પરિષદ-પ્રમુખનાં ભાષણો/૫.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 152: Line 152:
ઉદાહરણઃ સં. शाण, ગુજ. ‘સરાણ’ (श्राण એમ થઈ પછી વિશ્લેષ થઈ ‘સરાણ’);
ઉદાહરણઃ સં. शाण, ગુજ. ‘સરાણ’ (श्राण એમ થઈ પછી વિશ્લેષ થઈ ‘સરાણ’);
સં. पक्ष – एक्खं – પખું – પ્રખું – પડખું;
સં. पक्ष – एक्खं – પખું – પ્રખું – પડખું;
સં. कोटि-कोडि5 – કોડ – કરોડ (દસ લાખથી દસ ગણી સંખ્યા;)
સં. कोटि-कोडि <Ref>સચેદીના નાનજિયાણીએ પ્રસિદ્ધ કરેલા ‘ખોજાવૃત્તાન્ત’માં ખોજાઓના કેટલાક પદોના નમૂના આપ્યા છે, તેમાં (પૃષ્ઠ ૨૦૭ તથા ૨૧૧ ઉપર) ‘કોડી’ તેમ જ ‘ક્રોડ’ શબ્દ પણ છે. એ પદોના સમયનો સ્પષ્ટ ઉલ્લેખ આપ્યો નથી.</ref> – કોડ – કરોડ (દસ લાખથી દસ ગણી સંખ્યા;)
સં. तुष्टः – तृट्ठो – ત્રૂઠ્યો;
સં. तुष्टः – तृट्ठो – ત્રૂઠ્યો;
(ટીપઃ આ र કારનો ઉમેરો અકારણ તો ખરો જ, પરંતુ કાંઈક સંસ્કૃતનો ભાસ આપવાનો લોભ એ પણ પ્રવર્તક કારણ હોય; એક દક્ષણી પાઘડી બાંધેલા ગુજરાતી પુરુષને પૂછ્યું કે તમે આવી પાઘડી કેમ બાંધી છે? તો ઉત્તર મળ્યો – “હમે અસલથી જ દ્રક્ષણી પાઘડી બાંધીએ છીએ.” આ ખરી બનેલી વાત પછી, પેલા ગામડાનો અભણ બ્રાહ્મણ સાસુ આગળ સંસ્કૃત ભણ્યાનો ડોળ બતાવવાને બોલ્યો હતો કે – “પ્રેલી ખ્રીંટિયેથી અબ્રોટિયું લ્રાવો.” તે બનાવટી ઉપહાસવાર્તાનું પ્રયોજન રહેતું નથી.)
(ટીપઃ આ र કારનો ઉમેરો અકારણ તો ખરો જ, પરંતુ કાંઈક સંસ્કૃતનો ભાસ આપવાનો લોભ એ પણ પ્રવર્તક કારણ હોય; એક દક્ષણી પાઘડી બાંધેલા ગુજરાતી પુરુષને પૂછ્યું કે તમે આવી પાઘડી કેમ બાંધી છે? તો ઉત્તર મળ્યો – “હમે અસલથી જ દ્રક્ષણી પાઘડી બાંધીએ છીએ.” આ ખરી બનેલી વાત પછી, પેલા ગામડાનો અભણ બ્રાહ્મણ સાસુ આગળ સંસ્કૃત ભણ્યાનો ડોળ બતાવવાને બોલ્યો હતો કે – “પ્રેલી ખ્રીંટિયેથી અબ્રોટિયું લ્રાવો.” તે બનાવટી ઉપહાસવાર્તાનું પ્રયોજન રહેતું નથી.)
Line 188: Line 188:
(ટીપઃ શાસ્ત્રી વ્રજલાલે તેમ જ કેટલાક આધુનિક વિદ્વાનોએ विशति ઉપરથી ‘બેસે’ એમ વ્યુત્પત્તિ કાઢી છે તે આ પૃથક્કરણ જોયા પછી ત્યાજ્ય ગણાશે એમ આશા છે.)
(ટીપઃ શાસ્ત્રી વ્રજલાલે તેમ જ કેટલાક આધુનિક વિદ્વાનોએ विशति ઉપરથી ‘બેસે’ એમ વ્યુત્પત્તિ કાઢી છે તે આ પૃથક્કરણ જોયા પછી ત્યાજ્ય ગણાશે એમ આશા છે.)
अपत्यं – अवच्चं – वच्चं – બચ્ચું;
अपत्यं – अवच्चं – वच्चं – બચ્ચું;
अस्ति – अच्छइ6 - अछइ – છઈ – છે;
अस्ति – अच्छइ <ref>ડૉ. ટેસિટોરી પિશેલનો આધાર લઈને ऋच्छति ઉપરથી अच्छइ-अछइ ઉપજાવે છે (‘ઈન્ડિઅન એન્ટીક્વેરી’, એપ્રીલ ૧૯૧૩, પાન ૫૬); પરંતુ ‘પ્રાકૃતપ્રકાશ’, પરિચ્છેદ ૧૨, સૂત્ર ૧૯ પ્રમાણે શૌરસેનીમાં अस् ધાતુનો अच्छ् આદેશ છે.</ref> - अछइ – છઈ – છે;
अन्यत् – अण्णं – अनइ – नइ – ને;
अन्यत् – अण्णं – अनइ – नइ – ને;
अरघट्टः – अरहट्टो – રહેંટ;
अरघट्टः – अरहट्टो – રહેંટ;
ઇત્યાદિ.
ઇત્યાદિ.
વિ.સં. ૧૩૪૮માંના બામનેરા (રજપૂતાના)માંના એક શિલાલેખમાં अरहड શબ્દ (‘રહેંટવાળો કૂવો’ એ અર્થમાં) છે.7 તે ઉપરથી કદાચ જણાય કે આ વિકાર એ સમયમાં હજી પ્રવૃત્ત થયો નહિ હોય. વિ.સં. ૧૪૦૦ની પછી આ લોપ પ્રગટ થાય છે. મેરુસુંદરના ‘પુષ્પમાળ-પ્રકરણ’ (પ્રતસાલ સં. ૧૫૨૯ એટલે રચ્યાસાલ ૧૪૦૦ ને ૧૫૦૦ની વચ્ચે સંભવે) પુસ્તકમાં ‘બઈઠું’ રૂપ નજરે પડે છે.
વિ.સં. ૧૩૪૮માંના બામનેરા (રજપૂતાના)માંના એક શિલાલેખમાં अरहड શબ્દ (‘રહેંટવાળો કૂવો’ એ અર્થમાં) છે.<ref> ‘રિપોર્ટ ઑફ ધી આર્કિઓલોજીકલ સર્વે ઑફ ઇસ્ટર્ન ઇન્ડિયાઃ આસિસ્ટંટ સુપરિન્ટેન્ડન્ટ્સ રિપોર્ટ’, પરિચ્છેદ ૪૫, પા.૫૨ </ref> તે ઉપરથી કદાચ જણાય કે આ વિકાર એ સમયમાં હજી પ્રવૃત્ત થયો નહિ હોય. વિ.સં. ૧૪૦૦ની પછી આ લોપ પ્રગટ થાય છે. મેરુસુંદરના ‘પુષ્પમાળ-પ્રકરણ’ (પ્રતસાલ સં. ૧૫૨૯ એટલે રચ્યાસાલ ૧૪૦૦ ને ૧૫૦૦ની વચ્ચે સંભવે) પુસ્તકમાં ‘બઈઠું’ રૂપ નજરે પડે છે.
‘મુગ્ધાવબોધઔકિતક’ (સં. ૧૪૫૦)માં ‘છઈ’ તેમજ ‘અનઈ’ એ રૂપો છે;
‘મુગ્ધાવબોધઔકિતક’ (સં. ૧૪૫૦)માં ‘છઈ’ તેમજ ‘અનઈ’ એ રૂપો છે;
‘વસંતવિલાસ’ (સં.૧૫૦૮)માં ‘બઈઠ’ રૂપ છે;
‘વસંતવિલાસ’ (સં.૧૫૦૮)માં ‘બઈઠ’ રૂપ છે;
Line 200: Line 200:
મરાઠીમાં સંસ્કૃત उपरिનું પ્રાકૃત उवरि દ્વારા वर થયેલું છે તે પ્રાચીન મરાઠીમાં પણ वर અથવા वरिं જ માલૂમ પડે છે; તેથી લાગે છે કે આ પ્રથમશ્રુતિલોપનું તત્ત્વ મરાઠીના આરંભ કરતાં પ્રાચીન હોય. પરંતુ આ માટે વધારે અન્વેષણની જરૂર છે.
મરાઠીમાં સંસ્કૃત उपरिનું પ્રાકૃત उवरि દ્વારા वर થયેલું છે તે પ્રાચીન મરાઠીમાં પણ वर અથવા वरिं જ માલૂમ પડે છે; તેથી લાગે છે કે આ પ્રથમશ્રુતિલોપનું તત્ત્વ મરાઠીના આરંભ કરતાં પ્રાચીન હોય. પરંતુ આ માટે વધારે અન્વેષણની જરૂર છે.
(૪) ‘છે’ (પ્રાચીન ‘છઇ’) એનો સ્વતંત્ર ક્રિયાપદ મટી ઉપક્રિયાપદ તરીકે ઉપયોગ;
(૪) ‘છે’ (પ્રાચીન ‘છઇ’) એનો સ્વતંત્ર ક્રિયાપદ મટી ઉપક્રિયાપદ તરીકે ઉપયોગ;
વ્રજલાલ શાસ્ત્રી કહે છે8 કે સંવત ૧૪૦૦ના સૈકા પછી ગુર્જર ભાષામાં આ સ્વરૂપ પેઠું છે, તે પૂર્વે નજરે પડતું નથી. करोतिનું અપભ્રંશ करइ થયું તેમાં વર્તમાનકાળનો ભાવ પૂર્ણ બળથી બતાવવાની શક્તિ કાલક્રમે જતી રહી ને વધારાનું ‘છઈ’ (છે) ઉમેરાઈ ‘કરઈ છઈ’ એમ પ્રચાર થયો, તે હાલ તો સર્વત્ર વ્યાપે છે.
વ્રજલાલ શાસ્ત્રી કહે છે <ref>“ઉત્સર્ગ માળા” (ઈ.સ. ૧૮૭૦), પૃષ્ઠ ૭૪</ref> કે સંવત ૧૪૦૦ના સૈકા પછી ગુર્જર ભાષામાં આ સ્વરૂપ પેઠું છે, તે પૂર્વે નજરે પડતું નથી. करोतिનું અપભ્રંશ करइ થયું તેમાં વર્તમાનકાળનો ભાવ પૂર્ણ બળથી બતાવવાની શક્તિ કાલક્રમે જતી રહી ને વધારાનું ‘છઈ’ (છે) ઉમેરાઈ ‘કરઈ છઈ’ એમ પ્રચાર થયો, તે હાલ તો સર્વત્ર વ્યાપે છે.
આ સ્વરૂપ વિ.સં. ૧૪૦૦ પછી બહુ મોડું પ્રવેશ પામ્યું હશે એમ લાગે છે. ભાલણ (વિ.સં. ૧૪૯૫ પછીનો અર્થાત્ ૧૫૦૦ પછીનો કવિ) ‘દીસિછિ’ રૂપ (‘કાદમ્બરી’માં) વાપરતો જણાય છેઃ ‘કાન્હડદેપ્રબંધ’ ઇત્યાદિક વિ.સં. ૧૫૦૦ની આસપાસના ગ્રંથોમાં ‘છઈ’નો ઉપક્રિયાપદ તરીકે ઉપયોગ નજરે પડતો નથી. વિ.સં. ૧૭૦૦ પછી એ ઉપયોગ વિશેષ જણાય છે. આ વિષે વધારે ધીરજથી તપાસ કરીને પછી નિશ્ચિતતા થાય. પરંતુ એટલું તો ખરું કે વિ.સં. ૧૫૦૦ની પણ પછી આ પ્રકાર ચાલુ થયેલો.
આ સ્વરૂપ વિ.સં. ૧૪૦૦ પછી બહુ મોડું પ્રવેશ પામ્યું હશે એમ લાગે છે. ભાલણ (વિ.સં. ૧૪૯૫ પછીનો અર્થાત્ ૧૫૦૦ પછીનો કવિ) ‘દીસિછિ’ રૂપ (‘કાદમ્બરી’માં) વાપરતો જણાય છેઃ ‘કાન્હડદેપ્રબંધ’ ઇત્યાદિક વિ.સં. ૧૫૦૦ની આસપાસના ગ્રંથોમાં ‘છઈ’નો ઉપક્રિયાપદ તરીકે ઉપયોગ નજરે પડતો નથી. વિ.સં. ૧૭૦૦ પછી એ ઉપયોગ વિશેષ જણાય છે. આ વિષે વધારે ધીરજથી તપાસ કરીને પછી નિશ્ચિતતા થાય. પરંતુ એટલું તો ખરું કે વિ.સં. ૧૫૦૦ની પણ પછી આ પ્રકાર ચાલુ થયેલો.
હવે અંતિમ અપભ્રંશ પછીના સમયની ભાષાનાં મુખ્ય વિશેષક સ્વરૂપો જોઈએઃ
હવે અંતિમ અપભ્રંશ પછીના સમયની ભાષાનાં મુખ્ય વિશેષક સ્વરૂપો જોઈએઃ
Line 206: Line 206:
ઉદાહરણઃ ‘કરઇ’નું ‘કરે’, ‘ઘોડઉ’ નું ‘ઘોડો’ ઇત્યાદિ.
ઉદાહરણઃ ‘કરઇ’નું ‘કરે’, ‘ઘોડઉ’ નું ‘ઘોડો’ ઇત્યાદિ.
ગુજરાતી ભાષાની ઉત્પત્તિ શોધનારને તરત જણાશે કે આ ‘અઇ’ – ‘અઉ’ વાળાં રૂપ બહુ જ લાંબા કાળ સુધી ટકી રહી છેક સંવત ૧૭૦૦ સુધી ચાલ્યાં આવ્યાં હતાં; અને તે પછી પણ ‘ઇ’ – ‘ઉ’ એમ રૂપ લાંબો વખત સુધી રહ્યાં. સંવત ૧૭૫૦ પછી ‘એ’ અને ‘ઓ’ એ રૂપાંતર થયેલાં લાગે છે.
ગુજરાતી ભાષાની ઉત્પત્તિ શોધનારને તરત જણાશે કે આ ‘અઇ’ – ‘અઉ’ વાળાં રૂપ બહુ જ લાંબા કાળ સુધી ટકી રહી છેક સંવત ૧૭૦૦ સુધી ચાલ્યાં આવ્યાં હતાં; અને તે પછી પણ ‘ઇ’ – ‘ઉ’ એમ રૂપ લાંબો વખત સુધી રહ્યાં. સંવત ૧૭૫૦ પછી ‘એ’ અને ‘ઓ’ એ રૂપાંતર થયેલાં લાગે છે.
સંવત ૧૫૯૯માં લખાયેલા અમદાવાદના ‘ગ્રહણકપત્ર’ (ઘરેણાખત)માં ‘એણઈ’, ‘છોડવઈ’, ‘છુટઈ’, ઇત્યાદિ સંખ્યાબન્ધ રૂપો ‘અઇ’ જેવા વિશ્લેષ્ટ સ્વરોનો પ્રચાર ત્યાં સુધી ચાલુ હોવાની સાક્ષી પૂરે છે; જો કે સંવત ૧૫૮૨નો “સ્વપ્નાધ્યાય”, ‘બિશિ’, ‘પાલીઇ’, ‘ઊપજિ’, ‘તરિ’, ‘આવિ’ ઇત્યાદિમાં ઇકારમાં રૂપાંતર થયાની ક્રિયા પણ શરૂ થયેલી સૂચવે છે. સંવત ૧૬૦૦ પછીના દસ્તાવેજો વગેરે ‘માથિ’, ‘છિ’, ‘બિશિ’ ઇત્યાદિ રૂપોથી અંકિત છે; સંવત ૧૭૨૮ના દસ્તાવેજમાં પણ ‘બિશિ’ રૂપ છે. સંવત ૧૭૫૦ પછી લખાયેલા ગ્રંથોમાં9 ‘ચિંતવે’, ‘કહેશે’, ‘દેશતણા’, ‘તેને’, ‘તેનો’, ‘કરર્યો’, ‘કરે’ ઇત્યાદિ રૂપો લહિયાઓએ કરેલું ભાષાનું રૂપાંતર સૂચવવાની સાથે એ પણ સૂચવે છે કે તે સમયમાં ‘અઇ’ – ‘અઉ’ને બદલે ‘એ’ – ‘ઓ’ એમ રૂપ રૂઢ થઈ ગયેલાં. માટે સંવત ૧૭૫૦ની સાલની મર્યાદા આ રૂપાંતર માટે રાખવાને બાધ નથી.
સંવત ૧૫૯૯માં લખાયેલા અમદાવાદના ‘ગ્રહણકપત્ર’ (ઘરેણાખત)માં ‘એણઈ’, ‘છોડવઈ’, ‘છુટઈ’, ઇત્યાદિ સંખ્યાબન્ધ રૂપો ‘અઇ’ જેવા વિશ્લેષ્ટ સ્વરોનો પ્રચાર ત્યાં સુધી ચાલુ હોવાની સાક્ષી પૂરે છે; જો કે સંવત ૧૫૮૨નો “સ્વપ્નાધ્યાય”, ‘બિશિ’, ‘પાલીઇ’, ‘ઊપજિ’, ‘તરિ’, ‘આવિ’ ઇત્યાદિમાં ઇકારમાં રૂપાંતર થયાની ક્રિયા પણ શરૂ થયેલી સૂચવે છે. સંવત ૧૬૦૦ પછીના દસ્તાવેજો વગેરે ‘માથિ’, ‘છિ’, ‘બિશિ’ ઇત્યાદિ રૂપોથી અંકિત છે; સંવત ૧૭૨૮ના દસ્તાવેજમાં પણ ‘બિશિ’ રૂપ છે. સંવત ૧૭૫૦ પછી લખાયેલા ગ્રંથોમાં <ref> નમૂના “ગુજરાતી ભાષાનો ઇતિહાસ” (વ્રજલાલ શાસ્ત્રીકૃત), પૃ. ૬૬–૬૭માં જુવો. </ref> ‘ચિંતવે’, ‘કહેશે’, ‘દેશતણા’, ‘તેને’, ‘તેનો’, ‘કરર્યો’, ‘કરે’ ઇત્યાદિ રૂપો લહિયાઓએ કરેલું ભાષાનું રૂપાંતર સૂચવવાની સાથે એ પણ સૂચવે છે કે તે સમયમાં ‘અઇ’ – ‘અઉ’ને બદલે ‘એ’ – ‘ઓ’ એમ રૂપ રૂઢ થઈ ગયેલાં. માટે સંવત ૧૭૫૦ની સાલની મર્યાદા આ રૂપાંતર માટે રાખવાને બાધ નથી.
‘અઇ’–‘અઉ’ અને ‘એ’–‘ઓ’ એ રૂપોની વચ્ચેનો અવાન્તર ક્રમ ‘ઇ’–‘ઉ’ નથી; ‘કરઇ’ અને ‘કરે’ – એ રૂપોની વચ્ચે ‘કરિ’એ રૂપ નથી; વાગ્વ્યાપારની દૃષ્ટિએ તો નથી જ. તે દૃષ્ટિએ તો ‘અય્’ – ‘અવ્’ એ ક્રમ આવે છે, જે વિશે મેં અન્યત્ર ચર્ચા કરી છે (‘ધી ઇન્ડિઅન એન્ટીક્વેરી’, જાન્યુઆરી ૧૯૧૫, પાન. ૧૭-૧૯). પરંતુ સાહિત્યમાં ઇતિહાસદૃષ્ટિએ પણ ‘કરિ’–‘બિશિ’ એ નમૂનાને વચલો ક્રમ માનતાં અચકાવું પડે એમ છે. કેમ કે વાગ્વ્યાપારદૃષ્ટિએ જોતાં ‘એ’–‘ઓ’ તે આ ‘અઇ’ ‘અઉ’ ઉપરથી જ (‘અય્’–‘અવ્’ દ્વારા) આવે. આ કારણથી લાગે છે કે ‘અઇ’ – ‘અઉ’ રૂપ ‘ઇ’-‘ઉ’ ના સમયમાં પણ છેક વિલુપ્ત ન થતાં સામાન્તર અથવા આગળપાછળ ચાલતાં હોવાં જોઈએ. આ વિશે તે સમયનાં લખાણોમાં હજી વિશેષ તપાસની જરૂર છે. પરંતુ ઉપર દર્શાવેલા તત્ત્વને બાધ આવવાનો ભય રાખવાનું કારણ નથી.  
‘અઇ’–‘અઉ’ અને ‘એ’–‘ઓ’ એ રૂપોની વચ્ચેનો અવાન્તર ક્રમ ‘ઇ’–‘ઉ’ નથી; ‘કરઇ’ અને ‘કરે’ – એ રૂપોની વચ્ચે ‘કરિ’એ રૂપ નથી; વાગ્વ્યાપારની દૃષ્ટિએ તો નથી જ. તે દૃષ્ટિએ તો ‘અય્’ – ‘અવ્’ એ ક્રમ આવે છે, જે વિશે મેં અન્યત્ર ચર્ચા કરી છે (‘ધી ઇન્ડિઅન એન્ટીક્વેરી’, જાન્યુઆરી ૧૯૧૫, પાન. ૧૭-૧૯). પરંતુ સાહિત્યમાં ઇતિહાસદૃષ્ટિએ પણ ‘કરિ’–‘બિશિ’ એ નમૂનાને વચલો ક્રમ માનતાં અચકાવું પડે એમ છે. કેમ કે વાગ્વ્યાપારદૃષ્ટિએ જોતાં ‘એ’–‘ઓ’ તે આ ‘અઇ’ ‘અઉ’ ઉપરથી જ (‘અય્’–‘અવ્’ દ્વારા) આવે. આ કારણથી લાગે છે કે ‘અઇ’ – ‘અઉ’ રૂપ ‘ઇ’-‘ઉ’ ના સમયમાં પણ છેક વિલુપ્ત ન થતાં સામાન્તર અથવા આગળપાછળ ચાલતાં હોવાં જોઈએ. આ વિશે તે સમયનાં લખાણોમાં હજી વિશેષ તપાસની જરૂર છે. પરંતુ ઉપર દર્શાવેલા તત્ત્વને બાધ આવવાનો ભય રાખવાનું કારણ નથી.  
(૨) અનન્ત્ય હસ્વ ‘ઇ’ – ‘ઉ’ નું અકારમાં રૂપાંતર;
(૨) અનન્ત્ય હસ્વ ‘ઇ’ – ‘ઉ’ નું અકારમાં રૂપાંતર;
26,604

edits

Navigation menu