યોગેશ જોષીની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2,020: Line 2,020:
</poem>
</poem>


== માને શ્રાદ્ધમાં ભેળવતી વેળા... ==
<poem>
(‘મા ગઈ એ પછી...’ કાવ્યગુચ્છમાંથી)
માને
શ્રાદ્ધમાં ભેળવવાની
વિધિ શરૂ થઈ...
સ્થાપન, પિંડ વગેરે તૈયાર થયા;
પછી દેવોનું પૂજન થયું
ત્યારબાદ
જનોઈ અપસવ્ય કરી;
તર્પણવિધિ શરૂ થઈ...
માનું નામ દઈને
શુદ્ધ ઉચ્ચારો સાથે
ગોરમહારાજે
સ૨સ તર્પણ કરાવ્યું;
પછી
પિતાનું નામ દઈને,
પછી
દાદીમાનું નામ દઈને,
પછી
દાદાનું નામ દઈને
::: કરાવ્યું તર્પણ....
પછી
ગોરમહારાજે
દાદીમાનાં સાસુનું નામ પૂછ્યું
પણ
કોઈનેય
યાદ ના’વ્યું એમનું નામ...
(પિતાજીને તો
સાતેક પેઢી સુધીનાં નામ
યાદ હતાં;
પણ અમને...)
નામ યાદ ના આવ્યું
આથી
ગોરમહારાજે
નામના બદલે
‘ગંગા, જમુના, સરસ્વતી....’
બોલાવીને
તર્પણ કરાવ્યું...
વિધિ
પત્યા પછી થયું –
બસ,
બે-ત્રણ પેઢી પછી
માનુંય નામ સુધ્ધાં
યાદ નહીં આવે
::: કોઈનેય...?!
કદાચ
યાદગીરી પૂરતા
માળિયે રાખેલા
જૂના કોઈ
તાંબા-પિત્તળના વાસણ પર
માનું નામ
કો ત રે લું
::: હોય તો હોય......
બસ,
બે-ત્રણ પેઢી પછી
શું
મા પણ
::: ગંગા....
::::   જમુના...
:::::       સરસ્વતી...?!
</poem>
<br>
<br>
<center>&#9724;</center>
<center>&#9724;</center>
<br>
<br>
18,450

edits

Navigation menu