9,287
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પીડા વિના પ્રાપ્તિ નથી | મણિલાલ હ. પટેલ}} <poem> ભોમિયા વિના માર...") |
m (Atulraval moved page આત્માની માતૃભાષા/8 to આત્માની માતૃભાષા/8) |
||
| (3 intermediate revisions by one other user not shown) | |||
| Line 3: | Line 3: | ||
{{Heading|પીડા વિના પ્રાપ્તિ નથી | મણિલાલ હ. પટેલ}} | {{Heading|પીડા વિના પ્રાપ્તિ નથી | મણિલાલ હ. પટેલ}} | ||
<center>'''ભોમિયા વિના'''</center> | |||
<poem> | <poem> | ||
ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, | ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, | ||
| Line 25: | Line 26: | ||
{{Right|ઑગસ્ટ ૧૯૩૨}} | {{Right|ઑગસ્ટ ૧૯૩૨}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અરવલ્લી ગિરિમાળાની (છેલ્લી) દક્ષિણ ટૂકો વચાળેના જન-વનપ્રદેશમાં ઉમાશંકરનું શૈશવ વીત્યું; અને એ પહાડીઓ, વનરાજી, ઝરણાં-નદીઓ, ટેકરીઓ, ડુંગરોની કૂખે વસેલાં ગામડાં, એ જનપદ તથા વનપદની હેતાળ પ્રજાઓની વચ્ચે ઉમાશંકરનો કિશોરકાળ કેળવાયો હતો. એમની કવિતાનો પણ એ જ મલક. બામણા અને ઈડરમાં વિદ્યાભ્યાસ થયો ત્યાંય સંગત-સોબત તો ડુંગરો અને ઝરણાંની જ હતી ને! એ વનરાજીઓમાં આવતી ઋતુઓ તથા કૃષિકારોના પ્રદેશમાં વિહાર કરવા નીકળી હોય એમ મહાલતી મોસમોનું ઉમાશંકરને કાયમનું આકર્ષણ રહેલું. | અરવલ્લી ગિરિમાળાની (છેલ્લી) દક્ષિણ ટૂકો વચાળેના જન-વનપ્રદેશમાં ઉમાશંકરનું શૈશવ વીત્યું; અને એ પહાડીઓ, વનરાજી, ઝરણાં-નદીઓ, ટેકરીઓ, ડુંગરોની કૂખે વસેલાં ગામડાં, એ જનપદ તથા વનપદની હેતાળ પ્રજાઓની વચ્ચે ઉમાશંકરનો કિશોરકાળ કેળવાયો હતો. એમની કવિતાનો પણ એ જ મલક. બામણા અને ઈડરમાં વિદ્યાભ્યાસ થયો ત્યાંય સંગત-સોબત તો ડુંગરો અને ઝરણાંની જ હતી ને! એ વનરાજીઓમાં આવતી ઋતુઓ તથા કૃષિકારોના પ્રદેશમાં વિહાર કરવા નીકળી હોય એમ મહાલતી મોસમોનું ઉમાશંકરને કાયમનું આકર્ષણ રહેલું. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
પ્રકૃતિ ઉમાશંકરની કવિતાનું પિયર છે પિયર!! | પ્રકૃતિ ઉમાશંકરની કવિતાનું પિયર છે પિયર!! | ||
(૮૨૨૬) ઝરણું અલકમલકથી આવે ઝરણું અલકમલકમાં જાય… | (૮૨૨૬) ઝરણું અલકમલકથી આવે ઝરણું અલકમલકમાં જાય… | ||
| Line 33: | Line 36: | ||
(૮૨૨૬) નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગર-વનો… | (૮૨૨૬) નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગર-વનો… | ||
(૮૨૨૬) એકાંતોમાં પ્રકૃતિ કવતી મંજુ શબ્દાવલિ કો — | (૮૨૨૬) એકાંતોમાં પ્રકૃતિ કવતી મંજુ શબ્દાવલિ કો — | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
ઝરણાં-નદી-ડુંગરાઓની એમણે કલ્પના નથી કરવી પડી. જેઠાલાલ જોશી — ‘ડુંગરાવાળા'ના આ કવિપુત્રે તો ડુંગરની કેડમાં, ઝરણાંના ખળખળતા નાદ અને હેલે ચઢતી નદીઓ જેવી વનશ્રી વચ્ચે જ જીવનના પ્રથમ શ્વાસ લીધા હતા. એટલે આ કવિ ભોમિયા વિના ડુંગરા ભમવાની વાત કરે તો એ સહજ છે… પણ એ ડુંગર-વનોના ભ્રમણ નિમિત્તે, ‘રોતા ઝરણાની આંખ લ્હોવી હતી’ — એમ કહે છે તે વિલક્ષણ છે ને તે સંકેત માનવતા અને માનવગૌરવને ચીંધતો હોવાથી યદ્યપિ આસ્વાદ્ય છે. ‘ભોમિયા વિના’ ગીત-કવિ ઉમાશંકરની મુખ્ય ઓળખનો પર્યાય બની રહ્યું છે. એમાં એમની એ પછીથી આવનારી કવિતાનો ‘પદધ્વનિ’ પણ સંભળાતો રહેલો. | ઝરણાં-નદી-ડુંગરાઓની એમણે કલ્પના નથી કરવી પડી. જેઠાલાલ જોશી — ‘ડુંગરાવાળા'ના આ કવિપુત્રે તો ડુંગરની કેડમાં, ઝરણાંના ખળખળતા નાદ અને હેલે ચઢતી નદીઓ જેવી વનશ્રી વચ્ચે જ જીવનના પ્રથમ શ્વાસ લીધા હતા. એટલે આ કવિ ભોમિયા વિના ડુંગરા ભમવાની વાત કરે તો એ સહજ છે… પણ એ ડુંગર-વનોના ભ્રમણ નિમિત્તે, ‘રોતા ઝરણાની આંખ લ્હોવી હતી’ — એમ કહે છે તે વિલક્ષણ છે ને તે સંકેત માનવતા અને માનવગૌરવને ચીંધતો હોવાથી યદ્યપિ આસ્વાદ્ય છે. ‘ભોમિયા વિના’ ગીત-કવિ ઉમાશંકરની મુખ્ય ઓળખનો પર્યાય બની રહ્યું છે. એમાં એમની એ પછીથી આવનારી કવિતાનો ‘પદધ્વનિ’ પણ સંભળાતો રહેલો. | ||
ઉમાશંકર જોશીની પ્રકૃતિકવિતા ધ્યાનથી જોતાં જણાશે કે એ જુદાં જુદાં રૂપોમાં રચાતી આવતી કોઈ એક જ કવિતાના રમ્ય અંશો છે. એમની પ્રકૃતિપ્રીતિ તે માનવપ્રીતિને વળોટતી ચાલે છે… એમાં નિજત્વની મુદ્રા સાથે ચેતનાભર્યા પશુપંખીજગત માટે પણ જગ્યા છે. | ઉમાશંકર જોશીની પ્રકૃતિકવિતા ધ્યાનથી જોતાં જણાશે કે એ જુદાં જુદાં રૂપોમાં રચાતી આવતી કોઈ એક જ કવિતાના રમ્ય અંશો છે. એમની પ્રકૃતિપ્રીતિ તે માનવપ્રીતિને વળોટતી ચાલે છે… એમાં નિજત્વની મુદ્રા સાથે ચેતનાભર્યા પશુપંખીજગત માટે પણ જગ્યા છે. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
'''‘વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી:''' | '''‘વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી:''' | ||
'''પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!’''' | '''પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!’''' | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
શામળાજી-ભિલોડા-ઈડરના એ લોકમેળાઓમાં ગવાતાં લોકગીતો ઉમાશંકરને મન ગીતકવિતા જાણવા-માણવા-નાણવાની વિદ્યાપીઠ જેવાં હતાં. લોકહૃદયના ભાવો, લોકભાષા અને લોકલયની સંવાદિતાનું ઉત્તમ પરિણામ ‘ગાણું અધૂરું મેલ્ય મા, લ્યા વ્હાલામા!’ તથા ‘ભોમિયા વિના'માં માણવા મળે છે. એ મોંઘી જણસ જેવાં ગીતો, લય-ભાવ-ભાષા સમેત, લોકમેળાઓ માણ્યાનું પ્રત્યક્ષ પરિણામ છે. સાંભળતાં જ વ્યંજિત થઈ ઊઠે એવાં આ ગીતો આસ્વાદકની મધ્યસ્થી વિના જ ભાવકને સભર સભર કરી દે છે. મુખડા-અંતરાની આટલી સહજ છતાં રસાળ રચનાભાત ત્રીશી (૧૯૩૦-૪૦)નાં વર્ષોમાં અતિ વિરલ ગણાય. કવિપ્રતિભા વિના આ શક્ય નથી. | શામળાજી-ભિલોડા-ઈડરના એ લોકમેળાઓમાં ગવાતાં લોકગીતો ઉમાશંકરને મન ગીતકવિતા જાણવા-માણવા-નાણવાની વિદ્યાપીઠ જેવાં હતાં. લોકહૃદયના ભાવો, લોકભાષા અને લોકલયની સંવાદિતાનું ઉત્તમ પરિણામ ‘ગાણું અધૂરું મેલ્ય મા, લ્યા વ્હાલામા!’ તથા ‘ભોમિયા વિના'માં માણવા મળે છે. એ મોંઘી જણસ જેવાં ગીતો, લય-ભાવ-ભાષા સમેત, લોકમેળાઓ માણ્યાનું પ્રત્યક્ષ પરિણામ છે. સાંભળતાં જ વ્યંજિત થઈ ઊઠે એવાં આ ગીતો આસ્વાદકની મધ્યસ્થી વિના જ ભાવકને સભર સભર કરી દે છે. મુખડા-અંતરાની આટલી સહજ છતાં રસાળ રચનાભાત ત્રીશી (૧૯૩૦-૪૦)નાં વર્ષોમાં અતિ વિરલ ગણાય. કવિપ્રતિભા વિના આ શક્ય નથી. | ||
અમારી પ્રાથમિક શાળાના માસ્તર ધૂળજી તલાર તો અમને એમ સમજાવતા હતા કે — “વર્નાક્યુલર ફાઇનલ (V.F.)ની પરીક્ષારૂપી ડુંગરાઓ પાર કરવા માટે આ માણસ ભોમિયો (પ્રશ્નોના જવાબોની ગાઇડ) વિના ભમી વળવાની હામ ભીડે છે.” અરેરે! બિચ્ચારા! ધૂળજીભાઈ સાહેબ!! જોકે કવિતા તો જાતે ઊગરી જાય છે ને ભાવકનેય તારે છે ને તારવીય લે છે; હાસ્તો! એમાં જ એનો જાદુ છે. ‘ભોમિયા વિના’ ગીતકવિતામાં પણ નોખો જ જાદુ છે. કુતૂહલ અને ભય: બંનેનું શૈશવે ભારે આકર્ષણ હોય છે. ડુંગર-કરાડ-કોતરો-કુંજો — જંગલો જોવાનું આકર્ષણ! ‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે…’ સૌંદર્યનું રસપાન! ને એ સાથે માનવજીવનની વિષમતાઓનું ભાન: બહુ મોટી વાત છે. | અમારી પ્રાથમિક શાળાના માસ્તર ધૂળજી તલાર તો અમને એમ સમજાવતા હતા કે — “વર્નાક્યુલર ફાઇનલ (V.F.)ની પરીક્ષારૂપી ડુંગરાઓ પાર કરવા માટે આ માણસ ભોમિયો (પ્રશ્નોના જવાબોની ગાઇડ) વિના ભમી વળવાની હામ ભીડે છે.” અરેરે! બિચ્ચારા! ધૂળજીભાઈ સાહેબ!! જોકે કવિતા તો જાતે ઊગરી જાય છે ને ભાવકનેય તારે છે ને તારવીય લે છે; હાસ્તો! એમાં જ એનો જાદુ છે. ‘ભોમિયા વિના’ ગીતકવિતામાં પણ નોખો જ જાદુ છે. કુતૂહલ અને ભય: બંનેનું શૈશવે ભારે આકર્ષણ હોય છે. ડુંગર-કરાડ-કોતરો-કુંજો — જંગલો જોવાનું આકર્ષણ! ‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે…’ સૌંદર્યનું રસપાન! ને એ સાથે માનવજીવનની વિષમતાઓનું ભાન: બહુ મોટી વાત છે. | ||
| Line 42: | Line 51: | ||
બાવીસ વર્ષના પ્રતિભાશીલ યુવા કવિહૃદયને ખ્યાલ છે — બલકે અનુભવ છે કે અહીં ‘ઉરબોલ’ — પ્રેમનો પ્રતિઉત્તર મળતો નથી… પડઘો મળે તોય રાજી! પણ એય દુર્લભ છે. હૃદયભાવો વ્યક્ત કરતી વાણી વેરાઈ જાય છે ને આભમાં ફેલાઈ જાય છે — કવિ એકલોઅટૂલો પડી જાય છે ને જીવતર ઝાંખું દીસે છે! ‘આપણા — પોતાના સિવાય આપણું કોઈ નથી — એ સત્ય જાણનારો — યુવાકવિ હવે, રોતાં ઝરણાંની આંખ લ્હોવા સાથે, પોતાના અંતરની આંખડી લ્હોવાનું — જાતે જ લ્હોવાનું — જાણી લે છે!! સૌંદર્યો તથા વેદનાઓ તો સાથે જ રહેવાનાં છે… એટલે સાબદાં થવાનું છે. પીડા વિના તો કશી પ્રાપ્તિ નથી એ આ ગીતનું સત્ય છે. કવિએ લોકલય, વર્ણસગાઈ, પ્રાસાનુપ્રાસ યોજીને ભાવાભિવ્યક્તિને વધારે રસાળ બનાવી છે. ભાવાર્દ્ર કરી દેતું આ કાવ્ય જીવનના દર્શનની મોઢામોઢ પણ કરી દે છે — આજે પણ!! એ જ તો કાવ્યસિદ્ધિ છે. | બાવીસ વર્ષના પ્રતિભાશીલ યુવા કવિહૃદયને ખ્યાલ છે — બલકે અનુભવ છે કે અહીં ‘ઉરબોલ’ — પ્રેમનો પ્રતિઉત્તર મળતો નથી… પડઘો મળે તોય રાજી! પણ એય દુર્લભ છે. હૃદયભાવો વ્યક્ત કરતી વાણી વેરાઈ જાય છે ને આભમાં ફેલાઈ જાય છે — કવિ એકલોઅટૂલો પડી જાય છે ને જીવતર ઝાંખું દીસે છે! ‘આપણા — પોતાના સિવાય આપણું કોઈ નથી — એ સત્ય જાણનારો — યુવાકવિ હવે, રોતાં ઝરણાંની આંખ લ્હોવા સાથે, પોતાના અંતરની આંખડી લ્હોવાનું — જાતે જ લ્હોવાનું — જાણી લે છે!! સૌંદર્યો તથા વેદનાઓ તો સાથે જ રહેવાનાં છે… એટલે સાબદાં થવાનું છે. પીડા વિના તો કશી પ્રાપ્તિ નથી એ આ ગીતનું સત્ય છે. કવિએ લોકલય, વર્ણસગાઈ, પ્રાસાનુપ્રાસ યોજીને ભાવાભિવ્યક્તિને વધારે રસાળ બનાવી છે. ભાવાર્દ્ર કરી દેતું આ કાવ્ય જીવનના દર્શનની મોઢામોઢ પણ કરી દે છે — આજે પણ!! એ જ તો કાવ્યસિદ્ધિ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 7 | |||
|next = 9 | |||
}} | |||