શેખની કવિતા : શબ્દ અને લાલિત્યનાં સાયુજ્યોની સૃષ્ટિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 11: Line 11:
લેખ આ સ્થાનેથી બે ભાગમાં વહેંચાઇ જાય છે : પહેલામાં, મેં એમને એક આગવા આધુનિક કવિ તરીકે વર્ણવ્યા છે. બીજામાં, મેં એમને એક ચિત્રકાર-કવિ તરીકે વર્ણવ્યા છે.  
લેખ આ સ્થાનેથી બે ભાગમાં વહેંચાઇ જાય છે : પહેલામાં, મેં એમને એક આગવા આધુનિક કવિ તરીકે વર્ણવ્યા છે. બીજામાં, મેં એમને એક ચિત્રકાર-કવિ તરીકે વર્ણવ્યા છે.  
'''ભાગ : ૧'''
'''ભાગ : ૧'''
    મેં જણાવ્યું એમ અછાન્દસને આપણે આધુનિક સંવેદનાનું કવિતા-સાહિત્ય ગણ્યું છે. શેખને આપણે એ દિશાના કવિ કહીએ છીએ. સૌ પહેલાં હું એ શેખની વાત કરું :
મેં જણાવ્યું એમ અછાન્દસને આપણે આધુનિક સંવેદનાનું કવિતા-સાહિત્ય ગણ્યું છે. શેખને આપણે એ દિશાના કવિ કહીએ છીએ. સૌ પહેલાં હું એ શેખની વાત કરું :
૧ : ૧
 '''૧ : ૧'''
  સામાન્યપણે શેખની સૃષ્ટિમાં આ બધા સંકેતો અવારનવાર આવે છે : બપોર, શબ્દો, સાપ, પવન, ઘુવડ, મૃત્યુ, અન્ધકાર, ઇશ્વર, સેતાન, દેવદૂતો, કબ્રસ્તાન, પેગમ્બર, કયામત, વગેરે.  
સામાન્યપણે શેખની સૃષ્ટિમાં આ બધા સંકેતો અવારનવાર આવે છે : બપોર, શબ્દો, સાપ, પવન, ઘુવડ, મૃત્યુ, અન્ધકાર, ઇશ્વર, સેતાન, દેવદૂતો, કબ્રસ્તાન, પેગમ્બર, કયામત, વગેરે.  
  આપણે જોયું છે કે એક સરેરાશ આધુનિકમાં આવા સંકેતોમાં છુપાયેલી પ્રતીકાત્મક સમ્પત્તિનો લાભ લેવાનું વલણ જોશપૂર્વક સ્થિર થયેલું. એક ચોક્કસ સમજથી આપણે આધુનિક કવિતાને પ્રતીકધર્મી ગણેલી. પણ શેખની સર્જકચેતના આ પરત્વે આગવી છે. એમની સૃષ્ટિમાં આવા બધા સંકેતોનું ફન્ક્શન, કાર્ય, સાવ જુદું છે :  
આપણે જોયું છે કે એક સરેરાશ આધુનિકમાં આવા સંકેતોમાં છુપાયેલી પ્રતીકાત્મક સમ્પત્તિનો લાભ લેવાનું વલણ જોશપૂર્વક સ્થિર થયેલું. એક ચોક્કસ સમજથી આપણે આધુનિક કવિતાને પ્રતીકધર્મી ગણેલી. પણ શેખની સર્જકચેતના આ પરત્વે આગવી છે. એમની સૃષ્ટિમાં આવા બધા સંકેતોનું ફન્ક્શન, કાર્ય, સાવ જુદું છે :  
  એ સંદર્ભમાં મારું પહેલું નિરીક્ષણ આ પ્રમાણે છે : તેઓ સંકેતના નિયત શબ્દાર્થનો તેમજ માનવીય અધ્યાસોને કારણે તેને ચૉંટતા રહેતા અ-નિયત પ્રતીકાર્થનો, બન્નેનો, તાગ કાઢવા તાકે છે. રચનામાં કાવ્યનાયક આ નિયત અને આ અ-નિયતનાં વિવિધ સાયુજ્ય રચે છે : શબ્દાર્થ અને પ્રતીકાર્થ સાથે સાથે હોય --સન્નિધીકરણ પામ્યા હોય : આઘાત-પ્રત્યાઘાતની રીતે વર્તતા હોય : ચિત્રના લસરકાઓની જેમ આલેખાતા હોય : કથાના શકલોની જેમ એમને વિશે કથન થતાં હોય : કે પછી છૂટા રહીને એ પોતાની સ્વૈર ગતિએ અમસ્તા જ વિહરતા હોય. ટૂંકમાં, એમની એવી લીલા સંભવી હોય છે.  
એ સંદર્ભમાં મારું પહેલું નિરીક્ષણ આ પ્રમાણે છે : તેઓ સંકેતના નિયત શબ્દાર્થનો તેમજ માનવીય અધ્યાસોને કારણે તેને ચૉંટતા રહેતા અ-નિયત પ્રતીકાર્થનો, બન્નેનો, તાગ કાઢવા તાકે છે. રચનામાં કાવ્યનાયક આ નિયત અને આ અ-નિયતનાં વિવિધ સાયુજ્ય રચે છે : શબ્દાર્થ અને પ્રતીકાર્થ સાથે સાથે હોય --સન્નિધીકરણ પામ્યા હોય : આઘાત-પ્રત્યાઘાતની રીતે વર્તતા હોય : ચિત્રના લસરકાઓની જેમ આલેખાતા હોય : કથાના શકલોની જેમ એમને વિશે કથન થતાં હોય : કે પછી છૂટા રહીને એ પોતાની સ્વૈર ગતિએ અમસ્તા જ વિહરતા હોય. ટૂંકમાં, એમની એવી લીલા સંભવી હોય છે.
    જોકે એક મહત્ત્વની વાત : ચિત્રકાર શેખની રચના સંકેત સંકેતથી વિસ્તરનારું કાવ્ય હોય છે --ભાષિક હસ્તિ. એ કારણ મોટું છે. એટલે એવાં સાયુજ્ય પછી પણ રચનાઓ શબ્દસૃષ્ટિ હોય છે. એટલે એમાં કશું ને કશું શબ્દાર્થદ્રવ્ય તો પ્રભવે જ પ્રભવે. શેખની રચનાઓમાં એ પ્રભવે છે બલકે ઉમેરાતું ચાલે છે --એનો ઉપચય થયા કરે છે --અર્થનું એક જાતનું કન્ટિન્યુડ્ ઍક્યુમિલેશન થયા કરે છે.
જોકે એક મહત્ત્વની વાત : ચિત્રકાર શેખની રચના સંકેત સંકેતથી વિસ્તરનારું કાવ્ય હોય છે --ભાષિક હસ્તિ. એ કારણ મોટું છે. એટલે એવાં સાયુજ્ય પછી પણ રચનાઓ શબ્દસૃષ્ટિ હોય છે. એટલે એમાં કશું ને કશું શબ્દાર્થદ્રવ્ય તો પ્રભવે જ પ્રભવે. શેખની રચનાઓમાં એ પ્રભવે છે બલકે ઉમેરાતું ચાલે છે --એનો ઉપચય થયા કરે છે --અર્થનું એક જાતનું કન્ટિન્યુડ્ ઍક્યુમિલેશન થયા કરે છે.
    શબ્દસૃષ્ટિ હોવાથી એમાં બે ભાત ઊપસે છે : એક તો એમ કે કોઇ-ને-કોઇ સંદર્ભમાં આ સંકેતોથી જન્મ-જીવન-મરણ જેવી સાર્વત્રિક નિયતિ સૂચવાય છે. અને બીજું એમ કે એ નિયતિના ઓછાયા-પડછાયા હેઠળ વિકસતા રહેતા માનવીય અસ્તિત્વને જે આકારો મળ્યા છે તે સૂચવાય છે.  
 
    મારું એમ પણ માનવું થયું છે કે નિયત શબ્દાર્થ અને અ-નિયત પ્રતીકાર્થની આ દ્વિવિધ ભાતમાં શેખના કાવ્યનાયકની જુદી જુદી અવસ્થાઓ આપણી સામે ઊઘડે છે --એ  આપણને દેખાય છે, સંભળાય છે, આપણાથી સ્પર્શાય છે --સો પાલ્પેબલ. છેવટની ઉપલબ્ધિ એ કે સઘળી એ લીલાને પરિણામે કાવ્યમાં શરૂ થયેલી ચાલુ વાતનું એક લાલિત્યસભર હૅપનિન્ગમાં રૂપાન્તર થઇ જાય છે --જેને સર્વસાધારણ રીતે આપણે કાવ્યના સૌન્દર્યનો આવિર્ભાવ કહીએ છીએ; કલાનુભવની તક કહીએ છીએ.  
શબ્દસૃષ્ટિ હોવાથી એમાં બે ભાત ઊપસે છે : એક તો એમ કે કોઇ-ને-કોઇ સંદર્ભમાં આ સંકેતોથી જન્મ-જીવન-મરણ જેવી સાર્વત્રિક નિયતિ સૂચવાય છે. અને બીજું એમ કે એ નિયતિના ઓછાયા-પડછાયા હેઠળ વિકસતા રહેતા માનવીય અસ્તિત્વને જે આકારો મળ્યા છે તે સૂચવાય છે.  
    દાખલા રૂપે રચના લઇને વાતનું સમર્થન કરી જોઉં : પૃષ્ઠ ૧૮ અને ૧૯ ઉપર બે રચનાઓમાં બપોર છે :
 
    પહેલી રચનાના કેન્દ્રમાં તો બે જ વસ્તુ છે : કાવ્યનાયક અને બપોર. બન્ને સંકેતો સૌને જાણીતા છે. પણ એમાં ઉમેરાય છે કાળોતરા શબ્દોની ચીબરી. શબ્દો, કાળોતરા શબ્દો અને ચીબરી જાણીતાં છે પણ એ પ્રકારે એમનું સાયુજ્ય શરૂ થાય છે. ત્રિભેટો સૌને જાણીતો છે પણ એમાં કાવ્યનાયકનું એને કરવત લઇ વહેરી નાખી બપોરનાં પાંસળાં ભાંગી નાખ્યાં --જાતનું વ્યંજનાગર્ભી કથન ઉમેરાય છે. હવે જુઓ, બપોરના કૂતરા, નાયક અને, હજી કેમ મારી પથારીની આજુબાજુ ભેગા થાય છે નામનો એનો મૂંઝારો --સાયુજ્ય આગળ વધ્યું. એથી પણ આગળ વધ્યું : બપોર નાયકનાં આંગળાંમાં લટકી રહી. એવી બપોરમાં તમતમતી પાનીમાં લાળના અને કાનસના ઘસરકા જેવી નાયકની ઉપમાગત વેદના ભળી. હવે એવી બપોર એનાં હાડકાંમાં તડતડ ફૂટવા લાગી. હવે એવી બપોરને એ ફૂંકી દેવાનું, ડામી દેવાનું, કહેવા લાગ્યો. છેલ્લે એવી બપોર એને પશુ ભાસે છે. એ એને વધેરી નાખવા, હણી નાખવા કહે છે. કેમકે એને ડર લાગે છે કે --નહિ તો એનો હડકવા બધી ભીંતોને, બધાં ઝાડને, બધાં ફૂલને, બધાં પંખીને લાગી જશે.  
મારું એમ પણ માનવું થયું છે કે નિયત શબ્દાર્થ અને અ-નિયત પ્રતીકાર્થની આ દ્વિવિધ ભાતમાં શેખના કાવ્યનાયકની જુદી જુદી અવસ્થાઓ આપણી સામે ઊઘડે છે --એ  આપણને દેખાય છે, સંભળાય છે, આપણાથી સ્પર્શાય છે --સો પાલ્પેબલ. છેવટની ઉપલબ્ધિ એ કે સઘળી એ લીલાને પરિણામે કાવ્યમાં શરૂ થયેલી ચાલુ વાતનું એક લાલિત્યસભર હૅપનિન્ગમાં રૂપાન્તર થઇ જાય છે --જેને સર્વસાધારણ રીતે આપણે કાવ્યના સૌન્દર્યનો આવિર્ભાવ કહીએ છીએ; કલાનુભવની તક કહીએ છીએ.  
    આવી શબ્દસૃષ્ટિથી ક્રમે ક્રમે અર્થોપચય તો જરૂર થયો પણ દેખીતી રીતે જ એ ખાસ્સો અટપટો છે. વ્યાવર્તક ફર્ક એ છે કે એવી લાક્ષણિક સૃષ્ટિ ભાવકના ભાવન નામના જાણીતા મુકાબલાની નવ્ય ભૂમિકા બની અને તેથી ભાવકને એથી ખાસ ફાવ્યું નહીં. ખાસ તો એ પોતાના સંચિત સામર્થ્યને કામે લગાડી શક્યો નહીં બલકે કાયમની એની અનેક ટેવો વચ્ચે આવી.  
 
    બીજી રચનામાં, નાયક જાણીતી વાત કરે છે કે બપોરની ઊંઘનો સ્વાદ અનેરો હોય છે; એ રાત્રિનિદ્રા જેવી પરિપક્વ હોતી નથી. ભલે; આ રચનામાં હવે આગળની રચનાનો ભાવકને લાધેલો સંસ્કાર કામ કરવાનો. એ સંસ્કારના બળે કરીને બપોરને હવે કાચા ખરી પડેલા ફળ જેવી કઠણ સ્વીકારવામાં એને તકલીફ નથી પડતી. ભાવકનું આ ઓરિએન્ટેશન આગળ ચાલે છે : નાયક એ ફળને પોતાના તળના કોઇ અંધાર ખૂણે કરડતો હોય, એ એના હાથમાંથી છૂટીને દડી જતું હોય, આખરે એનો પંજો એને પકડી પાડતો હોય, એકાદ ઝાપટમાં એ એને ઉઝરડી નાખતો હોય, વગેરે. કહો કે, ભાવક સામે કાવ્યનાયકનો એવો એક અતિ-વાસ્તવી મનો-ઝંઝાવાત આલેખાય છે. એવા બનાવના સાક્ષી થવામાં હવે ભાવકને ખાસ્સો રસ પડે છે. આગળની રચનામાં બપોરને કાવ્યનાયકે પશુ કહેલી, વધેરવા, હણી નાખવા કહેલું. હવે એ બપોર હિંસક પશુ છે અને એ કહે છે : ‘હું હિંસક પશુનું ભક્ષ્ય સાથેનું તાદાત્મ્ય ભોગવું છું.’ નિદ્રા પરિપક્વ થઇ ફૂટે એ ક્ષણે એ અનુભવે કે પોતે કયામતના ન્યાયથી અસંતુષ્ટ વિશ્વકાય પશુમાનવ જેવો છે અને જણાવે કે પૃથ્વીને કરડી જવા દાંત ભેરવું છું, ત્યારે એને એમ બોલતો જોવામાં ભાવકને એટલો જ રસ પડે છે.  
દાખલા રૂપે રચના લઇને વાતનું સમર્થન કરી જોઉં : પૃષ્ઠ ૧૮ અને ૧૯ ઉપર બે રચનાઓમાં બપોર છે:
  મહત્ત્વ એ મુદ્દાનું છે કે કાવ્યનાયકનું એ અન્તિમ કથન બન્ને રચનાઓનાં તમામ સાયુજ્યોને ઊંડળમાં લેતું એક જબરું અર્થસૂચન છે. જબરું એ રીતે કે એથી કાવ્યનાયકને કશું એક-ચોક્કસ કહેવું કે સૂચવવું નથી. એની ચેતના તો શબ્દ અને ચિત્રનાં સાયુજ્યોમાં રત-નિરત રહી છે. એ સંયોજન એવું નથી કે જેના આધારે ભાવક એક આખા હૅપનિન્ગનો કશો એકરૂપ સાર પકડી શકે. આ સૃષ્ટિમાં એકદમ હાથમાં આવી જાય એવું, કશું કડીબદ્ધ અને ક્રમાનુસારી નથી. ભાવકને એ મૂંઝવે છે. જોકે મારી દૃષ્ટિએ એથી ભાવક પર ઉપકાર થયો છે --એનું ઓરિઍન્ટેશન આગળ વધી શકે એવો ઉપકાર. એ વિશે હવે પછીથી કહું છું. (જુઓ : ૨ : ૧૦).
 
  ૧ : ૨  
પહેલી રચનાના કેન્દ્રમાં તો બે જ વસ્તુ છે : કાવ્યનાયક અને બપોર. બન્ને સંકેતો સૌને જાણીતા છે. પણ એમાં ઉમેરાય છે કાળોતરા શબ્દોની ચીબરી. શબ્દો, કાળોતરા શબ્દો અને ચીબરી જાણીતાં છે પણ એ પ્રકારે એમનું સાયુજ્ય શરૂ થાય છે. ત્રિભેટો સૌને જાણીતો છે પણ એમાં કાવ્યનાયકનું એને કરવત લઇ વહેરી નાખી બપોરનાં પાંસળાં ભાંગી નાખ્યાં --જાતનું વ્યંજનાગર્ભી કથન ઉમેરાય છે. હવે જુઓ, બપોરના કૂતરા, નાયક અને, હજી કેમ મારી પથારીની આજુબાજુ ભેગા થાય છે નામનો એનો મૂંઝારો --સાયુજ્ય આગળ વધ્યું. એથી પણ આગળ વધ્યું : બપોર નાયકનાં આંગળાંમાં લટકી રહી. એવી બપોરમાં તમતમતી પાનીમાં લાળના અને કાનસના ઘસરકા જેવી નાયકની ઉપમાગત વેદના ભળી. હવે એવી બપોર એનાં હાડકાંમાં તડતડ ફૂટવા લાગી. હવે એવી બપોરને એ ફૂંકી દેવાનું, ડામી દેવાનું, કહેવા લાગ્યો. છેલ્લે એવી બપોર એને પશુ ભાસે છે. એ એને વધેરી નાખવા, હણી નાખવા કહે છે. કેમકે એને ડર લાગે છે કે --નહિ તો એનો હડકવા બધી ભીંતોને, બધાં ઝાડને, બધાં ફૂલને, બધાં પંખીને લાગી જશે.
 
આવી શબ્દસૃષ્ટિથી ક્રમે ક્રમે અર્થોપચય તો જરૂર થયો પણ દેખીતી રીતે જ એ ખાસ્સો અટપટો છે. વ્યાવર્તક ફર્ક એ છે કે એવી લાક્ષણિક સૃષ્ટિ ભાવકના ભાવન નામના જાણીતા મુકાબલાની નવ્ય ભૂમિકા બની અને તેથી ભાવકને એથી ખાસ ફાવ્યું નહીં. ખાસ તો એ પોતાના સંચિત સામર્થ્યને કામે લગાડી શક્યો નહીં બલકે કાયમની એની અનેક ટેવો વચ્ચે આવી.  
 
બીજી રચનામાં, નાયક જાણીતી વાત કરે છે કે બપોરની ઊંઘનો સ્વાદ અનેરો હોય છે; એ રાત્રિનિદ્રા જેવી પરિપક્વ હોતી નથી. ભલે; આ રચનામાં હવે આગળની રચનાનો ભાવકને લાધેલો સંસ્કાર કામ કરવાનો. એ સંસ્કારના બળે કરીને બપોરને હવે કાચા ખરી પડેલા ફળ જેવી કઠણ સ્વીકારવામાં એને તકલીફ નથી પડતી. ભાવકનું આ ઓરિએન્ટેશન આગળ ચાલે છે : નાયક એ ફળને પોતાના તળના કોઇ અંધાર ખૂણે કરડતો હોય, એ એના હાથમાંથી છૂટીને દડી જતું હોય, આખરે એનો પંજો એને પકડી પાડતો હોય, એકાદ ઝાપટમાં એ એને ઉઝરડી નાખતો હોય, વગેરે. કહો કે, ભાવક સામે કાવ્યનાયકનો એવો એક અતિ-વાસ્તવી મનો-ઝંઝાવાત આલેખાય છે. એવા બનાવના સાક્ષી થવામાં હવે ભાવકને ખાસ્સો રસ પડે છે. આગળની રચનામાં બપોરને કાવ્યનાયકે પશુ કહેલી, વધેરવા, હણી નાખવા કહેલું. હવે એ બપોર હિંસક પશુ છે અને એ કહે છે : ‘હું હિંસક પશુનું ભક્ષ્ય સાથેનું તાદાત્મ્ય ભોગવું છું.’ નિદ્રા પરિપક્વ થઇ ફૂટે એ ક્ષણે એ અનુભવે કે પોતે કયામતના ન્યાયથી અસંતુષ્ટ વિશ્વકાય પશુમાનવ જેવો છે અને જણાવે કે પૃથ્વીને કરડી જવા દાંત ભેરવું છું, ત્યારે એને એમ બોલતો જોવામાં ભાવકને એટલો જ રસ પડે છે.  
 
મહત્ત્વ એ મુદ્દાનું છે કે કાવ્યનાયકનું એ અન્તિમ કથન બન્ને રચનાઓનાં તમામ સાયુજ્યોને ઊંડળમાં લેતું એક જબરું અર્થસૂચન છે. જબરું એ રીતે કે એથી કાવ્યનાયકને કશું એક-ચોક્કસ કહેવું કે સૂચવવું નથી. એની ચેતના તો શબ્દ અને ચિત્રનાં સાયુજ્યોમાં રત-નિરત રહી છે. એ સંયોજન એવું નથી કે જેના આધારે ભાવક એક આખા હૅપનિન્ગનો કશો એકરૂપ સાર પકડી શકે. આ સૃષ્ટિમાં એકદમ હાથમાં આવી જાય એવું, કશું કડીબદ્ધ અને ક્રમાનુસારી નથી. ભાવકને એ મૂંઝવે છે. જોકે મારી દૃષ્ટિએ એથી ભાવક પર ઉપકાર થયો છે --એનું ઓરિઍન્ટેશન આગળ વધી શકે એવો ઉપકાર. એ વિશે હવે પછીથી કહું છું. (જુઓ : ૨ : ૧૦).
  '''૧ : ૨'''
     શેખની સર્જકચેતના અન્ય આધુનિકોથી શી રીતે આગવી છે એ સંદર્ભમાં મારું આ બીજું વધારાનું નિરીક્ષણ પણ જુઓ :  
     શેખની સર્જકચેતના અન્ય આધુનિકોથી શી રીતે આગવી છે એ સંદર્ભમાં મારું આ બીજું વધારાનું નિરીક્ષણ પણ જુઓ :  
     સામાન્યપણે શેખની સૃષ્ટિમાં શરીર સાથે જોડાયેલા આ બધા સંકેતો પણ ખાસ આવે છે : ચામડી, જીભ, પાંસળાં, પેટ, હાથ, પંજા, આંગળાં, પગ, લોહી, ગર્ભ, શિશ્ન, યોનિ, વગેરે. શેખે પ્રયોજેલી, સંયોજેલી, ક્રિયાઓ પણ એટલી જ ધ્યાનપાત્ર છે : સામાન્યપણે એમની સૃષ્ટિમાં ક્રિયાવાચી શબ્દો કે ક્રિયાપદો ખાસ્સાં અરૂઢ હોય છે : મસળવું, સીવવું, છંછેડવું, ઑગળવું, ઝમવું, ભસવું, કોચવું, ઝરેરવું, વધેરવું, ગંધાવું, કરડવું, ચાટવું, ખરવું, વરસવું, મૂતરવું, બકવું, નાસવું, સળગવું, બોળવું, ઢોળવું, ઑકવું, હાંફવું, સંભોગવું, વગેરે.
     સામાન્યપણે શેખની સૃષ્ટિમાં શરીર સાથે જોડાયેલા આ બધા સંકેતો પણ ખાસ આવે છે : ચામડી, જીભ, પાંસળાં, પેટ, હાથ, પંજા, આંગળાં, પગ, લોહી, ગર્ભ, શિશ્ન, યોનિ, વગેરે. શેખે પ્રયોજેલી, સંયોજેલી, ક્રિયાઓ પણ એટલી જ ધ્યાનપાત્ર છે : સામાન્યપણે એમની સૃષ્ટિમાં ક્રિયાવાચી શબ્દો કે ક્રિયાપદો ખાસ્સાં અરૂઢ હોય છે : મસળવું, સીવવું, છંછેડવું, ઑગળવું, ઝમવું, ભસવું, કોચવું, ઝરેરવું, વધેરવું, ગંધાવું, કરડવું, ચાટવું, ખરવું, વરસવું, મૂતરવું, બકવું, નાસવું, સળગવું, બોળવું, ઢોળવું, ઑકવું, હાંફવું, સંભોગવું, વગેરે.