પટ પે  
નહીં દોરાયેલાં, પણ, સમયના ભાવિ પટ પે  
હવે અંકાનારાં, વિધવિધ બધાં ચિત્ર ઊપસે :</poem>}}
હવે અંકાનારાં, વિધવિધ બધાં ચિત્ર ઊપસે :</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
—અને અંતની આ ઉક્તિ જુઓ :
—અને અંતની આ ઉક્તિ જુઓ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ત્યજું મ્હોરેલી આ નગરી, કુમળી વેલ; બળતી  
{{Block center|'''<poem> ત્યજું મ્હોરેલી આ નગરી, કુમળી વેલ; બળતી  
ત્વચાથી બાળું એ પ્રથમ, સઘળાંને ત્યજી દઉં.  
ત્વચાથી બાળું એ પ્રથમ, સઘળાંને ત્યજી દઉં.  
સ્વીકારું શાપેલું બૃહદ્‌ – ગુરુ એકાંત અ-ચલ,  
સ્વીકારું શાપેલું બૃહદ્‌ – ગુરુ એકાંત અ-ચલ,  
ભલે એના ડંખે – અનલવિષથી – ના રહું નલ.</poem>}}
ભલે એના ડંખે – અનલવિષથી – ના રહું નલ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નળરાયની આ અસ્તિત્વપરક કટોકટી જ ચિનુને આ રચના પાછળ પ્રેરણારૂપ બની જણાય છે. પણ જે રીતે અહીં તેની છબી ચિનુએ આલેખી છે તેમાં જાણે anti-heroની ઝાંખી થાય છે. આપણા અભ્યાસીઓને એ તો સુવિદિત છે કે પ્રાચીન મહાકાવ્યો કથાકાવ્યો આખ્યાયિકાઓ અને લોકકથાઓની જૂની પરંપરામાં કથાનાયકો ઘણું કરીને વીરપુરુષના રૂપમાં રજૂ થયા છે. અખૂટ જીવનશક્તિ અને અપાર આત્મશ્રદ્ધાથી તેઓ પોતાનું જીવનકાર્ય આદરે છે. પોતાના જીવનના હેતુ વિશે તેઓ સ્પષ્ટ હોય એમ પણ અનેક કથાનકોમાં જોવા મળે છે. અને એ હેતુ પાર પાડવા તેઓ એક પછી એક વીરતાભર્યા કાર્યો સિદ્ધ કરે છે. એ માટે તેઓ મોટું યુદ્ધ કરે સંઘર્ષ કરે અને આવી પડેલી મહાઆપત્તિમાંથી માર્ગ કરે. એ નાયક સાચા અર્થમાં the Man of Action સંભવે છે. એવી આપત્તિઓમાંથી ગુજરતાં તેનું ચારિત્ર્ય વધુ ઉજ્જ્વલ, વધુ દીપ્તિમંત અને વધુ પ્રભાવક બને છે. ચિનુએ સર્જેલો નળ એ એવો ક્રિયાશીલ નાયક નથી : વિષમ સંજોગો વચ્ચે હતાશાથી નિષ્ક્રિય બની રહેલો અને ‘ના રહું નલ’નો સંકલ્પ કરતા એક વિચ્છિન્ન માણસ છે.
નળરાયની આ અસ્તિત્વપરક કટોકટી જ ચિનુને આ રચના પાછળ પ્રેરણારૂપ બની જણાય છે. પણ જે રીતે અહીં તેની છબી ચિનુએ આલેખી છે તેમાં જાણે anti-heroની ઝાંખી થાય છે. આપણા અભ્યાસીઓને એ તો સુવિદિત છે કે પ્રાચીન મહાકાવ્યો કથાકાવ્યો આખ્યાયિકાઓ અને લોકકથાઓની જૂની પરંપરામાં કથાનાયકો ઘણું કરીને વીરપુરુષના રૂપમાં રજૂ થયા છે. અખૂટ જીવનશક્તિ અને અપાર આત્મશ્રદ્ધાથી તેઓ પોતાનું જીવનકાર્ય આદરે છે. પોતાના જીવનના હેતુ વિશે તેઓ સ્પષ્ટ હોય એમ પણ અનેક કથાનકોમાં જોવા મળે છે. અને એ હેતુ પાર પાડવા તેઓ એક પછી એક વીરતાભર્યા કાર્યો સિદ્ધ કરે છે. એ માટે તેઓ મોટું યુદ્ધ કરે સંઘર્ષ કરે અને આવી પડેલી મહાઆપત્તિમાંથી માર્ગ કરે. એ નાયક સાચા અર્થમાં the Man of Action સંભવે છે. એવી આપત્તિઓમાંથી ગુજરતાં તેનું ચારિત્ર્ય વધુ ઉજ્જ્વલ, વધુ દીપ્તિમંત અને વધુ પ્રભાવક બને છે. ચિનુએ સર્જેલો નળ એ એવો ક્રિયાશીલ નાયક નથી : વિષમ સંજોગો વચ્ચે હતાશાથી નિષ્ક્રિય બની રહેલો અને ‘ના રહું નલ’નો સંકલ્પ કરતા એક વિચ્છિન્ન માણસ છે.
Line 39: Line 39:
પ્રથમ સર્ગમાંની નળની ઉક્તિનો એક અંશ :
પ્રથમ સર્ગમાંની નળની ઉક્તિનો એક અંશ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>હું
{{Block center|'''<poem>હું
પરાયી નગરીમાં
પરાયી નગરીમાં
ઊભા કરેલા
ઊભા કરેલા
Line 57: Line 57:
બાણ જેવો
બાણ જેવો
ગતિવિહીન
ગતિવિહીન
મૃતવત્‌ થઈ ઊભો હતો...</poem>}}
મૃતવત્‌ થઈ ઊભો હતો...</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ ઉક્તિમાં સત્તાભ્રષ્ટ થયેલા નળની મનોસ્થિતિનું લાક્ષણિક રીતે નિવેદન થયું છે. ચિનુની સર્જકતાની વિલક્ષણ સંચલનાને પામવા આ દૃષ્ટાંત ધ્યાનપાત્ર છે. આખા ય ખંડકમાં ઉપમા અલંકાર વિસ્તર્યો છે. પણ એમાં અમૂર્તીકરણની પ્રક્રિયા પણ જોડાયેલી છે. પરાયી નગરીના સ્ફટિક પાષાણના મનુષ્યકદ શિલ્પ અને તેના ચૈતન્યરહિત દક્ષિણ કર સાથે નળ પોતાને સરખાવે છે. પણ અલંકાર પ્રક્રિયા આગળ ચાલે છે. નળ પોતાને ‘પથ્થરના ધનુષ્યની/ખેંચાયેલી પણછ જેવો’ અને ‘ચિત્રિત/ભાથામાં/તીક્ષ્ણપણાના અભાવે પીડિત/બાણ જેવો’ જુએ છે. જે રીતે નળ પોતામાં જડતા નિશ્ચેષ્ટતા નિષ્ક્રિયતા અને વિફલતાનો ભાવ છવાઈ જતો અનુભવે છે તેનું આ પ્રતીકાત્મક નિવેદન છે. પથ્થરમાં કંડારાયેલા ધનુષ્યની પણછ એક જડ કંડારકામ માત્ર છે. ક્યારેય એ સક્રિય અને ગતિશીલ બની શકવાની નથી. લક્ષ્યવેધ માટે એ વિફલ જ રહેવાની છે. એ સંકેતો એમાં સૂચવાયા છે. પણ ‘ચિત્રિત ભાથા’ના બાણને તીક્ષ્ણપણાનો અભાવ જે રીતે સાલે છે તેવી જ સ્થિતિ નળની પોતાની છે. ‘તીક્ષ્ણપણાનો અભાવ’ સહૃદયે કલ્પવાનો છે અને તે ‘ચિત્રિત ભાથા’માંના બાણના સંદર્ભે – એ રીતની અભિવ્યક્તિમાં નળની હૃદયસ્થિતિનું નિરૂપણ છે. અહીં પ્રશ્ન માત્ર ભાવસંવેદનની અમૂર્તતાનો જ નથી : નળની દશાનું તિર્યક્‌પણે સૂચન કરવા યોજાતા અલંકારમાં ઉપમાનોનું વર્ચસ્‌ સ્થપાય તેનો ય છે. ‘પરાયી નગરી’ ‘સ્ફટિક પાષાણનું મનુષ્યકદ શિલ્પ’, ‘દક્ષિણ કર’, ‘પથ્થરનું ધનુષ્ય’, ‘ચિત્રિત ભાથો’ અને ‘બાણ’ એ સર્વે પરસ્પરમાં સંકળાઈને ઉપમા બોધની વિસ્તૃતી રચે છે. અને વસ્તુ જે ઉપમેયરૂપ છે તેને જાણે કે પ્રચ્છન્ન કરી દેતો ઉપમાનબોધ એમાં વધુ પ્રભાવક બને છે. આમ અલંકારપ્રક્રિયા દ્વારા જુદું જ ‘વસ્તુ’ ઊપસે છે. નળના મનની દશા, સ્વયં કોઈ ચૈતસિક વાસ્તવમાં અમુક નિશ્ચિત લાગણીનો પુદ્‌ગલ બંધાય તે પહેલાં, તે વિ-ઘટિત થઈ જાય છે. વળી, અહીં એ વાત પણ નોંધવાની રહે છે કે, નળ પોતાનું મનોગત જે રીતે વ્યક્ત કરે છે તેમાં તે સજીવ લાગણીનું પ્રતીકાત્મકરૂપ રચાવા પામે તે રીતે અંતર પાડીને વર્તતો દેખાય છે. પોતાની ભાવદશાનું વર્ણન કરતા કાવ્યપુરુષ (persona)ની અમુક તટસ્થતા એમાં પ્રત્યક્ષ થાય છે.  
આ ઉક્તિમાં સત્તાભ્રષ્ટ થયેલા નળની મનોસ્થિતિનું લાક્ષણિક રીતે નિવેદન થયું છે. ચિનુની સર્જકતાની વિલક્ષણ સંચલનાને પામવા આ દૃષ્ટાંત ધ્યાનપાત્ર છે. આખા ય ખંડકમાં ઉપમા અલંકાર વિસ્તર્યો છે. પણ એમાં અમૂર્તીકરણની પ્રક્રિયા પણ જોડાયેલી છે. પરાયી નગરીના સ્ફટિક પાષાણના મનુષ્યકદ શિલ્પ અને તેના ચૈતન્યરહિત દક્ષિણ કર સાથે નળ પોતાને સરખાવે છે. પણ અલંકાર પ્રક્રિયા આગળ ચાલે છે. નળ પોતાને ‘પથ્થરના ધનુષ્યની/ખેંચાયેલી પણછ જેવો’ અને ‘ચિત્રિત/ભાથામાં/તીક્ષ્ણપણાના અભાવે પીડિત/બાણ જેવો’ જુએ છે. જે રીતે નળ પોતામાં જડતા નિશ્ચેષ્ટતા નિષ્ક્રિયતા અને વિફલતાનો ભાવ છવાઈ જતો અનુભવે છે તેનું આ પ્રતીકાત્મક નિવેદન છે. પથ્થરમાં કંડારાયેલા ધનુષ્યની પણછ એક જડ કંડારકામ માત્ર છે. ક્યારેય એ સક્રિય અને ગતિશીલ બની શકવાની નથી. લક્ષ્યવેધ માટે એ વિફલ જ રહેવાની છે. એ સંકેતો એમાં સૂચવાયા છે. પણ ‘ચિત્રિત ભાથા’ના બાણને તીક્ષ્ણપણાનો અભાવ જે રીતે સાલે છે તેવી જ સ્થિતિ નળની પોતાની છે. ‘તીક્ષ્ણપણાનો અભાવ’ સહૃદયે કલ્પવાનો છે અને તે ‘ચિત્રિત ભાથા’માંના બાણના સંદર્ભે – એ રીતની અભિવ્યક્તિમાં નળની હૃદયસ્થિતિનું નિરૂપણ છે. અહીં પ્રશ્ન માત્ર ભાવસંવેદનની અમૂર્તતાનો જ નથી : નળની દશાનું તિર્યક્‌પણે સૂચન કરવા યોજાતા અલંકારમાં ઉપમાનોનું વર્ચસ્‌ સ્થપાય તેનો ય છે. ‘પરાયી નગરી’ ‘સ્ફટિક પાષાણનું મનુષ્યકદ શિલ્પ’, ‘દક્ષિણ કર’, ‘પથ્થરનું ધનુષ્ય’, ‘ચિત્રિત ભાથો’ અને ‘બાણ’ એ સર્વે પરસ્પરમાં સંકળાઈને ઉપમા બોધની વિસ્તૃતી રચે છે. અને વસ્તુ જે ઉપમેયરૂપ છે તેને જાણે કે પ્રચ્છન્ન કરી દેતો ઉપમાનબોધ એમાં વધુ પ્રભાવક બને છે. આમ અલંકારપ્રક્રિયા દ્વારા જુદું જ ‘વસ્તુ’ ઊપસે છે. નળના મનની દશા, સ્વયં કોઈ ચૈતસિક વાસ્તવમાં અમુક નિશ્ચિત લાગણીનો પુદ્‌ગલ બંધાય તે પહેલાં, તે વિ-ઘટિત થઈ જાય છે. વળી, અહીં એ વાત પણ નોંધવાની રહે છે કે, નળ પોતાનું મનોગત જે રીતે વ્યક્ત કરે છે તેમાં તે સજીવ લાગણીનું પ્રતીકાત્મકરૂપ રચાવા પામે તે રીતે અંતર પાડીને વર્તતો દેખાય છે. પોતાની ભાવદશાનું વર્ણન કરતા કાવ્યપુરુષ (persona)ની અમુક તટસ્થતા એમાં પ્રત્યક્ષ થાય છે.  
Line 63: Line 63:
પહેલા સર્ગમાંની વૈદર્ભીની એવી જ લાક્ષણિક ઉક્તિનો અંશ :
પહેલા સર્ગમાંની વૈદર્ભીની એવી જ લાક્ષણિક ઉક્તિનો અંશ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> પણ,
{{Block center|'''<poem> પણ,
અહીં તો
અહીં તો
ઉલૂકની અવાજછાયાથી જ
ઉલૂકની અવાજછાયાથી જ
Line 77: Line 77:
પ્રાસાદ છે.
પ્રાસાદ છે.
કાળી કંથાથી
કાળી કંથાથી
ઢંકાતું આકાશ છે...</poem>}}
ઢંકાતું આકાશ છે...</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સત્તાસ્થાનેથી ગબડી પડેલા નળની હતાશા અને વિચ્છિન્નતા જોઈ ખિન્ન બનેલી વૈદર્ભીની આ ઉક્તિ છે. એમાં નળની મનઃસ્થિતિ આગવા પ્રતીકાત્મક સંદર્ભોમાં સૂચવાઈ છે. દરેક પ્રતીકાત્મક સંદર્ભ આગવી આગવી રીતે એ મનઃસ્થિતિને સૂચવતા રહે છે. પણ એમાં ઉપમાબોધનું વૈચિત્ર્ય સહેજે સ્પર્શી જાય છે. અલંકારરચનામાં રહેલો વિરોધાભાસ જ ઉક્તિને અસાધારણ બળ અર્પે છે.
સત્તાસ્થાનેથી ગબડી પડેલા નળની હતાશા અને વિચ્છિન્નતા જોઈ ખિન્ન બનેલી વૈદર્ભીની આ ઉક્તિ છે. એમાં નળની મનઃસ્થિતિ આગવા પ્રતીકાત્મક સંદર્ભોમાં સૂચવાઈ છે. દરેક પ્રતીકાત્મક સંદર્ભ આગવી આગવી રીતે એ મનઃસ્થિતિને સૂચવતા રહે છે. પણ એમાં ઉપમાબોધનું વૈચિત્ર્ય સહેજે સ્પર્શી જાય છે. અલંકારરચનામાં રહેલો વિરોધાભાસ જ ઉક્તિને અસાધારણ બળ અર્પે છે.
બીજા સર્ગમાંથી વૈદર્ભીની ઉક્તિનો વધુ એક અંશ :
બીજા સર્ગમાંથી વૈદર્ભીની ઉક્તિનો વધુ એક અંશ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> પ્રચંડ અગ્નિના  
{{Block center|'''<poem> પ્રચંડ અગ્નિના  
પ્રપંચે કરીને  
પ્રપંચે કરીને  
ભસ્મીભૂત થઈ ગયેલા  
ભસ્મીભૂત થઈ ગયેલા  
Line 94: Line 94:
હું આવરિત હોવાને કારણે  
હું આવરિત હોવાને કારણે  
કદાચ  
કદાચ  
અદૃષ્ટ પણ હોઉં...</poem>}}
અદૃષ્ટ પણ હોઉં...</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
–નળની ઉક્તિના અંતમાં ‘હે વૈદર્ભી! તું ક્યાં છો?’ એવા પ્રશ્નના ઉત્તર રૂપે આવતી આ ઉક્તિમાં વૈદર્ભી પોતે નળની નજરમાં ‘અદૃષ્ટ’ બન્યાની લાગણીનો સંકેત આપે છે. દ્યુતપરાજય પછી પોતે જે વિષમ સ્થિતિમાં મુકાઈ તેનો માર્મિક સંદર્ભ અહીં મળે છે. દુર્ગનું પતન, પ્રવેશદ્વારરક્ષકનો કરુણ અંજામ, આધારહીન પણ ઉષ્ણ તીક્ષ્ણ અસિ – એ સર્વ વૈદર્ભીના મનની સૂક્ષ્મ સંકુલ સ્થિતિનો અણસાર આપે છે. આવી પડેલા વિષમ સંયોગો વચ્ચે તેની નિરાધાર દશા, તેના અંતરની દાહક વેદના અને તેના મનની ખુમારી એમાં વાંચી શકાય છે.
–નળની ઉક્તિના અંતમાં ‘હે વૈદર્ભી! તું ક્યાં છો?’ એવા પ્રશ્નના ઉત્તર રૂપે આવતી આ ઉક્તિમાં વૈદર્ભી પોતે નળની નજરમાં ‘અદૃષ્ટ’ બન્યાની લાગણીનો સંકેત આપે છે. દ્યુતપરાજય પછી પોતે જે વિષમ સ્થિતિમાં મુકાઈ તેનો માર્મિક સંદર્ભ અહીં મળે છે. દુર્ગનું પતન, પ્રવેશદ્વારરક્ષકનો કરુણ અંજામ, આધારહીન પણ ઉષ્ણ તીક્ષ્ણ અસિ – એ સર્વ વૈદર્ભીના મનની સૂક્ષ્મ સંકુલ સ્થિતિનો અણસાર આપે છે. આવી પડેલા વિષમ સંયોગો વચ્ચે તેની નિરાધાર દશા, તેના અંતરની દાહક વેદના અને તેના મનની ખુમારી એમાં વાંચી શકાય છે.
Line 104: Line 104:
પુષ્કરની બિહામણી આકૃતિ જોતાં જ નિષધનગરના નાગરિકો એકદમ છળી ઊઠે છે. અજ્ઞાતપણે જ તેઓ આઘાત અને ભયથી મૂઢ બની જાય છે. આ પ્રસંગના પ્રસ્તુતીકરણનો અમુક અંશ કાવ્યાત્મક ઔચિત્ય ધરાવતો હોઈ પ્રમાણમાં આકર્ષક બન્યો છે. પણ એ પ્રસંગના વર્ણનને વિસ્તાર કરતાં ચિનુએ આ રીતે પંક્તિઓ રચી છે :
પુષ્કરની બિહામણી આકૃતિ જોતાં જ નિષધનગરના નાગરિકો એકદમ છળી ઊઠે છે. અજ્ઞાતપણે જ તેઓ આઘાત અને ભયથી મૂઢ બની જાય છે. આ પ્રસંગના પ્રસ્તુતીકરણનો અમુક અંશ કાવ્યાત્મક ઔચિત્ય ધરાવતો હોઈ પ્રમાણમાં આકર્ષક બન્યો છે. પણ એ પ્રસંગના વર્ણનને વિસ્તાર કરતાં ચિનુએ આ રીતે પંક્તિઓ રચી છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>એમની વિસ્ફારિત થયેલી
{{Block center|'''<poem>એમની વિસ્ફારિત થયેલી
આંખો
આંખો
પૂર્વવત્‌ સ્થિતિને
પૂર્વવત્‌ સ્થિતિને
Line 111: Line 111:
જાણે
જાણે
વાંસના કટકા
વાંસના કટકા
ગોઠવાતા જતા હતા...</poem>}}
ગોઠવાતા જતા હતા...</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
—નગરવાસીઓની વિસ્ફારિત આંખો સ્તબ્ધ દશામાં યથાવત્‌ ખુલ્લી રહી જાય એવી પરિસ્થતિ રજૂ કરવાનો અહીં આશય જણાય છે. પણ અહીં ઉત્પ્રેક્ષા કૃત્રિમ અને બેહૂદી લાગે છે. ‘વાંસના કટકા’ ખરેખર ક્યાં ગોઠવાતા હતા, કોણ ગોઠવતું હતું, એવા પ્રશ્નો કરવાનો અહીં અર્થ જ નથી. મૂળ કલ્પના જ અનુચિત અને અર્થહીન છે.
—નગરવાસીઓની વિસ્ફારિત આંખો સ્તબ્ધ દશામાં યથાવત્‌ ખુલ્લી રહી જાય એવી પરિસ્થતિ રજૂ કરવાનો અહીં આશય જણાય છે. પણ અહીં ઉત્પ્રેક્ષા કૃત્રિમ અને બેહૂદી લાગે છે. ‘વાંસના કટકા’ ખરેખર ક્યાં ગોઠવાતા હતા, કોણ ગોઠવતું હતું, એવા પ્રશ્નો કરવાનો અહીં અર્થ જ નથી. મૂળ કલ્પના જ અનુચિત અને અર્થહીન છે.
Line 119: Line 119:
પહેલા દૃષ્ટાંતમાં ભયભીત બનેલા નગરવાસીઓના ચિત્રણનો જ આ ભાગ છે.
પહેલા દૃષ્ટાંતમાં ભયભીત બનેલા નગરવાસીઓના ચિત્રણનો જ આ ભાગ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> અને ખેંચાયેલ પણછ જેવી
{{Block center|'''<poem> અને ખેંચાયેલ પણછ જેવી
ભ્રૂકુટિને કારણે પડેલી  
ભ્રૂકુટિને કારણે પડેલી  
એમના  
એમના  
Line 126: Line 126:
કોઈ અદૃશ્ય હાથથી  
કોઈ અદૃશ્ય હાથથી  
ટાંકણાના પ્રહારો
ટાંકણાના પ્રહારો
થતા જતા હતા...</poem>}}
થતા જતા હતા...</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
—નગરવાસીઓના ભાલપ્રદેશમાં ભય સંક્ષોભ અને આઘાત સાથે કરચલીઓ અંકાઈ જાય કે તેમના દેહ થીજીને જડ બની જાય એ ઘટના તો સમજાય પણ એ ‘કરચલીઓને’ વળી ‘શિલ્પવત્‌ બનાવવા’ કોઈ ‘અદૃશ્ય હાથ’ સક્રિય બને એ કલ્પના જ વિસંવાદી લાગે છે.
—નગરવાસીઓના ભાલપ્રદેશમાં ભય સંક્ષોભ અને આઘાત સાથે કરચલીઓ અંકાઈ જાય કે તેમના દેહ થીજીને જડ બની જાય એ ઘટના તો સમજાય પણ એ ‘કરચલીઓને’ વળી ‘શિલ્પવત્‌ બનાવવા’ કોઈ ‘અદૃશ્ય હાથ’ સક્રિય બને એ કલ્પના જ વિસંવાદી લાગે છે.
Line 134: Line 134:
રાજમહેલમાં પ્રવેશ કરી પુષ્કરે તેના સુવર્ણકળશો તોડીને ખંડિયેર કરી દીધું એ બનાવના વર્ણનનો વિસ્તાર કરતાં ચિનુ આ પંક્તિઓ રચે છે :
રાજમહેલમાં પ્રવેશ કરી પુષ્કરે તેના સુવર્ણકળશો તોડીને ખંડિયેર કરી દીધું એ બનાવના વર્ણનનો વિસ્તાર કરતાં ચિનુ આ પંક્તિઓ રચે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> અને  
{{Block center|'''<poem> અને  
કાળી છાયાના અટ્ટહાસ્યના  
કાળી છાયાના અટ્ટહાસ્યના  
પ્રતિધ્વનિથી  
પ્રતિધ્વનિથી  
Line 141: Line 141:
વર્ષાકાળે  
વર્ષાકાળે  
સરિતા સ્થિતિને
સરિતા સ્થિતિને
પામતી હતી..</poem>}}  
પામતી હતી..</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
—અહીં કાળી છાયાનું અટ્ટહાસ્ય સૂના પ્રાસાદોના ખંડેખંડમાં પડઘાતું રહ્યું એમ ચિનુને અભિપ્રેત છે. પણ પ્રાસાદોની રિક્તતામાં ત્વરાથી પ્રસરેલા પડઘાઓની ઘટના સૂચવવા ચિનુ વર્ષાકાળની સરિતાના પૂરનું ઉપમાન લઈ આવે છે. પણ આ પ્રકારની ઉપમામાં ક્યાંક પાયાની વિસંવાદિતા રહી ગઈ છે. ખંડોની રિક્તતાને ભરી દેતા પડઘાઓનો આગવો ધ્વનિ છે. એમાં માત્ર શૂન્યતા, જડતા નિશ્ચેષ્ટતા અને ક્ષણભંગુરતાનો જ રણકો ઊઠે છે. એની સામે વર્ષા સમયે પૂરનાં જળથી સભર એવી સરિતા જાણે વિશ્વપ્રકૃતિનો પ્રાણોદ્રેક પ્રગટ કરે છે. એટલે આ ઉપમાબોધમાં ચમત્કૃતિ જન્મતી નથી. પ્રશ્ન ખરેખર ઉપમાના ઔચિત્યનો છે.
—અહીં કાળી છાયાનું અટ્ટહાસ્ય સૂના પ્રાસાદોના ખંડેખંડમાં પડઘાતું રહ્યું એમ ચિનુને અભિપ્રેત છે. પણ પ્રાસાદોની રિક્તતામાં ત્વરાથી પ્રસરેલા પડઘાઓની ઘટના સૂચવવા ચિનુ વર્ષાકાળની સરિતાના પૂરનું ઉપમાન લઈ આવે છે. પણ આ પ્રકારની ઉપમામાં ક્યાંક પાયાની વિસંવાદિતા રહી ગઈ છે. ખંડોની રિક્તતાને ભરી દેતા પડઘાઓનો આગવો ધ્વનિ છે. એમાં માત્ર શૂન્યતા, જડતા નિશ્ચેષ્ટતા અને ક્ષણભંગુરતાનો જ રણકો ઊઠે છે. એની સામે વર્ષા સમયે પૂરનાં જળથી સભર એવી સરિતા જાણે વિશ્વપ્રકૃતિનો પ્રાણોદ્રેક પ્રગટ કરે છે. એટલે આ ઉપમાબોધમાં ચમત્કૃતિ જન્મતી નથી. પ્રશ્ન ખરેખર ઉપમાના ઔચિત્યનો છે.
Line 149: Line 149:
સત્તાસ્થાનેથી પડેલા નળની નિયતિને અનુલક્ષીને વૈદર્ભીના મનમાં જન્મેલી ઉલઝન આ રીતે તેની ઉક્તિમાં રજૂ થઈ છે :
સત્તાસ્થાનેથી પડેલા નળની નિયતિને અનુલક્ષીને વૈદર્ભીના મનમાં જન્મેલી ઉલઝન આ રીતે તેની ઉક્તિમાં રજૂ થઈ છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તો પછી  
{{Block center|'''<poem>તો પછી  
પરિવર્તિત થયેલાં  
પરિવર્તિત થયેલાં  
સૂર્ય કિરણોથી  
સૂર્ય કિરણોથી  
Line 170: Line 170:
સાયુધ એકાંત જ સર્જી શકે  
સાયુધ એકાંત જ સર્જી શકે  
એવી છિન્નભિન્ન અવસ્થા માટે  
એવી છિન્નભિન્ન અવસ્થા માટે  
મથવું પડે?</poem>}}
મથવું પડે?</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
—વૈદર્ભીની આ ઉક્તિ ઘણી રીતે અસ્ફુટ અને સંદિગ્ધ છે, બલકે કૃત્રિમ અને દુરાકૃષ્ટ પણ લાગે છે. અહીં ખરેખર કોની મનોદશા રજૂ થઈ છે – નળની કે પોતાની, એ વિશેય દ્વિધા જન્મે છે. વર્ણ્ય ભાવદશાનું માત્ર પરોક્ષ સૂચન કરવાની રીતિ અમુક હદે જઈ સંદિગ્ધતામાં ખોવાઈ જાય છે.
—વૈદર્ભીની આ ઉક્તિ ઘણી રીતે અસ્ફુટ અને સંદિગ્ધ છે, બલકે કૃત્રિમ અને દુરાકૃષ્ટ પણ લાગે છે. અહીં ખરેખર કોની મનોદશા રજૂ થઈ છે – નળની કે પોતાની, એ વિશેય દ્વિધા જન્મે છે. વર્ણ્ય ભાવદશાનું માત્ર પરોક્ષ સૂચન કરવાની રીતિ અમુક હદે જઈ સંદિગ્ધતામાં ખોવાઈ જાય છે.
Line 178: Line 178:
વૈદર્ભીનો ઉપર નિર્દિષ્ટ ઉક્તિના વિસ્તારનો આ અંશ :
વૈદર્ભીનો ઉપર નિર્દિષ્ટ ઉક્તિના વિસ્તારનો આ અંશ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> કાસાર મધ્યે
{{Block center|'''<poem> કાસાર મધ્યે
ગતિશીલ રહેવાનું
ગતિશીલ રહેવાનું
સ્વીકાર્ય ગણનાર
સ્વીકાર્ય ગણનાર
મત્સ્ય
મત્સ્ય
ભૂમિ પર
ભૂમિ પર
અકર્મણ્ય સ્થિતિને પામે...</poem>}}
અકર્મણ્ય સ્થિતિને પામે...</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
—નળની જડતા અને નૈષ્કર્મ્ય દશાને અહીં સંકેત છે. પણ અહીં આખી બાની કૃતક લાગે છે. ‘મત્સ્ય’ને માટે ‘ગતિશીલ રહેવાનું સ્વીકાર્ય ગણનાર’ એવો અર્થ-આરોપ કૃત્રિમ લાગે છે, તો ‘અકર્મણ્ય સ્થિતિને પામે’ એ શબ્દાવલિ એટલી જ કૃતક લાગે છે.
—નળની જડતા અને નૈષ્કર્મ્ય દશાને અહીં સંકેત છે. પણ અહીં આખી બાની કૃતક લાગે છે. ‘મત્સ્ય’ને માટે ‘ગતિશીલ રહેવાનું સ્વીકાર્ય ગણનાર’ એવો અર્થ-આરોપ કૃત્રિમ લાગે છે, તો ‘અકર્મણ્ય સ્થિતિને પામે’ એ શબ્દાવલિ એટલી જ કૃતક લાગે છે.
Line 191: Line 191:
બીજા સર્ગમાંની નળની ઉક્તિનો એક અંશ :
બીજા સર્ગમાંની નળની ઉક્તિનો એક અંશ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>અથવા
{{Block center|'''<poem>અથવા
વૈદર્ભીને બદલે
વૈદર્ભીને બદલે
અરૂપ નિષ્ફળતાને
અરૂપ નિષ્ફળતાને
Line 213: Line 213:
પ્રહરોથી
પ્રહરોથી
હું
હું
આમ ઊભો છું ?</poem>}}
આમ ઊભો છું ?</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
—નળની ઉક્તિમાં પોતાના અસ્તિત્વપરક બોધને રજૂ કરતો આ પ્રશ્નરૂપ અંશ છે. પણ એમાંનું ચિંતન એકદમ ક્લિષ્ટ છે, અને એની બાની પણ કૃતક છે.  
—નળની ઉક્તિમાં પોતાના અસ્તિત્વપરક બોધને રજૂ કરતો આ પ્રશ્નરૂપ અંશ છે. પણ એમાંનું ચિંતન એકદમ ક્લિષ્ટ છે, અને એની બાની પણ કૃતક છે.  

Navigation menu