26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તારતમ્યનાં ત્રાજવાં’ : લેખકનો નાટકની સંદર્ભ-ચર્ચા કરતો લ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 93: | Line 93: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''ભાવનાનો વિજય :''' | '''ભાવનાનો વિજય :''' | ||
જેમ પાપીને મારી નાખવાથી પાપનો નાશ નથી થતો, તેમ પુણ્યશાળીના મૃત્યુ સાથે પુણ્યનું વિસર્જન નથી થતું. કલ્યાણમયી ભાવનાથી કરેલું કર્મ અફળ નથી જતું એ વિશેષ આર્યોને અવિચળ શ્રદ્ધા છે. એના બળ ઉપર તો રજપૂતોનું બલિદાન રચાયું છે. એ જ શ્રદ્ધાના બળ ઉપર રૂપવતી રજપૂતાણીઓનું ચિતાજ્વલન મંડાયું છે. અને કોણ કહી શકે છે કે ભયંકર હાડમારીનાં પ્રસંગો વચ્ચે, ઝેરી લાલસાઓના પ્રબળતમ ફૂંફાડાઓ વચ્ચે ગુલામીને લીધે દીનહીન થઈ ગયેલી મનોદશામાં પણ આર્ય રમણીના શિયળની અસ્પૃષ્ટતા પોતાના સતીત્વના સંચિનથી અમર થઈ જશે એ પદ્મિનીની શ્રદ્ધા સાચી નથી ઠરી?’{{Poem2Close}} | જેમ પાપીને મારી નાખવાથી પાપનો નાશ નથી થતો, તેમ પુણ્યશાળીના મૃત્યુ સાથે પુણ્યનું વિસર્જન નથી થતું. કલ્યાણમયી ભાવનાથી કરેલું કર્મ અફળ નથી જતું એ વિશેષ આર્યોને અવિચળ શ્રદ્ધા છે. એના બળ ઉપર તો રજપૂતોનું બલિદાન રચાયું છે. એ જ શ્રદ્ધાના બળ ઉપર રૂપવતી રજપૂતાણીઓનું ચિતાજ્વલન મંડાયું છે. અને કોણ કહી શકે છે કે ભયંકર હાડમારીનાં પ્રસંગો વચ્ચે, ઝેરી લાલસાઓના પ્રબળતમ ફૂંફાડાઓ વચ્ચે ગુલામીને લીધે દીનહીન થઈ ગયેલી મનોદશામાં પણ આર્ય રમણીના શિયળની અસ્પૃષ્ટતા પોતાના સતીત્વના સંચિનથી અમર થઈ જશે એ પદ્મિનીની શ્રદ્ધા સાચી નથી ઠરી?’ | ||
સબળ નિર્બળતા : | |||
નાટકમાં આવતાં પાત્રોના મુખમાં જડબાતોડ દલીલો ન મૂકતાં વારેવારે ‘રજપૂતો શિયળને ત્રાજવામાં મૂકતાં શીખ્યા નથી.’ એવાં એવાં વાક્યો મૂકીને મેં માત્ર ઐતિહાસિક ઔચિત્ય જાળવવાનો પ્રયત્ન નથી કર્યો, પરંતુ રજપૂતોના હૃદયની અમાપ શ્રદ્ધાનું દર્શન કરાવવાનોય યત્ન કર્યો છે. | |||
પદ્મિનીના શિયળનો ભંગ અને હજારો રજપૂતોની પ્રાણહાનિ એ બે વિનષ્ટિઓ વચ્ચે મહતિ વિનષ્ટિ કઈ એ વિશે રજપૂતોને વિચારવાપણું જ ન્હોતું. ‘કાજી, પદ્મિનીનું શિયળ માગતાં તમારી જીભ કેમ તૂટી પડતી નથી?’ એ વાક્યમાં આર્ય અકળામણ છે. રજપૂતોને એવો વિચાર પણ અસહ્ય છે. રજપૂતોની-હિન્દુઓની એ નિર્બળતા છે, પણ એ નિર્બળતામાં જ ખરી સબળતા સમાયેલી છે. મેં એવા પ્રેમળ વિદ્યાર્થીઓ જોયા છે કે જેઓની બીજા ગુંડા વિદ્યાર્થીઓ ભયાનક મશ્કરી કરે છતાં પોતે કેળવવા માગે તોય તેઓની તરફ ક્રોધ કે તિરસ્કાર ન કેળવી શકે. એ અશક્તિ હોવા છતાં મૂળમાં શક્તિ છે. રજપૂતોની એ અશક્તિમાં અગસ્ત્યથી માંડીને આજ સુધીના હિન્દુ ધર્મની, હિન્દુ નીતિશાસ્ત્રની, આર્ય સમાજશાસ્ત્રની તપશ્ચર્યાની તેજસ્વિતા છુપાયેલી છે. | |||
{{Poem2Close}} |
edits