કુંવરબાઈનું મામેરું/સ્વાદ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સ્વાદ|રમણ સોની}} {{Poem2Open}} નરસિંહ મહેતા પ્રેમાનંદથી બસો-સવા બસ...")
 
No edit summary
Line 5: Line 5:
નરસિંહ મહેતા પ્રેમાનંદથી બસો-સવા બસો વર્ષ પહેલાં થઈ ગયેલા ભક્ત કવિ. એમની કવિતા તો ઊંચી કોટિની હતી જ – પણ શિવ અને વિષ્ણુ બંનેની કૃપા પામેલા, દૃઢ શ્રદ્ધાવાળા એક પરમ ભક્ત તરીકેનું એમનું ચરિત્ર ઘણું વધારે ખ્યાત હતું. એવા ચરિત્રનો મહિમા વધારવા પ્રજાસમુદાય ઈશ્વરી ચમત્કારના કેટલાક કલ્પિત પ્રસંગો પણ ઉમેરતો ગયેલો ને પ્રેમાનંદ ઉપરાંતના એમના પૂર્વ કવિઓ નાકર, વિષ્ણુદાસ, વગેરેએ પણ નરસિંહના જીવનપ્રસંગો – હૂંડીસ્વીકાર, પુત્ર શામળશાનો વિવાહ અને પુત્રી કુંવરનું મામેરું વિશે આખ્યાનાત્મક કથાકાવ્યો લખેલાં. એ સર્વ પ્રસંગોમાં આ મોસાળું કે મામેરું વધુ રસપ્રદ છે કેમ કે એમાં ભક્તની ઈશ્વર-પ્રાર્થના ઉપરાંત મનુષ્યોના વ્યવહારજીવનની ઘટનાઓ પણ એવી જ કથા-રસિકતા ધરાવે છે.
નરસિંહ મહેતા પ્રેમાનંદથી બસો-સવા બસો વર્ષ પહેલાં થઈ ગયેલા ભક્ત કવિ. એમની કવિતા તો ઊંચી કોટિની હતી જ – પણ શિવ અને વિષ્ણુ બંનેની કૃપા પામેલા, દૃઢ શ્રદ્ધાવાળા એક પરમ ભક્ત તરીકેનું એમનું ચરિત્ર ઘણું વધારે ખ્યાત હતું. એવા ચરિત્રનો મહિમા વધારવા પ્રજાસમુદાય ઈશ્વરી ચમત્કારના કેટલાક કલ્પિત પ્રસંગો પણ ઉમેરતો ગયેલો ને પ્રેમાનંદ ઉપરાંતના એમના પૂર્વ કવિઓ નાકર, વિષ્ણુદાસ, વગેરેએ પણ નરસિંહના જીવનપ્રસંગો – હૂંડીસ્વીકાર, પુત્ર શામળશાનો વિવાહ અને પુત્રી કુંવરનું મામેરું વિશે આખ્યાનાત્મક કથાકાવ્યો લખેલાં. એ સર્વ પ્રસંગોમાં આ મોસાળું કે મામેરું વધુ રસપ્રદ છે કેમ કે એમાં ભક્તની ઈશ્વર-પ્રાર્થના ઉપરાંત મનુષ્યોના વ્યવહારજીવનની ઘટનાઓ પણ એવી જ કથા-રસિકતા ધરાવે છે.
પ્રેમાનંદનું આ નમણું આખ્યાન
પ્રેમાનંદનું આ નમણું આખ્યાન
  પ્રેમાનંદે પુરાણો અને મહાકાવ્યોના જાણીતા પ્રસંગો પર ‘સુદામાચરિત’, ‘ચંદ્રહાઆખ્યાન’, ‘નળાખ્યાન’ જેવાં ઘણાં મહત્ત્વનાં આખ્યાનો લખેલાં છે પણ એ સૌમાં ‘કુંવરબાઈનું મામેરું’ કે ટૂંકમાં ‘મામેરું’  કે ‘મોસાળું’ નાનું અને નમણું આખ્યાન છે. એમાં જુદાજુદા પ્રસંગોનાં ખૂબ સુઘડ ને સુંદર ચિત્રો છે, વિવિધ પાત્રોની રેખાઓ બહુ ઉઠાવવાળી ને વાચકના ચિત્રમાં કાયમ રહી જાય એવી છે. વર્ણનો બિલકુલ લાંબાં નથી ને મામેરું કરવાનું નિમંત્રણ નરસિંહને મળે છે ત્યાંથી માંડીને એ ઈશ્વરકૃપાએ મોસાળું ખૂબ ઉત્તમ રીતે કરે છે ત્યાં સુધીનો ટૂંકો કથાપ્રવાહ, નાનાનાના સરસ કથાવળાંકો લેતોલેતો, એકધારી રીતે વહે છે. એમાં પ્રસંગોને રસાળ રીતે આલેખવાની પ્રેમાનંદની કથનકળા, તથા એનું ઝીણા નકશીકામવાળું કવિત્વ – બંને ઘણાં મનભાવન છે.
પ્રેમાનંદે પુરાણો અને મહાકાવ્યોના જાણીતા પ્રસંગો પર ‘સુદામાચરિત’, ‘ચંદ્રહાઆખ્યાન’, ‘નળાખ્યાન’ જેવાં ઘણાં મહત્ત્વનાં આખ્યાનો લખેલાં છે પણ એ સૌમાં ‘કુંવરબાઈનું મામેરું’ કે ટૂંકમાં ‘મામેરું’  કે ‘મોસાળું’ નાનું અને નમણું આખ્યાન છે. એમાં જુદાજુદા પ્રસંગોનાં ખૂબ સુઘડ ને સુંદર ચિત્રો છે, વિવિધ પાત્રોની રેખાઓ બહુ ઉઠાવવાળી ને વાચકના ચિત્રમાં કાયમ રહી જાય એવી છે. વર્ણનો બિલકુલ લાંબાં નથી ને મામેરું કરવાનું નિમંત્રણ નરસિંહને મળે છે ત્યાંથી માંડીને એ ઈશ્વરકૃપાએ મોસાળું ખૂબ ઉત્તમ રીતે કરે છે ત્યાં સુધીનો ટૂંકો કથાપ્રવાહ, નાનાનાના સરસ કથાવળાંકો લેતોલેતો, એકધારી રીતે વહે છે. એમાં પ્રસંગોને રસાળ રીતે આલેખવાની પ્રેમાનંદની કથનકળા, તથા એનું ઝીણા નકશીકામવાળું કવિત્વ – બંને ઘણાં મનભાવન છે.
સહજ ને સીધો કથાપ્રવેશ
સહજ ને સીધો કથાપ્રવેશ
ભાભીના કડવા વચનથી ઘર તજીને વનમાં જતા નરસિંહ આકરા તપથી શિવને રીઝવે છે ને પ્રસન્ન થયેલા શિવ એમને કૃષ્ણની રાસલીલાનો સાક્ષાત્કાર કરાવે છે; એ પછી ‘દુખવેળા સંભારજે, હું ધાઈ આવીશ તત્કાળ’ – એવુું કૃષ્ણવચન પામીને, તથા કવિવાણી અને ભક્તિનું વરદાન પામીને ઘરે પાછા ફરતા, ગૃહસ્થાશ્રમ માંડતા ને ઘરભંગ થતાં ફરી કેવળ ભક્તિમાં લીન થતા નરસિંહનું ચિત્ર ઝડપથી આલેખીને કવિ પ્રેમાનંદ સીધી મોસાળાની કથા આરંભે છે.
ભાભીના કડવા વચનથી ઘર તજીને વનમાં જતા નરસિંહ આકરા તપથી શિવને રીઝવે છે ને પ્રસન્ન થયેલા શિવ એમને કૃષ્ણની રાસલીલાનો સાક્ષાત્કાર કરાવે છે; એ પછી ‘દુખવેળા સંભારજે, હું ધાઈ આવીશ તત્કાળ’ – એવુું કૃષ્ણવચન પામીને, તથા કવિવાણી અને ભક્તિનું વરદાન પામીને ઘરે પાછા ફરતા, ગૃહસ્થાશ્રમ માંડતા ને ઘરભંગ થતાં ફરી કેવળ ભક્તિમાં લીન થતા નરસિંહનું ચિત્ર ઝડપથી આલેખીને કવિ પ્રેમાનંદ સીધી મોસાળાની કથા આરંભે છે.
18,450

edits

Navigation menu