સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 780: Line 780:
{{Poem2Open}}
{{Poem2Open}}
હવે વિચારીએ સંજોગોની વાત : લૂંટ એ અધર્મ, અમાનુષીપણું છે, એ ભાવનાનું ભાન એ યુગમાં જીવન્ત નહોતું. કોઈ મોટો વિપ્લવ આવે, અને પ્રત્યેક જણ પોતાને ભાગે વધુમાં વધુ લઈને બેસી જાય, તેવો સમય આવી ગયો હતો. કોઈ મોટું રાજ્ય પણ પોતાની ઈશ્વરદત્ત જમીન લઈને અહીં નહોતું આવ્યું. તમામે આવીઆવીને શક્તિ અનુસાર જીતી લીધું. કોઈને કળવકળ વધુ આવડ્યાં તો અન્યને ઓછાં સૂઝ્યાં. પણ વિજેતા હતો મોટો લૂંટારો, ને બહારવટિયો હતો નાનો લૂંટારો. એટલે માલિકી-હક્કની પવિત્રતા ‘સેંકટીટી ઑફ પઝેશન’ એ ભાવ અણખીલ્યો જ હતો. નહોતી કોઈ પ્રબળ ધર્મશક્તિ કે નહોતી કોઈ સામાજિક ભાવના. અહિંસાનું વાતાવરણ તો શૂન્યવત્ જ હતું. અહિંસાની લડત હોઈ શકે કે કેમ, તેની છાયાય કોઈની કલ્પનામાં નહોતી. નહોતી રાષ્ટ્રભાવના. હતાં કેવળ કુલભાવના ને કુલધર્મ. કવિ ન્હાનાલાલ કહે છે તેમ સહુ એકલવિહારી વનરાજો હતા. કોઈ રાજ્યસત્તાને પોતાના ધર્મરાજ્ય અથવા ન્યાયશાસન ચલાવવા આવેલી ચક્રવર્તી સંસ્થા તરીકે સ્વીકારવા તેઓ તૈયાર નહોતા. એટલે નિરંતર એક જ વૃત્તિ તેઓને ઉચિત તથા ધર્મ્ય લાગી કે બળિયા થવું. બેશક, બથાવી પાડવું એ વૃત્તિ હતી મોટાં રાજ્યોની. તેની સામે બહારવટિયાનો બોલ એ હતો કે તું તારું ખા, મને મારું ખાવા દે (‘લીવ ઍન્ડ લેટ લીવ!’)
હવે વિચારીએ સંજોગોની વાત : લૂંટ એ અધર્મ, અમાનુષીપણું છે, એ ભાવનાનું ભાન એ યુગમાં જીવન્ત નહોતું. કોઈ મોટો વિપ્લવ આવે, અને પ્રત્યેક જણ પોતાને ભાગે વધુમાં વધુ લઈને બેસી જાય, તેવો સમય આવી ગયો હતો. કોઈ મોટું રાજ્ય પણ પોતાની ઈશ્વરદત્ત જમીન લઈને અહીં નહોતું આવ્યું. તમામે આવીઆવીને શક્તિ અનુસાર જીતી લીધું. કોઈને કળવકળ વધુ આવડ્યાં તો અન્યને ઓછાં સૂઝ્યાં. પણ વિજેતા હતો મોટો લૂંટારો, ને બહારવટિયો હતો નાનો લૂંટારો. એટલે માલિકી-હક્કની પવિત્રતા ‘સેંકટીટી ઑફ પઝેશન’ એ ભાવ અણખીલ્યો જ હતો. નહોતી કોઈ પ્રબળ ધર્મશક્તિ કે નહોતી કોઈ સામાજિક ભાવના. અહિંસાનું વાતાવરણ તો શૂન્યવત્ જ હતું. અહિંસાની લડત હોઈ શકે કે કેમ, તેની છાયાય કોઈની કલ્પનામાં નહોતી. નહોતી રાષ્ટ્રભાવના. હતાં કેવળ કુલભાવના ને કુલધર્મ. કવિ ન્હાનાલાલ કહે છે તેમ સહુ એકલવિહારી વનરાજો હતા. કોઈ રાજ્યસત્તાને પોતાના ધર્મરાજ્ય અથવા ન્યાયશાસન ચલાવવા આવેલી ચક્રવર્તી સંસ્થા તરીકે સ્વીકારવા તેઓ તૈયાર નહોતા. એટલે નિરંતર એક જ વૃત્તિ તેઓને ઉચિત તથા ધર્મ્ય લાગી કે બળિયા થવું. બેશક, બથાવી પાડવું એ વૃત્તિ હતી મોટાં રાજ્યોની. તેની સામે બહારવટિયાનો બોલ એ હતો કે તું તારું ખા, મને મારું ખાવા દે (‘લીવ ઍન્ડ લેટ લીવ!’)
{{Poem2Close}}
<center>'''ફાવ્યો માટે વિજેતા'''</center>
{{Poem2Open}}
આ બોલ જ્યાં જ્યાં ન ઝિલાયો, ત્યાં ત્યાં યુદ્ધનો અગ્નિ ઝર્યો. જે ફાવ્યો તે આજે વિજેતા ગણાયો, ન ફાવ્યો તેના લલાટમાં ‘લૂંટારો’ શબ્દ લખાયો. વિજેતાનાં વિરાટ સૈન્યોએ તેમ જ બહારવટિયાએ, બન્નેએ કરી તો કતલ જ. પણ બન્નેનાં કૃત્યો વિશે ભાષાપ્રયોગો ભિન્ન થયા. ઊલટું, લોકવાયકા બહારવટિયાનાં આચરણોનો જે ચિતાર આપે છે, તેમાં તો પેલા વિજયી સૈન્યના સંહારચિત્ર જેટલા લાલ રંગો નથી દેખાતા. બહારવટિયો પોતાની લૂંટફાટમાંથી મૂઠી ભરી ભરી બીજે હાથે દેતો જતો, પરમાર્થે વાપરતો, ગજાસંપત જ એ ઉપાડી જતો. અને અન્યના કાયદા ઉથાપતો પણ પોતે પોતાને કાજે કરેલા નેકીના નિયમો તો જીવસાટે પણ જાળવતો. બીજી બાજુ, વિજેતાનાં દળકટક જ્યાં થઈને હાલતાં ત્યાં ધરતીનું પડ ઉજ્જડ વેરાન બનાવી દેતાં; સ્ત્રીઓ, બાળકો કે ધર્મસ્થાનકો પ્રત્યેનો વિવેક ન રાખતાં.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu