અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નરસિંહરાવ દિવેટિયા/સ્મરણસંહિતા - સંપૂર્ણ કરુણપ્રશસ્તિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 28: Line 28:
મૂક ભાર વહું ઉરે;
મૂક ભાર વહું ઉરે;
તદપિ વાણીરૂપમાં,
તદપિ વાણીરૂપમાં,
એ ભાર ઉર હલકો કરે. ૬
એ ભાર ઉર હલકો કરે. ૬<br>
 
(૨)
કાલ્ય ને દિન આજનો—
ભેદ બેમાં શો પડ્યો?
નાચતું ઉર થંભિયું;
ગૂઢાર્થ કોને એ જડ્યો? ૭<br>
નાચશે ઉર શું ફરી,
પૂર્વના ઉલ્લાસથી?
મુખ ઉપર શું વ્યાપશે
શુભ ચન્દ્રિકા સુખહાસની? ૮<br>
કાલ્ય જે રમતો હતો,
પૂર જીવનજોસમાં;
આજ એ ચાલી ગયો
હા! લાડકો મુજ રોષમાં!
પેલું રાતું બિમ્બ જો!
સિન્ધુમાં ડૂબી જતું:
પાછું કાલ્ય પ્રભાતમાં
ઉલ્લાસભર થાશે છતું. ૧૦<br>
બાળ મુજ લુપ્ત જ થયો
મૃત્યુના પટ પાછળે;
શું છતો પાછો થશે?
હમને ફરી શું એ મળે? ૧૧<br>
તારકિત રજની પટે
કાવ્યસંગીતો સુણે
કવિજનો ઉલ્લાસમાં,
મુજને ન તે શ્રવણે પડે. ૧૨<br>
જિંદગી આ જગપટે—
બાજી છે અસમાન એ;
શક્તિસંગે ખેલિયે,
અણદીઠ ને બળવાન જે. ૧૩<br>
મોહથી નિજ માનિયાં
શોગટાં જે આપણે,
શક્તિ તે મન ધારિયાં
હા! લે હરી બીજી ક્ષણે! ૧૪<br>
દાવ રમિયે નવ નવા
શોગટાં જ બચાવવા,
ગૂઢ શક્તિ સમર્થ એ
ના દે કંઈ પણ ફાવવા. ૧૫
 
(૩)
માત, ભગિની, મિત્રને
ઉર પડ્યા આઘાત તે
તું ન શું જાણે કદી?—
ને શૂન્ય મૂક્યો તાત ત્હેં. ૧૬<br>
માત દીન બની રહી,
ભગિની તો પડી એકલી;
અશ્રુ કા ના કૉણ ક્હે,
આ ક્ષણ લુહે સ્થિર મન કરી? ૧૭<br>
માતભગિની ધૈર્યથી
ઉર વહેછે ભાર તે
જોઈ ઉર ધારી રહું;
હા તાત! તુજ ઉપકાર એ. ૧૮<br>
તોય અશ્રુ ભેળવી,
સર્વ મળી ઉર ખોલતાં;
સ્મરણ તુજ અવસાનનાં
કંઈ મધુર મધુરાં ઘોળતાં: ૧૯<br>
રોગશય્યામાં રહી
ચુમ્બનો ત્હેં યાચિયાં
સીંચવા ઉર શાન્તિ, તે
છેલ્લી વદાયતણાં થયાં! ૨૦<br>
“મૃત્યુથી હું ના ડરું,
રૂડી ભૂમિ વિશે જવું;”—
તું વદ્યો શ્રદ્ધાભર્યો,
તે બળ મ્હને દેશે નવું. ૨૧<br>
“એક, બે, ને ત્રણ થઈ
પેઢી ધાર્મિક ભાવની,–
બસ!–હવે એ અટકશે;”
તું પદ્યો કંઈ દીન ન બની. ૨૨<br>
સ્નેહથી, સૌજન્યથી,
ઉર-ઉદારપણા થકી,
સર્વને પ્રિય તું થયો,
આનન્દવર્ષી વદનથી. ૨૩<br>
ઉરહસ્યો અર્પીને,
નિત્યસહચારે વળી;
પુત્ર બનિયો મિત્ર મુજ,
ને હૃદયને તું રહ્યો ભરી. ૨૪<br>
હિમગિરિનાં શિખરમાં
વિવિધ શોભા હિમ તણી
રવિકિરણ ક્ષણ ક્ષણ ભરે,
તે આપણે નિરખી ઘણી; ૨૫<br>
આત્મના ઉલ્લાસ ત્ય્હાં
અનુભવ્યા આનન્દથી;
એમ આત્મવિકાસ તુજ
સાધ્યો સહજ સુખબન્ધથી; ૨૬<br>
જ્ઞાનગિરિનાં શુઙ્ગને
ભક્તિકિરણો રંગતાં
હૃદયમનને ઠેરવ્યાં
શાં આપણે રહી સંગ ત્ય્હાં! ૨૭<br>
સ્મરણ શાં શાં ઘોળું હું
ઉર વિશે સંગ્રહ કરી!
એ સ્મરણવ્યાપારથી
તુજ મધુર મૂર્તિ ઘડું ફરી. ૨૮<br>
ઓ! તદપિ ઉરમાં વળી
શસ્ત્ર કેરો પાત શો?
ગૂઢ વિદ્યુતદ્યન્ત્રનો
સત્વર થયો આઘાત શો? ૨૯<br>
વૃદ્ધિ ને ક્ષય નિયમતું
તત્ત્વ સૃષ્ટિક્રમ વિશ
જગનિયંતા! ત્હેં મૂક્યું,
તે તોડતો તું ક્યમ દીસે? ૩૦<br>
જીર્ણ ઘટના જાય, ને
સ્થાન હેનું નવીન લે,
એહ વિશ્વવિકાસમાં
વ્યાપક નિયમ સઘળે પળે: ૩૧<br>
એહ સ્થિર કમયોજના
આજ ત્હેં કમભંગથી,
બાળ મુજ પૂર્વે હરી,
તોડી; નિયમ શું દૃઢ નથી? ૩૨<br>
 
(૪)
(વસન્તતિલકા)
તન્ત્રી તૂટી ગઈ બધી, રહી એક શેષ,
ત્હેને કરાઙ્ગુલિ રહી પકડી વિશેષ;
એ વાદ્યને ધરી ઉછંગ અમોઘ આશા
બેઠી પલાણી ભૂમિ-ગોળ જ, નન પાટા. ૩૩<br>
એ ચિત્ર બાળ! તુજને અતિશે જ વ્હાલું,
શય્યાસમીપ લટકાવી હમેશ રાખ્યું;
ત્હેને વિલોકી ઉર આ કંઈ ઊભરાય;
ક્ય્હાં એ પ્રવાહ વહશે? કંઈ ના કળાય. ૩૪<br>
(ખંડ હરિગીત)
તન્તુ એ અવ શિષ્ટ હા!
તૂટિયો આશાતણો,
બાળ! તુજ તે તાંતણે
આધાર જીવનનો ગણ્યો. ૩૫<br>
મૃત્યુશય્યાએ રહી
ત્હેં વગાડ્યું વાદ્ય જે,
તું હવે ઊડી જતાં,
જો! મૂક પડિયું આજ એ. ૩૬<br>
મૂક થઈ તન્ત્રી બધી,
વાદ્ય એ નીરસ થયું;
આત્મનું સંગીત તુજ
થઈ મૂક તે પણ સ્થિર રહ્યું. ૩૭<br>
શ્યામ પડ તિમિરોતણાં
માર્ગ મુજ જો! આવરે;
ભીંત્ય દૃઢ પાષાણની
આ કોણ રચી ઊભી કરે? ૩૮<br>
દ્વાર તહિં દેખાય ના,
કોણ એ દેખાડશે?
દિવ્ય બળથી ભીંત્ય એ,
હા! કોણ તોડી પાડશે? ૩૯<br>
દ્વાર દેખું બંધ, ત્ય્હાં
વજ્રતાળું મારિયું;
કૂંચિયો વિધવિધ લઈ
ઊઘાડવાને હું મથું. ૪૦<br>
ઊઘડે નવ દ્વાર એ;
પાય મુજ નીચે સરે;
ક્ય્હાં કળુંછું કળણમાં?
મુજને ખબર કંઈ નવ પડે. ૪૧<br>
ધર્મબળ! મુજ બન્ધુઓ!
દિવ્યશ્રદ્ધા! માત ઓ!
કળણકર્દમ ડૂબતો
કો રોકજો ધરી હાથ ઓ! ૪૨<br>
 
(૫)
મધ્યરજનિ-ઉછંગમાં
તારલા ચમકી રહ્યા;
ઘોર સિન્ધુતરંગમાં
ઘન ઘોષ કંઈ ઘુરકી રહ્યા. ૪૩<br>
એ નિહાળું, એ સૂણું,
સુણું નિરખું ત્ય્હાં ત્હને;
પદપદે પ્રત્યક્ષ તું,
ક્યમ માનું તું નથી કો ક્ષણે? ૪૪<br>
તદપિ રજનીકુહરમાં
શોધ કરતો તાહરી,
ભમ્યો તારક તારકે,
નવ ભાળ લાગી કહિં ખરી. ૪૫<br>
ચન્દ્રમાં, રવિબિમ્બમાં,
રાત્રિયે ને દિન ઊગ્યે,
શોધિયો તુજને બધે,
પણ ગૂઢ તું કહિં નવ જડે.– ૪૬<br>
“ગૂઢ શું છે, મૂઢ હે!”
વાણી હેવી શી થઈ?
તિમિરમાં તારક થકી
પ્રગટી અને ડૂબી ગઈ! ૪૭<br>
“મૂઢ માનવ બાળ ઓ!”
વાણી પાછી ઊપનીઃ–
“ભસ્મ થયું તે શું હવે
ફરી રૂપ ધરશે માનવી? ૪૮<br>
આત્મ નવ નજરે પડે,
ધર્મની ભ્રમણા બધી;
દેહ ભસ્મીભૂત તે
નવ આવશે જગમાં કદી. ૪૯<br>
વીસરી જા ભસ્મને,
માણ્ય સુખ જીવનતણું,
નયનથી દીસે નહિં
ને नास्ति नास्ति, ખરું ભણું. ૫૦<br>
તિમિર નથી, નથી ભીંત્ય કો
દૃષ્ટિ ત્હારી આગળે;
नास्तिताનું સત્ય જો,
તો ભીંત્યતિમિરો સરી પડે. ૫૧<br>
ભીંત્ય નહિં, તો દ્વાર શું?
દ્વાર નહિં, પછી કૂંચી શી?
જીવવું, સુખ સેવવું,
એથી મધુર સ્થિતિ બીજી શી?” ૫૨<br>
વાણી લુપ્ત થઈ ગઈ,
નવ પ્રતીતિ ઉર થઈ;
ઊનના ઉરમાં હતી,
તે ત્હેવી ને ત્હેવી રહી. ૫૩
રાત્રિ શમવા લાગી ત્ય્હાં,
પૂર્વમાં પ્રગટી ઉષા,
ને અવર વાણીતણા
મધુરાસ્વરો શ્રવણે ધસ્યાઃ— ૫૪<br>
“વત્સ! આશ તજ નહિં,
તિમિર સહુ સરકી જશે,
બંધ દ્વાર ઊઘાડવા
લે કૂંચી આપું કર વિશે.” ૫૫<br>
કૂંચી લઈ ઊઘાડિયું
દ્વાર,—ને આ શું દીઠું?
દિવ્ય મન્દિર આગળે
સંગીત થાતું કંઈ મીઠું! ૫૬
</poem>
</poem>

Navigation menu