પરિષદ-પ્રમુખનાં ભાષણો/૨૫: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૫|}} {{Poem2Open}} દર્શન विन्देम देवतां वाचम् । વહાલા બંધુઓ, આ એક અજ...")
 
No edit summary
 
Line 11: Line 11:
આપે પ્રેમપૂર્વક મને આ સ્થાન માટે બોલાવ્યો અને હું એ પ્રેમની આજ્ઞાને આધીન થઈ અહીં આવ્યો છું. મારે માટે કાંઈ કર્તવ્ય છે એવા ભાનથી આ જવાબદારી મેં સ્વીકારી છે. અને જે ક્ષણથી આ જવાબદારીની લાગણી મારા મનમાં જન્મી ત્યારથી હું કાંઈ એક નવા જન્મ જેવી સ્થિતિ અનુભવવા લાગ્યો. આપણી આ મહાન સંસ્થાના ઊગમથી માંડીને આજ સુધીની બધી ક્ષણોમાં હું જાણે કે જીવી આવ્યો, એટલું જ નહિ, જે ગુજરાતની સાંસ્કારિક ચેતનાની એકમાત્ર પ્રતિનિધિ જેવી આ સંસ્થા છે તે ગુજરાતના વ્યાપક જીવનની સાથે હું એકરસ બનવા લાગ્યો. આખું ગુજરાત, એનું બહુરંગી અને સુસમૃદ્ધ, ભૂત અને વર્તમાનનું જીવન, એ બધાંની અંદર જાણે લીન બની રહ્યો. આટલી મોટી પ્રાપ્તિની મેં આશા રાખી ન હતી. આ સ્થાનનું ગૌરવ અને માન અનુભવતો હું રોમાંચિત તો થાઉં છું, પરંતુ આ સૂક્ષ્મ અનુભૂતિ મારે માટે અકલ્પ્ય હતી. એ અનુભૂતિ એક નવું કર્તવ્ય ઊભું કરે છે.
આપે પ્રેમપૂર્વક મને આ સ્થાન માટે બોલાવ્યો અને હું એ પ્રેમની આજ્ઞાને આધીન થઈ અહીં આવ્યો છું. મારે માટે કાંઈ કર્તવ્ય છે એવા ભાનથી આ જવાબદારી મેં સ્વીકારી છે. અને જે ક્ષણથી આ જવાબદારીની લાગણી મારા મનમાં જન્મી ત્યારથી હું કાંઈ એક નવા જન્મ જેવી સ્થિતિ અનુભવવા લાગ્યો. આપણી આ મહાન સંસ્થાના ઊગમથી માંડીને આજ સુધીની બધી ક્ષણોમાં હું જાણે કે જીવી આવ્યો, એટલું જ નહિ, જે ગુજરાતની સાંસ્કારિક ચેતનાની એકમાત્ર પ્રતિનિધિ જેવી આ સંસ્થા છે તે ગુજરાતના વ્યાપક જીવનની સાથે હું એકરસ બનવા લાગ્યો. આખું ગુજરાત, એનું બહુરંગી અને સુસમૃદ્ધ, ભૂત અને વર્તમાનનું જીવન, એ બધાંની અંદર જાણે લીન બની રહ્યો. આટલી મોટી પ્રાપ્તિની મેં આશા રાખી ન હતી. આ સ્થાનનું ગૌરવ અને માન અનુભવતો હું રોમાંચિત તો થાઉં છું, પરંતુ આ સૂક્ષ્મ અનુભૂતિ મારે માટે અકલ્પ્ય હતી. એ અનુભૂતિ એક નવું કર્તવ્ય ઊભું કરે છે.
પેલા જર્મન કવિ ટોલરના શબ્દો યાદ આવે છેઃ
પેલા જર્મન કવિ ટોલરના શબ્દો યાદ આવે છેઃ
અહો કવિ, તું દોર અમોને!
::: અહો કવિ, તું દોર અમોને!
પણ પ્રશ્ન થાય છે કે આ કવિ આપણને ક્યાં દોરી જશે. જ્યાં આપણે, માનવમાત્રે જવાનું છે ત્યાંનું દર્શન એને હશે એ પ્રતીતિમાંથી આ પ્રાર્થના તેના પ્રતિ થાય છે. कवयः क्रान्तदर्शिनः કવિ ક્યાંક આગળ જઈને જોઈ આવતો હોય છે, સબમરીનમાંના પ્રવાસીઓ માટે પેરિસ્કોપ કામ કરતો હોય છે તેમ કવિ પાણીમાં ડૂબેલી પ્રાકૃત ચેતનાથી ક્યાંક ઊંચે ચડી દૂર સુદૂરની, સ્થૂલ ક્ષિતિજની પાછળની બીજી ભૂમિને જોઈ આવતો હોય છે. અને આ ભૂમિની ભૂગોળ, તેમજ ખગોળ કઈ, કેવી હશે?
પણ પ્રશ્ન થાય છે કે આ કવિ આપણને ક્યાં દોરી જશે. જ્યાં આપણે, માનવમાત્રે જવાનું છે ત્યાંનું દર્શન એને હશે એ પ્રતીતિમાંથી આ પ્રાર્થના તેના પ્રતિ થાય છે. कवयः क्रान्तदर्शिनः કવિ ક્યાંક આગળ જઈને જોઈ આવતો હોય છે, સબમરીનમાંના પ્રવાસીઓ માટે પેરિસ્કોપ કામ કરતો હોય છે તેમ કવિ પાણીમાં ડૂબેલી પ્રાકૃત ચેતનાથી ક્યાંક ઊંચે ચડી દૂર સુદૂરની, સ્થૂલ ક્ષિતિજની પાછળની બીજી ભૂમિને જોઈ આવતો હોય છે. અને આ ભૂમિની ભૂગોળ, તેમજ ખગોળ કઈ, કેવી હશે?
આ બધી વસ્તુઓનો વિચાર કરતાં મન સ્તબ્ધ થઈ જાય છે. પણ પછી કાંઈક આછું આછું અજવાળું દેખાવા લાગે છે. બત્રીસ પૂતળીની વાર્તાઓમાં આવતું પેલું વિક્રમ રાજાનું આસન યાદ આવે છે. એ દટાઈ ગયેલા આસનના ટેકરા ઉપર ગોવાળિયા બેસતા અને એ બેસનાર છોકરામાં વિક્રમની ચેતના પ્રગટતી, એ અપૂર્વ બુદ્ધિપ્રતિભા દાખવતો. પણ એ ચમત્કારને જોઈ, એ આસનને ખોદાવી તેના ઉપર જ્યારે ભોજરાજા બેસવા ગયો ત્યારે પૂતળીઓએ તેને થંભાવી દીધો અને પૂછ્યું કે, થોભી જા, કહે, વિક્રમ જેવી તારામાં શી શી શક્તિ છે?
આ બધી વસ્તુઓનો વિચાર કરતાં મન સ્તબ્ધ થઈ જાય છે. પણ પછી કાંઈક આછું આછું અજવાળું દેખાવા લાગે છે. બત્રીસ પૂતળીની વાર્તાઓમાં આવતું પેલું વિક્રમ રાજાનું આસન યાદ આવે છે. એ દટાઈ ગયેલા આસનના ટેકરા ઉપર ગોવાળિયા બેસતા અને એ બેસનાર છોકરામાં વિક્રમની ચેતના પ્રગટતી, એ અપૂર્વ બુદ્ધિપ્રતિભા દાખવતો. પણ એ ચમત્કારને જોઈ, એ આસનને ખોદાવી તેના ઉપર જ્યારે ભોજરાજા બેસવા ગયો ત્યારે પૂતળીઓએ તેને થંભાવી દીધો અને પૂછ્યું કે, થોભી જા, કહે, વિક્રમ જેવી તારામાં શી શી શક્તિ છે?
Line 18: Line 18:
આનો વ્યવહારુ ઉકેલ તો આચાર્ય ક્ષિતિમોહન સેને કહેલા એક ટુચકા મુજબ ઘણો સહેલો ને સટ લાગે છે. એ મહાવિદ્વાનને અમે જ્યોતિસંઘમાં બોલાવી ગયેલા ત્યારે ત્યાંની બહેનો સમક્ષ પોતે શું કહેવું તેના દૃષ્ટાંત લેખે તેમણે તેમના એક પહેલવાન વિદ્યાર્થીની વાત કહેલી. એ પરણીને તેમની પાસે આવ્યો અને તેમને પૂછવા લાગ્યો કે અમારી પ્રથમ મિલનની રાત્રે હું એને મળું ત્યારે મારે શી વાત કરવી, ત્યારે તેમણે કહેલું કે, તને જે વિષય પ્રિય હોય તેની વાત કરજે. અને આ વ્યાયામશીલ નવપરિણીત યુવાન જ્યારે દીપકથી ઝળહળતા એના શયનાગારમાં પોતાની પ્રિયતમ પત્નીને મળ્યો ત્યારે વાત ઉપાડતાં તેણે શું કહ્યું? – તને પંજા લડાવતાં આવડે છે?
આનો વ્યવહારુ ઉકેલ તો આચાર્ય ક્ષિતિમોહન સેને કહેલા એક ટુચકા મુજબ ઘણો સહેલો ને સટ લાગે છે. એ મહાવિદ્વાનને અમે જ્યોતિસંઘમાં બોલાવી ગયેલા ત્યારે ત્યાંની બહેનો સમક્ષ પોતે શું કહેવું તેના દૃષ્ટાંત લેખે તેમણે તેમના એક પહેલવાન વિદ્યાર્થીની વાત કહેલી. એ પરણીને તેમની પાસે આવ્યો અને તેમને પૂછવા લાગ્યો કે અમારી પ્રથમ મિલનની રાત્રે હું એને મળું ત્યારે મારે શી વાત કરવી, ત્યારે તેમણે કહેલું કે, તને જે વિષય પ્રિય હોય તેની વાત કરજે. અને આ વ્યાયામશીલ નવપરિણીત યુવાન જ્યારે દીપકથી ઝળહળતા એના શયનાગારમાં પોતાની પ્રિયતમ પત્નીને મળ્યો ત્યારે વાત ઉપાડતાં તેણે શું કહ્યું? – તને પંજા લડાવતાં આવડે છે?
આપણા અત્યારના મિલનની ભૂમિકા સૌથી વિશેષ તો હું પ્રેમની અનુભવું છું અને પેલા ગુરુની આજ્ઞા મુજબ મારા પ્રિય વિષયની વાત કરવા જાઉં તો પંજો લડાવવા જેવું પણ બને. પણ હું એવો અતિશય વ્યાયામબદ્ધ માણસ નથી. મને કવિ તરીકે અને પ્રેમી તરીકેનો મારો વ્યવહાર કરવાની રજા જો મળતી હોય તો મારી આ કવિતાને મારી મદદમાં લાવું-
આપણા અત્યારના મિલનની ભૂમિકા સૌથી વિશેષ તો હું પ્રેમની અનુભવું છું અને પેલા ગુરુની આજ્ઞા મુજબ મારા પ્રિય વિષયની વાત કરવા જાઉં તો પંજો લડાવવા જેવું પણ બને. પણ હું એવો અતિશય વ્યાયામબદ્ધ માણસ નથી. મને કવિ તરીકે અને પ્રેમી તરીકેનો મારો વ્યવહાર કરવાની રજા જો મળતી હોય તો મારી આ કવિતાને મારી મદદમાં લાવું-
{{Poem2Close}}
<poem>
આજ મારું પ્રિય જેહ તેહને
આજ મારું પ્રિય જેહ તેહને
બાહુ માંહિ લઈ બેસી હા રહું,
બાહુ માંહિ લઈ બેસી હા રહું,
ને અનંત મુજ પ્રીત-ગીતને
ને અનંત મુજ પ્રીત-ગીતને
એહ કર્ણમહીં હા રટ્યા કરું.
એહ કર્ણમહીં હા રટ્યા કરું.
</poem>
{{Poem2Open}}
આ રીતે પછી આ પરિષદ કેવી બનશે તે હું કલ્પી શકતો નથી. અને પેલા વ્યાયામવીરે ગુરુની સલાહ મુજબ શું કર્યું હશે, કમલ જેવા કોમળ પોતાની પ્રિયતમાના હાથ જોયા પછી એ પંજા સાથે એનો પંજો કેવી રીતે મળ્યો હશે, એ કોમળતાએ પેલા લોખંડી કે પાષાણી પંજાને કેવી રીતે પિગળાવી દીધો હશે એ વાર્તા હજી આપણે જાણવાની રહે છે.
આ રીતે પછી આ પરિષદ કેવી બનશે તે હું કલ્પી શકતો નથી. અને પેલા વ્યાયામવીરે ગુરુની સલાહ મુજબ શું કર્યું હશે, કમલ જેવા કોમળ પોતાની પ્રિયતમાના હાથ જોયા પછી એ પંજા સાથે એનો પંજો કેવી રીતે મળ્યો હશે, એ કોમળતાએ પેલા લોખંડી કે પાષાણી પંજાને કેવી રીતે પિગળાવી દીધો હશે એ વાર્તા હજી આપણે જાણવાની રહે છે.
તમારા કે મારા પંજાને હાનિ ન પહોંચે તેવી રીતે કંઈક કહેવા પ્રયત્ન કરું છું.
તમારા કે મારા પંજાને હાનિ ન પહોંચે તેવી રીતે કંઈક કહેવા પ્રયત્ન કરું છું.
Line 29: Line 33:
પ્રભુની જેવી રીતે આત્મ-નિગૂહનની ક્રિયા છે તેવી જ રીતે આત્મપ્રકટનની પણ ક્રિયા છે. પ્રભુની આ દિવ્ય ચેતના વિશ્વની આવશ્યકતા પ્રમાણે વિશ્વમાં પ્રગટ થતી રહેલી છે. આમ તો આ આખું વિશ્વ એ પોતે જ પ્રભુનું રૂપ છે, પરંતુ એ બધું યોગમાયામાં અને તેણે સર્જેલા અંધકારમાં ડૂબેલું રૂપ છે. એ અંધકારમાં કારાગારની કરાલ દીવાલોની અંદર, મહા મેઘલી રાતે, પ્રભુ પોતાની જ્યોતિ પ્રગટ કરે છે અને જગત સાથે તે અનેક રીતના, સર્વ રીતના સંબંધોમાં આવે છે. આ સચ્ચિદાનંદ મહાતત્ત્વ વિશ્વમાં, વિશ્વના વ્યાપારમાં પોતાના ઊર્ધ્વ સત્‌ને, ઊર્ધ્વ ચિત્‌ને, ઊર્ધ્વ દિવ્ય આનંદને અરૂપ રહીને તેમજ સરૂપ બનીને મૂકતું રહે છે, સક્રિય કરતું રહે છે, ક્રમે ક્રમે પોતાની વધુ ને વધુ સ્થાપના કરતું રહે છે અને પોતાના વિશ્વરૂપ આવિર્ભાવને વધુ ને વધુ મૂળ દિવ્ય કોટિના રૂપ તરફ લઈ જતું રહે છે. પ્રભુ પોતાના પરમ સત્‌ને હિરણ્મય પાત્રથી ઢાંકીને બેઠેલા છે, અને માનવની પ્રાર્થના થતાં એ ઝળહળતા સુવર્ણની આંગી ઉતારીને તેની પાછળના શુદ્ધ રૂપમાં પ્રગટ થાય છે. પોતાના પરમ ચિત્‌ને-પરમ ચિતિને તે દુર્ગા અને કાલી રૂપે, સરસ્વતી અને લક્ષ્મી રૂપે જગતના વ્યવહારમાં વહેતી કરે છે અને કામાદિ ખલદલનું ભંજન કરે છે. તો વળી આ સત્ અને ચિત્‌ના પૂર્ણ સામર્થ્યને ધારણ કરી પોતાની શક્તિથી અસુરોનું અને દનુજોનું નિકંદન કરતા તે માનવના નેત્ર અને હૃદયના વિરામરૂપ રામ રૂપે અને પ્રાણીમાત્રના કર્ષણરૂપ મહાકૃષ્ણ રૂપે પ્રગટ થાય છે. એમની દ્વારા વ્યક્ત થતા સત્યથી પૃથ્વીનું ધારણ થાય છે, એમની દ્વારા ક્રિયામય થતી શક્તિથી સપ્તતાલ અને રાવણનાં દશ શિર છેદાય છે, ટચલી અંગુલિ ઉપર ગિરિ ગોવર્ધન તોળાય છે, તો સુદર્શન ચક્રથી શિશુપાલનું મસ્તક ધરણી પર ઢળે છે અને આભમાંનો સૂર્ય આચ્છાદિત બની દિવસની રાત્રિ સર્જાય છે અને તે દ્વારા દિવ્ય હેતુ સધાય છે. અને એ પ્રભુનું ‘કંદર્પ અગણિત રુચિર શુચિ છબિ’. વાળું મધુર રૂપ ભક્તના હૃદયને પરમ શાતા આપે છે, તો એ રુકિમણીના અંતરને આકર્ષતો ભુવનસુંદર અખિલસૌન્દર્યનિધિ કૃષ્ણ આત્મામાત્રને પોતાની રાસલીલામાં રસથી અભિસિંચિત કરે છે. માનવના અજ્ઞાન અને અહં આગળ તે લુપ્ત પણ થઈ જાય છે, તો પ્રાયશ્ચિત્તના તપોઅગ્નિ આગળ તે પાછો પ્રગટ પણ થાય છે અને માનવઅજ્ઞાનનાં સર્વે વસ્ત્રો હરી તેને પ્રકાશના વાઘા સજાવે છે.
પ્રભુની જેવી રીતે આત્મ-નિગૂહનની ક્રિયા છે તેવી જ રીતે આત્મપ્રકટનની પણ ક્રિયા છે. પ્રભુની આ દિવ્ય ચેતના વિશ્વની આવશ્યકતા પ્રમાણે વિશ્વમાં પ્રગટ થતી રહેલી છે. આમ તો આ આખું વિશ્વ એ પોતે જ પ્રભુનું રૂપ છે, પરંતુ એ બધું યોગમાયામાં અને તેણે સર્જેલા અંધકારમાં ડૂબેલું રૂપ છે. એ અંધકારમાં કારાગારની કરાલ દીવાલોની અંદર, મહા મેઘલી રાતે, પ્રભુ પોતાની જ્યોતિ પ્રગટ કરે છે અને જગત સાથે તે અનેક રીતના, સર્વ રીતના સંબંધોમાં આવે છે. આ સચ્ચિદાનંદ મહાતત્ત્વ વિશ્વમાં, વિશ્વના વ્યાપારમાં પોતાના ઊર્ધ્વ સત્‌ને, ઊર્ધ્વ ચિત્‌ને, ઊર્ધ્વ દિવ્ય આનંદને અરૂપ રહીને તેમજ સરૂપ બનીને મૂકતું રહે છે, સક્રિય કરતું રહે છે, ક્રમે ક્રમે પોતાની વધુ ને વધુ સ્થાપના કરતું રહે છે અને પોતાના વિશ્વરૂપ આવિર્ભાવને વધુ ને વધુ મૂળ દિવ્ય કોટિના રૂપ તરફ લઈ જતું રહે છે. પ્રભુ પોતાના પરમ સત્‌ને હિરણ્મય પાત્રથી ઢાંકીને બેઠેલા છે, અને માનવની પ્રાર્થના થતાં એ ઝળહળતા સુવર્ણની આંગી ઉતારીને તેની પાછળના શુદ્ધ રૂપમાં પ્રગટ થાય છે. પોતાના પરમ ચિત્‌ને-પરમ ચિતિને તે દુર્ગા અને કાલી રૂપે, સરસ્વતી અને લક્ષ્મી રૂપે જગતના વ્યવહારમાં વહેતી કરે છે અને કામાદિ ખલદલનું ભંજન કરે છે. તો વળી આ સત્ અને ચિત્‌ના પૂર્ણ સામર્થ્યને ધારણ કરી પોતાની શક્તિથી અસુરોનું અને દનુજોનું નિકંદન કરતા તે માનવના નેત્ર અને હૃદયના વિરામરૂપ રામ રૂપે અને પ્રાણીમાત્રના કર્ષણરૂપ મહાકૃષ્ણ રૂપે પ્રગટ થાય છે. એમની દ્વારા વ્યક્ત થતા સત્યથી પૃથ્વીનું ધારણ થાય છે, એમની દ્વારા ક્રિયામય થતી શક્તિથી સપ્તતાલ અને રાવણનાં દશ શિર છેદાય છે, ટચલી અંગુલિ ઉપર ગિરિ ગોવર્ધન તોળાય છે, તો સુદર્શન ચક્રથી શિશુપાલનું મસ્તક ધરણી પર ઢળે છે અને આભમાંનો સૂર્ય આચ્છાદિત બની દિવસની રાત્રિ સર્જાય છે અને તે દ્વારા દિવ્ય હેતુ સધાય છે. અને એ પ્રભુનું ‘કંદર્પ અગણિત રુચિર શુચિ છબિ’. વાળું મધુર રૂપ ભક્તના હૃદયને પરમ શાતા આપે છે, તો એ રુકિમણીના અંતરને આકર્ષતો ભુવનસુંદર અખિલસૌન્દર્યનિધિ કૃષ્ણ આત્મામાત્રને પોતાની રાસલીલામાં રસથી અભિસિંચિત કરે છે. માનવના અજ્ઞાન અને અહં આગળ તે લુપ્ત પણ થઈ જાય છે, તો પ્રાયશ્ચિત્તના તપોઅગ્નિ આગળ તે પાછો પ્રગટ પણ થાય છે અને માનવઅજ્ઞાનનાં સર્વે વસ્ત્રો હરી તેને પ્રકાશના વાઘા સજાવે છે.
પરમ તત્ત્વની આવી બહુવિધ લીલા જેટલી કાવ્યમાં ગૂંથાઈ છે, તેથીયે અધિક તે સૂક્ષ્મ અનુભૂતિ અને સાધનાનો વિષય બનેલી છે. ‘ધ્યાનાવસ્થિતતદ્‌ગતેન મનસા’ યોગીઓ તેને જોતા રહેલા છે, તો તપ અને આરાધનાથી પુનિત બનેલાં ચક્ષુ વડે આ યોગના સાધકો તેને પ્રત્યક્ષ જોતા અને અનુભવતા પણ રહેલા છે. એવી કોઈ અનુભૂતિનું વર્ણન કરતો ભક્ત નરસૈંયો ગાઈ ઊઠે છેઃ
પરમ તત્ત્વની આવી બહુવિધ લીલા જેટલી કાવ્યમાં ગૂંથાઈ છે, તેથીયે અધિક તે સૂક્ષ્મ અનુભૂતિ અને સાધનાનો વિષય બનેલી છે. ‘ધ્યાનાવસ્થિતતદ્‌ગતેન મનસા’ યોગીઓ તેને જોતા રહેલા છે, તો તપ અને આરાધનાથી પુનિત બનેલાં ચક્ષુ વડે આ યોગના સાધકો તેને પ્રત્યક્ષ જોતા અને અનુભવતા પણ રહેલા છે. એવી કોઈ અનુભૂતિનું વર્ણન કરતો ભક્ત નરસૈંયો ગાઈ ઊઠે છેઃ
‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’
::: ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’
તો મીરાં જેવાં અનેક હૃદયો ઉદ્‌ગારી ઊઠે છેઃ
તો મીરાં જેવાં અનેક હૃદયો ઉદ્‌ગારી ઊઠે છેઃ
‘આધી રાત પ્રભુ દરસન દીનો જમુનાજીકે તીરા.’
::: ‘આધી રાત પ્રભુ દરસન દીનો જમુનાજીકે તીરા.’
આવી એક અનુભૂતિનું કોઈક વધારે સૂક્ષ્મતા અને ગહનતાવાળું અને ગુહ્ય સત્યના ઉપર પૂરેપૂરું મંડિત દર્શન અહીં આપવા મન થાય છે. એ છે શ્રી અરવિંદે પોતાના મહાકાવ્ય ‘સાવિત્રી’માં આપેલું અશ્વપતિને થયેલા પ્રભુના સાક્ષાત્કારનું વર્ણન. આ મહાકાવ્યમાં માત્ર કથાનો જ તંતુ નથી, પરંતુ એ કથાવસ્તુના પ્રતીક દ્વારા વિશ્વની ગુહ્ય વાસ્તવિકતાનો આપણને પ્રથમ વાર ઉપલબ્ધ થતો એક વિસ્તૃત, સાંગોપાંગ અને કહી શકીએ કે, પ્રમાણભૂત એવો આલેખ છે. આપણી મહાકાવ્યોની સૃષ્ટિમાં સૂક્ષ્મ જગતો અને પરલોકોના ઉલ્લેખો આવતા રહે છે. માત્ર ઉલ્લેખો નહિ, પણ એ બધા પરલોકો આપણા આ ભૂલોકના જેવા જ પ્રત્યક્ષ, ચક્ષુર્ગમ્ય હોય તેવી રીતે સંકળાયેલા અને વ્યવહારનો વિષય બનેલા છે, અને તે એટલે સુધી કે એની પાછળ કશું ગુહ્ય કે સૂક્ષ્મ તત્ત્વ હોય તેવી કશી છાયા ઉત્પન્ન થતી નથી. શ્રી અરવિંદે એમની યૌગિક અનુભૂતિઓને આધારે આ સ્થૂલ વિશ્વની પાછળ જે સૂક્ષ્મ ગુહ્ય વાસ્તવિકતા રહેલી છે તેની આપણને પહેલી વાર સાચી પિછાન આપી છે એમ આપણે આ કાવ્યમાં જોઈ શકીએ છીએ અને આ કાવ્ય દ્વારા એ ગહનતાઓના મૂર્ત સ્પર્શમાં આવી શકીએ છીએ.
આવી એક અનુભૂતિનું કોઈક વધારે સૂક્ષ્મતા અને ગહનતાવાળું અને ગુહ્ય સત્યના ઉપર પૂરેપૂરું મંડિત દર્શન અહીં આપવા મન થાય છે. એ છે શ્રી અરવિંદે પોતાના મહાકાવ્ય ‘સાવિત્રી’માં આપેલું અશ્વપતિને થયેલા પ્રભુના સાક્ષાત્કારનું વર્ણન. આ મહાકાવ્યમાં માત્ર કથાનો જ તંતુ નથી, પરંતુ એ કથાવસ્તુના પ્રતીક દ્વારા વિશ્વની ગુહ્ય વાસ્તવિકતાનો આપણને પ્રથમ વાર ઉપલબ્ધ થતો એક વિસ્તૃત, સાંગોપાંગ અને કહી શકીએ કે, પ્રમાણભૂત એવો આલેખ છે. આપણી મહાકાવ્યોની સૃષ્ટિમાં સૂક્ષ્મ જગતો અને પરલોકોના ઉલ્લેખો આવતા રહે છે. માત્ર ઉલ્લેખો નહિ, પણ એ બધા પરલોકો આપણા આ ભૂલોકના જેવા જ પ્રત્યક્ષ, ચક્ષુર્ગમ્ય હોય તેવી રીતે સંકળાયેલા અને વ્યવહારનો વિષય બનેલા છે, અને તે એટલે સુધી કે એની પાછળ કશું ગુહ્ય કે સૂક્ષ્મ તત્ત્વ હોય તેવી કશી છાયા ઉત્પન્ન થતી નથી. શ્રી અરવિંદે એમની યૌગિક અનુભૂતિઓને આધારે આ સ્થૂલ વિશ્વની પાછળ જે સૂક્ષ્મ ગુહ્ય વાસ્તવિકતા રહેલી છે તેની આપણને પહેલી વાર સાચી પિછાન આપી છે એમ આપણે આ કાવ્યમાં જોઈ શકીએ છીએ અને આ કાવ્ય દ્વારા એ ગહનતાઓના મૂર્ત સ્પર્શમાં આવી શકીએ છીએ.
આખા વિશ્વને તેના સ્થૂલ અને સૂક્ષ્મ, ગુહ્ય અને ગુહ્યતમ સ્વરૂપમાં ત્રણે કાળની ગતિમાં પોતાનો વિષય કરતા આ મહાકાવ્યનો કથાતંતુ અને પાત્રસૃષ્ટિ આ પહેલાંના મહાકાવ્યોની સરખામણીમાં ઘણાં અલ્પ છે. લગ્ન પછી એક વર્ષમાં મૃત્યુને પામનાર સત્યવાનને વરેલી સાવિત્રી, અશ્વપતિ રાજાની પુત્રી, યમ ઉપર વિજય મેળવી એની પાસેથી સત્યવાનને પાછો મેળવે છે અને જગત માટે દિવ્યસૃષ્ટિની સ્થાપનાનું કાર્ય આરંભે છે એ એનું કથાવસ્તુ છે. સાવિત્રી, તેના પિતા રાજા અશ્વપતિ અને તેની રાણી, સાવિત્રીએ પોતાના જીવનસાથી તરીકે પસંદ કરેલો એક વખતનો રાજકુમાર સત્યવાન, ત્રિકાલજ્ઞ નારદમુનિ, પરમાત્મા અને તેમની મૂર્ત શક્તિરૂપ મા ભગવતી અને આ સ્થૂલ વિશ્વના એક માત્ર નિયંતા એવા યમદેવ એ આ કથાનાં સક્રિય પાત્રો છે, અને બાકીમાં તો બ્રહ્માંડની એકએક વસ્તુ, સ્થૂલ અને સૂક્ષ્મ સૃષ્ટિઓ અને તેનાં તત્ત્વો અને સત્ત્વો, બ્રહ્માઓ, દેવો, અસુરો અને રાક્ષસો, સ્વર્ગો અને નરકો, અનેકાનેક જગતો અને છેવટે એમાં આ કાવ્યના વાચકો, પૃથ્વીના સર્વ માનવો ‘આપણે’ – એ બધાં આ કાવ્યમાં યથાતથા નિજ નિજ સ્થાને પોતાનો ભાગ ભજવતાં રહે છે.
આખા વિશ્વને તેના સ્થૂલ અને સૂક્ષ્મ, ગુહ્ય અને ગુહ્યતમ સ્વરૂપમાં ત્રણે કાળની ગતિમાં પોતાનો વિષય કરતા આ મહાકાવ્યનો કથાતંતુ અને પાત્રસૃષ્ટિ આ પહેલાંના મહાકાવ્યોની સરખામણીમાં ઘણાં અલ્પ છે. લગ્ન પછી એક વર્ષમાં મૃત્યુને પામનાર સત્યવાનને વરેલી સાવિત્રી, અશ્વપતિ રાજાની પુત્રી, યમ ઉપર વિજય મેળવી એની પાસેથી સત્યવાનને પાછો મેળવે છે અને જગત માટે દિવ્યસૃષ્ટિની સ્થાપનાનું કાર્ય આરંભે છે એ એનું કથાવસ્તુ છે. સાવિત્રી, તેના પિતા રાજા અશ્વપતિ અને તેની રાણી, સાવિત્રીએ પોતાના જીવનસાથી તરીકે પસંદ કરેલો એક વખતનો રાજકુમાર સત્યવાન, ત્રિકાલજ્ઞ નારદમુનિ, પરમાત્મા અને તેમની મૂર્ત શક્તિરૂપ મા ભગવતી અને આ સ્થૂલ વિશ્વના એક માત્ર નિયંતા એવા યમદેવ એ આ કથાનાં સક્રિય પાત્રો છે, અને બાકીમાં તો બ્રહ્માંડની એકએક વસ્તુ, સ્થૂલ અને સૂક્ષ્મ સૃષ્ટિઓ અને તેનાં તત્ત્વો અને સત્ત્વો, બ્રહ્માઓ, દેવો, અસુરો અને રાક્ષસો, સ્વર્ગો અને નરકો, અનેકાનેક જગતો અને છેવટે એમાં આ કાવ્યના વાચકો, પૃથ્વીના સર્વ માનવો ‘આપણે’ – એ બધાં આ કાવ્યમાં યથાતથા નિજ નિજ સ્થાને પોતાનો ભાગ ભજવતાં રહે છે.
Line 47: Line 51:
Alone and fronting an intangible Force…
Alone and fronting an intangible Force…
His spirit faced the adventure of the Inane.
His spirit faced the adventure of the Inane.
(૩.૧, પૃ. ૨૭૯)
{{Right|(૩.૧, પૃ. ૨૭૯)}}<br>
અશ્વપતિ, કેવળ એકલો – કેમ કે આટલી દીર્ઘતમ ગુહ્યતામાં એની સાથે ભૂતલનું કોઈ તત્ત્વ આવી શકે તેમ નથી – કોઈ અગ્રાહ્ય એવી શક્તિ સંમુખ ખડો છે, એનો આત્મા મહાશૂન્યની સાહસયાત્રા માટે સજ્જ બન્યો છે. અને એ મહાશૂન્યના પ્રદેશમાં એ પ્રવેશે છે ત્યારે શું બને છે? ‘રૂપની કોઈ સૃષ્ટિઓ હવે તેના સાથમાં રહેતી નથી. ચિત્તની દીર્ઘતમ યાત્રા અંત પામી જાય છે, કર્મ પાછળની મહાસંકલ્પશક્તિ નિષ્ફળ નીવડી થંભી જાય છે, અવિદ્યાએ રચેલાં કમઠાણો ભાંગી પડે છે, અને આ વિશ્વને ધારણ કરતો આત્મા પણ કોઈ તેજોમય અપૂર્ણતામાં મૂર્છિત થઈ જાય છે, ચેતના એક એવી નકરી ભીષણ નીરવતામાં બેસી જાય છે કે જેમાંથી પછી જીવનનાં નામરૂપોનું ગૌરવ, જીવનની મધુર સંવાદિતાઓ અલ્પ વસ્તુઓ બની જાય છે અને બધું લુપ્ત થઈને એક સૂક્ષ્મ આનંદમય અભાવ છવાઈ જાય છે. એટલું જ નહિ, વિશ્વના જે બ્રહ્માઓ છે તેમનાં નામરૂપો પણ હવે શેષ રહેતાં નથી. એમણે યોજેલાં અને રચેલાં સુગ્રથિત મહાન બ્રહ્માંડોથી પર થતો થતો અશ્વપતિ આગળ વધે છે. એ બ્રહ્માંડોને એક પછી એક હાથ લઈને ભાંગીને ભુક્કા કરી નાખવામાં આવે છેઃ
અશ્વપતિ, કેવળ એકલો – કેમ કે આટલી દીર્ઘતમ ગુહ્યતામાં એની સાથે ભૂતલનું કોઈ તત્ત્વ આવી શકે તેમ નથી – કોઈ અગ્રાહ્ય એવી શક્તિ સંમુખ ખડો છે, એનો આત્મા મહાશૂન્યની સાહસયાત્રા માટે સજ્જ બન્યો છે. અને એ મહાશૂન્યના પ્રદેશમાં એ પ્રવેશે છે ત્યારે શું બને છે? ‘રૂપની કોઈ સૃષ્ટિઓ હવે તેના સાથમાં રહેતી નથી. ચિત્તની દીર્ઘતમ યાત્રા અંત પામી જાય છે, કર્મ પાછળની મહાસંકલ્પશક્તિ નિષ્ફળ નીવડી થંભી જાય છે, અવિદ્યાએ રચેલાં કમઠાણો ભાંગી પડે છે, અને આ વિશ્વને ધારણ કરતો આત્મા પણ કોઈ તેજોમય અપૂર્ણતામાં મૂર્છિત થઈ જાય છે, ચેતના એક એવી નકરી ભીષણ નીરવતામાં બેસી જાય છે કે જેમાંથી પછી જીવનનાં નામરૂપોનું ગૌરવ, જીવનની મધુર સંવાદિતાઓ અલ્પ વસ્તુઓ બની જાય છે અને બધું લુપ્ત થઈને એક સૂક્ષ્મ આનંદમય અભાવ છવાઈ જાય છે. એટલું જ નહિ, વિશ્વના જે બ્રહ્માઓ છે તેમનાં નામરૂપો પણ હવે શેષ રહેતાં નથી. એમણે યોજેલાં અને રચેલાં સુગ્રથિત મહાન બ્રહ્માંડોથી પર થતો થતો અશ્વપતિ આગળ વધે છે. એ બ્રહ્માંડોને એક પછી એક હાથ લઈને ભાંગીને ભુક્કા કરી નાખવામાં આવે છેઃ
The Demiurges lost their names and forms,
The Demiurges lost their names and forms,
Line 76: Line 80:
Imperishable above our fallen beads
Imperishable above our fallen beads
He felt a rapturous and unstumbling Force.
He felt a rapturous and unstumbling Force.
(૩.૨, પૃ.૨૮૪)
{{Right|(૩.૨, પૃ.૨૮૪)}}<br>
પ્રભુની પાછળ કોઈ બીજું પણ ઊભેલું હતું. કોણ? આખા યે જગત ઉપર એક માતૃ-મહાશક્તિ ઢળતી ઢળતી ઝૂકી રહી હતી. એ ચેતના હવે પોતાનું અદ્‌ભુત રૂપ અશ્વપતિને બતાવે છે. એ વસ્તુમાત્રથી પર હતી. પણ પેલી વિશ્વોને શૂન્યમાં ઢાળી દેતી નિઃસંગ વાસ્તવિકતા કરતાં આ જુદી હતી. એ કશાનો ઇન્કાર કરતી ન હતી. આપણાં ઝૂકેલાં નત મસ્તકો ઉપર અશ્વપતિ અનુભવે છે કે એક અવિનાશી આનંદસભર અને સ્ખલન રહિત શક્તિ આવી રહી છે. (કવિ આ કાવ્યમાં ‘આપણને’, માનવમાત્રને પાત્ર તરકે આ રીતે ઠેકઠેકાણે લાવતા રહે છે.)
પ્રભુની પાછળ કોઈ બીજું પણ ઊભેલું હતું. કોણ? આખા યે જગત ઉપર એક માતૃ-મહાશક્તિ ઢળતી ઢળતી ઝૂકી રહી હતી. એ ચેતના હવે પોતાનું અદ્‌ભુત રૂપ અશ્વપતિને બતાવે છે. એ વસ્તુમાત્રથી પર હતી. પણ પેલી વિશ્વોને શૂન્યમાં ઢાળી દેતી નિઃસંગ વાસ્તવિકતા કરતાં આ જુદી હતી. એ કશાનો ઇન્કાર કરતી ન હતી. આપણાં ઝૂકેલાં નત મસ્તકો ઉપર અશ્વપતિ અનુભવે છે કે એક અવિનાશી આનંદસભર અને સ્ખલન રહિત શક્તિ આવી રહી છે. (કવિ આ કાવ્યમાં ‘આપણને’, માનવમાત્રને પાત્ર તરકે આ રીતે ઠેકઠેકાણે લાવતા રહે છે.)
The undying truth appeared the enduring Power
The undying truth appeared the enduring Power
Line 82: Line 86:
The Mother of all godheads and all strengths
The Mother of all godheads and all strengths
Who, mediatrix, binds earth to the Supreme.
Who, mediatrix, binds earth to the Supreme.
(૩.૨, પૃ.૨૮૫)
{{Right|(૩.૨, પૃ.૨૮૫)}}<br>
આ દર્શન દેતી મહામાતૃશક્તિ એ એક એવું સ્ત્ય છે જે કદી મૃત્યુ પામતું નથી. અહીં સર્જાતી અને પછી વિસર્જાતી સર્વ ચીજોની પાછળની એ સ્થાયી શક્તિ છે. એ જ સર્વ દેવોની અને સર્વ બલોની માતા-જનેતા-જનની છે. એ જ પ્રભુ અને માનવની વચ્ચે મધ્યગા છે, અને પૃથ્વીને પ્રભુની સાથે સાંકળવાનું કામ કરે છે. અને એનું દર્શન થતાં વિશ્વનો કોયડો હવે ઊકલી જાય છે. ઉપર જેને huge riddle of created things કહી હતી, unsolved slow ccles કહ્યાં હતાં તેનું નિરાકરણ હવે અશ્વપતિને દેખાય છેઃ
આ દર્શન દેતી મહામાતૃશક્તિ એ એક એવું સ્ત્ય છે જે કદી મૃત્યુ પામતું નથી. અહીં સર્જાતી અને પછી વિસર્જાતી સર્વ ચીજોની પાછળની એ સ્થાયી શક્તિ છે. એ જ સર્વ દેવોની અને સર્વ બલોની માતા-જનેતા-જનની છે. એ જ પ્રભુ અને માનવની વચ્ચે મધ્યગા છે, અને પૃથ્વીને પ્રભુની સાથે સાંકળવાનું કામ કરે છે. અને એનું દર્શન થતાં વિશ્વનો કોયડો હવે ઊકલી જાય છે. ઉપર જેને huge riddle of created things કહી હતી, unsolved slow ccles કહ્યાં હતાં તેનું નિરાકરણ હવે અશ્વપતિને દેખાય છેઃ
The Enigma ceased that rules our nature’s night. (એજન)
The Enigma ceased that rules our nature’s night. (એજન)
Line 89: Line 93:
A burning Love from white spiritual founts
A burning Love from white spiritual founts
Annulled the sorrow of the ignorant depths;
Annulled the sorrow of the ignorant depths;
Suffering was lost in her immortal smile. (એજન)
Suffering was lost in her immortal smile.{{space}} (એજન)
વિશ્વની મહાજનનીનું દૈવી સ્મિત અશ્વપતિને દેખાય છે, ખાલી અને નિષ્પ્રાણ દેખાતા અવકાશોની અંદર એક હૃદય દેખાય છે, આધ્યાત્મિક તત્ત્વનાં ધામોમાંથી વહી આવતો એક જ્વલંત પ્રેમ અનુભવય છે. આમ, જે પરમ વાસ્તવિકતા જીવનના પ્રશ્નને ઠંડો કરી નાખતી હતી તેમાં એક ઉષ્મા, એક હૃદયનો ધબકાર દેખાતો થાય છે. એ સ્મિતમયી મહા જનનીનું અનંતવિધ કાર્ય કવિ વર્ણવે છે. અને અશ્વપતિનો આત્મા હવે કેવળ એને સમર્પિત થઈ જાય છે.
વિશ્વની મહાજનનીનું દૈવી સ્મિત અશ્વપતિને દેખાય છે, ખાલી અને નિષ્પ્રાણ દેખાતા અવકાશોની અંદર એક હૃદય દેખાય છે, આધ્યાત્મિક તત્ત્વનાં ધામોમાંથી વહી આવતો એક જ્વલંત પ્રેમ અનુભવય છે. આમ, જે પરમ વાસ્તવિકતા જીવનના પ્રશ્નને ઠંડો કરી નાખતી હતી તેમાં એક ઉષ્મા, એક હૃદયનો ધબકાર દેખાતો થાય છે. એ સ્મિતમયી મહા જનનીનું અનંતવિધ કાર્ય કવિ વર્ણવે છે. અને અશ્વપતિનો આત્મા હવે કેવળ એને સમર્પિત થઈ જાય છે.
અને હવે એના હૃદયની કથા અને વ્યથાની કથની શરૂ થાય છે. દૂર સુદૂર, વિશ્વના ચરમ સીમાડે પરમાત્મા દેખાયા, આ સર્વ અવકાશોને ભરતી મા ભગવતી દેખાઈ. પણ પોતે જે પૃથ્વીના પ્રતિનિધિ તરીકે અહીં આવ્યો છે અને એ પૃથ્વી માટે જે કાંઈ તેની મનીષા છે-
અને હવે એના હૃદયની કથા અને વ્યથાની કથની શરૂ થાય છે. દૂર સુદૂર, વિશ્વના ચરમ સીમાડે પરમાત્મા દેખાયા, આ સર્વ અવકાશોને ભરતી મા ભગવતી દેખાઈ. પણ પોતે જે પૃથ્વીના પ્રતિનિધિ તરીકે અહીં આવ્યો છે અને એ પૃથ્વી માટે જે કાંઈ તેની મનીષા છે-
Her light, her bliss he asked for earth and men.
Her light, her bliss he asked for earth and men.
(૩.૨, પૃ.૨૮૭)
{{Right|(૩.૨, પૃ.૨૮૭)}}<br>
તેનું શું એનું જલતું અંતર એની પાસે આ ધા નાખી રહ્યું છે. This was the fiery point that called her now.
તેનું શું એનું જલતું અંતર એની પાસે આ ધા નાખી રહ્યું છે. This was the fiery point that called her now.
(એજન, પૃ.૩૦૨)
{{Right|(એજન, પૃ.૩૦૨)}}<br>
અખંડ ધીરજ ધારીને એ એક મૂગી પ્રાર્થનાને પ્રભુ તરફ વહેતી રાખે છે, અને ત્યાંથી, એ પ્રભુના ખાલી વિરાટ દરબારોમાંથી જવાબ લઈને કોઈ આશાનાં પગલાં આવે છે કે નહિ તે સાંભળવાને તે આતુર બનીને બેસે છે. પ્રભુ તરફથી, મા ભગવતી તરફથી કોઈ શબ્દની રાહ જુએ છે. અને આ રાહ ક્યાંય લગી જોવાની રહી. એ ભીષણ ઊર્ધ્વતાઓમાંથી કોઈ શબ્દ નથી આવતો, એ કાલાતીત ચક્ષુઓ હજી બિડાયેલાં જ છે. વરસ પર વરસો વીતે છે અને એનું હૃદય કોઈ શૂન્ય અસહાયતાના ભાર હેઠળ દબાતું રહે છે.
અખંડ ધીરજ ધારીને એ એક મૂગી પ્રાર્થનાને પ્રભુ તરફ વહેતી રાખે છે, અને ત્યાંથી, એ પ્રભુના ખાલી વિરાટ દરબારોમાંથી જવાબ લઈને કોઈ આશાનાં પગલાં આવે છે કે નહિ તે સાંભળવાને તે આતુર બનીને બેસે છે. પ્રભુ તરફથી, મા ભગવતી તરફથી કોઈ શબ્દની રાહ જુએ છે. અને આ રાહ ક્યાંય લગી જોવાની રહી. એ ભીષણ ઊર્ધ્વતાઓમાંથી કોઈ શબ્દ નથી આવતો, એ કાલાતીત ચક્ષુઓ હજી બિડાયેલાં જ છે. વરસ પર વરસો વીતે છે અને એનું હૃદય કોઈ શૂન્ય અસહાયતાના ભાર હેઠળ દબાતું રહે છે.
But from the appalling heights there stooped no voice;
But from the appalling heights there stooped no voice;
The timeless lids were closed; no opening came.
The timeless lids were closed; no opening came.
A neutral helpless void oppressed the years.
A neutral helpless void oppressed the years.
(૩.૩, પૃ.૨૮૮)
{{Right|(૩.૩, પૃ.૨૮૮)}}<br>
પણ પછી એકાએક કાંઈ બને છે. એકાએક, કેમ કે ઘણી વસ્તુઓ ગુહ્યની સૃષ્ટિમાં તૈયાર થતી રહી હોય છે તેની આપણી બાહ્ય ચેતનાને કશી ગતાગમ હોતી નથી. અને એ જે બનેલું કવિ વર્ણવે છે તે માત્ર કવિતા નથી, કલ્પનાની સર્જન નથી, આધ્યાત્મિક જગતની એ એક મહાન, જીવંત, વિરલ, ક્રાંતિકારક અને સ્વાભાવિક અનુભૂતિ છે.
પણ પછી એકાએક કાંઈ બને છે. એકાએક, કેમ કે ઘણી વસ્તુઓ ગુહ્યની સૃષ્ટિમાં તૈયાર થતી રહી હોય છે તેની આપણી બાહ્ય ચેતનાને કશી ગતાગમ હોતી નથી. અને એ જે બનેલું કવિ વર્ણવે છે તે માત્ર કવિતા નથી, કલ્પનાની સર્જન નથી, આધ્યાત્મિક જગતની એ એક મહાન, જીવંત, વિરલ, ક્રાંતિકારક અને સ્વાભાવિક અનુભૂતિ છે.
શું થયું?
શું થયું?
Line 112: Line 116:
Heart in the listening spaces of the soul;
Heart in the listening spaces of the soul;
A touch perturbed his fibres with delight.
A touch perturbed his fibres with delight.
(૩.૪, પૃ.૩૦૩)
{{Right|(૩.૪, પૃ.૩૦૩)}}<br>
અનુભૂતિ ક્રમે ક્રમે વિકસતી જાય છે. પ્રથમ એક કશોક સંચાર ઊઠતો દેખાય છે, પછી એક અવાજ આવે છે, પછી એક સ્પર્શ આવે છે, અને અશ્વપતિના શરીરના તંતુઓને આનંદનો એક ક્ષોભ આપી જાય છે. આ શું છે? આ ક્યાંથી આવે છે?
અનુભૂતિ ક્રમે ક્રમે વિકસતી જાય છે. પ્રથમ એક કશોક સંચાર ઊઠતો દેખાય છે, પછી એક અવાજ આવે છે, પછી એક સ્પર્શ આવે છે, અને અશ્વપતિના શરીરના તંતુઓને આનંદનો એક ક્ષોભ આપી જાય છે. આ શું છે? આ ક્યાંથી આવે છે?
An influence had approached the mortal range,
An influence had approached the mortal range,
Line 184: Line 188:
जानाम्यधर्मं न च मे निवृत्तिः ।
जानाम्यधर्मं न च मे निवृत्तिः ।
આ દુર્યોધનની લાચારી માનવમાત્રની છે. એકલા જ્ઞાનને – માનવમને ઉપજાવેલા જ્ઞાનને-શું કરીશું? એટલે ઋષિપત્નીને ગાવું પડ્યું–
આ દુર્યોધનની લાચારી માનવમાત્રની છે. એકલા જ્ઞાનને – માનવમને ઉપજાવેલા જ્ઞાનને-શું કરીશું? એટલે ઋષિપત્નીને ગાવું પડ્યું–
એ તો જ્ઞન મને ગમતું નથી ઋષિરાય જી રે,
::: એ તો જ્ઞન મને ગમતું નથી ઋષિરાય જી રે,
રૂએ બાળક માગે અંન, લાગુ પાય જી રે.
::: રૂએ બાળક માગે અંન, લાગુ પાય જી રે.
અને એનો ઉકેલ એણે એ મહાજ્ઞાનીને બતાવવો પડ્યો–
અને એનો ઉકેલ એણે એ મહાજ્ઞાનીને બતાવવો પડ્યો–
જઈને જાચો જાદવરાય ભાવઠ ભાંગશે રે.
::: જઈને જાચો જાદવરાય ભાવઠ ભાંગશે રે.
આ શરીરની ક્ષુધાની વાત થઈ. પણ બીજી પણ ક્ષુધા છે.
આ શરીરની ક્ષુધાની વાત થઈ. પણ બીજી પણ ક્ષુધા છે.
પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર,
::: પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર,
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે.
::: તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે.
જ્ઞાન અમુક વખતે ટૂંપણું થઈ જાય છે. માનવને એથીયે વધુ જીવનપ્રતર્પક રસ જોઈએ છે. અને એ માટે પણ આપણે જાદવરાયની પાસે જવાનું રહે છે. અને ત્યાં જઈ શકીએ છીએ ત્યારે પછી એ માધવ જાદવ માનવ ઉપર કેટલો ત્રૂઠે છે તેની વાત આપણે જાણીએ છીએ. અશ્વપતિને દૂર દૂર વિશ્વસમસ્યાને અંતે દેખાયેલા પ્રભુ પોતાની પરમ શક્તિને છેક માનવની ભીતર સુધી નીચે ઉતારી દે છે. અને સમસ્યનો અંત ત્યારે આવે છે.
જ્ઞાન અમુક વખતે ટૂંપણું થઈ જાય છે. માનવને એથીયે વધુ જીવનપ્રતર્પક રસ જોઈએ છે. અને એ માટે પણ આપણે જાદવરાયની પાસે જવાનું રહે છે. અને ત્યાં જઈ શકીએ છીએ ત્યારે પછી એ માધવ જાદવ માનવ ઉપર કેટલો ત્રૂઠે છે તેની વાત આપણે જાણીએ છીએ. અશ્વપતિને દૂર દૂર વિશ્વસમસ્યાને અંતે દેખાયેલા પ્રભુ પોતાની પરમ શક્તિને છેક માનવની ભીતર સુધી નીચે ઉતારી દે છે. અને સમસ્યનો અંત ત્યારે આવે છે.
પણ આખું જગત સમસ્યાના આ અંતિમ છેડે હજી પહોંચ્યું નથી. એ દિશા તરફ જવાની તેની સનાતન યાત્રા હજી પણ ચાલુ છે. જગતમાં પલટા પછી પલટા, પરિવર્તનોની અને ક્રાંતિઓની પરંપરા, વિચારો અને ભાવના અને કાર્યશક્તિમાં પ્રચંડ ઉન્મેષો આવતા રહ્યા છે અને એ રીતે આપણે સૌ આગળ વધતા તો રહ્યા જ છીએ. આપણી સાહિત્ય પરિષદના જીવનમાં છેલ્લાં ૬૫ વર્ષ જોઈશું તો જગતની અને હિંદની પલટાતી પરિસ્થિતિ સાથે આપણે કેવા સંકળાયેલા રહ્યા છીએ તે સહેલાઈથી દેખાઈ આવે છે.
પણ આખું જગત સમસ્યાના આ અંતિમ છેડે હજી પહોંચ્યું નથી. એ દિશા તરફ જવાની તેની સનાતન યાત્રા હજી પણ ચાલુ છે. જગતમાં પલટા પછી પલટા, પરિવર્તનોની અને ક્રાંતિઓની પરંપરા, વિચારો અને ભાવના અને કાર્યશક્તિમાં પ્રચંડ ઉન્મેષો આવતા રહ્યા છે અને એ રીતે આપણે સૌ આગળ વધતા તો રહ્યા જ છીએ. આપણી સાહિત્ય પરિષદના જીવનમાં છેલ્લાં ૬૫ વર્ષ જોઈશું તો જગતની અને હિંદની પલટાતી પરિસ્થિતિ સાથે આપણે કેવા સંકળાયેલા રહ્યા છીએ તે સહેલાઈથી દેખાઈ આવે છે.
18,450

edits

Navigation menu