ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| શ્રીમદ્ ભાગવત્ | }} {{Poem2Open}} === ગોકર્ણ કથા === તુંગભદ્રા નદીને કા...")
 
No edit summary
Line 221: Line 221:
હવે સાંભળીએ નાગને ગરુડનો ભય કેમ હતો?  
હવે સાંભળીએ નાગને ગરુડનો ભય કેમ હતો?  
બહુ પહેલાં ગરુડને અપાતા ભોગના સંદર્ભે એક નિયમ કર્યો હતો. પ્રત્યેક મહિને ઠરાવેલા વૃક્ષ નીચે ગરુડને એક સાપનો બલિ અપાશે. આમ દર અમાસે ગરુડને બધા સાપ પોતપોતાનો ભાગ આપતા હતા. એ સાપોમાં કદ્રૂના પુત્ર કાલિય નાગને પોતાના ઝેર અને બળનું ભારે અભિમાન હતું. ગરુડને બલિ આપવાની વાત તો દૂર રહી, તે ગરુડને બલિ તરીકે અપાતા સાપ પણ ખાઈ જતો હતો. આ જાણીને વિષ્ણુના પાર્ષદ ગરુડને બહુ ક્રોધ આવ્યો. તેને મારી નાખવાના આશયથી તેના પર ભારે હુમલો કર્યો. કાલિય નાગે જોયું કે ગરુડ તેના પર હુમલો કરવા આવી રહ્યો છે ત્યારે તેણે એક ફેણ વડે ગરુડને ડંશ ભરી લીધો. તે વેળા તેની જીભ લપલપ થતી હતી. લાંબા શ્વાસ ભરી રહ્યો હતો, આંખો બિહામણી કરી, કાલિય નાગની આ ઉદ્દંડતા જોઈને ગરુડ બહુ ક્રોધે ભરાયા. આ ધરામાં ગરુડ જઈ શકે એમ ન હતું, એ એટલો બધો ઊંડો હતો કે બીજાઓ તેમાં જઈ પણ શકતા ન હતા. એક દિવસ ગરુડ ભૂખ્યો થયો હતો ત્યારે તપસ્વી સૌમરિએ ના કહ્યા છતાં તેણે બળજબરીથી માછલી ખાઈ લીધી. પોતાના નેતાના મરણથી બધી માછલીઓને બહુ દુઃખ થયું. તેઓ ખૂબ જ વ્યાકુળ બની ગઈ. તેમની આ સ્થિતિ જોઈને ઋષિને બહુ દયા આવી. તે ધરામાં રહેતા બધા જીવોના ભલા માટે ગરુડને શાપ આપ્યો, ‘જો તું હવેથી આ ધરામાં માછલી ખાવા આવ્યો તો તારા પ્રાણ જતા રહેશે.’ સૌમરિ ઋષિના આ શાપની વાત કાલિય નાગ સિવાય બીજો કોઈ નાગ જાણતો ન હતો. એેટલે ગરુડના ભયને કારણે કાલિય નાગ આ ધરામાં રહેતો થયો અને હવે શ્રીકૃષ્ણે તેને નિર્ભય કરીને રમણીક દ્વીપમાં મોકલી દીધો.
બહુ પહેલાં ગરુડને અપાતા ભોગના સંદર્ભે એક નિયમ કર્યો હતો. પ્રત્યેક મહિને ઠરાવેલા વૃક્ષ નીચે ગરુડને એક સાપનો બલિ અપાશે. આમ દર અમાસે ગરુડને બધા સાપ પોતપોતાનો ભાગ આપતા હતા. એ સાપોમાં કદ્રૂના પુત્ર કાલિય નાગને પોતાના ઝેર અને બળનું ભારે અભિમાન હતું. ગરુડને બલિ આપવાની વાત તો દૂર રહી, તે ગરુડને બલિ તરીકે અપાતા સાપ પણ ખાઈ જતો હતો. આ જાણીને વિષ્ણુના પાર્ષદ ગરુડને બહુ ક્રોધ આવ્યો. તેને મારી નાખવાના આશયથી તેના પર ભારે હુમલો કર્યો. કાલિય નાગે જોયું કે ગરુડ તેના પર હુમલો કરવા આવી રહ્યો છે ત્યારે તેણે એક ફેણ વડે ગરુડને ડંશ ભરી લીધો. તે વેળા તેની જીભ લપલપ થતી હતી. લાંબા શ્વાસ ભરી રહ્યો હતો, આંખો બિહામણી કરી, કાલિય નાગની આ ઉદ્દંડતા જોઈને ગરુડ બહુ ક્રોધે ભરાયા. આ ધરામાં ગરુડ જઈ શકે એમ ન હતું, એ એટલો બધો ઊંડો હતો કે બીજાઓ તેમાં જઈ પણ શકતા ન હતા. એક દિવસ ગરુડ ભૂખ્યો થયો હતો ત્યારે તપસ્વી સૌમરિએ ના કહ્યા છતાં તેણે બળજબરીથી માછલી ખાઈ લીધી. પોતાના નેતાના મરણથી બધી માછલીઓને બહુ દુઃખ થયું. તેઓ ખૂબ જ વ્યાકુળ બની ગઈ. તેમની આ સ્થિતિ જોઈને ઋષિને બહુ દયા આવી. તે ધરામાં રહેતા બધા જીવોના ભલા માટે ગરુડને શાપ આપ્યો, ‘જો તું હવેથી આ ધરામાં માછલી ખાવા આવ્યો તો તારા પ્રાણ જતા રહેશે.’ સૌમરિ ઋષિના આ શાપની વાત કાલિય નાગ સિવાય બીજો કોઈ નાગ જાણતો ન હતો. એેટલે ગરુડના ભયને કારણે કાલિય નાગ આ ધરામાં રહેતો થયો અને હવે શ્રીકૃષ્ણે તેને નિર્ભય કરીને રમણીક દ્વીપમાં મોકલી દીધો.
પ્રલમ્બાસુરનો વધ
=== પ્રલમ્બાસુરનો વધ ===
એક દિવસ બલરામ અને શ્રીકૃષ્ણ ગોપબાલોની સાથે વનમાં ગાયો ચરાવતા હતા. ત્યારે ગોપનો વેશ લઈને પ્રલમ્બ નામનો એક અસુર ત્યાં આવ્યો. તેનો આશય શ્રીકૃષ્ણ તથા બલરામનું અપહરણ કરવાનો હતો. ભગવાન તો સર્વજ્ઞ હતા. તેઓ જોતાં વેંત જાણી ગયા. આમ છતાં મૈત્રીનો પ્રસ્તાવ સ્વીકારીને મનમાં તેનો વધ કેવી રીતે કરવો તેનો વિચાર તે કરવા લાગ્યા. ગોપબાલોમાં સૌથી મોટા રમતવીર, રમતોના ગુરુ તો શ્રીકૃષ્ણ હતા. તેમણે બધાને બોલાવીને કહ્યું, ‘મિત્રો, આજે આપણે બે ટુકડીઓમાં વહેંચાઈ જઈએ અને પછી રમીએ.’ ત્યારે ગોપબાલોએ બલરામ અને શ્રીકૃષ્ણને નેતા બનાવ્યા. કેટલાક કૃષ્ણની ટુકડીમાં, તો કેટલાક બલરામની ટુકડીમાં રમ્યા. એક ટુકડીના ગોપ બીજી ટુકડીના ગોપને પોતાની પીઠે બેસાડી એક ચોક્કસ જગ્યાએ લઈ જતા હતા. જે જીતે તે હારનારાની પીઠ પર ચઢી જાય. આમ એકબીજાની પીઠ પર ચઢીને-બીજાને ચઢાવીને શ્રીકૃષ્ણ અને ગોપબાલો ભાંડીર નામના વડ પાસે પહોેંચ્યા.  
એક દિવસ બલરામ અને શ્રીકૃષ્ણ ગોપબાલોની સાથે વનમાં ગાયો ચરાવતા હતા. ત્યારે ગોપનો વેશ લઈને પ્રલમ્બ નામનો એક અસુર ત્યાં આવ્યો. તેનો આશય શ્રીકૃષ્ણ તથા બલરામનું અપહરણ કરવાનો હતો. ભગવાન તો સર્વજ્ઞ હતા. તેઓ જોતાં વેંત જાણી ગયા. આમ છતાં મૈત્રીનો પ્રસ્તાવ સ્વીકારીને મનમાં તેનો વધ કેવી રીતે કરવો તેનો વિચાર તે કરવા લાગ્યા. ગોપબાલોમાં સૌથી મોટા રમતવીર, રમતોના ગુરુ તો શ્રીકૃષ્ણ હતા. તેમણે બધાને બોલાવીને કહ્યું, ‘મિત્રો, આજે આપણે બે ટુકડીઓમાં વહેંચાઈ જઈએ અને પછી રમીએ.’ ત્યારે ગોપબાલોએ બલરામ અને શ્રીકૃષ્ણને નેતા બનાવ્યા. કેટલાક કૃષ્ણની ટુકડીમાં, તો કેટલાક બલરામની ટુકડીમાં રમ્યા. એક ટુકડીના ગોપ બીજી ટુકડીના ગોપને પોતાની પીઠે બેસાડી એક ચોક્કસ જગ્યાએ લઈ જતા હતા. જે જીતે તે હારનારાની પીઠ પર ચઢી જાય. આમ એકબીજાની પીઠ પર ચઢીને-બીજાને ચઢાવીને શ્રીકૃષ્ણ અને ગોપબાલો ભાંડીર નામના વડ પાસે પહોેંચ્યા.  
બલરામની ટુકડીના શ્રીદામા, વૃષભ તથા બીજા ગોપ જીતી ગયા અને શ્રીકૃષ્ણ તેમને પીઠ પર બેસાડીને જવા લાગ્યા. હારેલા શ્રીકૃષ્ણે શ્રીદામાને, ભદ્રસેને વૃષભને તથા પ્રલમ્બે બલરામને પીઠ પર બેસાડ્યા. દાનવ પ્રલંબાસુરે જોયું કે શ્રીકૃષ્ણ તો બળવાન છે, તેમને હું હરાવી નહીં શકું. એટલે તે શ્રીકૃષ્ણની ટોળીમાં પેસી ગયો. અને બલરામને લઈને ઝડપથી નાઠો; અને જ્યાં ઊતરવાની જગ્યા હતી ત્યાંથી તે બહુ આગળ નીકળી ગયો. બલરામ મોટા પર્વતના જેવા ભારેખમ હતા. તેમને લઈને પ્રલમ્બાસુર બહુ દૂર જઈ ન શક્યો, તે અટકી ગયો અને તેણે પોતાનું મૂળ રૂપ ધારણ કર્યું. તેના કાળા શરીરે સોનાનાં ઘરેણાં ચમકતાં હતાં; અને ઊજળા બલરામને કારણે જાણે વીજળીના ચમકારવાળા કાળા વાદળે ચન્દ્ર દેખાતો ન હોય! રાક્ષસની આંખો અગ્નિની જેમ ભભૂકતી હતી. દાઢો ભવાં સુધી લંબાયેલી હતી. તેના લાલ લાલ કેશ અગ્નિજ્વાળાઓ જેવા હતા, હાથેપગે કડાં હતાં, માથે મુગટ હતો અને કાનમાં કુંડળ હતાં. આ મસમોટો દૈત્ય આકાશમાં બહુ ઝડપથી જઈ રહ્યો હતો તે જોઈને બલરામ પહેલાં તો ગભરાયા. પણ પછી તરત જ પોતાના સ્વરૂપનો ખ્યાલ આવ્યો એટલે એમની બીક જતી રહી. જેવી રીતે કોઈ ચોર બીજાનું ધન ચોરીને જાય તેવી રીતે આ શત્રુ મને ચોરીને આકાશમાર્ગે જઈ રહ્યો છે. જેવી રીતે ઇન્દ્રે પર્વત પર વજ્ર ફંગોળ્યું હતું તેવી રીતે બલરામે તેના માથામાં મુક્કો માર્યો, તેનું માથું ફાટી ગયું, મોંમાંથી લોહી નીકળવા લાગ્યું અને મોટેથી બૂમ મારતો તે બેસુધ થઈ ગયો, ઇન્દ્રના વજ્રપાતથી પર્વત ગબડી પડે તેમ તેના પ્રાણ જતા રહ્યા અને ધરતી પર પટકાયો.  
બલરામની ટુકડીના શ્રીદામા, વૃષભ તથા બીજા ગોપ જીતી ગયા અને શ્રીકૃષ્ણ તેમને પીઠ પર બેસાડીને જવા લાગ્યા. હારેલા શ્રીકૃષ્ણે શ્રીદામાને, ભદ્રસેને વૃષભને તથા પ્રલમ્બે બલરામને પીઠ પર બેસાડ્યા. દાનવ પ્રલંબાસુરે જોયું કે શ્રીકૃષ્ણ તો બળવાન છે, તેમને હું હરાવી નહીં શકું. એટલે તે શ્રીકૃષ્ણની ટોળીમાં પેસી ગયો. અને બલરામને લઈને ઝડપથી નાઠો; અને જ્યાં ઊતરવાની જગ્યા હતી ત્યાંથી તે બહુ આગળ નીકળી ગયો. બલરામ મોટા પર્વતના જેવા ભારેખમ હતા. તેમને લઈને પ્રલમ્બાસુર બહુ દૂર જઈ ન શક્યો, તે અટકી ગયો અને તેણે પોતાનું મૂળ રૂપ ધારણ કર્યું. તેના કાળા શરીરે સોનાનાં ઘરેણાં ચમકતાં હતાં; અને ઊજળા બલરામને કારણે જાણે વીજળીના ચમકારવાળા કાળા વાદળે ચન્દ્ર દેખાતો ન હોય! રાક્ષસની આંખો અગ્નિની જેમ ભભૂકતી હતી. દાઢો ભવાં સુધી લંબાયેલી હતી. તેના લાલ લાલ કેશ અગ્નિજ્વાળાઓ જેવા હતા, હાથેપગે કડાં હતાં, માથે મુગટ હતો અને કાનમાં કુંડળ હતાં. આ મસમોટો દૈત્ય આકાશમાં બહુ ઝડપથી જઈ રહ્યો હતો તે જોઈને બલરામ પહેલાં તો ગભરાયા. પણ પછી તરત જ પોતાના સ્વરૂપનો ખ્યાલ આવ્યો એટલે એમની બીક જતી રહી. જેવી રીતે કોઈ ચોર બીજાનું ધન ચોરીને જાય તેવી રીતે આ શત્રુ મને ચોરીને આકાશમાર્ગે જઈ રહ્યો છે. જેવી રીતે ઇન્દ્રે પર્વત પર વજ્ર ફંગોળ્યું હતું તેવી રીતે બલરામે તેના માથામાં મુક્કો માર્યો, તેનું માથું ફાટી ગયું, મોંમાંથી લોહી નીકળવા લાગ્યું અને મોટેથી બૂમ મારતો તે બેસુધ થઈ ગયો, ઇન્દ્રના વજ્રપાતથી પર્વત ગબડી પડે તેમ તેના પ્રાણ જતા રહ્યા અને ધરતી પર પટકાયો.  

Navigation menu