સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 744: Line 744:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[શેત્રુંજા ડુંગર ઉપરથી ઊઠીને બધાં ગીધડાં ગિરનાર ચાલ્યાં ગયાં, કેમ કે આંહીં ગોહિલવાડમાં તો શત્રુઓનું માંસ ખવરાવી ધરવ કરાવનાર વીર નાગરવ મરી ગયો.]
'''[શેત્રુંજા ડુંગર ઉપરથી ઊઠીને બધાં ગીધડાં ગિરનાર ચાલ્યાં ગયાં, કેમ કે આંહીં ગોહિલવાડમાં તો શત્રુઓનું માંસ ખવરાવી ધરવ કરાવનાર વીર નાગરવ મરી ગયો.]'''
{{Poem2Close}}
<poem>
::ટંક ટંક રોતી તેગ, પટાળી છૂટે પટે,
::અણનમ નાગરવ એક, ગઢવી ભ્રખ દેતલ ગિયો.
</poem>
{{Poem2Open}}
કોઈ સુંદરી પોતાનો સ્વામી મરતાં માથાના વાળની ડાબી-જમણી બન્ને પાટી છૂટી મૂકીને રડે, તેમ તારી તરવાર પણ પોતાના પટ્ટા મોકળા મેલીને ટંકે ટંકે રડે છે, કેમ કે દુશ્મનને કદી ન નમનારો સ્વામી નાગરવ ગિયડ નામે ભક્ષ દેનારો બહારવટિયો તો ગયો.
{{Poem2Close}}
<poem>
::તોળી જે કરમણ તણા! વાળા જોવાં વાટ,
::થોભા મોરાંનો થાટ, નાગ્રવડા! ભાળાં નહિ.
</poem>
{{Poem2Open}}
'''[હે કરમણના પુત્ર! તારી તો બહુ રાહ જોઉં છું પણ એ થોભા ને એ મુખમુદ્રાનો ઠાઠ હવે હું નથી ભાળતો.]'''
{{Poem2Close}}
<center>'''ક્રૂર આચરણો'''</<center>>
{{Poem2Open}}
બહારવટિયાઓનાં ઉચ્ચ તત્ત્વો બતાવી દીધા પછી આ હકીકત તો ઊભી જ રહે છે : ગામ બાળવાં, ખેડૂતોનાં માથાં વાઢી ઘીંસરાં કરવાં, વેપારીઓના ચોપડા બાળવા, નિર્દોષોને લૂંટવા, ન આપે તેને મારવા : એ બધું પ્રત્યેક બહારવટિયાના જીવનમાં વત્તાઓછા પ્રમાણમાં થયા જ કર્યું છે.
પરંતુ તેનો એક જવાબ છે. બહારવટું એટલે શું? પોતાનો ગરાસ ઝૂંટવનાર પ્રબલ રાજસત્તા સામે શત્રુતા જાહેર કરવી : લડાઈ જાહેર કરવી : અને લડાઈ એટલે શું તે આજના સંસ્કારી યુગમાં પણ આપણાથી અજાણ્યું નથી. એક સત્તા સામી સત્તા ઉપર હરકોઈ ઇલાજે એવું દબાણ લાવે કે સુલેહ કરવાની એને ફરજ પડે, એ લડાઈની નેમ છે. એ નેમને અનુસરનારાં યુદ્ધગામી રાજ્યો આજ પણ સદોષ-નિર્દોષનો વિચાર નથી કરતાં. એ તો શત્રુના સમગ્ર રાજને, એટલે કે રાજા તેમ જ પ્રજા બન્નેને શત્રુ ગણે છે. શત્રુ-રાજ્યનાં તમામ પ્રજાજનોને પોતાને ઘેર નજરકેદ રાખે છે, એની સંપત્તિ કબજે કરે છે, વગેરે બધું આજના યુગે પણ આવશ્યક ગણેલું યુદ્ધનું નીતિતત્ત્વ છે.
{{Poem2Close}}
<center>'''યુદ્ધનીતિ'''</center>
{{Poem2Open}}
હવે આપણે બહારવટિયાનાં આચરણો તપાસીએ : એમનામાં સ્વયંભૂ કામ કરી રહેલી મનોવૃત્તિને પકડીએ : એ યુદ્ધે ચડ્યા, તે પોતાના બરોબરિયાની સામે નહિ, પણ સોગણા પ્રબલ શત્રુઓની સામે પોતાની પાસે લાવ-લશ્કર તો નહોતું, છતાં શત્રુ પોતાના અન્યાયનો પ્રતિકાર કરે એવું ઉગ્ર દબાણ તો તેઓને શત્રુની ઉપર આણવું જ હતું. એમને મન કેવળ રાજ જ નહિ, પણ એ રાજશાસનમાં શામિલ રહેતી, અધીન રહેતી, એના રક્ષણ થકી આબાદાની ભોગવતી તથા એ રાજશાસનને કરવેરા ભરી નિભાવી રાખતી સમગ્ર પ્રજા સુધ્ધાં શત્રુ હતી. માટે તેના પર પણ ભીંસ લાવવી એ તેઓની યુદ્ધનીતિને મંજૂર હતું. જેમ રાજસત્તાઓ બહારવટિયાનાં સગાંવહાલાંને પરહેજ કરી તેના ગરાસ-ચાસ ખાલસા કરે, તેના મળતિયાઓને રિબાવે, તેમ બહારવટિયા પણ રાજસત્તાની જમીન વાવવા-લણવા ન દે અને બીજી હજાર રીતે સત્તાને ગૂંગળાવી મૂકે, કે જેને પરિણામે રાજને સુલેહનાં નોતરાં આપવાં સિવાય અન્ય રસ્તો જ ન રહેવો જોઈએ. જોગીદાસ ખુમાણે પોતાની જ આંચકી લેવાયેલી જમીન એ આંચકનાર રાજ્ય તરફથી ખેડૂતોને ખેતી માટે અપાતી જોઈ, ખેડાતી જોઈ એટલું જ નહિ, પણ કુંડલા ઉપર છેક રાજુલાથી દરબારી તોપખાનું ઢસડી લાવનાર પણ એ ખેડૂતોને જ દીઠા. જોગીદાસે કહ્યુ કે હું આ ખેડુને હું કેમ ખેડવા આપું? પોતાની જમીન ઉપર બહારવટિયો શત્રુ-રાજને કેમ નભવા આપે? રાણા પ્રતાપે શું કર્યું હતું? મેવાડની ધરતીમાંથી મોગલના ખજાનામાં એક પૈસો પણ ન જવા દઉં : કોઈ ખેડી તો ન શકે, પણ બકરાંયે ચારી ન શકે: એક ગોવાળે બકરાં ચાર્યાં : રાણાએ એનું માથું ઉતારી રાહદારી રસ્તા પર લટકાવ્યું : આ નીતિ તે બહારવટિયાની યુદ્ધનીતિ. ‘એવરીથીંગ ઇઝ ફેર ઇન લવ ઍન્ડ વૉર’ એ એનો સિદ્ધાંત : અધર્મ આચરનાર રાજસત્તાનું એકેએક અંગ પીંખી નાખવું એ યુદ્ધધર્મ : બેહોશ બની, તોબાહ પોકારી, ખુદ વસ્તી જ રાજા પર દબાણ લાવે, ને રાજા બહારવટિયા પ્રત્યે આચરેલો પોતાનો અનર્થ નિવારે, એ એનો અંત.
{{Poem2Close}}
<center>'''અંતિમ સાધન'''</center>
{{Poem2Open}}
આજે પણ યુદ્ધ-નીતિ તો એ જ છે. જે યુદ્ધમાં હિંસા મંજૂર છે તેની યુદ્ધનીતિ તો એ જ છે : એટલે કે સામી હિંસા ચલાવવી : ને બીજાં કેટલાંક જે યુદ્ધો અહિંસાના પાયા પર મંડાયાં છે તેની પણ યુદ્ધનીતિ તો એ જ છે : બળવે ચડેલા ખેડુની ખાલસા જમીન ખરીદ કરીને તે પર ખેડવા આવનારની સાથે ઉગ્ર અસહકાર : વિના માર્યે, વિના તરવારે એ માણસ મરે; એને મારવાની તરવારો જુદી : એટલું જ બસ નથી. એ રાજતંત્રમાં સહાય કરનાર તટસ્થ લોકોએ પણ રાજીનામાં આપી રાજસત્તા પર દબાણ લાવવાં જ જોઈએ, નહિતર તેઓના ઉપર સામાજિક બદનામી ઊતરે ને સામાજિક બદનામી એટલે ‘સિવિક ડૅથ’! બહારવટિયા આવી સંસ્કારી, અહિંસાત્મક અને સૂક્ષ્મ રીતિઓ જાણતા નહોતા. કોઈ જ તે દિવસે નહોતું જાણતું. એટલે તે દિવસ ‘ફિઝીકલ ડેથ’, ‘ફિઝીકલ ડીસએબિલીટીઝ’ (શારીરિક મૉત ને નિરાધારી ઉપજાવવાં) એ જ અંતિમ સાધન હતું. શત્રુની સાથે સહકાર દેનારા તમામ સંજોગોને રદ કર્યા વિના આરોવારો નહોતો.
{{Poem2Close}}
<center>'''વૈર વાળવાની વૃતિ'''</center>
{{Poem2Open}}
ભીમા જતે એક સંધીની દગલબાજીનો કિન્નો લેવા તમામ સંધીઓની કતલ કરી : જોગીદાસે કુંડલાની ચોરાસીમાં ખેડવા આવનાર કણબીઓનાં ઘીંસરાં કર્યાં : વાઘેરોએ પોતે પચાઉગીર માનેલા ગાયકવાડ સાથે સહકાર કરનારાં તમામ સોરઠી રાજ્યોમાં લૂંટો ચલાવી : એ બધાની પાછળ અવ્યક્તપણે આ જ યુદ્ધનિયમ ઊભો છે. અને ફ્રાંસ તથા રશિયાના વિપ્લવવાદીઓએ એનાં રાજારાણી અથવા અમુક ઉમરાવો ને પુરોહિતોના જુલમને કારણે સમગ્ર રાજકુલો, ઉમરાવકુલો તેમ જ પુરોહિત-સંઘોને કાપી નાખ્યા, તેની પાછળ પણ સિદ્ધાંત તો એ જ છે. ભેદ એટલો જ છે કે આંહીં બહારવટિયાના એકાદ ઘર અથવા એકાદ વંશ પર અધર્મ ગુજરેલો, ને ત્યાં સમસ્ત પ્રજા ઉપર. વૈર વાળવાની વૃત્તિ તો એક હતી. રાજતંત્રને અશક્ય બનાવવાની જ એ રીત હતી.
{{Poem2Close}}
<center>'''ખા અને ખાવા દે!'''</center>
{{Poem2Open}}
હવે વિચારીએ સંજોગોની વાત : લૂંટ એ અધર્મ, અમાનુષીપણું છે, એ ભાવનાનું ભાન એ યુગમાં જીવન્ત નહોતું. કોઈ મોટો વિપ્લવ આવે, અને પ્રત્યેક જણ પોતાને ભાગે વધુમાં વધુ લઈને બેસી જાય, તેવો સમય આવી ગયો હતો. કોઈ મોટું રાજ્ય પણ પોતાની ઈશ્વરદત્ત જમીન લઈને અહીં નહોતું આવ્યું. તમામે આવીઆવીને શક્તિ અનુસાર જીતી લીધું. કોઈને કળવકળ વધુ આવડ્યાં તો અન્યને ઓછાં સૂઝ્યાં. પણ વિજેતા હતો મોટો લૂંટારો, ને બહારવટિયો હતો નાનો લૂંટારો. એટલે માલિકી-હક્કની પવિત્રતા ‘સેંકટીટી ઑફ પઝેશન’ એ ભાવ અણખીલ્યો જ હતો. નહોતી કોઈ પ્રબળ ધર્મશક્તિ કે નહોતી કોઈ સામાજિક ભાવના. અહિંસાનું વાતાવરણ તો શૂન્યવત્ જ હતું. અહિંસાની લડત હોઈ શકે કે કેમ, તેની છાયાય કોઈની કલ્પનામાં નહોતી. નહોતી રાષ્ટ્રભાવના. હતાં કેવળ કુલભાવના ને કુલધર્મ. કવિ ન્હાનાલાલ કહે છે તેમ સહુ એકલવિહારી વનરાજો હતા. કોઈ રાજ્યસત્તાને પોતાના ધર્મરાજ્ય અથવા ન્યાયશાસન ચલાવવા આવેલી ચક્રવર્તી સંસ્થા તરીકે સ્વીકારવા તેઓ તૈયાર નહોતા. એટલે નિરંતર એક જ વૃત્તિ તેઓને ઉચિત તથા ધર્મ્ય લાગી કે બળિયા થવું. બેશક, બથાવી પાડવું એ વૃત્તિ હતી મોટાં રાજ્યોની. તેની સામે બહારવટિયાનો બોલ એ હતો કે તું તારું ખા, મને મારું ખાવા દે (‘લીવ ઍન્ડ લેટ લીવ!’)
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu