પરિષદ-પ્રમુખનાં ભાષણો/૫.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 57: Line 57:
અહીં જરાક થોભીએ. આપણે આવી પરિષદો ભરીને આપણી સાધનમૂડી વ્યર્થ ખરચી નાખવાનું મૂર્ખકૃત્ય કરીએ છીએ એમ તો નથી થતું? પ્રજાના જીવન જોડે અતિ નિકટ સંબંધ રાખનારા આર્થિક, રાજકીય, પ્રશ્નો આપણી પાસે આગ્રહથી દબાણ કરીને ખુલાસો માગે છે તેવા સમયમાં, ચોમેરે યુદ્ધનાં દુઃખમય પરિણામોની પરમ્પરા વચ્ચે, દેશનો વેપાર દુર્દશામાં છે તેવે વખતે, ગરીબ લોકો ભૂખે મરે છે તેવા સમયમાં, આપણે અહીં બેઠા ભાષા, સાહિત્ય, કવિતા ઇત્યાદિ અનુત્પાદક વિષયોની જ્ઞાનમંદિર શોભાવનારી ચર્ચા કરવા બેસીશું એ શું કર્તવ્યદ્રોહ જેવું નથી થતું? આ પ્રશ્નો હું નકામા નથી પૂછતો, કેટલાક ડાહ્યા પુરુષો આ પ્રકારનો આરોપ આપણા આજના પ્રયાસ ઉપર મૂકવાને તત્પર થયા છે. દેશની હાલની વિશેષ અપવાદરૂપ સ્થિતિની વાત બાજુ ઉપર મૂકતાં પણ કેટલાકોનો મત એમ છે કે શુદ્ધ સાહિત્યની ચર્ચામાં કાળ ગુમાવવો એ દેશદ્રોહરૂપ છે; એ લોકોને મતે તો ધાન્યનો એક અંકુર ફૂટતો હોય તેને સ્થળે બે અંકુર ફૂટે એવા વ્યાપારમાં આપણી બુદ્ધિ, ધન અને ઉદ્યોગની સંપત્તિ વાપરવી તે સાહિત્યના નિષ્ફળ પ્રયાસો કરતાં હજારગણું શ્રેયસ્કર છે.
અહીં જરાક થોભીએ. આપણે આવી પરિષદો ભરીને આપણી સાધનમૂડી વ્યર્થ ખરચી નાખવાનું મૂર્ખકૃત્ય કરીએ છીએ એમ તો નથી થતું? પ્રજાના જીવન જોડે અતિ નિકટ સંબંધ રાખનારા આર્થિક, રાજકીય, પ્રશ્નો આપણી પાસે આગ્રહથી દબાણ કરીને ખુલાસો માગે છે તેવા સમયમાં, ચોમેરે યુદ્ધનાં દુઃખમય પરિણામોની પરમ્પરા વચ્ચે, દેશનો વેપાર દુર્દશામાં છે તેવે વખતે, ગરીબ લોકો ભૂખે મરે છે તેવા સમયમાં, આપણે અહીં બેઠા ભાષા, સાહિત્ય, કવિતા ઇત્યાદિ અનુત્પાદક વિષયોની જ્ઞાનમંદિર શોભાવનારી ચર્ચા કરવા બેસીશું એ શું કર્તવ્યદ્રોહ જેવું નથી થતું? આ પ્રશ્નો હું નકામા નથી પૂછતો, કેટલાક ડાહ્યા પુરુષો આ પ્રકારનો આરોપ આપણા આજના પ્રયાસ ઉપર મૂકવાને તત્પર થયા છે. દેશની હાલની વિશેષ અપવાદરૂપ સ્થિતિની વાત બાજુ ઉપર મૂકતાં પણ કેટલાકોનો મત એમ છે કે શુદ્ધ સાહિત્યની ચર્ચામાં કાળ ગુમાવવો એ દેશદ્રોહરૂપ છે; એ લોકોને મતે તો ધાન્યનો એક અંકુર ફૂટતો હોય તેને સ્થળે બે અંકુર ફૂટે એવા વ્યાપારમાં આપણી બુદ્ધિ, ધન અને ઉદ્યોગની સંપત્તિ વાપરવી તે સાહિત્યના નિષ્ફળ પ્રયાસો કરતાં હજારગણું શ્રેયસ્કર છે.
આ મિત્રોને શો ઉત્તર દઈશું? એ જ કે દેશની હાલની વિષમ સ્થિતિમાં દુઃખ ઓછાં કરવાના જે જે માર્ગ છે તે આદરવાની જોડે આપણે આ પરિષદનો વ્યાપાર અણુમાત્ર વિરોધી નથી બનતો. એ માર્ગોમાં જે જે કર્તવ્યો કરવાનાં તે પણ થયે જાય છે, અને તે સાથે આપણું આ કાર્ય ભલે થાય; એમાં દુઃખ માનવાનું કારણ કશું નથી, આર્થિક પ્રશ્નોને જ જીવનનું કેન્દ્ર ગણનારાને તો કવિજન ઉત્તર એ જ આપશે કે જીવનનું સાર્થક્ય કેવળ ધનોપાર્જનમાં નથી સમાયું, ધનસંપત્તિ તે સુખસંપત્તિનો પર્યાય નથી, કે એ સંપત્તિનું નિયત કારણ પણ નથી. કવિજન કહેશે કે ફક્ત એક આત્માને સત્ય સુખના, વિશુદ્ધ આનન્દના માર્ગમાં એક ક્રમ ઊંચે ચઢાવી શકાય, તો તે સ્થિતિ આર્થિક સંપત્તિ કરતાં હજાર ગણી મૂલ્યવાન છે. કાંઈક આ ધોરણે જ સાહિત્ય અને એવા બુદ્ધિવ્યાપાર યોજનારા વિષયોના સેવકો ધનસંપત્તિના સેવકોને ઉત્તર આપી શકશે. જ્ઞાનના વિષયમાં વિહાર કરનાર સરસ્વતીપૂજક પોતાની તેમ જ અન્ય બન્ધુઓની માનસિક ઉન્નતિમાં, શુદ્ધ વિદ્યાનન્દમાં, જે સેવા કરે છે તેની કદર રૂપિયા-આના-પાઈથી સર્વ વિષયોની કીમત આંકનારા ભાગ્યે જ કરી શકશે.
આ મિત્રોને શો ઉત્તર દઈશું? એ જ કે દેશની હાલની વિષમ સ્થિતિમાં દુઃખ ઓછાં કરવાના જે જે માર્ગ છે તે આદરવાની જોડે આપણે આ પરિષદનો વ્યાપાર અણુમાત્ર વિરોધી નથી બનતો. એ માર્ગોમાં જે જે કર્તવ્યો કરવાનાં તે પણ થયે જાય છે, અને તે સાથે આપણું આ કાર્ય ભલે થાય; એમાં દુઃખ માનવાનું કારણ કશું નથી, આર્થિક પ્રશ્નોને જ જીવનનું કેન્દ્ર ગણનારાને તો કવિજન ઉત્તર એ જ આપશે કે જીવનનું સાર્થક્ય કેવળ ધનોપાર્જનમાં નથી સમાયું, ધનસંપત્તિ તે સુખસંપત્તિનો પર્યાય નથી, કે એ સંપત્તિનું નિયત કારણ પણ નથી. કવિજન કહેશે કે ફક્ત એક આત્માને સત્ય સુખના, વિશુદ્ધ આનન્દના માર્ગમાં એક ક્રમ ઊંચે ચઢાવી શકાય, તો તે સ્થિતિ આર્થિક સંપત્તિ કરતાં હજાર ગણી મૂલ્યવાન છે. કાંઈક આ ધોરણે જ સાહિત્ય અને એવા બુદ્ધિવ્યાપાર યોજનારા વિષયોના સેવકો ધનસંપત્તિના સેવકોને ઉત્તર આપી શકશે. જ્ઞાનના વિષયમાં વિહાર કરનાર સરસ્વતીપૂજક પોતાની તેમ જ અન્ય બન્ધુઓની માનસિક ઉન્નતિમાં, શુદ્ધ વિદ્યાનન્દમાં, જે સેવા કરે છે તેની કદર રૂપિયા-આના-પાઈથી સર્વ વિષયોની કીમત આંકનારા ભાગ્યે જ કરી શકશે.
આમ છતાં ભૂલી જવું ના જોઈએ કે વિદ્યા અને સાહિત્ય સેવકોએ પરોક્ષ રીતે – અને ક્વચિત્ સાક્ષાત્ રૂપે – દેશની સાંસારિક અને આર્થિક અને રાજકીય ઉન્નતિ ઉપર સમર્થ અસર કરી છે, અને એવાં દૃષ્ટાંત જગતના ઇતિહાસમાં ચિરંજીવ રહ્યાં છે. ‘Uncle Tom’s Cabin’ એ વાર્તા અમેરિકામાંથી ગુલામગીરી નાબૂદ કરનાર કારણરૂપ બની હતી; રુસોનાં લખાણોએ ફ્રાન્સની પ્રજામાં ભારે જીવનપરિવર્તન કર્યું હતું, ડેન્ટીની કવિતામાં ઈટલીના જીવનોદ્વારનાં મૂળ હતાં, ઇરૅસ્મસના લેખો યુરોપના ધર્મપરિવર્તનનાં આદિ કારણ હતા, અને એનું પણ ઊંડું મૂળ સૅવેનરોલા સુધી અને છેક પ્લેટો સુધી લઈ જવાય એમ છે. ઇરૅસ્મસના ‘Eucharidion’ તથા ‘Adagia’ એ બે ગ્રન્થોની અસર વ્યાપક થઈ હતી તેથી પણ વિશેષ રૂપે બાઇબલના એના ભાષાન્તરે ‘રિફૉર્મેશન’ (Reformation)નાં બીજ વાવ્યાં હતાં. તે જ રીતે વેદનાં ભાષાન્તર યુરોપના પંડિતોએ કર્યાં તેથી આપણા હિન્દુસ્તાનમાં ધર્મ, સંસારજીવન, ઇત્યાદિ ઉપર નવો પ્રકાશ પડી પરિવર્તન થયું એમ પ્રો. મૅક્સ મ્યુલર માને છે.1 ડિકન્સની વાર્તાઓના પ્રતાપે તે સમયમાં ન્યાયખાતામાં અને વકીલ સૉલિસિટર વર્ગોમાં તથા દીવાની જેલખાતામાં પ્રવર્તતા અંધેર તથા અન્યાય દૂર થવા પામ્યાં હતાં. આપણા ગુજરાતી સાહિત્યમાં એટલાં ઉત્કટ અને વ્યાપક દૃષ્ટાંતો નહીં જડે, તો પણ ‘લલિતાદુઃખદર્શક’ નાટક ભજવાતું જોઈ એક બાઈએ પોતાની પુત્રીનો અયોગ્ય વર સાથેનો વિવાહ ટાળી નાંખ્યો હતો તે વાત નોંધવા લાયક છે, ‘સરસ્વતીચન્દ્ર’ની અસર પ્રજાજીવન ઉપર નહિ, પણ સાહિત્ય ઉપર થઈ છે તેથી તે આ પ્રશ્નને સંબંદ્ધ થશે નહિ.
આમ છતાં ભૂલી જવું ના જોઈએ કે વિદ્યા અને સાહિત્ય સેવકોએ પરોક્ષ રીતે – અને ક્વચિત્ સાક્ષાત્ રૂપે – દેશની સાંસારિક અને આર્થિક અને રાજકીય ઉન્નતિ ઉપર સમર્થ અસર કરી છે, અને એવાં દૃષ્ટાંત જગતના ઇતિહાસમાં ચિરંજીવ રહ્યાં છે. ‘Uncle Tom’s Cabin’ એ વાર્તા અમેરિકામાંથી ગુલામગીરી નાબૂદ કરનાર કારણરૂપ બની હતી; રુસોનાં લખાણોએ ફ્રાન્સની પ્રજામાં ભારે જીવનપરિવર્તન કર્યું હતું, ડેન્ટીની કવિતામાં ઈટલીના જીવનોદ્વારનાં મૂળ હતાં, ઇરૅસ્મસના લેખો યુરોપના ધર્મપરિવર્તનનાં આદિ કારણ હતા, અને એનું પણ ઊંડું મૂળ સૅવેનરોલા સુધી અને છેક પ્લેટો સુધી લઈ જવાય એમ છે. ઇરૅસ્મસના ‘Eucharidion’ તથા ‘Adagia’ એ બે ગ્રન્થોની અસર વ્યાપક થઈ હતી તેથી પણ વિશેષ રૂપે બાઇબલના એના ભાષાન્તરે ‘રિફૉર્મેશન’ (Reformation)નાં બીજ વાવ્યાં હતાં. તે જ રીતે વેદનાં ભાષાન્તર યુરોપના પંડિતોએ કર્યાં તેથી આપણા હિન્દુસ્તાનમાં ધર્મ, સંસારજીવન, ઇત્યાદિ ઉપર નવો પ્રકાશ પડી પરિવર્તન થયું એમ પ્રો. મૅક્સ મ્યુલર માને છે.<ref>‘ટ્રાન્ઝેક્શન્સ ઑફ ધી સેકન્ડ ઈન્ટર્નેશનલ કૉંગ્રેસ ઑફ એરિએન્ટાલિસ્ટર્સ’, પા. ૧૯૧</ref> ડિકન્સની વાર્તાઓના પ્રતાપે તે સમયમાં ન્યાયખાતામાં અને વકીલ સૉલિસિટર વર્ગોમાં તથા દીવાની જેલખાતામાં પ્રવર્તતા અંધેર તથા અન્યાય દૂર થવા પામ્યાં હતાં. આપણા ગુજરાતી સાહિત્યમાં એટલાં ઉત્કટ અને વ્યાપક દૃષ્ટાંતો નહીં જડે, તો પણ ‘લલિતાદુઃખદર્શક’ નાટક ભજવાતું જોઈ એક બાઈએ પોતાની પુત્રીનો અયોગ્ય વર સાથેનો વિવાહ ટાળી નાંખ્યો હતો તે વાત નોંધવા લાયક છે, ‘સરસ્વતીચન્દ્ર’ની અસર પ્રજાજીવન ઉપર નહિ, પણ સાહિત્ય ઉપર થઈ છે તેથી તે આ પ્રશ્નને સંબંદ્ધ થશે નહિ.
<br>
<br>
<br>
<br>
26,604

edits

Navigation menu