પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૩.: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ભાષણ |ગુજરાતી સાહિત્ય...")
 
No edit summary
Line 7: Line 7:
{{Poem2Open}}
{{Poem2Open}}
<center>'''<big>{{Color|Red|[[શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી]]}}</big>'''</center>
<center>'''<big>{{Color|Red|[[શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી]]}}</big>'''</center>
<center>'''<big>{{Color|Red|[[[ઈ.સ. ૧૮૮૭]]]}}</big>'''</center>
<center>'''<big>{{Color|Red|[[ઈ.સ. ૧૮૮૭]]}}</big>'''</center>


પરિષદનું સંમેલન બૃહદ્ ગુજરાતના એક સ્થાન સમા કરાંચીમાં મળ્યું હતું. એ સંમેલનનું પ્રમુખપદ શ્રીયુત મુનશીને વર્યું હતું.
પરિષદનું સંમેલન બૃહદ્ ગુજરાતના એક સ્થાન સમા કરાંચીમાં મળ્યું હતું. એ સંમેલનનું પ્રમુખપદ શ્રીયુત મુનશીને વર્યું હતું.
Line 27: Line 27:
“આ ગુર્જર દેશ જો, ને અાંખ ઠાર. સર્વ સંપત્તિથી ભરપૂર આ તો જાણે સ્વર્ગલોક. કપૂર અને મીઠી સોપારીથી મઘમઘતા પાનથી એના યુવાનોનાં મુખ શોભે છે. વિવિધ દિવ્યાંબરો તે ધારે છે ને પ્રશંસાને પાત્ર બને છે. ચમકતાં રત્નોનાં આભૂષણ તે પહેરે છે. ચંદનથી તેમનાં શરીરો મઘમઘે છે. અને તે રતિ સમી યુવતીઓ સાથે મહાલે છે.
“આ ગુર્જર દેશ જો, ને અાંખ ઠાર. સર્વ સંપત્તિથી ભરપૂર આ તો જાણે સ્વર્ગલોક. કપૂર અને મીઠી સોપારીથી મઘમઘતા પાનથી એના યુવાનોનાં મુખ શોભે છે. વિવિધ દિવ્યાંબરો તે ધારે છે ને પ્રશંસાને પાત્ર બને છે. ચમકતાં રત્નોનાં આભૂષણ તે પહેરે છે. ચંદનથી તેમનાં શરીરો મઘમઘે છે. અને તે રતિ સમી યુવતીઓ સાથે મહાલે છે.
અને અહીંઆની સ્ત્રીઓનું સૌન્દર્ય પણ અનુપમ છે. તપ્ત સુવર્ણનો એમનો રંગ છે; લાલ ને મૃદુ એમના ઓઠ છે; નવપ્રવાલસમાં એમનાં હાથ છે; એમની વાણી અમૃતસમી મીઠી છે; એમનું મુખ છે કમલસમ, ને આંખોમાં છે નીલ કમલનાં તેજો. ગુર્જર યુવતીઓની મોહિનીથી યુવાનો મુગ્ધ બને એમાં શી નવાઈ?
અને અહીંઆની સ્ત્રીઓનું સૌન્દર્ય પણ અનુપમ છે. તપ્ત સુવર્ણનો એમનો રંગ છે; લાલ ને મૃદુ એમના ઓઠ છે; નવપ્રવાલસમાં એમનાં હાથ છે; એમની વાણી અમૃતસમી મીઠી છે; એમનું મુખ છે કમલસમ, ને આંખોમાં છે નીલ કમલનાં તેજો. ગુર્જર યુવતીઓની મોહિનીથી યુવાનો મુગ્ધ બને એમાં શી નવાઈ?
વળી આ લોકો દેશ દેશ ભમે છે, ત્યાંના કૌતુકો જુએ છે, અને અમિત દ્રવ્ય મેળવે છે. ત્યાંથી તે પાછા આવે છે, અને લાંબા વખતથી વિરહોત્કંઠ એવી એમની સતીઓને પાછા મળે છે. આ પ્રમાણે આ ધન્ય લોકો સર્વ સંપત્તિથી સમૃદ્ધ કયું સુખ નથી ભોગવતા? <ref> स एष सर्वसंपदामास्पदतया त्रिदशालयस्यादेश इव गुर्ज्जरदेशश्चक्षुषोः सुखाकरोति।
વળી આ લોકો દેશ દેશ ભમે છે, ત્યાંના કૌતુકો જુએ છે, અને અમિત દ્રવ્ય મેળવે છે. ત્યાંથી તે પાછા આવે છે, અને લાંબા વખતથી વિરહોત્કંઠ એવી એમની સતીઓને પાછા મળે છે. આ પ્રમાણે આ ધન્ય લોકો સર્વ સંપત્તિથી સમૃદ્ધ કયું સુખ નથી ભોગવતા? {{PoemClose}}
 
<ref> स एष सर्वसंपदामास्पदतया त्रिदशालयस्यादेश इव गुर्ज्जरदेशश्चक्षुषोः सुखाकरोति।
अत्र हि-
अत्र हि-
सकूर्परस्वादुक्रमुकनववीटीरसलसन्-
सकूर्परस्वादुक्रमुकनववीटीरसलसन्-
Line 42: Line 44:
संयुज्यन्ते सुचिरविरहोत्कंठिताभिः सतीभिः
संयुज्यन्ते सुचिरविरहोत्कंठिताभिः सतीभिः
सौख्यं धन्याः किमपि दघते सर्वसंपत्समृद्धाः ।।</ref>
सौख्यं धन्याः किमपि दघते सर्वसंपत्समृद्धाः ।।</ref>
<br>
<br>
<center>'''૨'''</center>
{{Poem2Open}}
આ જુદે જુદે સ્થળે વસતા ગુજરાતીઓ આજે શાથી એક બને છે? એમને શું એક બનાવે છે? ગુજરાતીપણું – ગુજરાતીતા – ગુજરાતની અસ્મિતા એટલે શું? એ વધે છે કે ઘટે છે? વધે છે તો કેટલી ને કેવીક વધે છે?
આ અસ્મિતા શબ્દ ૧૯૧૩-૧૪માં હું ‘યોગસૂત્ર’માંથી આપણા ઉપયોગમાં ખેંચી લાવ્યો2, ત્યારથી હું તેના પર વિચાર કરું છું, અને તેને પોષે એવી સામગ્રી એકઠી કરું છું. અમે જન્મે ગુજરાતી છીએ, અમે ગુજરાતી બોલીએ છીએ, અમારા સંસ્કાર ગુજરાતી છે એમ કહ્યે આપણામાં ગુજરાતી અસ્મિતા આવતી નથી. અસ્મિતા જે મનોદશા સૂચવે છે તેના બે અંગ છે: ‘હું છું’ અને ‘હું હું જ રહેવા માગું છું.’ એમાં એક વ્યક્તિત્વની સુરેખ કલ્પના અને એ વ્યક્તિત્વને હસ્તીમાં રાખવાનો સંકલ્પ બન્ને રહ્યાં છે. જ્યારે આપણે ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દો ઉચ્ચારીએ છીએ ત્યારે કયા અને કેવા ગુજરાતની કલ્પના સેવીએ છીએ? ને કયા ગુજરાતને હસ્તીમાં આણવાનો સંકલ્પ કરીએ છીએ?
એક સમય એવો હતો કે જોધપુરની આસપાસની ભૂમિ ગુજરાત – ગુજરત્રા ભૂમિ કહેવાતી, અને અમદાવાદ ગુજરાતની બહાર ગણાતું. એક વાર સાબરમતીની ઉત્તરે ગુજરાત ગણાતું. પણ આજે તો દક્ષિણે મુંબઈ સુધી વિસ્તરે છે. એક વાર શ્રીમાલ, ઝાલોર, વાંસવાડા ને નંદરબાર ગુજરાતનાં મથકો હતાં; આજે તે ગુજરાતની ભૂગોળની બહાર છે, આજે ઉત્તર થાણા અને પશ્ચિમ ખાનદેશમાં ગુજરાતીઓ વસે છે. છતાં તેને કોઈ ગુજરાત ગણતું નથી. આશ્ચર્યની વાત એ છે કે કાઠિયાવાડ અને કચ્છને ય ગુજરાત બહાર ગણાવનારા કેટલાક છે. કરાંચી ને કલકત્તામાં હજારો ગુજરાતીઓ વસે છે અને તો ય તે ગુજરાતમાં છે, એમ માનવા મથે છે. એટલે સ્થળની ગુજરાતની સીમાઓ બાંધવી એ અયોગ્ય છે. હું તો માનું છું અને કહું છું કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ એ ગુર્જર રાષ્ટ્રકવિની કેવળ કલ્પના નથી, પણ વાસ્તવિક અને વ્યવહારિક સત્ય છે.
પરંતુ ‘જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ કહેવામાં કદાચ વાસ્તવિક સત્ય નથી. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સદીઓ થયાં વસતા ગુજરાતીઓ ગુજરાતી નથી બોલતાં. ઝાલોર ને વાંસવાડા, ઇડર અને શ્રીમાલમાં આજે મારવાડી વધારે બોલાય છે, છતાં એમાં વસતા ગુજરાતીઓ નથી એમ કોણ કહેશે? – કેમ કહેવાશે? ગુજરાતીનું પ્રાધાન્ય એ ગુજરાતનું મુખ્ય લક્ષણ મનાય. પણ એ પ્રાધાન્ય ન હોય ત્યાં ગુજરાત નથી એમ કેમ કહેવાય? ત્યારે પ્રશ્ન થાય છે કે ‘ગુજરાત’ એટલે શું? ત્રીસ વર્ષના મનને હું એની વ્યાખ્યા આપું. એની રાજકીય કે ધાર્મિક એકતામાં એનું મૂળ નથી; એનું મૂળ હિંદી સંસ્કારને લાક્ષણિક રીતે જીવનમાં ઉતારવાની કલામાં છે.
પણ ગુજરાતને સીમાડા નથી. ‘ગુજરાત’ એક જીવંત અને જાગ્રત વ્યક્તિ છે – જે પોતાને એક કલ્પવામાં, પોતાનું અસ્તિત્વ એક દૃઢ સંકલ્પ દ્વારા સરજવામાં જીવનસાફલ્ય સમજે છે. એ ગુજરાતીઓનું બન્યું છે ખરુંઃ પણ એ માત્ર માનવીઓનો સમૂહ નથી. જ્યાં ગુજરાતીઓ ‘ગુજરાત’ છે ને રહેશે એવી નિર્ણયાત્મક કલ્પના સેવી એકઠા મળે છે ત્યાં ગુજરાતની હસ્તી છે જ. ગુજરાત વિસ્તરે છે જ્યાં ગુજરાતીઓ પોતાની ઇચ્છાશક્તિ અને સંકલ્પબળથી એને સરજે છે ત્યાં. ‘ગુજરાત’ તો એક ભાવનાઘડી પણ જીવંત સાંસ્કારિક વ્યક્તિ છે. ગુજરાતના વ્યક્તિત્વના ભાનથી પ્રેરાઈ એનું વ્યક્તિત્વ સિદ્ધ કરવાનો જેણે સક્રિય સંકલ્પ કર્યો હોય તેનામાં ગુજરાતની અસ્મિતા હોય.
આ વ્યક્તિત્વના ઘડતરમાં પર્વત ને નદીઓનું સ્થાન ગૌણ છે. મુખ્ય સ્થાન તો જે મહાપુરુષોએ ગુજરાતની આ ભાવના સરજાવી છે તેમનું છે. તેમના પ્રરાક્રમો અથવા સાહિત્યકૃતિઓ ગુજરાતીઓની કલ્પના અને ઇચ્છાને કેન્દ્રસ્થ કરે છે. તે ઇતિહાસ કે સિદ્ધાન્ત રચી જાય છે, ઉત્સાહ અને આનંદ પ્રેરે છે, ગૌરવકથાઓનાં મંડાણ માંડે છે અને ગુજરાતનું સૂક્ષ્મ શરીર બાંધી જાય છે.
<br>
<br>
<center>'''૩'''</center>
ઇતિહાસના પ્રવાહમાં આવા મહાપુરુષોમાં પ્રથમ તો એ સિદ્ધરાજ જયસિંહ. એણે સામ્રાજ્ય સ્થાપ્યું, પાટણને વિદ્યાનું કેન્દ્ર બનાવ્યું, પોતાની કીર્તિગાથાથી લોકસાહિત્યને સમૃદ્ધ કર્યું. ગુજરાત એક છે, મહાન છે, વંદનીય છે એ ભાવના ઉપજાવવાની સામગ્રીઓ એણે સરજી. પણ જો કોઈએ ગુજરાતને સસંકલ્પ જીવંત વ્યક્તિ તરીકે કલ્પવાનો પહેલો પ્રયત્ન કર્યો હોય તો તે ધંધુકાના મોઢ વાણિયાએ, ગુજરાતનાં સાહિત્યસ્વામીઓના શિરોમણિએ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિએ. એનું ‘કુમારપાલચરિત્ર’ પાટણની મહત્તાની ભાવનામાંથી ગુજરાતની અસ્મિતા પ્રગટાવવાનો પહેલો પ્રયત્ન. આ જ્યોતિર્ધરના તેજથી વસ્તુપાલ અને તેજપાલના કાળમાં અનેક કવિઓએ પોતાની કૃતિઓને ઉજ્જવળ કરી.
આજે આપે અવસર આપ્યો છે તો કહેવાની તક લઉં છું કે કોઈક દિવસ આ વિદ્યાનિધિનાં સ્મરણો સતેજ રાખતી પ્રવૃત્તિ સાહિત્ય પરિષદ આદરશે અને પાર ઉતારશે ત્યારે જ તે ઋણમુક્ત કહેવાશે.
પણ પછી પાટણ પડ્યું અને ગુજરાતની ભાવના ઘડીભર નષ્ટ થઈ ગઈ. પર હસ્તે ગયેલું ગુજરાત, વીખરાઈ ગયેલી એની વિદ્વત્તા, થરથર કાંપતો એનો જનસમૂહ જેમ તેમ જીવન વીતાડવા લાગ્યાં. છતાં સારે નસીબે માણભટોએ ગુજરાતી ભાષાને જીવતી રાખી અને સમૃદ્ધ કર્યા કરી. છતાં સત્તરમા સૈકાના મધ્ય સુધી એમની કૃતિઓમાં ગુજરાતી અસ્મિતા દેખા દેતી નથી.
આશરે ૧૬૪૫માં ‘હારમાળા’ રચાય છે. સાહિત્યરસિકો ‘મહેતાજી’ તરફ આકર્ષાય છે, એમના જીવન અને કવનના પરિચયમાં આવવા પ્રયત્ન કરે છે, અને પરિણામે એમના કેટલાક જીવનપ્રસંગો વિશે સાહિત્ય સરજવા માંડે છે. આ બધામાં મુખ્ય કવિ પ્રેમાનંદ. એમણે મહેતાજી જીવનગાથા ગાઈ; એમની ‘હારમાળા’, ‘હુંડી’, ‘શ્રાદ્ધ’ ને ‘મામેરાં’ વડે ગુજરાતીઓની કલ્પના જૂનાગઢના ભક્તશિરોમણી પર એકાગ્ર બની, ઢળી અને અણજાણી એ કલ્પનામૂર્તિની આસપાસ ગુજરાતીની અસ્મિતાનો આછો આભાસ નીરખવા લાગી.
વળી પાછી ભરતી પછીની ઓટ આવી. ફરીથી દોઢસો વર્ષોનું આવરણ છવાયું – જ્યાં સુધી નર્મદ આવ્યો ત્યાં સુધી. ઓગણીસમી સદીના મધ્યમાં જ્યારે કેળવણીની કેવળ શરૂઆત હતી અને રાષ્ટ્રીયતા તો જન્મી નહોતી ત્યારે આ ઉત્સાહઘેલા, અધીરા, યૌવનભર્યા વીરે ગુજરાતી સાહિત્યનું મંથન કર્યું ને નવરત્નો કાઢ્યાં. એણે ઇતિહાસ ખંખોળ્યો ને ગુર્જરવીરોની કથાઓ એકઠી કરી; એણે જીવન સંશોધ્યું અને ગુજરાતનાં સામાજીક લક્ષણોની ચર્ચા કરી. એની જ્વલંત કલ્પના થકી ગુજરાત ઊભું થયું – ભૌગોલિક નહીં, પણ ભૂત મહત્તા અને વર્તમાન વિશિષ્ટતાથી સમૃદ્ધ ચેતનવંત વ્યક્તિ – અને જીવનભર સેવેલી અસ્મિતાને શબ્દોમાં ઉચ્ચારીઃ {{Poem2Close}}
<Poem>
'''“જય જય ગરવી ગુજરાત!”'''
</Poem>
{{Poem2Open}}
નર્મદનાં અનેક ઋણોમાં આ પણ એક નાનુંસૂનું નથી. ઉચ્ચારતાં હૈયું થનગન થાય એવા આ ચાર શબ્દો ગુજરાતી અસ્મિતાને પ્રાણ સમા પ્રિય અને પ્રેરક છે.
નર્મદ અને એના સમકાલીનોના પ્રયાસોથી આ અસ્મિતા સાહિત્યમાં અમર સ્થાન પામી ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ અને વિસ્તાર વધતાં કેળવાયેલા ગુજરાતીઓ બે પાંચ સાહિત્યકારો પ્રતિ એકાગ્ર દૃષ્ટિ રાખતાં શીખ્યાં. જનતા આગળ ‘સધરા જેસંગ’ ને ‘વનરાજ ચાવડા’–ની કથાઓ દ્વારા ભૂત મહત્તા સજીવન કરવાના પ્રયત્ન શરૂ થયા. ‘ગુજરાત’ – એક, અવિભાજ્ય, અભેદ્ય અને અજરામર – જીવંત વ્યક્તિરૂપે – કલ્પનામાં ને ભાવનામાં સરજાવા લાગ્યું.
આ ભાવનાના ઘડતરમાં કાળે કરીને બીજાં પણ કેટલાંક તત્ત્વોએ સારો ભાગ ભજવ્યો છે.
નર્મદ પછી તો ઘણા ગુજરાતીઓએ આ ભાવના સાહિત્ય દ્વારા વ્યક્ત કરી છે. ‘ગુણવંતી ગુજરાત’3 ‘ધન્ય હો ધન્ય જ પુણ્યપ્રદેશ, અમારો ગુણિયલ ગુર્જર દેશ’4 ‘જય ગાઓ, જય ગાઓ, ગુર્જર ગિરાનો જય ગાઓ’5 ‘ગુજરાત મોરી મોરી રે’6 ‘આમ આ ભાવના પૂરેપૂરી પોષાઈ છે. નવલકથાકારોએ સરજેલાં ગુજરાતી વીરોના કાલ્પનિક વ્યક્તિત્વે એને આશ્રયસ્થાન પૂરું પાડ્યું છે. સાહિત્ય ને સંસ્કારના સંશોધનથી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. સામુદાયિક પ્રવૃત્તિઓમાં સાથે કામ કરતા કેટલાય ગુજરાતીઓએ અસ્મિતાનો સાક્ષાત્કાર કેળવ્યો છે. આ અસ્મિતાની અજબ ભાવનાને પોષવા સ્વ. રણજીતરામ આ પરિષદની સંસ્થા સ્થાપી ગયા. ગુજરાતીઓ ગુજરાત સરજે એ એમના જીવનની મહત્ત્વકાંક્ષા હતી.
પણ આવી ભાવના જો પ્રાંતીયતાની સિદ્ધિ સારુ સેવાય તો તે જરૂર સંકુચિત બને, અને રાષ્ટ્રવિધાનની આડે આવે. હિંદ જેવા વિશાળ દેશમાં જ્યાં સામાજિક અને ધાર્મિક ભેદોના ઢગલા પડ્યા હોય ત્યાં પ્રાંતિક પ્રેમની નિસરણી દ્વારા જ રાષ્ટ્રીયતાની સિદ્ધિને પહોંચાય – જો આ ભાવો પરસ્પર વિરોધી ન હોય તો.
હિંદથી અલગ ગુજરાતનું અસ્તિત્વ ન હોવું જોઈએ, ન હોઈ શકે. એ મહારાષ્ટ્ર સાથે, સિંધ સાથે, મારવાડ ને રાજપુતાના સાથે નિકટ સંબંધે સંકળાયેલું છે. રાષ્ટ્રીયતા જે વર્તમાન પર શાસન કરે છે તે તો ચિરકાલ ચાલવાની, અને બધી પ્રાંતિક વિશિષ્ટતા હિંદની પ્રચંડ એકતામાં ભળી જાય તો જ જીવનસાફલ્ય પ્રાપ્ત કરશે.
અને ગુજરાતી અસ્મિતાએ આ સાફલ્ય પ્રાપ્ત કર્યું છે, તે ગાંધીજીને પ્રતાપે. આ વૈષ્ણવજન, રાષ્ટ્રવિધાયક દિવ્યદર્શી મહર્ષિએ રાષ્ટ્રસેવાને ગુજરાતીઓનો ધર્મ બનાવી તેમને વ્યવસ્થિત અહિંસાત્મક રાષ્ટ્રીય વિગ્રહની શક્તિનો અને કીર્તિનો ઓપ આપ્યો છે. રાષ્ટ્રીયતાને ગુજરાતી અસ્મિતાનું લક્ષણ બનાવી જે વિરોધી ભાવનાઓ થાત તેનું સમીકરણ કર્યું છે. એમનું પ્રચંડ વ્યક્તિત્વ, એમનું રાષ્ટ્રવિધાન, એમનાં દિગંતગામી પરાક્રમો અને એમની સંજીવની પ્રેરણાથી રાષ્ટ્રીય ઇચ્છાશક્તિના અંગભૂત થવું ગુજરાતીને સરળ થઈ પડ્યું છે. ગુજરાતીની અસ્મિતા આમ રાષ્ટ્રીય આત્મસિદ્ધિનું પગથિયું બની રહે છે.
પોતાની ભાષા ને સાહિત્ય, પોતાના સંસ્કાર ને જીવનને અસ્મિતા વડે સજીવન કરતો ગુજરાતી રાષ્ટ્રધર્મનો સાક્ષાત્કાર કરે છે. એ સંકલ્પ વડે ‘ગુજરાત’ને જીવંત કરે છે; ‘રાષ્ટ્ર’માં એને વિલુપ્ત કરી દેવા માટે – જેમ યોગી સમાધિ આદરે છે, પોતાના આત્મને પરબ્રહ્મમય બનાવી દેવા માટે – તેમ.
{{Poem2Close}}
<br>
<br>
<center>'''૫'''</center>
{{Poem2Open}}
આ અસ્મિતા સાહિત્યને કેમ પ્રેરે છે તે તપાસતાં પહેલાં, ફરીથી, એ કેવી રીતે વ્યક્ત થાય છે તે તપાસીએ.
૧ગુજરાતીઓની ભાષા ને સાહિત્ય, સંસ્કાર, પરાક્રમ ને પ્રવૃત્તિનો આપણે વિચાર કરીએ છીએ.
૨ આપણી જ કલ્પનાવડે સમસ્ત ગુજરાતીઓના બન્યા ‘ગુજરાત’ને આપણા મન આગળ રાખતાં શીખીએ છીએ.
૩ ગુજરાતને હિંદી રાષ્ટ્રના એક અવિયોજ્ય અંગ તરીકે જ કલ્પીએ છીએ.
૪ આપણી સામુદાયિક એકતા જેમાં મૂર્તિમાન થઈ છે એવી ‘ગુજરાત’ની ભાવના પર એકાગ્ર ચિત્તે ધ્યાન કરતાં આપણા આચાર, વિચાર ને સંકલ્પ આ ભાવનાથી જ પ્રેરાય છે.
૫ પરિણામે આ ભાવના સેવતા ને સમૃદ્ધ કરતા ગુજરાતીઓનો સંઘ મોટો થતો જાય છે.
૬ એવું સાહિત્ય પ્રગટે છે કે જેથી આ ભાવના પ્રસરે, એ સક્રિય સંકલ્પમાં પરિવર્તન પામે, અને એ ભાવનાથી પ્રેરાયેલા ગુજરાતીઓની ઇચ્છાશક્તિઓ એક જ જાળીના વણાટમાં ગુંથાઈ જાય.
૭ એ ભાવનાની સિદ્ધિ અર્થે સેવેલી સંકલ્પજન્ય સામુદાયિક પ્રવૃત્તિઓ શરૂ થાય છે કે જેથી એકતાનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે.
૮ આ ભાવનાની જ્યોત કાયમની જળે અને ઇચ્છાશક્તિઓનું ગૂંથણ સરળ બની સમગ્ર ઇચ્છાશક્તિ – ‘કલેક્ટિવ વીલ’ – પ્રભાવશાળી બને માટે સામુદાયિક યુયુત્સુતા કેળવાય છે, આદરેલો વિગ્રહ ભલે બળનો, હોય જ્ઞાનનો, રસનો હોય કે નીતિનો. એમાં સમાઈ જતી કલ્પના, સંકલ્પ ને સિદ્ધિ દરેક માણસ પોતાના વ્યક્તિત્વના બળ વડે જ પ્રાપ્ત કરી શકે છે.
‘ગુજરાત’ ને ‘રાષ્ટ્ર’ની મહાવ્યક્તિ સરજવાની શક્તિમાં દરેક માણસની ઇચ્છાશક્તિનો હેતુપૂર્વક સ્વીકારાયેલો પ્રયત્ન રહ્યો છે. આજ વસ્તુ આપણા પૂર્વજો વચ્ચેનો, તેમ જ આપણા જૂના સમુદાયો અને આજના સમુદાયો વચ્ચેનો મૌલિક ફેર બતાવે છે. આપણા પૂર્વજો અનિચ્છાએ સામુદાયિક ભાવનાના અંગ બની રહેતા; આપણે સંકલ્પપૂર્વક આપણને જોઈતી સામુદાયિક ભાવના સરજી શકીએ છીએ.
જૂના સમુદાયો સમયના પ્રવાહમાં પેઢીધર કેળવેલા આચારવિચારથી અને વ્યક્તિગત સર્જકતાના અભાવથી ચાલ્યા કરતા. બ્રાહ્મણ જન્મે થવાય; બ્રહ્માણને પોતાના સમૃદ્ધ માટે ગર્વ હોય; પણ બ્રાહ્મણત્વના ખોખામાં એ જન્મે, જીવે ને મરે; અને પોતાના આચારવિચાર માટે તે પ્રાણ પણ આપે તો તે વારસામાં મળેલા બંધનોને બળે જ. બ્રાહ્મણમાત્રના બન્યા વિરાટપુરુષની કલ્પના તે સેવતો નથી, અને સ્વતંત્ર પ્રયત્ને તેને જીવંત સ્વરૂપ આપતો નથી.
આજના સમુદાયો સ્વતંત્ર વ્યક્તિઓની અંગત કલ્પના દ્વારા સર્જાય છે, ને વ્યક્તિગત સંકલ્પ ને ઇચ્છાશક્તિને બળે જીવંત રહે છે.
‘ગુજરાત’ ને ‘રાષ્ટ્ર’ બંને વ્યક્તિગત કલ્પના, સંકલ્પ ને શક્તિઓનાં ગૂંથણથી પ્રગટે છે. એ બધાનો પાયો ને આશ્રય વ્યક્તિ છે, સમૂહ નથી.
અવિચળ એવા આ સત્યને કોઈ ઝાંખે એમ નથી. વ્યક્તિના વિકાસ વિના સૌંદર્ય નથી, સમૃદ્ધિ નથી, સામુદાયિક બળ નથી જ્યાં એ વિકાસને અવકાશ નથી ત્યાં જીવન નથી, પણ મૃત્યુની નિશ્ચેતન સમાનતા પ્રસરે છે.
ગયા સૈકામાં પ્રચલિત હતા તે વ્યક્તિવાદે માત્ર વ્યક્તિ પર ભાર મૂક્યો, ને વ્યક્તિત્વની ગૂંથણી ધ્યાનમાં ન રાખી. પરિણામે રાષ્ટ્રીય બળ ઘટ્યું, અને તેથી કેટલાક આજે કોઈ પણ પ્રકારે મેળવેલા સામુદાયિક બળની પૂજા કરી રહ્યા છે. પણ જે સામુદાયિક બળ વ્યક્તિઓના અંગત સંકલ્પની નથી રચાયું તે ગુલામોના જૂથના બળ જેટલું પાશવ છે ને તેટલું જ ટૂંકજીવી છે.
<br>
<br>
<center>'''૬'''</center>
વ્યક્તિત્વને સાહિત્ય ને કલા જોડે ગાઢ સંબંધ છે. બધું સરસ સાહિત્ય, ગમે તે કાલમાં કે સમુદાયમાં, પ્રખર ને સમૃદ્ધ વ્યક્તિત્વમાંથી જ ઝરે છે. જો નરસિંહ મહેતાનું વ્યક્તિત્વ ઘર છોડી, ગાંડા બની, ભગવાન ભજવામાં સાફલ્ય ન માનત, જો મધ્યકાલીન રજપૂત સંસારની શૃંખલાઓ ભેદી, સાધુડી બની દ્વારિકા નાસી જવાનું મીરાંમાં વ્યક્તિત્વ ન હોત તો એમના મુખમાંથી સદીઓ સુધી દઝાડતો ઊર્મિપ્રવાહ ક્યાંથી નીકળત? જે કવિ સૃષ્ટિનું મધ્યબિંદુ પોતાના વ્યક્તિત્વ પર નથી ઠેરવી શક્યો તેની કલ્પના સરસતાનું દર્શન નથી કરી શકતી; તેનામાં સર્જકતા હોય તો યે નિર્બલ ને રોગિષ્ટ; તેની કલ્પના ચિરંજીવ સંતાન જન્માવી શકતી નથી. બધી સરસતા સમૃદ્ધ ને વિવિધરંગી વ્યક્તિત્વમાંથી જન્મે છે અને તેના વિકાસથી ખીલે છે.
તેવી જ રીતે સાહિત્યમાં સરસતાનું માપ પણ તેમાં પ્રતિબિમ્બિત થતા વ્યક્તિત્વ ઉપરથી નીકળે છે. આ વ્યક્તિત્વ બે રીતે દેખાય છેઃ અપરોક્ષ સ્વાનુભવ-કથનથી ને પરોક્ષ-પાત્રલેખનથી. મીરાંબાઈ ને દયારામ, અણછૂટકે ભજન ગાતાં, સ્વાનુભવકથન કરે છે ને વ્યક્તિત્વનું દર્શન કરાવે છે; નરસિંહ ‘સુરતસંગ્રામ’માં રાધાનું પાત્ર ચીતરતાં તેને આછું આછું વ્યક્તિત્વ આપે છે પણ આપણા જૂના સમુદાયમાં વ્યક્તિત્વ અક્ષમ્ય ગણાતું; તેથી તે સાહિત્યકારોનું જે વ્યક્તિત્વ તેમની કૃતિઓમાં દેખાય છે તે સહેતુક નથી નરસિંહ મહેતા, મીરાંબાઈ ને દયારામે હૃદયોદ્ગાર ઊભરાઈ જતાં કૈંક વ્યક્તિત્વ દેખાડ્યું. પણ ભાલણનું ક્યાં? પ્રેમાનંદનું ક્યાં? અને પરોક્ષ પાત્રલેખનમાં તો એ ક્યાંથી બતાવાય?
એટલે –
૧ જે સમુદાયમાં વ્યક્તિનો વિકાસ ન હોય ત્યાં સાહિત્યમાં વ્યક્તિત્વદર્શન બહુ જ થોડું હોય છે અને તે પણ નછૂટકાનાં ઊર્મિકથન રૂપે જ;
૨ તે સમુદાયમાં પરોક્ષ-પાત્રલેખનમાં જીવંત વ્યક્તિત્વ નહીં જેવું હોય છે. આ પરોક્ષ રીતે કરેલું પાત્રલેખન કાં તો (૧) કોઈ ગુણના પ્રતીકરૂપે કરવામાં આવે છે કે (૨) સામાજિક આદર્શના બીબાંરૂપે;
૩ અને જે સમુદાયમાં વ્યક્તિત્વના વિકાસને અવકાશ હોય ત્યાં ઊર્મિકથન દ્વારા વ્યક્તિત્વ સહેલાઈથી દર્શાવાય છે અને પાત્રલેખનમાં વ્યક્તિત્વનિરૂપણ સરસ થાય છે.
હું પરોક્ષ વ્યક્તિત્વનિરૂપણ પર આટલો ભાર મૂકું છું, કારણ કે તેમાં સાહિત્યકાર સર્જકતાની કસોટી છે. આત્મોર્મિનું કથન એ તો પંખીના કિલકિલાટ જેવું પણ નૈસર્ગિક ને પ્રયત્નહીણું હોય છે; એનો ઊભરો તો બહાર પડે ત્યારે જ શમે. પરોક્ષ પાત્રાલેખનમાં લેખકની સર્જકતા સર્જનહારની શક્તિનું પ્રતિબિમ્બ ઝીલે, અને શબ્દો દ્વારા જીવંત સૃષ્ટિ નજર આગળ સર્જી મૂકે છે. આથી જ ઊર્મિકથન કરતાં નાટક સાહિત્યનું સ્વરૂપ વધારે સુંદર છે, જેમ સંગીતથી શિલ્પ ને ચિત્રકલા છે તેમ. તેથી જ બધા મહાન કલાસ્વામીઓએ ‘ઓબ્જેક્ટિવ કીયેશન’માં – પરોક્ષ સર્જનમાં – કૃતકૃત્યતા માની છે.
જ્યારે આચાર કે બળથી સમુદાય બંધાયેલો હોય ત્યારે સાહિત્યમાં મનુષ્યનું દર્શન પ્રતીક કે બીબાંરૂપે થાય છે. જ્યારે વ્યક્તિત્વનો વિકાસ શરૂ થાય ત્યારે વ્યક્તિત્વનિરૂપણમાં વાસ્તવિકતા આવતી જાય છે અને ત્યારે પરોક્ષ સર્જન દ્વારા સાહિત્ય સરસતાની ઊંચી કક્ષા પર ચઢે છે.
આપણા સંસ્કૃત સાહિત્યમાં વ્યક્તિત્વનિરૂપણ ઘણે ભાગે બીબાંરૂપ છે. ‘મહાભારત’માંના કેટલાક ભાગને ‘મૃચ્છકટિક’ જેવા અપવાદ છે ખરા; પણ થોડા જ. આથી નાટકો માત્ર નાટકરૂપી કવિતાઓ – ‘ડ્રામેટીક પોએમ્સ’ – બને છે. વંશપરંપરાગત રચાયેલા સમુદાયનું આ પરિણામ છે.
ગ્રીસમાં પહેલેથી વ્યક્તિત્વના વિકાસ માટે સંપૂર્ણ અવકાશ હતો. મનુષ્ય મનુષ્યરૂપે માન પામતો, માત્ર સમુદાયના અંગરૂપે નહીં. તેથી જ ત્યાં લોકશાસનનાં બી સૌથી પહેલાં નખાયાં, તેથી જ ગ્રીક સાહિત્ય ને કલા એ અદ્ભુત સમૃદ્ધિ પ્રાપ્ત કરી. સર્વે કલાના સત્ત્વરૂપ નાટકે પણ ત્યાં જ અપૂર્વતા પ્રાપ્ત કરી. ગ્રીક સાહિત્યકારોની કૃતિઓનું પરોક્ષ વ્યક્તિત્વ નિરૂપણ આજે પણ જીવંત નરનારીઓની સૃષ્ટિ નજર આગળ ઊભી કરે છે.
ગુજરાતી સાહિત્યમાં પહેલેથી વ્યક્તિવિકાસનો અભાવ જોવામાં આવે છે. હરિભદ્રની ‘સમરાઇચ્ચાકહા’ (ઈ.સ. ૭૫૦) ગુજરાતીએ લખેલી એક જૂનામાં જૂની વાર્તા છે. એમાં પાત્રો માત્ર ગુણનાં પ્રતીક છે. ગુણસેન રાજા સદ્ગુણનું સ્વરૂપ, અને અગ્નિશર્મા બ્રાહ્મણ નીચના ને ક્રોધનું સ્વરૂપઃ બેમાંથી એકેયને વ્યક્તિત્વ જ ન મળે. ‘ઉપમિતિભવપ્રપંચકથા’ (ઈ.સ. ૯૦૬)માં સદ્ગુણો ને દુર્ગુણો જ, મનુષ્યના નામ નીચે, વિહરે છે.
હેમચંદ્રાચાર્ય જેના અધિષ્ઠાતા હતા એવા યુગમાં – હેમયુગમાં – ગુજરાતમાં અનેક કાવ્યો ને નાટકો લખાયાં, કલાએ અનેક સર્જનાત્મક પ્રયત્નો કર્યાં, પણ પાત્રને વ્યક્તિત્વ આપવા તરફ નજર ન ગઈ તે ન જ ગઈ. એ નાટકો આજે રસથી વાંચવા અઘરાં થઈ પડે તેમાં કૈં નવાઈ? પૌરાણિક આખ્યાનોમાં, સામાજીક કથાઓમાં એક રાજા ને બીજા વચ્ચે, એક સ્ત્રી ને બીજી વચ્ચે એક નગરશેઠ ને બીજા વચ્ચે માત્ર નામનો જ ફેર. બધાં માત્ર ‘ટાય્પ્સ’ – નિશ્ચેતન બીબાં! ‘સુતરસંગ્રામ’ની રાધા ને પ્રેમાનંદના કેટલાંક પાત્રોને કવિ સર્જકતાના આવેશમાં આછું આછું વ્યક્તિત્વ આપે છે, પણ તેને સૌંદર્યવિધાનનું મૂળ બનાવવાનો પ્રયત્ન નથી.
પણ નર્મદથી નવું વિશ્વ રચાતું થયું. ઊછળતો, કાદવ ઉછાળતો આવ્યો વ્યક્તિવાદ. માનવસૃષ્ટિનું મધ્યબિંદુ સમૂહ નહીં પણ વ્યક્તિ થઈ. પોતાના વિચારો, અનુભવો અને આચાર દરેકને ઘડવાનો અધિકાર હતો, એટલું જ નહિ; પણ તેને પોતાના જ રાખવા એ એનું પ્રથમ ને અનિવાર્ય કર્તવ્ય મનાયું. આ દૃષ્ટિથી ઉચ્છ્ંખલતા આવી, સ્વચ્છંદ આવ્યો ને બેપરવાઈ આવી; સાથે સ્વાનુભવી સાહિત્ય પણ આવ્યું. પોતાના વ્યક્તિત્વમાં આત્મશ્રદ્ધા ઊગી, કલા ને સાહિત્યમાં પ્રાણ આવ્યો; સાથે પોતાની કલ્પના ને સંકલ્પ વડે ગુજરાતનું સામુદાયિક વ્યક્તિત્વ રચવાની હિંમત પણ આવી. ગુજરાતીઓએ પોતાના ધર્મ ને સમાજનાં બંધનો શિથિલ કરી, પોતાની કલ્પનાના બળ વડે, બધા ગુજરાતીઓ જોડે કંઠી બાંધી, નવી એકતા સર્જવા માંડી. આમ વ્યક્તિત્વ વંશપરંપરાગત સામુદાયિક બંધનોમાંથી છૂટું થવા માંડ્યું અને સ્વેચ્છાથી નવાં જીવંત બંધનો બાંધવા લાગ્યું.
સાહિત્યમાં આ દૃષ્ટિબિંદુએ નવું ચેતન આણ્યું. પ્રતીકથી બીબુંઃ બીબાંથી વ્યક્તિ. સામાન્ય અનુભવની વિશિષ્ટ સ્વાનુભવઃ એકધારા સાહિત્ય સ્વરૂપોને બદલે વ્યક્તિગત સ્વરૂપાંતરઃ સમશીલતાને બદલે વૈવિધ્ય. આ આપણા સાહિત્યવિકાસનો ક્રમ થયો.
ગુજરાતમાં વ્યક્તિત્વવિકાસને અવકાશ નહોતો, સાહિત્યકારની દૃષ્ટિએ વ્યક્તિત્વની કિંમત ઘણી ઓછી હતી અને તેના સમૃદ્ધ નિરૂપણમાં રહેલી સરસતા પારખવાની શક્તિ ગુજરાતીઓમાં હતી નહીં. આ કારણોને લીધે અહીં સદીઓ થયાં નાટકનું નામ ને નિશાન ન હતાં. સ્વ. રણછોડભાઈ ઉદયરામે અર્વાચીન નાટકની પ્રણાલી આરંભી, પણ એનું મૂળ તત્ત્વ તેમની કલાદૃષ્ટિની બહાર રહી ગયું.
અર્વાચીન ગુજરાતી સાહિત્યની પહેલી બે જીવંત વ્યક્તિઓ – નવ વસંતનાં પહેલાં બે મઘમઘતાં કલ્પનાપુષ્પો – તે સરસ્વતીચંદ્ર અને કુમુદઃ સાક્ષરશ્રી ગોવર્ધનરામની નવલકથાના એ બે અમર સ્તંભો. એના પહેલા ભાગમાં એ હસતાં, રડતાં, ઇચ્છા ને સિધ્ધાન્ત વચ્ચે ઝોલાં ખાતાં જીવતાં મનુષ્યો આપણા નિકટબાંધવો સમાં આપણા જીવનમાં વણાઈ જાય છે. એમનાં ટપકતાં અશ્રુઓ આપણને ભીંજવે છે, એમના પ્રેમ ને કર્તવ્યની જ્યોત આપણને હૂંફ આપે છે.
છેલ્લાં ત્રીસ વર્ષોમાં ગુજરાતમાં વ્યક્તિ સામુદાયિક પરાધીનતામાંથી છૂટી થઈ, વિકાસનાં ક્ષેત્રો શોધતી ચાલી છે. ન્યાતોના બંધન શિથિલ થયાં, કુટુંબની ઘટના બદલાઈ ગઈ. લગ્નની ગ્રંથિ પર ગુલામગીરીની મુદ્રા હતી તે ખરી પડીઃ સ્ત્રીઓના સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર થયો. પ્રેમે જનતાની કલ્પના મુગ્ધ કરી. સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં પ્રેમની ભાવના વ્યક્તિસ્વાતંત્ર્ય પર રચાઈ છે. પોતે જાતે ન સ્વીકાર્યા હોય એવાં સામુદાયિક બંધનોની એ વિઘાતક છે. કારણ કે એનો આખો ખ્યાલ ને કલ્પના વ્યક્તિગત છે, જીવનમાં અને સાહિત્યમાં એને સ્થાન મળ્યે મનુષ્ય મનુષ્ય તરીકે સ્થપાય છે. આ બધાં વ્યક્તિત્વવિકાસનાં સીમાચિન્હો છે.
જેમ આ વિકાસ વધ્યો તેમ વ્યક્તિત્વનિરૂપણ સમૃદ્ધ થતું ગયું. આ સદીની શરૂઆતમાં બે પાત્રો નવા સ્ત્રીત્વનું દર્શન કરાવે છેઃ શ્રી ગોવર્ધનરામની કુસુમ ને કવિ નાનાલાલની જયા – બંને સ્ત્રીઓ બંડખોર, વ્યક્તિત્વશીલ ને તેજસ્વી. શ્રી. રમણભાઈનો ભદ્રંભદ્ર, અવિસ્મરણીય ને આડંબરધારી, શ્રી. ધૂમકેતુનો ભૈયાદાદા ને શ્રી. રામનારાયણ પાઠકની ખેમી, અને શ્રી. દવે ને શ્રી. ધનસુખલાલનાં વિપિન ને નિર્મળા – બધાં આબેહૂબ મનુષ્યો, ઝીણી મોટી શક્તિ અને અશક્તિઓની જીવંત ને ચેતનવંત વ્યક્તિએ. હું તો વ્યક્તિત્વનિરૂપણનો જ રસિયો રહ્યો છું. જીવંત સ્ત્રીપુરુષો ચીતરાયાં છે કે નહી એ સિવાય મને બીજી પરવા જ નથી.
મનુષ્યના વ્યક્તિત્વનું સર્જન આમ સમૃદ્ધ થયે કલાદૃષ્ટિ વિશુદ્ધ થતી ગઈ છે. પણ જેને આપણે સ્વજનથીયે નિકટ ગણીએ એવાં કેટલાં પાત્રો આપણી કલ્પનાસૃષ્ટિમાં જીવતાંજાગતાં બેઠાં છે? વ્યક્તિત્વમાં આપણો રસ એટલો નથી વધ્યો. આપણે ત્યાં નવલકથા લોકોને રુચે છે પણ નાટક પર પ્રીતિ નથી, એ કોઈ પણ પુસ્તક વેચનાર કળી શકશે. હજી નવલકથા અને ઊર્મિકાવ્યમાં રાચવા જેટલી જ આપણી વ્યક્તિગત રસિકતા વિકસી છે. સફલ નાટક એટલે વાર્તાલાપ દ્વારા આલેખાતાં આચારાત્મક વ્યક્તિત્વોની સુરેખ ઘટના. આવા વ્યક્તિવિલાસી સાહિત્યમાં રસ લેવાની શક્તિ જોઈતા પ્રમાણમાં હજી ગુજરાતમાં નથી આવી; એટલે અંશે આપણી સર્જકતા ને રસિકતા બંને અધૂરાં છે.
26,604

edits