આત્માની માતૃભાષા/પત્ર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| કવિતામાં ગેયતા |– ભગવતીકુમાર શર્મા }} {{Poem2Open}} દિગ્ગજ સૉનેટ ક...")
 
No edit summary
Line 8: Line 8:
આપણા આદિ કવિ નરસિંહ મહેતાની કાવ્યસમૃદ્ધિને ગેય પદો વિનાની કલ્પી શકાય ખરી ? મહાકવિ પ્રેમાનંદ તો પોળના ચોકઠામાં ગેય સ્વરૂપે આખ્યાન કાવ્યો રજૂ કરીને તે સમયના લોકોને કવિતા, ગાન અને ધર્મવિષયક સંસ્કારોની ત્રિવિધ અનુભૂતિ કરાવતા. રસકવિ દયારામની ગરબીઓનું ગેયતાસભર લાલિત્ય ઘણું રમણીય છે. છેક નર્મદ-દલપત પહેલાના સમય સુધી ગુજરાતી ભાષામાં ગદ્ય વિકસ્યું નહોતું અને પદ્ય ગેયતાપ્રધાન હતું. ગાઈ ન નહોતું અને પદ્ય ગેયતાપ્રધાન હતું. ગાઈ ન શકાય કે ગવાતા ન હોય તેવા ગરબાઓ કોણ સાંભળે ? હવે તો વિપશ્વિત વિદ્વાનોનો પણ એવો મત બંધાયો છે કે જેને આપણે અછાંદસ કે ગદ્ય કવિતા કહીએ છીએ તેમાં પણ અંતર્નિહિત કશોક લય રહેલો હોય છે અને એ લય ઉત્તમ ગદ્યકાવ્યનું પ્રાણતત્ત્વ નીવડે છે. આપણી કવિતાને લયતત્ત્વ સુધી લાંબા કાળપર્યંત ચાલ્યું હોય તેવું બન્યું નથી. સાંઠના દાયકામાં અને તે પછી ગુજરાતી કાવ્યક્ષેત્રે અછાંદસનું પ્રબળ મોજું આવ્યું તો તેની સમાંતરે રમેશ પારેખ જેવા પ્રખર ગીતકવિનો પ્રાદુર્ભાવ થયો જ અને તેનો પ્રભાવ અદ્યાપિપર્યંત અનુભવાય છે. અલબત્ત, ફૂટકળ ગીતોની કશી વિસાત ન જ હોય. તેવું જ ગઝલોનું. ગઝલ પણ મૂલત: અને સદા માટે ગેય કવિતાનો એક પ્રકાર રહી છે. ઊર્મિકવિતામાં બાહ્ય કે આંતર ગેયતા ન હોય એવું બની શકે ખરું ? ગઝલની ગાયકીની તો એક સમૃદ્ધ ગઝલગાયિકા બેગમ અખ્તરની ગાયેલી ઘણી ગઝલ એમાં કવિતા અને સંગીત ઉભયની રસાનુભૂતિની સહોપસ્થિતિ પમાય છે. કવિ ગુલઝારના એક ગદ્યકાવ્યનું પણ ફિલ્મ સંગીતકાર રાહુલદેવ બર્મને સફળ, ભાવપૂર્ણ સ્વરાંકન કર્યું છે અને પાર્શ્વગાયિકા આશા ભોંસલેએ તેનું હૃદયસ્પર્શી ગાન કર્યું છે. એ ચમત્કાર જેટલો કવિતાનો એટલો સ્વરનો. અલબત્ત, બિલાડીના ટોપ જેવાં ગઝલગાયક-ગાયિકાઓની વાત કરવાની ન જ હોય. આપણી કવિતા જ નહીં વેદ-ઉપનિષદનાં મંત્રો, શ્લોકો, મહાકાવ્યો અને પુરાણકાવ્યો બધું કંઠોપકંઠ સચવાઈને સમૃદ્ધ પરંપરા રૂપે આજેય ઉપલબ્ધ છે. તે ઉત્તમ કવિતા તો છે જ. ગેયતા વિના આ સંભવ હોત ખરું ?
આપણા આદિ કવિ નરસિંહ મહેતાની કાવ્યસમૃદ્ધિને ગેય પદો વિનાની કલ્પી શકાય ખરી ? મહાકવિ પ્રેમાનંદ તો પોળના ચોકઠામાં ગેય સ્વરૂપે આખ્યાન કાવ્યો રજૂ કરીને તે સમયના લોકોને કવિતા, ગાન અને ધર્મવિષયક સંસ્કારોની ત્રિવિધ અનુભૂતિ કરાવતા. રસકવિ દયારામની ગરબીઓનું ગેયતાસભર લાલિત્ય ઘણું રમણીય છે. છેક નર્મદ-દલપત પહેલાના સમય સુધી ગુજરાતી ભાષામાં ગદ્ય વિકસ્યું નહોતું અને પદ્ય ગેયતાપ્રધાન હતું. ગાઈ ન નહોતું અને પદ્ય ગેયતાપ્રધાન હતું. ગાઈ ન શકાય કે ગવાતા ન હોય તેવા ગરબાઓ કોણ સાંભળે ? હવે તો વિપશ્વિત વિદ્વાનોનો પણ એવો મત બંધાયો છે કે જેને આપણે અછાંદસ કે ગદ્ય કવિતા કહીએ છીએ તેમાં પણ અંતર્નિહિત કશોક લય રહેલો હોય છે અને એ લય ઉત્તમ ગદ્યકાવ્યનું પ્રાણતત્ત્વ નીવડે છે. આપણી કવિતાને લયતત્ત્વ સુધી લાંબા કાળપર્યંત ચાલ્યું હોય તેવું બન્યું નથી. સાંઠના દાયકામાં અને તે પછી ગુજરાતી કાવ્યક્ષેત્રે અછાંદસનું પ્રબળ મોજું આવ્યું તો તેની સમાંતરે રમેશ પારેખ જેવા પ્રખર ગીતકવિનો પ્રાદુર્ભાવ થયો જ અને તેનો પ્રભાવ અદ્યાપિપર્યંત અનુભવાય છે. અલબત્ત, ફૂટકળ ગીતોની કશી વિસાત ન જ હોય. તેવું જ ગઝલોનું. ગઝલ પણ મૂલત: અને સદા માટે ગેય કવિતાનો એક પ્રકાર રહી છે. ઊર્મિકવિતામાં બાહ્ય કે આંતર ગેયતા ન હોય એવું બની શકે ખરું ? ગઝલની ગાયકીની તો એક સમૃદ્ધ ગઝલગાયિકા બેગમ અખ્તરની ગાયેલી ઘણી ગઝલ એમાં કવિતા અને સંગીત ઉભયની રસાનુભૂતિની સહોપસ્થિતિ પમાય છે. કવિ ગુલઝારના એક ગદ્યકાવ્યનું પણ ફિલ્મ સંગીતકાર રાહુલદેવ બર્મને સફળ, ભાવપૂર્ણ સ્વરાંકન કર્યું છે અને પાર્શ્વગાયિકા આશા ભોંસલેએ તેનું હૃદયસ્પર્શી ગાન કર્યું છે. એ ચમત્કાર જેટલો કવિતાનો એટલો સ્વરનો. અલબત્ત, બિલાડીના ટોપ જેવાં ગઝલગાયક-ગાયિકાઓની વાત કરવાની ન જ હોય. આપણી કવિતા જ નહીં વેદ-ઉપનિષદનાં મંત્રો, શ્લોકો, મહાકાવ્યો અને પુરાણકાવ્યો બધું કંઠોપકંઠ સચવાઈને સમૃદ્ધ પરંપરા રૂપે આજેય ઉપલબ્ધ છે. તે ઉત્તમ કવિતા તો છે જ. ગેયતા વિના આ સંભવ હોત ખરું ?


{{Right |તા. 15-12-2010  }}
{{Right |તા. 15-12-2010  }}<br>
{{Right |– ભગવતીકુમાર શર્મા  }} <br>
{{Right |– ભગવતીકુમાર શર્મા  }}  
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu