પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૦.: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| શ્રી ભૂલાભાઈ જીવણજી દેશાઈનું ભાષણ |દશમી ગુજરાતી સાહિત્ય...")
 
No edit summary
Line 7: Line 7:
<center>'''<big>{{Color|Red|[[શ્રી ભૂલાભાઈ જીવણજી દેશાઈ]]}}</big>'''</center>
<center>'''<big>{{Color|Red|[[શ્રી ભૂલાભાઈ જીવણજી દેશાઈ]]}}</big>'''</center>
<center>'''<big>{{Color|Red|[[ઈ.સ. ૧૮૭૭]]}}</big>'''</center>
<center>'''<big>{{Color|Red|[[ઈ.સ. ૧૮૭૭]]}}</big>'''</center>
સાહિત્ય પરિષદને સાહિત્ય સિવાયની બીજી બાબતો જોડે પણ સંબન્ધ છે ખરો. પરિષદને ભંડોળ છે તેનું રોકાણ કરવાનો પણ વિચાર કરવો પડે છે. અને પરિષદને બંધારણ પણ છે. એ બંધારણને સરળ અને અનુકૂળ બનાવવા માટે નવમા પછી દશમું સંમેલન પણ નડિયાદ મુકામે મળ્યું હતું. બંધારણની આંટીઘૂંટીઓનો નિવેડો લાવવા માટે એ સમયે શ્રીયુત ભૂલાભાઈ જીવણજી દેશાઈ પ્રમુખપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
રાજ્યનીતિ અને કાયદાધારાધોરણના કામમાં શ્રી. ભૂલાભાઈની પ્રતિષ્ઠા સમસ્ત હિન્દને પરિચિત છે. મુંબાઈ શહેરના રાજકીય જીવનના એ અગ્રણી છે. કોંગ્રેસમાં એમનું સ્થાન મહત્ત્વનું અને ગૌરવભર્યું છે. બેરિસ્ટરના ધીકતા ધંધાનો ત્યાગ કરીને સ્વાતંત્ર્યયુદ્ધમાં તેઓ જોડાયા ત્યારથી તેમનો ત્યાગ સહુને પરિચિત થયો છે.
અંગ્રેજી ભાષા પરનું એમનું પ્રભુત્વ તો જાણીતું જ છે. ધીમે ધીમે ગુજરાતીમાં પણ એમણે સારી પ્રગતિ કરી છે અને આજે એમના અનેકવિધ વિચારો તેઓ સમર્થ રીતે ગુજરાતી ભાષામાં દર્શાવે છે. તેઓ એક સમર્થ વિચારક છે એ તો ગુજરાત જાણે જ છે. ગુજરાતી સાહિત્ય સાથેનો એમનો સંપર્ક પણ એમના પ્રમુખ તરીકેના ભાષણમાં આપણી નજરે પડે છે. એમના જીવનઅનુભવો જો શબ્દદેહ ધારણ કરે તો ગુજરાતને રસપૂર્ણ વાચન મળે. પણ આજે તો એમનો ઘણો સમય દેશસેવાના કાર્યમાં વ્યતીત થાય છે. આવા એક સમર્થ અગ્રણી ગુજરાતીને પ્રમુખપદ અર્પીને પરિષદે એમનું ઉચિત સન્માન કર્યું છે. એમની દેખરેખ હેઠળ પરિષદનું બંધારણ સુસ્થિર થયું અને આજે પરિષદનું નાવ સરળ રીતે કાળપ્રવાહમાં ચાલે છે. એમના જ્ઞાનનો વિશેષ લાભ ગુજરાતને ભાવિમાં મળે તેવી આપણી આશા અસ્થાને નથી.
<br>
<br>
<center>'''<big>{{Color|Red|[[ગાંધીયુગનું ગુજરાતી]]}}</big>'''</center>
સન્નારીઓ અને સજ્જનો!
દશમી ગુજરાતી સાહિત્યપરિષદનો પ્રમુખ નીમી, આપે મારો સત્કાર કર્યો છે, એથી મને ઘણો આનંદ થાય છે. આવી જાતના દરેક કાર્યના આરંભમાં યોગ્ય પ્રમુખની પ્રસંદગી વિષે ભિન્નભિન્ન વિચારો હોય અને હોવા જોઈએ, અને નીમવામાં આવનાર પ્રમુખને માટે શુદ્ધ બુદ્ધિથી તે વિચારો દર્શાવવા હોય તો તે દર્શાવવા પણ જોઈએ. પરંતુ તે જો વિનય અને મર્યાદાને ઓળંગીને અને આવા પ્રસંગના મોભ્ભાને ન છાજે એવી રીતે કહેવામાં આવે, તો જે ભાષા અને સાહિત્યની સેવા કરવાનો તેઓ દાવો કરે છે તે જ ભાષા અને સાહિત્યને હલકું પાડવા જેવું થાય છે.
એ ગમે તેમ હોય; મારે વિષે તો હું એટલો જ ખુલાસો કરવાની જરૂર જોઉં છું કે તમારા નોતરાને સત્કારતાં પહેલાં મને મનમાં સહેજ આનાકાની થયેલી. પરંતુ જ્યારે શ્રીયુત ફૂલચંદભાઈએ મારી પાસે ઉતાવળે જવાબ માગ્યો, ત્યારે મેં મારા પરમ પ્રિય મિત્ર સરદાર વલ્લભભાઈની સલાહ લીધી. સારે નસીબે તે વખતે અમે સાથે રહેતા હોવાથી એ વાત પર ચર્ચા કર્યા પછી, અમને એમ લાગ્યું કે ગુજરાતી ભાષા અને સાહિત્યની અભિવૃદ્ધિ માટે સૌ કોઈ ગુજરાતીથી જે કાંઈ થઈ શકે તે કરવું એ તેની ફરજ છે, એમ માનવામાં અમે બન્ને એકમત થતાં મેં હા પાડી. હું જે કંઈ વિચારો તમારી આગળ રજૂ કરું એ સઘળા તમારે ગળે ઊતરશે એવો મમત કરતો નથી. પરંતુ મારા વિચારો દર્શાવવાથી ગુજરાતી ભાષાના વિકાસ સંબંધી વધારે ચર્ચા થાય, એટલું જ નહિ પણ આ પ્રસંગે અપાતા ભાષણથી જેઓની એક જ ઘરેડમાં ચાલી વિચારવાની ટેવ પડી છે, એમને કદાચ આઘાત થાય તોપણ ગુજરાતી ભાષા અને સાહિત્યના સૌથી ઉપયોગી મુદ્દા ઉપર ચોખ્ખા વિચાર થયા, એથી મેં હા પાડી. એમાં હું કેટલે દરજ્જે સફળ થઈશ એની મને ચિંતા નથી, પરંતુ તમારી મદદથી અને જ્યાં આપણે એકમત નહિ થઈએ ત્યાં પણ તમારી સદ્ભાવભરી સમજથી હું જે કાંઈ કરી શકું, એ પ્રયત્નમાં જ હું સફળતા માનું છું.
છેલ્લાં બે વર્ષમાં ગુજરાતી જનતાએ ગુમાવેલા શ્રી વાડીલાલ શાહ, શ્રી નથ્થુરામ શર્મા, શ્રી. મગનભાઈ પટેલ, શ્રી પૃથુ શુક્લ અને શ્રી હરગોવિંદદાસ કાંટાવાળા, એમના શોકજનક મૃત્યુની નોંધ લેવી ઘટે છે. આપણે એમનાં કુટુંબને ગયેલી ન પૂરાય એવી ખોટ માટે દિલસોજી દાખવી, સદ્ગતના આત્માને શાન્તિ મળે એવી પ્રાર્થના કરીએ. શ્રી હરગોંવિદદાસ જેવા વિદ્વાન, શ્રી વાડીલાલ જેવા વિચારક, શ્રી હીરાલાલ જેવા તત્ત્વચિંતક, શ્રી નથ્થુરામ જેવા પંડિત, અને શ્રી પૃથુ શુકલ જેવા કવિ, તેમ જ શ્રી મગનભાઈ જેવા ઉત્સાહી કાર્યકર્તા ફરીને મળવા મુશ્કેલ છે. પ્રભુ તેમના આત્માને શાન્તિ આપો.
આ પ્રસંગે પારસી કવિ શ્રીયુત ખબરદારને એમણે ગુજરાતમાં વસી સાચા ગુજરાતી થઈ, ગુજરાતી લોકજીવનને સ્પર્શીને જે સેવાઓ કરી છે તે માટે અભિનંદન ઘટે છે. ગુજરાતના રાષ્ટ્રજીવનના ઘટતરમાં હજીએ એ કવિ પોતાથી બનતો ફાળો આપશે, એવી આશા ગુજરાત રાખે છે. ખુદા એમને દીર્ઘાયુષ્ય બક્ષો.
આ પરિષદ તો બંધારણને જ અંગે હોઈને મારે સાહિત્યના વિષયમાં ઊતરવાની જરૂર નથી, એવું કહેવામાં આવ્યું છે એ હું જાણું છું, પણ ગુજરાતી ભાષા અને સાહિત્ય, અને એની સાથે પરિષદના બંધારણને કંઈ જ લાગતું વળગતું નહિ હોય તો એવી પરિષદની જરાયે ઉપયોગિતા હું જોતો નથી. એટલે આ પ્રસંગે મારા વિચારો ટૂંકમાં જણાવવાની હું જરૂર જોઉં છું.
ચાલુ બંધારણના હેતુઓ જોતાં, (ક) “ગુજરાતી ભાષા અને સાહિત્યની સર્વ શાખાઓ સંરક્ષવી, વિકસાવવી, વિસ્તારવી અને ફેલાવવી.” વગેરે, તેમ એના ઉદ્દેશ તપાસતાં મને એમ લાગે છે કે સાહિત્યની સર્વ શાખાઓ સંરક્ષવી એ બહુ ગૌણ વાત છે. પ્રાચીન સાહિત્યને જાળવી રાખવું અને એનું સંશોધન કરવું, એ પણ એક ગૌણ વાત છે. પ્રાચીન સાહિત્ય તો પ્રાચીન જ રહેશે અને યથાકાળે એ પોતાનું થાન આપોઆપ નક્કી કરી લેશે. એ પહેલાં પ્રજાએ સાહિત્યમાં વધારે રસ લેતા થવાની જરૂર છે. પ્રજા અને સાહિત્ય વચ્ચેની ઊંડી ખાઈ પૂરવાની પહેલી જરૂર છે. વધારે પ્રમાણમાં પ્રજા વધારે રસ લેતી થાય તો આપોઆપ પ્રાચીન સાહિત્યનું સંરક્ષણ તે કરશે જ, અને તેનું સંશોધન પણ થશે જ. ઉપર જણાવેલા હેતુઓ અપૂર્ણ છે, અધૂરા છે. હું માનું છું કે પરિષદ મંડળનો હેતુ ભવિષ્ય તરફ નજર રાખી ભાષાની ગતિ કઈ દિશા તરફ દોરવી, એ હોવા જોઈએ. ભવિષ્યની પ્રજાના ઘડતરમાં ભાષા કેવો અને કેટલો સંગીન ફાળો આપી શકશે, એ દિશામાં ભાષાપ્રવાહ વાળવાનું આપણું લક્ષ હોવું જોઈએ.
એ સિવાયના સઘળા હેતુઓ ગૌણ છે. દેશકાળનો વિચાર કર્યા વિના યોજેલા હેતુઓનો કંઈ ઉદ્દેશ જ નથી. ભાષાના વિકાસ સંબંધી આપણે જરા વધારે વિચાર કરવાની જરૂર છે. હું માનું છું કે સાહિત્યનું મુખ્ય અંગ તો ભાષા જ છે. ભાષામાં જે કહેવાનું છે તે સ્પષ્ટ રીતે કહેવામાં ન આવે, અને તેની સચોટ અસર ન થાય, તો તે ખરી ભાષા નથી. ટૂંકમાં જે બોલવામાં તેમ જ લખવામાં આવે છે, તે સ્પષ્ટ અને અસરકારક હોવું જોઈએ. એવી વાણી તે જ ભાષા.
એમાં ભાષાનાં બંધારણ વિષે પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એને આપણે શૈલી કહીએ, ઘાટ કહીએ, રૂપ કહીએ, ગમે તે નામ આપીએ. શબ્દરચનાનાં જાતજાતનાં પ્રકાર થઈ શકે છે. કેટલાક એ શબ્દોને જેમ બને તેમ અનિયમિત રીતે ગોઠવવામાં લહાવો માને છે, તો કેટલાક એ શબ્દોને ઠાંસીઠાંસીને આનંદ લે છે, તો કેટલાક એમાં સંસ્કૃત અલંકારોનાં ભાર ચઢાવવાં મોટાઈ માને છે. એમ સૌ કોઈ પોતાની મરજી પ્રમાણે શબ્દની ગોઠવણી કરે છે. એ બધી રચનામાં જે શબ્દરચના સૌથી સરળ, સહેલાઈથી સમજી શકાય તેવી, અને એમ છતાં પણ અર્થવાહી અને રસભરી હોય તે જ શબ્દરચના સૌને પ્રિય પણ થઈ પડે. એવી શબ્દ રચનાના – પછી ગદ્ય કે પદ્ય – ગમે તેટલા વિભાગો પાડો. જે વાણી ખળખળ વહેતા ઝરા જેટલી નિર્મળ અને પ્રવાહી નથી, જે વાણીની મન ઉપર છાપ પડતી નથી, તે વાણીની કંઈ જ ઉપયોગિતા નથી.
વળી જે ભાષા લોકસમસ્તનાં વિચાર તેમ જ વર્તન સાથે પૂરતો જીવંત સંબંધ ધરાવતી નથી, તે ભાષા લૂલી, નબળી અને પ્રયોજન વિનાની છે, એ ભાષાનો કંઈ અર્થ નથી. ભાષા તો તે, કે જે આખી પ્રજા સમજે. જે ભાષા, પ્રજાનાં વિચારવર્તન, પ્રજાનાં સુખદુઃખ, પ્રજાના આનંદઓચ્છવ, પ્રજાના સમાજજીવનથી જેટલી અળગી રહે, તેટલી તે નકામી તે નિર્જીવ છે. અને તેટલા જ પ્રમાણમાં તેની નિષ્ફળતા છે. ભાષા એ સકળ લોકની વાણી છે. ભાષા દ્વારા જ સકળ લોકનો જીવનવ્યવહાર ચાલે છે. ભાષામાં પ્રાણ ન હોય, એ ભાષાનું પ્રયોજન શું? જે ભાષા લોકજીવનને ઉત્તેજે, લોકજીવનમાં આનંદ લાવે, એમનાં જીવનમાં રસ રેડે, લોકજીવનને બોધ આપે, લોકજીવનનું પરિવર્તન કરાવે, એમને પ્રેરણા આપે, લોકજીવનને બળ આપે, એમનામાં વિચારની વૃદ્ધિ કરે, એને ધીમે ધીમે ઉચ્ચ માર્ગે જવા પ્રેરે અને જેમાં લોકજીવનનો ઉદ્દેશ સમાઈ રહેતો હોય તે જ સાચી ભાષા. તે જ લોકોપયોગી ભાષા. તે જ લોકવ્યવહારની ભાષા. અને તેનું નામ જ ખરી ભાષા.
છેલ્લાં દશ બાર વર્ષમાં ગુજરાતને સારે નસીબે એવી સુંદર ભાષા સાંપડી છે. હું તો હિમ્મતભેર એ જમાનાને ગાંધી-યુગ કહું છું. હું જાણું છું કે હું આ નામ આપું છું તે સાહિત્યની દુનિયામાં કેટલાકને ખૂંચશે. પણ સાહિત્યની દુનિયા કંઈ લોકજગતથી જૂદી તો નથી જ, અને ન હોવી જોઈએ અને હોય તો એ દુનિયા ઉપયોગ વિનાની અને દાંભિક છે. બે પાંચ વર્ષના નાનકડા ગાળાને યુગો કે પેઢીઓનાં નામ જેને આપવાં હોય તે ભલે આપે, પણ તેમને ગુજરાત અને ગુજરાતી સાહિત્યને નામે એવો દાવો કરવાનો હક્ક નથી. ગયા યુગ ગમે તે હોય, આજે તો એક જ યુગ છે – અને તે ગાંધી-યુગ. જે જમાનાએ લોકોનો આચારવિચાર, વિચારસરણી, રહેણીકરણીએ સૌને પલટાવી નાંખ્યાં, જે જમાનાએ લોકોમાં વીજળીવેગે જાગૃતિ આણી, લોકોની ધર્મની અને કર્મની ભાવનામાં પલટો આણ્યો, એને યુગ નહીં કહીએ તો શું કહીએ? હજી તો એ યુગનો આરંભકાળ છે, હજી તો કેટકેટલા પલટા થશે – થયાં કરશે. એ બેસી ચૂકેલા યુગ તરફ જેને આંખમીંચામણાં કરવાં હોય તે ભલે કરે; પરંતુ આજે નહીં તો કાલે એ યુગને યુગ તરીકે, તેમજ એ યુગનાં પ્રેમાવતાર મહાત્મા ગાંધીને એ યુગના નેતા તરીકે સ્વીકાર્યા વિના છૂટકો જ નથી. પછી ભલે તે સાહિત્યની દુનિયા હોય કે બીજી કોઈ હોય. ગાંધીયુગનું સાહિત્ય પણ વિશાળ છે. વિશાળ છે એટલું જ નહીં પણ વિચારસમૃદ્ધ પણ છે. એ પ્રેરક, બોધક અને વ્યાપક પણ છે. એ યુગને લઈને વધતા જતા સાહિત્યની અંદર સજીવ ફાળો આપનાર શ્રી મહાદેવ દેસાઈ, શ્રી રામનારાયણ પાઠક, શ્રી જુગતરામ દવે, શ્રી ચન્દ્રવદન મહેતા, શ્રી ગિજુભાઈ, શ્રી કિશોરલાલ મશરૂવાળા, શ્રી ઝવેરચંદ મેઘાણી, શ્રી લલિતજી, શ્રી નરહરિ પરીખ, શ્રી કાલેલકર, વગેરેનું એ સાહિત્યની દુનિયામાં સ્થાન બેશક ઘણું ઊંચું છે. સરદાર વલ્લભભાઈ પોતાને સાહિત્યની દુનિયાની વ્યક્તિ ન ગણાવે કે પોતે એક નવલકથા કે શ્લોક નહીં વાંચ્યાનું જણાવે, તો પણ એમના સરળ અને શુદ્ધ તળપદા ગુજરાતીને સાહિત્યની દુનિયામાંથી કેમ અળગું રખાય? જે જબાને જગતનો તાત એવા ખેડૂતના જીવનમાં નવું જોમ પેદા કર્યું, જેના ખંડિયેર હાડકામાંથી નવી જીવતી જોધ કાયા બનાવી, એ વાણીને સાહિત્યની અમૂલ્ય દોલત ગણવાનું અભિમાન કોઈ નહીં લે? પ્યારા વતનની પાક મટ્ટીમાંથી પાકેલા ખરા વતનદારોની જીન્દગીમાં નવી મસ્તી, નઈ તમન્ના, જગાવી એમને સાચા ભડવીર બનાવનાર વીર વલ્લભભાઈની વાણીને કયો કમનસીબ સાહિત્યનું અંગ ગણતાં અચકાશે? અને મહાત્મા ગાંધીજીએ કરેલી ગુજરાતી ભાષાની સેવાનો આંક આંકનાર આપણે કોણ? જેણે પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિઓનો અને જૂના અને નવા વિચારોનો સુંદર મેળ સાધી અનંત સત્યનું સ્વરૂપ પ્રકટ કરી સમજાવ્યું; એટલું જ નહીં પણ એ સતદીવડાના પ્રકાશ વડે ગુજરાતને ગામડે ગામડે અને ઘરેઘર અજવાળાં કર્યાં એની સેવાની આંકણી શી રીતે થઈ શકે? લગભગ પાંચસો વર્ષ અગાઉ આદિ કવિ નરસિંહ મહેતાએ જે ગાયું,
26,604

edits