રંગ છે, બારોટ/11. ચંદણ–મેણાંગરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 293: Line 293:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
શેર શેર સોનું હું તો પે’રતી રે વણજારા!  
::::શેર શેર સોનું હું તો પે’રતી રે વણજારા!  
જોખાતી મોતિયા ભારોભાર,  
::::::: જોખાતી મોતિયા ભારોભાર,  
શેર શેર સોનું હું તો પે’રતી વણજારા!  
::::શેર શેર સોનું હું તો પે’રતી વણજારા!  
જોખાતી ફૂલાં રે ભારોભાર.  
::::::: જોખાતી ફૂલાં રે ભારોભાર.  
એક દિ’યારો ઝોલો વાગિયો વણજારા!  
::::એક દિ’યારો ઝોલો વાગિયો વણજારા!  
ગંગા લઈ ગઈ લોઢું માંય.  
::::::: ગંગા લઈ ગઈ લોઢું માંય.  
સાયર-નીર તો જેવા દીકરા રે વણજારા!  
::::સાયર-નીર તો જેવા દીકરા રે વણજારા!  
રૈ ગ્યા ગંગા રે પેલે ઘાટ.  
::::::: રૈ ગ્યા ગંગા રે પેલે ઘાટ.  
ઝીણા ઝીણા તો પડે કોરડા વણજારા!  
::::ઝીણા ઝીણા તો પડે કોરડા વણજારા!  
દ:ખડાં લખ્યાં મારે શરીર.  
::::::: દ:ખડાં લખ્યાં મારે શરીર.  
દાંત તો દાતણે મારા દેખિયા રે વણજારા!  
::::દાંત તો દાતણે મારા દેખિયા રે વણજારા!  
મખડો દીઠો મારે ભરથાર.  
::::::: મખડો દીઠો મારે ભરથાર.  
સત ધરમરે કારણ હો વણજારા!  
::::સત ધરમરે કારણ હો વણજારા!  
મેલ્યો લોયાણાગઢરો રાજ.
::::::: મેલ્યો લોયાણાગઢરો રાજ.
</poem>
{{Poem2Open}}
કોરડો કાયા માથે પડે છે ને મેણાંગર બોલે છે, કે “અરે હે વણજારા! એક સમે હું શરીરે શેર શેર સોનું પહેરતી અને એવી સુકોમળ હતી કે ફૂલે ને મોતીએ જોખાતી. આજ કાળની થપાટ વાગી ને તારા તંબૂમાં પડી છું. ચંદણ સરીખો મારો નાથ, તેને ગંગા લોઢમાં લઈ ગઈ. સાયર ને નીર સરખા મારા દીકરા, તે ગંગાને સામે ઘાટ રહી ગયા. તારા ફટકા પડે છે ને મારી કાયા દુઃખે છે. મારા દાંત એક ફક્ત દાતણ સિવાય કોઈએ દીઠા નહોતા અને મારું મુખડું માત્ર મારા પતિએ જ દીઠું હતું. તેને બદલે અત્યારે મારી એબ તું જોઈ રહ્યો છે. આ બધું સતધરમને કારણે અમે લોયાણાગઢનું રાજ મૂકી દીધું તેને લીધે જ છે ના!”
{{Poem2Close}}
 
<center>[4]</center>
{{Poem2Open}}
અધરાતને સમે લાખા વણજારાની પોઠ્યના પડાવમાંથી, આ કોરડાના ફટકા, ને આ મેણાંગરીનાં કલ્પાંત બે જણાએ કાનોકાન સાંભળ્યાં. આ બે જણા ત્યાં સીમાડાની ચોકી કરતા હતા. ચોકીનો વારો તે રાતે આ બે જણાનો હતો. લાખાની પોઠ્યુંનું સવા લાખ તો દાણ લેવાનું હતું એટલે દાણ લેનારું મોરગઢનું રાજ સીમાડે આવી ચોકી રાખતું હતું.
બેય ચોકીદારોના કાન ખરેખરા તો ક્યારે ચમક્યા? કે જ્યારે કલ્પાંતમાં “સાયર–નીર તો જેવા દીકરા રે વણજારા!” એવું આવ્યું.
બેય જણાએ એકબીજાની સામે જોયું. એકે કહ્યું કે “હે ભાઈ સાયર!”
કે’, “બોલો ભાઈ નીર!”
કે’, “આ પૃથમીને માથે સાયર–નીર આપણે એક, કે બીજા છે?”
કે’, “ભાઈ! એ તો બાપુને ખબર; પણ આપણે કાને આજ સુધી કોઈ સાયર-નીર આવેલ નથી.”
કે’, “ભાઈ! આ કલ્પાંત કોઈક બાઈનાં છે.”
કે’, “હા ભાઈ! એના બોલમાંથી ભણકારા આવે છે.”
કે’, “આપણા જેવા જ કોેઈક બે બેટડાની મા લાગે છે.”
કે’, “ભાઈ! લાખા વણજારાનો ઢોલિયો ચોરીએ.”
તે દી રાતે, સાયર અને નીર નામના એ બે મોટા થયેલા રાજકુંવરોએ લાખા વણજારાનો સવા કરોડનો ઢોલિયો ચોર્યો — જેને હીરની પાટી અને પાયે પાયે જીંડુ રતન.
ઢોલિયો ચોરાણો. મોરગઢમાં લાખા વણજારાની ફરિયાદ ગઈ. રાજા પૂછે છે કે ચોકી કોની હતી?
કે’, “કુંવર સાયર–નીરની.”
કે’, “બોલાવો કુંવરિયાને.”
કુંવરિયા ઘોડા પલાણીને આવી ઊભા રહ્યા. ચોરી કબૂલ કરી. “અરે, શા માટે ચોરી કરી?”
કે’, “પિતાજી! પહેલાં તો જવાબ આપો કે આ પચાસ ક્રોડ પૃથમીને માથે સાયર–નીર અમે બે કે બીજા છે?”
કે’, “ભાઈ! બીજા સાંભળ્યા નથી.”
“ત્યારે, હે પિતાજી! હવે કહો, કે અમે બેય જણા તમારે ઘરે આવેલ કે જાયેલ?”
સવાલ સાંભળતાં જ રાજાને ધ્રાશકો પડ્યો : કે નક્કી કોઈક જાણભેદુ આને ભેટી ગયો!
કે’, “ભાઈ! જાયેલા તો નથી, આવેલા છો. મારી રાણીને પેટ જન્મ્યા નથી. પણ ગંગાજમનાને કાંઠેથી કરંડિયામાંથી જડ્યા છો.”
કે’, “અમારાં માતાપત્યા કોણ?”
કે’, “લોયાણાગઢના રાજા ચંદણ જે અટાણે ત્રંબાવટીનું રાજ કરે છે.”
ચડ્યે ઘોડે બેય જણા ઊપડ્યા. દાતણ કરવાય ન રોકાણા. પહોંચ્યા ત્રંબાવટી. રાજા ચંદણને બાવડું ઝાલીને હલબલાવી કહ્યું : “હાલો, ઘોડે પલાણો.”
કે’, “ભાઈ! ક્યાં હાલું?”
“અમારી માતુશ્રીને ઓળખી આપો.” એમ કહીને માંડીને વાત કરી.
કે’, “ભાઈ! પેગડાં છોડો, દૂધ પીઓ.”
કે’, “મા અમારી ન ઓળખાય ત્યાં સુધી દાતણ અગરાજ છે.”
રાજા ચંદણને તેડીને મોરગઢ આવ્યા, અને લાખા વણજારાના તંબૂમાંથી મેણાંગરીને કબજે લીધાં. પણ ઓળખવાં શી રીતે? મોઢું તો કોઈને બતાવે તેમ નથી.
રાજા ચંદણ કહે કે “બેટા! તમારી માને ડાબે ખંભે પદમ છે. ઈ પદમની ને સૂરજની કરણ્યું એક થઈ જાય છે. ઈ એની પાકી નિશાની છે. બાકી તો ભળતાં મોઢાંનાં માનવી ઘણાં હોય છે આ પૃથમીને માથે.”
“તો કેમ કરશું?” કે’, “ભાઈ! તંબૂમાં એક નાની ઊંચી બારી પડાવો. પછી આ તંબૂમાં આ બાઈ જળપોત પહેરીને નાવણ કરવા બેસે ને એના ખંભાના પદમની ને સૂરજની કરણ્યું એક થાય તો જ એ તમારી મા મેણાંગરી.”
રાણી મેણાંગરી તો થર થર ધ્રૂજે છે. અરે, આ રાજાઓ મળ્યા છે. એમાંથી કોઈનો હાથ મારે બાવડે પડશે તો શું થાશે?
જળપોત પહેરીને મેણાંગરી નાવણ કરવા બેઠી છે. તંબૂમાં રાખેલી બારીમાંથી સૂરજની કરણ્યું બરાબર એના ડાબા ખંભાને માથે પડે છે. ખંભે પદમ છે એની, ને સૂરજની કરણ્યું એક થાય છે. એનું તો ધ્યાન ધરતી ઢાળું છે. એમાં રાજા ચંદણે જઈને એનું બાવડું ઝાલ્યું. ઝબકીને મેણાંગરીએ ઊંચે જોયું. ચંદણ બોલ્યા : “હવે ઝબક મા. હું ચંદણ છું. ને આ આપણા સાયર–નીર છે.”
ચારેય જણાંના મેળા થયા. આંખ્યોના ધોરિયા વહેતા થયા.
એ ટાણે પાછો કૂડકાવડિયો હાજર થયો. “અરે હે મેણાંગરી! માગ્ય, માગ્ય. હું તને ત્રૂઠ્યો છું.”
કે’, “ભાઈ! માગું છું આટલું જ કે મને ત્રૂઠ્યો એવો કોઈને ત્રૂઠીશ મા!”
કે’, “તમારાં રાજપાટ પાછાં આપું છું.”
સાયર–નીર કહે : “બાપુ! અમે આવશું. પણ આ મોરગઢના રાજા અમારા પિતા છે. એને અમે નહીં છોડીએ.”
કે’, “સાચું છે, ભાઈ! એને ન છોડાય. એને જીવ્યા પાળજો ને મુએ બાળજો.”
કે’, “બાપુ! રજા આપો તો આ લાખા વણજારાને કોરડા ફટકાવીએ.”
કે’, “ભાઈ! એ હતો તો તારી માને આંહીં લઈ આવ્યો ને આપણા મેળા થયા. એનો તો ગણ માનીએ. તમારામાં તમપણું હોય તો લાખા વણજારા માથે સવા લાખનું દાણ છે તે માફ કરાવો.”
લાખા વણજારાનો ગણ માન્યો, સવા લાખનું દાણ માફ કરાવ્યું.
લોયાણાગઢ ગયા, સૂંડલો વાળી દેનાર બલુ ઘાંચાને બથમાં ઘાલી મળ્યા. બલુ ઘાંચાએ આજ આટલે વર્ષે દાતણ ફાડ્યું. ને રાજા ચંદણે બલુ ઘાંચા ભેગા બેસીને ભોજન ખાધું. બલુ ઘાંચાએ ગાયું કે —
{{Poem2Close}}
<poem>
::::ભલે જાયો ભલે ઊપન્યો રે રાજા!
::::::: અમર થારું કહિજેં રાજ;
::::બલુ ઘાંચારી કહિજેં વિનતિ રે રાજા!
::::::: અખિયા અમર થાશે રાજ.
</poem>
</poem>
26,604

edits

Navigation menu