સ્વાધ્યાયલોક—૩/વિરલ વાત્સલ્યમૂર્તિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વિરલ વાત્સલ્યમૂર્તિ: ગેબ્રિએલા મિસ્ત્રાલ}} {{Poem2Open}} હમણાં અ...")
 
No edit summary
Line 13: Line 13:
ગેબ્રિએલા મિસ્ટ્રાલ એ ઉપનામ છે. મૂળ નામ લ્યુસિલા ગોડોય આલ્કાયાગા છે. જન્મ ૧૮૮૯માં ચીલીના વિકુના ગામમાં. પિતા ગામડાની શાળામાં શિક્ષક અને કવિ હતા. એટલે ગેબ્રિએલા મિસ્ત્રાલને કવિતા અને કેળવણી, જે એમના જીવનની બે મુખ્ય પ્રવૃત્તિ રહેવાની હતી તે, પિતા પાસેથી વારસામાં મળી. ગેબ્રિએલા મિસ્ત્રાલ ત્રણ વર્ષની વયનાં હતાં ત્યારે પિતાએ ઘર અને ગામ છોડ્યું હતું. પંદર વર્ષની વયે પિતાના કાવ્યો ગેબ્રિએલાના હાથમાં આવ્યાં અને કવિતા કરવાની પ્રેરણા થઈ. એમની પ્રથમ રચનાઓ ગદ્યમાં રેખાચિત્રો અને એમનું પ્રકાશન સ્થાનિક સામયિકોમાં. આ અરસામાં શિક્ષિકાનું કાર્ય આરંભ્યું, જે સાહિત્યિક પ્રતિષ્ઠા પછી પણ એમણે જીવનભર કર્યું. પ્રથમ પ્રણયમાં જ નિષ્ફળતા અને નિરાશાનો અનુભવ થયો. એના પ્રેમી — રોમેલીઓ યુરેટા — એ એના વ્યવસાયમાં કોઈ મુશ્કેલી આવી ને આત્મહત્યા કરી. એક પ્રેયસી લેખે ગેબ્રિએલાનું હૃદય એના પ્રથમ પ્રૌઢ કાવ્યમાં પ્રગટ થયું, સોનેતો દ લા મર્ત (મૃત્યુના સોનેટો) નામે એનું ૧૯૧૪માં પ્રકાશન થયું. પ્રથમ મહાયુદ્ધની વિશ્વવ્યાપી કરુણતાના સમયે જ એમના અંગત જીવનનાં કરુણતમ કાવ્યો પ્રગટ થયાં. એ ક્ષણથી જે પ્રતીતિ થઈ તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામી. આ કાવ્યોમાં એક તીવ્ર ધાર્મિક લાગણી અને પ્રેમીના પ્રાણત્યાગ વિશેની ગાઢ અંતરવ્યથા છે. આ શોક કાવ્યોની પરાકાષ્ઠા ‘પ્રાર્થના’ નામના કાવ્યમાં છે. અહીં પ્રેયસીસ્વરૂપે ગેબ્રિએલાએ વિનાશનો, મૃત્યુનો શોક ગાયો છે. તો એમનાં બાળકાવ્યોમાં એમણે સર્જનનો, જીવનનો આનંદ ગાયો છે આ આનંદના કાવ્યોની પરાકાષ્ઠા ‘રાત્રિ’ નામના કાવ્યમાં છે. સામાજિક સભાનતાના સાહિત્યની ફૅશનના આ યુગમાં ગેબ્રિએલા મિસ્ત્રાલની પ્રેમી અને પુત્રવિષયક આ કવિતા એમની સર્જક તરીકેની શ્રદ્ધા અને સાહસિકતાના પ્રતીકરૂપ છે. આ ગાઢ માનવરસમાં ને માનવસંબંધોમાં સામાજિક સભાનતા નથી એ ભ્રમ છે. એમાં જ સવિશેષ ને સાચી સભાનતા છે. એમની આરંભની કવિતાના વસ્તુની પ્રેરણા કૅથોલિક ધર્મમાં છે તો એમની શૈલીની પ્રેરણા સિમ્બોલિઝમમાં છે. એમાં ધર્મ અને કળાનો સુમેળ છે. પરંપરાગત છંદમાં અને મુક્ત છંદમાં એકસરખી કુશળતાથી કલમ યોજાય છે. ગદ્યમાં પણ કવિતા સિદ્ધ થાય છે.
ગેબ્રિએલા મિસ્ટ્રાલ એ ઉપનામ છે. મૂળ નામ લ્યુસિલા ગોડોય આલ્કાયાગા છે. જન્મ ૧૮૮૯માં ચીલીના વિકુના ગામમાં. પિતા ગામડાની શાળામાં શિક્ષક અને કવિ હતા. એટલે ગેબ્રિએલા મિસ્ત્રાલને કવિતા અને કેળવણી, જે એમના જીવનની બે મુખ્ય પ્રવૃત્તિ રહેવાની હતી તે, પિતા પાસેથી વારસામાં મળી. ગેબ્રિએલા મિસ્ત્રાલ ત્રણ વર્ષની વયનાં હતાં ત્યારે પિતાએ ઘર અને ગામ છોડ્યું હતું. પંદર વર્ષની વયે પિતાના કાવ્યો ગેબ્રિએલાના હાથમાં આવ્યાં અને કવિતા કરવાની પ્રેરણા થઈ. એમની પ્રથમ રચનાઓ ગદ્યમાં રેખાચિત્રો અને એમનું પ્રકાશન સ્થાનિક સામયિકોમાં. આ અરસામાં શિક્ષિકાનું કાર્ય આરંભ્યું, જે સાહિત્યિક પ્રતિષ્ઠા પછી પણ એમણે જીવનભર કર્યું. પ્રથમ પ્રણયમાં જ નિષ્ફળતા અને નિરાશાનો અનુભવ થયો. એના પ્રેમી — રોમેલીઓ યુરેટા — એ એના વ્યવસાયમાં કોઈ મુશ્કેલી આવી ને આત્મહત્યા કરી. એક પ્રેયસી લેખે ગેબ્રિએલાનું હૃદય એના પ્રથમ પ્રૌઢ કાવ્યમાં પ્રગટ થયું, સોનેતો દ લા મર્ત (મૃત્યુના સોનેટો) નામે એનું ૧૯૧૪માં પ્રકાશન થયું. પ્રથમ મહાયુદ્ધની વિશ્વવ્યાપી કરુણતાના સમયે જ એમના અંગત જીવનનાં કરુણતમ કાવ્યો પ્રગટ થયાં. એ ક્ષણથી જે પ્રતીતિ થઈ તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામી. આ કાવ્યોમાં એક તીવ્ર ધાર્મિક લાગણી અને પ્રેમીના પ્રાણત્યાગ વિશેની ગાઢ અંતરવ્યથા છે. આ શોક કાવ્યોની પરાકાષ્ઠા ‘પ્રાર્થના’ નામના કાવ્યમાં છે. અહીં પ્રેયસીસ્વરૂપે ગેબ્રિએલાએ વિનાશનો, મૃત્યુનો શોક ગાયો છે. તો એમનાં બાળકાવ્યોમાં એમણે સર્જનનો, જીવનનો આનંદ ગાયો છે આ આનંદના કાવ્યોની પરાકાષ્ઠા ‘રાત્રિ’ નામના કાવ્યમાં છે. સામાજિક સભાનતાના સાહિત્યની ફૅશનના આ યુગમાં ગેબ્રિએલા મિસ્ત્રાલની પ્રેમી અને પુત્રવિષયક આ કવિતા એમની સર્જક તરીકેની શ્રદ્ધા અને સાહસિકતાના પ્રતીકરૂપ છે. આ ગાઢ માનવરસમાં ને માનવસંબંધોમાં સામાજિક સભાનતા નથી એ ભ્રમ છે. એમાં જ સવિશેષ ને સાચી સભાનતા છે. એમની આરંભની કવિતાના વસ્તુની પ્રેરણા કૅથોલિક ધર્મમાં છે તો એમની શૈલીની પ્રેરણા સિમ્બોલિઝમમાં છે. એમાં ધર્મ અને કળાનો સુમેળ છે. પરંપરાગત છંદમાં અને મુક્ત છંદમાં એકસરખી કુશળતાથી કલમ યોજાય છે. ગદ્યમાં પણ કવિતા સિદ્ધ થાય છે.
એક મનુષ્ય લેખે પણ એમણે અનેક સેવાઓ પોતાની પ્રજાને અર્પણ કરી છે. ચીલીના કેળવણી ખાતામાં મહત્ત્વની કામગીરી કરી સ્પેન, બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં ચીલીના કોન્સલ તરીકે કામ કર્યું. ૧૯૨૨માં કેળવણી યોજનામાં બે વર્ષ લગી સહાય કરવા મેક્સિકોથી આમંત્રણ આવ્યું ને મેક્સિકોમાં વાસ કર્યો. બે યુદ્ધ વચ્ચેના સમયમાં લીગ ઑફ નેશન્સની સમિતિઓમાં ચીલીનું પ્રતિનિધિત્વ ધરાવ્યું ૧૯૩૧માં બર્નાર્ડ, મિડલબરી, કોલંબિયા, વાસાર — અમેરિકન કૉલેજોમાં અધ્યાપન કર્યું. ૧૯૩૨માં પોર્ટેરીકોની યુનિવર્સિટીમાં ‘સ્પૅનિશ સ્ટડીઝના વિઝિટિંગ પ્રોફેસર’ તરીકે સેવાઓ અર્પણ કરી, ત્યારથી માત્ર એ ટાપુઓ વિશે જ ગદ્યપદ્યમાં સાહિત્ય રચ્યું. છેલ્લે છેલ્લે લોસ એન્જેલીસમાં ચીલીના એલચી ખાતામાં સેવાઓ અર્પણ કરી. ૧૯૫૩માં ન્યૂ યૉર્કમાં યુનાઇટેડ નેશન્સમાં ચીલીનું પ્રતિનિધિત્વ કર્યું. ૧૯૫૭માં લોંગ આયલૅન્ડમાં કૅન્સરથી અવસાન થયું. ૧૯૨૨થી ૧૯૫૫ લગીમાં એમણે ચાર કાવ્યસંગ્રહો પ્રગટ કર્યાં. આમ, એક સર્જક લેખે અને એક મનુષ્ય લેખે પોતાની ભાષાની અને ભૂમિની આ અમૂલ્ય સેવાઓનો ઋણસ્વીકાર ૧૯૪૫માં નોબેલ પ્રાઇઝ અર્પણ કરીને જગતે કર્યો. તેમના ‘રાત્રિ’ નામના કાવ્યનો અંગ્રેજી અનુવાદના આધારે આસ્વાદ કરીને આ વત્સલ કવિને આપણા હૃદયની અંજલિ અર્પીએ !
એક મનુષ્ય લેખે પણ એમણે અનેક સેવાઓ પોતાની પ્રજાને અર્પણ કરી છે. ચીલીના કેળવણી ખાતામાં મહત્ત્વની કામગીરી કરી સ્પેન, બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં ચીલીના કોન્સલ તરીકે કામ કર્યું. ૧૯૨૨માં કેળવણી યોજનામાં બે વર્ષ લગી સહાય કરવા મેક્સિકોથી આમંત્રણ આવ્યું ને મેક્સિકોમાં વાસ કર્યો. બે યુદ્ધ વચ્ચેના સમયમાં લીગ ઑફ નેશન્સની સમિતિઓમાં ચીલીનું પ્રતિનિધિત્વ ધરાવ્યું ૧૯૩૧માં બર્નાર્ડ, મિડલબરી, કોલંબિયા, વાસાર — અમેરિકન કૉલેજોમાં અધ્યાપન કર્યું. ૧૯૩૨માં પોર્ટેરીકોની યુનિવર્સિટીમાં ‘સ્પૅનિશ સ્ટડીઝના વિઝિટિંગ પ્રોફેસર’ તરીકે સેવાઓ અર્પણ કરી, ત્યારથી માત્ર એ ટાપુઓ વિશે જ ગદ્યપદ્યમાં સાહિત્ય રચ્યું. છેલ્લે છેલ્લે લોસ એન્જેલીસમાં ચીલીના એલચી ખાતામાં સેવાઓ અર્પણ કરી. ૧૯૫૩માં ન્યૂ યૉર્કમાં યુનાઇટેડ નેશન્સમાં ચીલીનું પ્રતિનિધિત્વ કર્યું. ૧૯૫૭માં લોંગ આયલૅન્ડમાં કૅન્સરથી અવસાન થયું. ૧૯૨૨થી ૧૯૫૫ લગીમાં એમણે ચાર કાવ્યસંગ્રહો પ્રગટ કર્યાં. આમ, એક સર્જક લેખે અને એક મનુષ્ય લેખે પોતાની ભાષાની અને ભૂમિની આ અમૂલ્ય સેવાઓનો ઋણસ્વીકાર ૧૯૪૫માં નોબેલ પ્રાઇઝ અર્પણ કરીને જગતે કર્યો. તેમના ‘રાત્રિ’ નામના કાવ્યનો અંગ્રેજી અનુવાદના આધારે આસ્વાદ કરીને આ વત્સલ કવિને આપણા હૃદયની અંજલિ અર્પીએ !
રાત્રિ
{{Poem2Close}}
હે બાળ, પોઢો ! તમ કારણે તો પશ્ચિમનું આભ પ્રકાશ લોપે; તુષાર છે માત્ર, ન અન્ય તેજ, ન શ્વેત કૈં, આ મુખ માત્ર ઓપે ! 
હે બાળ ન્હાના, મધુસ્વપ્નમાં તું ! 
એથી જ આ પંથ અબોલ, શાંત; 
આ સ્રોત વ્હે માત્ર, ન અન્ય મર્મર; 
અકેલ હું, નિદ્રિત સર્વ પ્રાંત !
<poem>
નિઃસ્તબ્ધ ડૂબ્યું જગ મંદ ધુમ્મસે 
ને નીલ નિઃશ્વાસ તમિસ્રમાં સરે; 
ને શાંતિ — જાણે હળવો જ હેતથી 
પૃથ્વી પરે કો મૃદુ હસ્ત શો ફરે !
{{space}}{{space}}{{space}}'''રાત્રિ'''
ન બાળનું હાલરડું જ માત્ર 
ગાઈ ઝુલો આમ ઝુલાવું રાતે, 
પૃથ્વી ય તે સાથ ઝુલંત ઝૂલે 
પોઢી જતી નીંદરમાં નિરાંતે !
:હે બાળ, પોઢો ! તમ કારણે તો
:પશ્ચિમનું આભ પ્રકાશ લોપે;
:તુષાર છે માત્ર, ન અન્ય તેજ,
:ન શ્વેત કૈં, આ મુખ માત્ર ઓપે !
 
હે બાળ ન્હાના, મધુસ્વપ્નમાં તું !
એથી જ આ પંથ અબોલ, શાંત;
સ્રોત વ્હે માત્ર, ન અન્ય મર્મર;
અકેલ હું, નિદ્રિત સર્વ પ્રાંત !
 
નિઃસ્તબ્ધ ડૂબ્યું જગ મંદ ધુમ્મસે
ને નીલ નિઃશ્વાસ તમિસ્રમાં સરે;
ને શાંતિ — જાણે હળવો જ હેતથી
પૃથ્વી પરે કો મૃદુ હસ્ત શો ફરે !
 
ન બાળનું હાલરડું જ માત્ર
ગાઈ ઝુલો આમ ઝુલાવું રાતે,
પૃથ્વી ય તે સાથ ઝુલંત ઝૂલે
પોઢી જતી નીંદરમાં નિરાંતે !
</poem>
{{Poem2Open}}
આ હાલરડું એ માત્ર કોઈ એક માનવશિશુની કોઈ એક માતાના જ હૃદયનું વાત્સલ્ય પ્રગટ કરતું નથી પણ સમસ્ત પૃથ્વીરૂપી શિશુના વિશ્વ-જનનીના હૃદયનું વાત્સલ્ય એમાં પ્રગટ કરે એટલી એમાં ભાવસમૃદ્ધિ ને કાવ્યસમૃદ્ધિ છે. કાવ્યના અંતિમ શ્લોકમાં એક અજબ પલટો આવ્યો છે, અસાધારણ પરિવર્તન થાય છે. એક શિશુની નિદ્રાને અનુકૂળ થવા સમગ્ર સૃષ્ટિ તત્પર છે એમ કહીને શિશુ પ્રત્યેનો અપાર પ્રેમ ત્રણ શ્લોકમાં પ્રગટ કર્યો છે અને પછી એમ થતાં સ્વયં સૃષ્ટિ જ પોઢી જાય છે, એમ કહીને સૃષ્ટિ પ્રત્યેનો એટલો જ અપાર પ્રેમ અંતિમ શ્લોકમાં પ્રગટ કર્યો છે. શિશુનું સૃષ્ટિમાં, વ્યક્તિનું સમષ્ટિમાં પરિવર્તન થાય છે, કહો કે પર્યવસાન થાય છે. શિશુ એ સૃષ્ટિનું પ્રતીક બની જાય છે તો સમગ્ર સૃષ્ટિ એ આ જનનીનું સંતાન બની જાય છે ને એથી જનની એ વિશ્વજનની બની જાય છે એટલો આ એક નાનકડા કાવ્યમાં વસ્તુ અને વિચારનો વિકાસ સિદ્ધ થાય છે.
આ હાલરડું એ માત્ર કોઈ એક માનવશિશુની કોઈ એક માતાના જ હૃદયનું વાત્સલ્ય પ્રગટ કરતું નથી પણ સમસ્ત પૃથ્વીરૂપી શિશુના વિશ્વ-જનનીના હૃદયનું વાત્સલ્ય એમાં પ્રગટ કરે એટલી એમાં ભાવસમૃદ્ધિ ને કાવ્યસમૃદ્ધિ છે. કાવ્યના અંતિમ શ્લોકમાં એક અજબ પલટો આવ્યો છે, અસાધારણ પરિવર્તન થાય છે. એક શિશુની નિદ્રાને અનુકૂળ થવા સમગ્ર સૃષ્ટિ તત્પર છે એમ કહીને શિશુ પ્રત્યેનો અપાર પ્રેમ ત્રણ શ્લોકમાં પ્રગટ કર્યો છે અને પછી એમ થતાં સ્વયં સૃષ્ટિ જ પોઢી જાય છે, એમ કહીને સૃષ્ટિ પ્રત્યેનો એટલો જ અપાર પ્રેમ અંતિમ શ્લોકમાં પ્રગટ કર્યો છે. શિશુનું સૃષ્ટિમાં, વ્યક્તિનું સમષ્ટિમાં પરિવર્તન થાય છે, કહો કે પર્યવસાન થાય છે. શિશુ એ સૃષ્ટિનું પ્રતીક બની જાય છે તો સમગ્ર સૃષ્ટિ એ આ જનનીનું સંતાન બની જાય છે ને એથી જનની એ વિશ્વજનની બની જાય છે એટલો આ એક નાનકડા કાવ્યમાં વસ્તુ અને વિચારનો વિકાસ સિદ્ધ થાય છે.
આવા વિરલ વાત્સલ્યની કવિતા કરનાર કવિને પ્રભુ શાશ્વત શાંતિ અર્પો !
આવા વિરલ વાત્સલ્યની કવિતા કરનાર કવિને પ્રભુ શાશ્વત શાંતિ અર્પો !

Navigation menu