ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 20: Line 20:




==કર્તા-પરિચય==


[[File:Umashankar-Joshi.jpg|100px|frameless|center]]
{{Poem2Open}}
{{Center|(જ. 21 જુલાઈ, 1911 — અવ. 19 ડિસેમ્બર, 1988)}}
ગુજરાતી સાહિત્યના સમયપટમાં ઉમાશંકરને સૌથી વધુ બહુશ્રુત ને બહુપરિમાણી સારસ્વત લેખી શકાય. સંવેદ્ય કવિતાના સર્જકથી માનવ્ય-પ્રતિબદ્ધ સક્રિય વિચારક સુધીનું એમનું પ્રતિભાફલક. એ એક સંવેદનશીલ પ્રાજ્ઞ પુરુષ હતા.
પહેલી અને મુખ્ય ઓળખ ‘કવિ’ લેખેની. ‘વિશ્વશાંતિ’ (1931)થી ‘સપ્તપદી’ (1981) સુધીનો એમનો કાવ્યપ્રવાહ ‘સમગ્ર કવિતા’ (1981)માં સંચિત થયો એમાં અનેક વિષયે-રૂપે-પ્રકારે એમનું કાવ્યોર્મિ-સંવેદન ને નાટ્યોર્મિ-સંવેદન સ્મરણીય ને વિચારણીય બન્યું છે. છ દાયકાની એમની કાવ્યયાત્રા નિજી તેજસ્વી મુદ્રા જાળવીને બદલાતા સાહિત્યસંદર્ભોમાં પણ પ્રસ્તુત રહી છે.
‘સાપના ભારા’ (1936) આદિ એેકાંકીઓમાં, ‘શ્રાવણી મેળો’ (1937) આદિ ટૂંકી વાર્તાઓમાં, ‘ગોષ્ઠિ’ (1951) આદિ નિબંધોમાં ને ચરિત્રોમાં એમની સર્જકતાના વિશેષો, ક્યાંક ક્યાંક તો એમના કવિત્વની પણ સ્પર્ધા કરે એવી ઊર્જા અને સજ્જતાથી પ્રગટતા રહ્યા.
એમનું વિવેચન બૌદ્ધિક દ્યુતિવાળું ઉપરાંત સર્જન-સમભાવી, માર્મિક તેમજ મર્મગ્રાહી — ‘સમસંવેદન’ (1948)થી ‘કવિની શ્રદ્ધા’ (1972) સુધીનું એનું ફલક. સર્જનશીલ ભાવક, રસદર્શી વિવેચક અને સન્નદ્ધ સંશોધક ત્રણેની સક્રિયતાવાળું ‘અખો એક અધ્યયન’ (1941) એમનું એક ઉત્તમ દાખલારૂપ સંશોધન છે. ‘શાકુન્તલ’ (1955) આદિ અનુવાદો (એમાંના સર્વાશ્લેષી પ્રસ્તાવના-લેખો સમેત) એક વિદગ્ધ સમસંવેદકના અનુવાદો છે. એમણે કરેલાં અનેક સંપાદનો પણ જેટલાં કર્તવ્યનિષ્ઠાવાળાં એટલાં જ વિદ્યાનિષ્ઠાવાળાં પણ છે.
‘સંસ્કૃતિ’ (1947થી 1984)ના સંપાદક તરીકે ઉમાશંકરે મુખ્યત્વે પોતાના સમયમાં પ્રવર્તતા સાહિત્યપ્રવાહો — સર્જન, વિવેચન, અનુવાદોની સમૃદ્ધિ — ઉપરાંત અનેક ક્ષેત્રોનાં પ્રબુદ્ધજનોના વિચારપ્રવાહોને પણ અંકિત કરી આપ્યા અને એ રીતે એના ‘સંસ્કૃતિ’ નામને અન્વર્થક કર્યું. વિશ્વકવિતાના અનુવાદો-આસ્વાદોને પણ સમાવતા બહુમૂલ્ય વિશેષાંકો આપ્યા. સંપાદક તરીકે ‘સમય સાથેના ગાઢ અનુસંધાનપૂર્વક’ જે લખવાનું થયું એના ‘ઉઘાડી બારી’ સમેત ત્રણ ગ્રંથો કર્યા.
ગુજરાતીના અધ્યાપક તરીકે, ગુજરાત યુનિવસિર્ટીના ને પછી ‘વિશ્વભારતી’ના કુલપતિ તરીકે, ‘સાહિત્ય અકાદમી’ના પ્રમુખ તરીકે, રાજ્યસભામાં (ભારતીય લેખક તરીકે) નિયુક્ત સભ્ય તરીકે ઉમાશંકર પ્રતિષ્ઠિત થયા એટલા જ કાર્યશીલ રહ્યા, ને ખરા અર્થમાં ‘હું ગુર્જર ભારતવાસી’ એ એમનો કાવ્યોદ્ગાર ચરિતાર્થ થયો. વિશ્વભરનો પ્રવાસ કરીને સંવેદનજગતની ને વિચારજગતની ક્ષિતિજોને વિસ્તારી, એ એમનાં પ્રવાસપુસ્તકોમાં પણ પ્રતિબિંબિત થયું. ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’ એ એમનો કાવ્યસંકલ્પ જાણે એમની વ્યક્તિમત્તાની ઓળખ પણ બની રહ્યો.
અનેક પ્રતિષ્ઠિત પારિતોષિકો ઉપરાંત એમને મળેલું યશસ્વી જ્ઞાનપીઠ પારિતોષિક ગુજરાતી ભાષાનું ગૌરવ બન્યું.
આવી ઊંચાઈઓને આંબનાર આ કવિએ તો પ્રસન્નતાથી એમ જ ગાયું છે કે ‘નામ મારું ભાષામાં ઓગળી ગયું છે’.
{{Right|''— રમણ સોની''}}
{{Poem2Close}}
==સંપાદક-પરિચય==
સંપાદક: મધુસૂદન કાપડિયા
અમેરિકાવાસી ગુજરાતી વિદ્વાન તરીકે પ્રતિષ્ઠિત થયા એ પૂર્વે પ્રો. મધુસૂદન કાપડિયા મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ગુજરાતી સાહિત્યના તેજસ્વી અધ્યાપક હતા. ગુજરાતી તેમ જ સંસ્કૃતમાં એમ.એ.ની પદવીઓ મેળવીને તેમણે શિક્ષક તથા વિવેચક તરીકે મુંબઈના વરિષ્ઠ વિદ્વાનોની ચાહના અને સમકાલીનોના સ્નેહાદર પ્રાપ્ત કરેલાં.
અમેરિકા જઈને ભાષાવિજ્ઞાન અને ગ્રંથાલયશાસ્ત્ર ભણ્યા અને યોગક્ષેમાર્થે એ ક્ષેત્ર સ્વીકાર્યું. પણ જીવનભર — આજે ૮૦ ઉપરની વયે, નબળા સ્વાસ્થ્ય અને સબળી મેધાશક્તિ સાથે — સતત વિદ્યાવ્યાસંગ કર્યો અને વિવેચનને ધર્મક્ષેત્ર તરીકે સ્વીકારીને સજ્જતાવાળી યુયુત્સાથી ઉત્તમ લેખો, સમીક્ષાઓ અને કાવ્યાસ્વાદો આપતા રહ્યા.
અમેરિકાનાં આપણાં લેખકો પૈકી કેટલાંકનાં સર્જનકાર્યમાં, ભાવકની તન્મયતાથી અને આલોચકની નિર્મમતાથી ઊંડે ઊતરીને એમણે લખેલું પુસ્તક ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’ (૨૦૧૧) એમનું મહત્ત્વનું અર્પણ છે. એ પછી પણ એમનાં બે પુસ્તકો પ્રગટ થયાં છે. શ્રેષ્ઠતાવાચકો એમની શૈલીની એક લાક્ષણિકતા છે. એનું ફલક ઉત્તમોત્તમ-થી કનિષ્ઠ લગીનું છે. અમેરિકા સમેત એ ગુજરાતી સાહિત્યના એક મહત્ત્વના વિવેચક છે.
પ્રો. કાપડિયાની મહત્ત્વની મુદ્રા ઉદ્રેકશીલ પ્રભાવક વક્તા તરીકેની છે. સાહિત્યનાં રસસ્થાનો અને તપાસસ્થાનોમાં ઊતરતાં એમનાં વક્તવ્યો દીર્ઘ બનવા છતાં વાચકની ધીરજની કસોટી કરવા સુધી જતાં નથી — આસ્વાદ્ય પણ બની રહે છે.
કાવ્યસંગીત-સંપાદક: અમર ભટ્ટ
ગુજરાતી સુગમ સંગીતમાં આજે અમર ભટ્ટનું નામ મોખરે છે. એનું એક મહત્ત્વનું કારણ એ છે કે એમણે સંગીતરસ જેવો જ સાહિત્યરસ પણ કેળવેલો છે. ગુજરાતીની ઘણી ઉત્તમ કવિતાનો એમને સહજ પરિચય છે. સૂર અને શબ્દ બંનેની સૂઝને કારણે ગાનના લયમાં  શબ્દોચ્ચારને પણ અમરભાઈ સ્પષ્ટ અને અ-ખંડિત રાખી શકે છે. જરૂર પડ્યે ગાન પૂર્વે એ કાવ્યપાઠ કરે છે એ પણ કાવ્યના લય અને ભાવમર્મને પામનારો અને એમ શ્રવણીય હોય છે.
વ્યવસાયે એ વકીલ છે — અમેરિકાની કોલંબિયા યુનિવસિર્ટીમાંથી માસ્ટર ઑફ લો થયેલા છે. પોતાની ઉત્કટ રુચિથી એ સંગીત તરફ વળ્યા ત્યારે પણ એમણે ઉસ્તાદ ગુલામ અહેમદ ખાન વગેરે પાસેથી શાસ્ત્રીય સંગીતની અને ક્ષેમુ દિવેટિયા, રાસબિહારી દેસાઈ,  દક્ષેશ ધ્રુવ અને પુરુષોત્તમ ઉપાધ્યાય, વગેરે જેવા પાસેથી સુગમ સંગીતની તાલીમ લઈને સજ્જતા કેળવી.
ગુજરાતીના પ્રસિદ્ધ તેમજ વિશિષ્ટ કવિઓનાં ગીતોનાં એવાં જ સંવાદી સ્વરાંકન અને ગાનના આરોહણ દરમ્યાન એમણે, શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા એમનાં પત્ની વિરાજ અમર સાથે 2002માં, સંગીત અને સાહિત્યને સમર્પિત અગસ્ત્ય ફાઉન્ડેશનની સ્થાપના કરી. એના ઉપક્રમે અમર ભટ્ટનાં સ્વરાંકન-ગાનનાં ઘણાં આલ્બમ પ્રગટ થયાં છે. એ લોકપ્રિય અને ખ્યાત કવિઓની રચનાઓનાં ગાન-પઠનના અનેકવિધ કાર્યક્રમો ઉપરાંત એમણે સંગીત અંગેના આસ્વાદલેખો લખ્યા છે. એ યોગ્યતાને લીધે ગુજરાતી સાહિત્ય પરિષદના જૂનાગઢ અધિવેશન(2011)માં એ કવિતા-સંગીત-આસ્વાદની બેઠકના અધ્યક્ષ તરીકે પણ નિમંત્રિત થયેલા.
અમર ભટ્ટનું કલાકાર-વ્યક્તિત્વ પ્રકૃતિદત્ત મધુર કંઠ અને સાતત્યવાળી સાધનાના સંયોગથી નીખરેલું છે.
— રમણ સોની


==આવકાર==
==આવકાર==

Navigation menu