બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2,288: Line 2,288:




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૨૦૦.<br>ગુરુઓ તો ક્યાંથી બદલાય?'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૦૦.
ગુરુઓ તો ક્યાંથી બદલાય?
લાભશંકર (ઠાકર)ને અને મને સંસ્કૃતિ વિના લવાજમે આપવા પ્રસન્ન ઉમાશંકરે ચિનુ (મોદી)ને પણ સંસ્કૃતિનો અંક ક્લાસમાં જ આપ્યો હતો. એ અગાઉ એક સૉનેટ ચિનુને પાછું સુધારવા આપેલું તે ધોળકાગિરમાં ઉ. જો.ને આમ બોલી આપ્યું : ‘પેલું કરી કાઢ્યું.’ ઉમાશંકર ઉવાચ : ‘આ તો તમે લઘુઓ જ બદલ્યા છે ત્યારે ચિનુએ ચૂંચવાટ ચમકાવ્યો : ‘ગુરૂઓ તો ક્યાંથી બદલાય?’ અને ઉ. જો. બની ગયા દુર્વાસા ને મોદી બની ગઈ શકુન્તલા!
લાભશંકર (ઠાકર)ને અને મને સંસ્કૃતિ વિના લવાજમે આપવા પ્રસન્ન ઉમાશંકરે ચિનુ (મોદી)ને પણ સંસ્કૃતિનો અંક ક્લાસમાં જ આપ્યો હતો. એ અગાઉ એક સૉનેટ ચિનુને પાછું સુધારવા આપેલું તે ધોળકાગિરમાં ઉ. જો.ને આમ બોલી આપ્યું : ‘પેલું કરી કાઢ્યું.’ ઉમાશંકર ઉવાચ : ‘આ તો તમે લઘુઓ જ બદલ્યા છે ત્યારે ચિનુએ ચૂંચવાટ ચમકાવ્યો : ‘ગુરૂઓ તો ક્યાંથી બદલાય?’ અને ઉ. જો. બની ગયા દુર્વાસા ને મોદી બની ગઈ શકુન્તલા!
[લોકસત્તા, તા. ૧૦-૧૨-૨૦૦૮] રાધેશ્યામ શર્મા
{{સ-મ|[લોકસત્તા, તા. ૧૦-૧૨-૨૦૦૮]||'''રાધેશ્યામ શર્મા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૨૦૧.<br>પ્રત્યેક સ્વરૂપ અંગેનું સ્વતંત્ર સામયિક શા માટે?'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૦૧.
પ્રત્યેક સ્વરૂપ અંગેનું સ્વતંત્ર સામયિક શા માટે?
પ્રત્યેક સ્વરૂપ અંગેનું સ્વતંત્ર સામયિક એ ‘વધારાનું’ નથી, વ્યાપક સ્વરૂપનાં (કાવ્ય-વાર્તા-લેખ-સમીક્ષા બધું છાપતાં) સામયિકોમાં ઉમેરા થતા જાય એ વધારાનાં છે. સ્વરૂપવિશેષના સામયિકમાં સંપાદકીય નીતિ વધુ સ્પષ્ટ રાખી શકાય છે, એકાગ્રતા એમાં વધુ રહી શકે છે ને એ સારી રીતે, દૃષ્ટિપૂર્વક ચાલે તો પેલાની સરખામણીએ એનું પ્રદાન પણ વિશેષ રહે છે, એવો મારો મત છે. જે પ્રકારનું સામયિક અત્યારે ગુજરાતીમાં નથી તે શરૂ કરવામાં લકઝરી નથી. અને કોઈ પણ સામયિક શરૂ કરનાર કુહાડાનો પહેલો ઘા તો પોતાના જ પગ પર કરતો હોય છે...સાહિત્યસમાજમાં એની અનિવાર્યતા પુરવાર નહીં કરી શકે એ સામયિક મરી જશે કે મૃતપ્રાય રહેશે. કયા સામયિકને પોષવું-ન પોષવું તે સુજ્ઞ વાચકો નક્કી કરી જ શકે છે.
પ્રત્યેક સ્વરૂપ અંગેનું સ્વતંત્ર સામયિક એ ‘વધારાનું’ નથી, વ્યાપક સ્વરૂપનાં (કાવ્ય-વાર્તા-લેખ-સમીક્ષા બધું છાપતાં) સામયિકોમાં ઉમેરા થતા જાય એ વધારાનાં છે. સ્વરૂપવિશેષના સામયિકમાં સંપાદકીય નીતિ વધુ સ્પષ્ટ રાખી શકાય છે, એકાગ્રતા એમાં વધુ રહી શકે છે ને એ સારી રીતે, દૃષ્ટિપૂર્વક ચાલે તો પેલાની સરખામણીએ એનું પ્રદાન પણ વિશેષ રહે છે, એવો મારો મત છે. જે પ્રકારનું સામયિક અત્યારે ગુજરાતીમાં નથી તે શરૂ કરવામાં લકઝરી નથી. અને કોઈ પણ સામયિક શરૂ કરનાર કુહાડાનો પહેલો ઘા તો પોતાના જ પગ પર કરતો હોય છે...સાહિત્યસમાજમાં એની અનિવાર્યતા પુરવાર નહીં કરી શકે એ સામયિક મરી જશે કે મૃતપ્રાય રહેશે. કયા સામયિકને પોષવું-ન પોષવું તે સુજ્ઞ વાચકો નક્કી કરી જ શકે છે.
[‘પરોક્ષે-પ્રત્યક્ષે’] રમણ સોની
{{સ-મ|[‘પરોક્ષે-પ્રત્યક્ષે’]||'''રમણ સોની'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૨૦૨.<br>આદિલનું સૂત્ર – ઈસ સબ બબાલ કો હટાએ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૦૨.
આદિલનું સૂત્ર – ઈસ સબ બબાલ કો હટાએ
ઉર્દૂ-ગુજરાતી મુશાયરમાં જમિયત પંડ્યાની આંગળીએ હું અને મનહર મોદી પણ ગયેલા. મુશાયરા પછી ચા પીતાંપીતાં વાતો ચાલતી હતી. મોહમ્મદ અલ્વી, સરશાહ બુલંદ શહેરી સાથે ચશ્મા પહેરેલો, સોહામણો એક જુવાન હતો તે ગુજરાતીમાં વાત કરતો હતો. ઉર્દૂમાં કવિતા લખનારને ગુજરાતી બોલતો સાંભળી મેં અચરજથી એને પૂછ્યું : ‘ગુજરાતી?’
ઉર્દૂ-ગુજરાતી મુશાયરમાં જમિયત પંડ્યાની આંગળીએ હું અને મનહર મોદી પણ ગયેલા. મુશાયરા પછી ચા પીતાંપીતાં વાતો ચાલતી હતી. મોહમ્મદ અલ્વી, સરશાહ બુલંદ શહેરી સાથે ચશ્મા પહેરેલો, સોહામણો એક જુવાન હતો તે ગુજરાતીમાં વાત કરતો હતો. ઉર્દૂમાં કવિતા લખનારને ગુજરાતી બોલતો સાંભળી મેં અચરજથી એને પૂછ્યું : ‘ગુજરાતી?’
તો એણે કહ્યું : ‘શુદ્ધ ગુજરાતી’
તો એણે કહ્યું : ‘શુદ્ધ ગુજરાતી’
Line 2,320: Line 2,312:
સાચવી જે ના શક્યા મેંદીનો રંગ.’
સાચવી જે ના શક્યા મેંદીનો રંગ.’
અને એ બૅત હું ‘કુમાર’ કાર્યાલયમાં બુધવારે લઈ ગયો અને બચુભાઈ રાવતે હોંશે હોંશે એ શે’ર છાપ્યો. આદિલ સાહેબ કુમારની બુધસભામાં આવતા થયા અને લાભશંકર, રાવજી, સુભાષ શાહ સહુને મળતા થયા. એ ન આવ્યો હોત તો ઉશનસ્‌ અને જયન્ત પાઠક પછી હું મોટામાં મોટો સૉનેટકાર ગણાતો હોત. પણ આદિલ આવ્યો અને એનું એક જ સૂત્ર હતું : ‘ઈસ સબ બબાલ કો હટાએ.’
અને એ બૅત હું ‘કુમાર’ કાર્યાલયમાં બુધવારે લઈ ગયો અને બચુભાઈ રાવતે હોંશે હોંશે એ શે’ર છાપ્યો. આદિલ સાહેબ કુમારની બુધસભામાં આવતા થયા અને લાભશંકર, રાવજી, સુભાષ શાહ સહુને મળતા થયા. એ ન આવ્યો હોત તો ઉશનસ્‌ અને જયન્ત પાઠક પછી હું મોટામાં મોટો સૉનેટકાર ગણાતો હોત. પણ આદિલ આવ્યો અને એનું એક જ સૂત્ર હતું : ‘ઈસ સબ બબાલ કો હટાએ.’
[તાદર્થ્ય, નવેમ્બર-૨૦૦૮] ચિનુ મોદી
{{સ-મ|[તાદર્થ્ય, નવેમ્બર-૨૦૦૮]||'''ચિનુ મોદી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૨૦૩.<br>જાતને ઠાલવવા માંડી હતી...'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૦૩.
એક વાત સ્પષ્ટ છે. જે લખ્યું છે તે સાહિત્ય છે એમ તો ઉમાશંકરભાઈએ, સંસ્કૃતિ એ કહ્યું ત્યારે જ ભાન થયું, પહેલા લેખનો સ્વીકાર કરતું તેમનું પોસ્ટકાર્ડ હજુય સાચવી રાખ્યું છે ને રજા આપે તો આ સાથે નકલ છપાવું.
જાતને ઠાલવવા માંડી હતી...
એક વાત સ્પષ્ટ છે. જે લખ્યું છે તે સાહિત્ય છે એમ તો ઉમાશંકરભાઈએ, સંસ્કૃતિ એ કહ્યું ત્યારે જ ભાન થયું, પહેલા લેખનો સ્વીકાર કરતું તેમનું પોસ્ટકાર્ડ હજુય સાચવી રાખ્યું છે ને રજા આપે તો આ સાથે નકલ છપાવું.
સંસ્કૃતિમાં પ્રસિદ્ધ થયેલા, પછીથી ‘દૂરના એ સૂર’માં સંગ્રહસ્થ કરેલા એ નિબંધોમાં મેં જાતને ઠાલવવા માંડી હતી.
સંસ્કૃતિમાં પ્રસિદ્ધ થયેલા, પછીથી ‘દૂરના એ સૂર’માં સંગ્રહસ્થ કરેલા એ નિબંધોમાં મેં જાતને ઠાલવવા માંડી હતી.
[‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પૃ. ૧૩૦]                                                   દિગીશ મહેતા
{{સ-મ|[‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પૃ. ૧૩૦]||'''દિગીશ મહેતા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૨૦૪.<br>સખળડખળ નહીં ચાલે'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૦૪.
સખળડખળ નહીં ચાલે
સુરેશ દલાલે કવિતાનો સૉનેટ વિશેષાંક પ્રકટ થવાનો હતો તે માટે સૉનેટ મોકલવા લખ્યું. બાપુ, આપણને તો પરસેવો વળી ગયો! કાનથી સાંભળેલા છંદમાં એક સૉનેટ ગબડાવ્યું તો ખરું પણ એ જ વખતે થયું કે, ‘મોટા, આ બધા છંદો છે ‘ચેલેંજિંગ’ હો! તારું સખળડખળ નહીં ચાલે. પછી મચી પડ્યો.
સુરેશ દલાલે કવિતાનો સૉનેટ વિશેષાંક પ્રકટ થવાનો હતો તે માટે સૉનેટ મોકલવા લખ્યું. બાપુ, આપણને તો પરસેવો વળી ગયો! કાનથી સાંભળેલા છંદમાં એક સૉનેટ ગબડાવ્યું તો ખરું પણ એ જ વખતે થયું કે, ‘મોટા, આ બધા છંદો છે ‘ચેલેંજિંગ’ હો! તારું સખળડખળ નહીં ચાલે. પછી મચી પડ્યો.
[‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પૃ. ૨૪૨]                                                       રમેશ પારેખ
{{સ-મ|[‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પૃ. ૨૪૨]||'''રમેશ પારેખ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૨૦૫.<br>સાહિત્યનું વાતાવરણ પણ જવાબદાર'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૦૫.
સાહિત્યનું વાતાવરણ પણ જવાબદાર
સામયિકોની વાત કરવાની હોય ત્યારે પ્રશ્ન એ થાય કે સામયિક એટલે શું? એ એકપણ અંક ચૂક્યા વિના સમયસર પ્રગટ થયા કરે તેથી સામયિક ગણાય? કે પછી પોતાના સમયને યથાતથ પ્રગટ કરે ને સામયિક? એમાં પ્રગટ થતાં સાહિત્યનું મૂલ્યાકન પણ કેવી રીતે કરવું? સાહિત્યની પરંપરા થતાં સાહિત્યનું મૂલ્યાકન પણ કેવી રીતે કરવું? સાહિત્યની પરંપરા એ આપણને આપેલા ‘ઉત્તમ’ના ધોરણો દર વખતે પ્રગટ થયેલાનું મૂલ્ય પણ સામયિક? તો પછી આપણને કેટલીક કૃતિઓ એવી મળી જે લાંબા સમય સુધી રસિકોના ચિત્તમાં ટકી રહી છે અને રહેશે એવી કૃતિઓનાં પ્રથમ પ્રાગટ્ય સિવાય એમાં સામયિકોનું કોઈ યોગદાન ખરું? એ જ રીતે જે કૃતિઓ બીજો અંક પ્રગટ થવાની સાથે જ ભુલાઈ ગઈ એનું શું કરીશું? સર્જકને દોષ દઈશું કે તંત્રી-સંપાદકને? આખરે તો સર્જક કે તંત્રી-સંપાદક પણ આપણા સાહિત્યસમાજનો જ એક અંશ છે એટલે સાહિત્યનું વાતાવરણ પણ એટલું જ જવાબદાર છે એમ કહી શકાય.
સામયિકોની વાત કરવાની હોય ત્યારે પ્રશ્ન એ થાય કે સામયિક એટલે શું? એ એકપણ અંક ચૂક્યા વિના સમયસર પ્રગટ થયા કરે તેથી સામયિક ગણાય? કે પછી પોતાના સમયને યથાતથ પ્રગટ કરે ને સામયિક? એમાં પ્રગટ થતાં સાહિત્યનું મૂલ્યાકન પણ કેવી રીતે કરવું? સાહિત્યની પરંપરા થતાં સાહિત્યનું મૂલ્યાકન પણ કેવી રીતે કરવું? સાહિત્યની પરંપરા એ આપણને આપેલા ‘ઉત્તમ’ના ધોરણો દર વખતે પ્રગટ થયેલાનું મૂલ્ય પણ સામયિક? તો પછી આપણને કેટલીક કૃતિઓ એવી મળી જે લાંબા સમય સુધી રસિકોના ચિત્તમાં ટકી રહી છે અને રહેશે એવી કૃતિઓનાં પ્રથમ પ્રાગટ્ય સિવાય એમાં સામયિકોનું કોઈ યોગદાન ખરું? એ જ રીતે જે કૃતિઓ બીજો અંક પ્રગટ થવાની સાથે જ ભુલાઈ ગઈ એનું શું કરીશું? સર્જકને દોષ દઈશું કે તંત્રી-સંપાદકને? આખરે તો સર્જક કે તંત્રી-સંપાદક પણ આપણા સાહિત્યસમાજનો જ એક અંશ છે એટલે સાહિત્યનું વાતાવરણ પણ એટલું જ જવાબદાર છે એમ કહી શકાય.
[શબ્દાનુભવ, પૃ. ૨૧૬] હર્ષદ ત્રિવેદી
{{સ-મ|[શબ્દાનુભવ, પૃ. ૨૧૬]||'''હર્ષદ ત્રિવેદી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૨૦૬.<br>સામયિક-પ્રકાશન એ કર્તવ્ય છે'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૦૬.
સામયિક-પ્રકાશન એ કર્તવ્ય છે
સામયિક પ્રકાશન એ સાહસ છે, તથાપિ તે કર્તવ્ય છે તેમ સમજાતાં એવું કોઈ સાહસ કરવા કોઈ એક કે મિત્રમંડલી પ્રેરાય તેથી આનંદ થાય છે. ઘેર બેઠા એકાધિક સર્જકો-ચિતંકો- વિવેચકોના અવાજ મારા જેવાના મન સુધી પહોંચે અનેતે પણ સમસામયિક, વર્તમાન - તે સુખદ છે. મનુષ્યસમૂહ, સમાજ, સાહિત્યિક સંસ્થાઓ પાસેથી જે નિર્ભેળ શુદ્ધ નિસબતની અપેક્ષા રહે તે તેમ નથી હોતી ત્યારે આવા સામયિક સ્વચ્છ વિકલ્પરૂપે પ્રકાશિત થાય તે Need છે. સાહિત્યકલા અને અન્યકળાઓ તથા કળાચિંતનની ખેવના-ધરાવનારાઓની.
સામયિક પ્રકાશન એ સાહસ છે, તથાપિ તે કર્તવ્ય છે તેમ સમજાતાં એવું કોઈ સાહસ કરવા કોઈ એક કે મિત્રમંડલી પ્રેરાય તેથી આનંદ થાય છે. ઘેર બેઠા એકાધિક સર્જકો-ચિતંકો- વિવેચકોના અવાજ મારા જેવાના મન સુધી પહોંચે અનેતે પણ સમસામયિક, વર્તમાન - તે સુખદ છે. મનુષ્યસમૂહ, સમાજ, સાહિત્યિક સંસ્થાઓ પાસેથી જે નિર્ભેળ શુદ્ધ નિસબતની અપેક્ષા રહે તે તેમ નથી હોતી ત્યારે આવા સામયિક સ્વચ્છ વિકલ્પરૂપે પ્રકાશિત થાય તે Need છે. સાહિત્યકલા અને અન્યકળાઓ તથા કળાચિંતનની ખેવના-ધરાવનારાઓની.
[તથાપિ, માર્ચ-મે, ૨૦૦૬]       લાભશંકર ઠાકર
{{સ-મ|[તથાપિ, માર્ચ-મે, ૨૦૦૬]||'''લાભશંકર ઠાકર'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૨૦૭.<br>સાહિત્યને જ નિર્ભેળ રીતે વરેલાં સામયિકો કયાં છે?'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૦૭.
સાહિત્યને જ નિર્ભેળ રીતે વરેલાં સામયિકો કયાં છે?
એક સમયમાં જે હેતુથી ને જે વાચકવર્ગને ધ્યાનમાં રાખીને સામયિક શરૂ થયું હોય એના સંપાદનની ધુરાનો હાથબદલો થયા પછી પણ એ સામયિક મૂળભૂત હેતુઓને સિદ્ધ કરતું રહે એવું સર્વથા નથી બન્યું. એમાં સતત આરોહ-અવરોહના અનુભવ થતા રહે છે. જેમ પ્રત્યેક સામયિકનો એક વાચકવર્ગ નિશ્ચિત છે એમ જ એના સાહિત્યકારોનું વૃંદ પણ નિશ્ચિત થઈ જતું હોય છે. પૂર્ણપણે મુક્ત ને સદાય અવનવા લેખકો લઈ આવતાં સામયિકો કેટલાં? કોઈ પણ સામયિકના પ્રાગટ્ય પાછળ પ્રગટ કે અપ્રગટ પણ ચોક્કસ હેતુઓ હોય છે. તો ક્યારેક આધુનિકતા કે અનુઆધુનિકતા કે એવા કશાક આંદોલનનું નિમિત્ત પણ સામયિકો બન્યાં છે. અમુક-તમુક સામયિકોનો તો હેતુ જ વ્યક્તિ સ્થાપનનો હોય છે, પણ આપણે જોઈ શક્યા છીએ કે માત્ર સાહિત્ય અને સાહિત્યને જ નિર્ભેળ રીતે વરેલા સામયિકો પ્રમાણમાં ઠીક ટક્યાં છે. અન્યથા એના સંપાદક કે તંત્રીના ઈરાદા પ્રગટ થઈ જતાં સાહિત્યરસિકો આપોઆપ એનાથી દૂર થઈ ગયા છે. ક્યારેક કોઈ જૂથ કે વિચારસરણીની સ્થાપનાને ઈરાદે શરૂ થયેલાં સામયિકોને જે તે જૂથ સિવાય ઝાઝો પ્રતિસાદ સાંપડ્યો નથી.
એક સમયમાં જે હેતુથી ને જે વાચકવર્ગને ધ્યાનમાં રાખીને સામયિક શરૂ થયું હોય એના સંપાદનની ધુરાનો હાથબદલો થયા પછી પણ એ સામયિક મૂળભૂત હેતુઓને સિદ્ધ કરતું રહે એવું સર્વથા નથી બન્યું. એમાં સતત આરોહ-અવરોહના અનુભવ થતા રહે છે. જેમ પ્રત્યેક સામયિકનો એક વાચકવર્ગ નિશ્ચિત છે એમ જ એના સાહિત્યકારોનું વૃંદ પણ નિશ્ચિત થઈ જતું હોય છે. પૂર્ણપણે મુક્ત ને સદાય અવનવા લેખકો લઈ આવતાં સામયિકો કેટલાં? કોઈ પણ સામયિકના પ્રાગટ્ય પાછળ પ્રગટ કે અપ્રગટ પણ ચોક્કસ હેતુઓ હોય છે. તો ક્યારેક આધુનિકતા કે અનુઆધુનિકતા કે એવા કશાક આંદોલનનું નિમિત્ત પણ સામયિકો બન્યાં છે. અમુક-તમુક સામયિકોનો તો હેતુ જ વ્યક્તિ સ્થાપનનો હોય છે, પણ આપણે જોઈ શક્યા છીએ કે માત્ર સાહિત્ય અને સાહિત્યને જ નિર્ભેળ રીતે વરેલા સામયિકો પ્રમાણમાં ઠીક ટક્યાં છે. અન્યથા એના સંપાદક કે તંત્રીના ઈરાદા પ્રગટ થઈ જતાં સાહિત્યરસિકો આપોઆપ એનાથી દૂર થઈ ગયા છે. ક્યારેક કોઈ જૂથ કે વિચારસરણીની સ્થાપનાને ઈરાદે શરૂ થયેલાં સામયિકોને જે તે જૂથ સિવાય ઝાઝો પ્રતિસાદ સાંપડ્યો નથી.
[‘શબ્દનુભવ’, પૃ. ૨૧૭] હર્ષદ ત્રિવેદી
{{સ-મ|[‘શબ્દાનુભવ’, પૃ. ૨૧૭]||'''હર્ષદ ત્રિવેદી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૨૦૮.<br>તમે તમારા સામયિકની આગવી ઓળખ ઊભી કરો'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૦૮.
તમે તમારા સામયિકની આગવી ઓળખ ઊભી કરો
પ્રિય જયેશભાઈ
પ્રિય જયેશભાઈ
તથાપિનો પહેલો અંક મળ્યો. અંક તો સરસ થયો છે. ચિત્ર–ડીઝાઈન–મુદ્રણ–સામગ્રી બધું પસંદ પડ્યું. તમારા સાહસ માટે અભિનંદન. સાહસ એટલા માટે કે ગુજરાતીમાં સામયિક શરૂ કરવું અને પછી નિયમિત ચલાવવું અઘરું છે, ઘણું અઘરું છે અને એમાંય તમે પહેલા અંકથી જ જે ધોરણ ઊભું કર્યું છે એ ધોરણ જાળવી ચલાવવું અઘરાથીય અઘરું. પણ હવે તમે સાહસ કરી જ નાખ્યું છે પછી મારા જેવાએ શું કહેવાનું હોય? તમને દરેક અંકમાં આવી ઉત્તમ સામગ્રી મળતી રહે અને એને વાંચનારા પૂરતા વાચકો મળી રહે એવી શુભેચ્છાઓ.
તથાપિનો પહેલો અંક મળ્યો. અંક તો સરસ થયો છે. ચિત્ર–ડીઝાઈન–મુદ્રણ–સામગ્રી બધું પસંદ પડ્યું. તમારા સાહસ માટે અભિનંદન. સાહસ એટલા માટે કે ગુજરાતીમાં સામયિક શરૂ કરવું અને પછી નિયમિત ચલાવવું અઘરું છે, ઘણું અઘરું છે અને એમાંય તમે પહેલા અંકથી જ જે ધોરણ ઊભું કર્યું છે એ ધોરણ જાળવી ચલાવવું અઘરાથીય અઘરું. પણ હવે તમે સાહસ કરી જ નાખ્યું છે પછી મારા જેવાએ શું કહેવાનું હોય? તમને દરેક અંકમાં આવી ઉત્તમ સામગ્રી મળતી રહે અને એને વાંચનારા પૂરતા વાચકો મળી રહે એવી શુભેચ્છાઓ.
હવે થોડીક મારી મનની વાત. અંકની સામગ્રી જોતાં તમારી મનોદિશાને પકડી શકું છું. સુમનભાઈનું ખેવના શિરીષભાઈએ હમણાં શરૂ કરેલું સમીપે અને જયંત પારેખનું એતદ્‌  એ ત્રણની સાથે ગોઠવાઈ શકે એવું તમારા સામયિકનું રૂપ છે. લેખકોનું વર્તુળ પણ થોડી હેરફેર સાથે સમાન. ત્યારે પ્રશ્ન થયો કે તમને આ સામયિકનું સાહસ કરવાની ઇચ્છા કેમ થઈ? જયેશભાઈ, સામયિકનો એક આગવો ચહેરો હોય તો એને જોવાની સ્વાભાવિક ઉત્સુકતા રહે. તમારા પહેલા અંક પરથી મારા પર એવી છાપ પડી કે એનો ચહેરો ઉપરનાં ત્રણ સામયિકોથી જુદો નથી. આ ચારે સામયિકોનો ચહેરો સુરેશભાઈનાં સામયિકોના ઉત્તરાધિકારી સામયિકો જેવો મને ભાસે છે. તમારા સંપાદકીય લેખ પરથી પણ તમારા મનમાં સામયિકનો કોઈ વિશિષ્ટ ચહેરો બંધાયો હોય એવો અહેસાસ પણ નથી થતો. મારી દૃષ્ટિએ પહેલા અંકનો સંપાદકીય લેખ ચાવીરૂપ હોય છે. એ સંપાદકના મનમાં બંધાયેલા સામયિકના ચહેરાની આછી ઝાંખી આપતો હોય છે.
હવે થોડીક મારી મનની વાત. અંકની સામગ્રી જોતાં તમારી મનોદિશાને પકડી શકું છું. સુમનભાઈનું ખેવના શિરીષભાઈએ હમણાં શરૂ કરેલું સમીપે અને જયંત પારેખનું એતદ્‌  એ ત્રણની સાથે ગોઠવાઈ શકે એવું તમારા સામયિકનું રૂપ છે. લેખકોનું વર્તુળ પણ થોડી હેરફેર સાથે સમાન. ત્યારે પ્રશ્ન થયો કે તમને આ સામયિકનું સાહસ કરવાની ઇચ્છા કેમ થઈ? જયેશભાઈ, સામયિકનો એક આગવો ચહેરો હોય તો એને જોવાની સ્વાભાવિક ઉત્સુકતા રહે. તમારા પહેલા અંક પરથી મારા પર એવી છાપ પડી કે એનો ચહેરો ઉપરનાં ત્રણ સામયિકોથી જુદો નથી. આ ચારે સામયિકોનો ચહેરો સુરેશભાઈનાં સામયિકોના ઉત્તરાધિકારી સામયિકો જેવો મને ભાસે છે. તમારા સંપાદકીય લેખ પરથી પણ તમારા મનમાં સામયિકનો કોઈ વિશિષ્ટ ચહેરો બંધાયો હોય એવો અહેસાસ પણ નથી થતો. મારી દૃષ્ટિએ પહેલા અંકનો સંપાદકીય લેખ ચાવીરૂપ હોય છે. એ સંપાદકના મનમાં બંધાયેલા સામયિકના ચહેરાની આછી ઝાંખી આપતો હોય છે.
એટલે મારું તો તમને સૂચન છે કે તમે તમારા સામયિકની આગવી મુદ્રા ઊભી કરો.
એટલે મારું તો તમને સૂચન છે કે તમે તમારા સામયિકની આગવી મુદ્રા ઊભી કરો.
[તથાપિ, માર્ચ-મે, ૨૦૦૬] જયંત ગાડીત
{{સ-મ|[તથાપિ, માર્ચ-મે, ૨૦૦૬]||'''જયંત ગાડીત'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૨૦૯.<br>સામયિકોને પણ પોતપોતાનો સમયગાળો હોય છે.'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૦૯.
સામયિકોને પણ પોતપોતાનો સમયગાળો હોય છે.
સન્‌ ૧૯૫૦-૬૦ના અરસામાં અમારે ઘરે જે-જે સામયિકો આવતાં તેની યાદી ઘણી લાંબી થાય. એ યાદી પરથી પરિવારની સંસ્કાર-સમૃદ્ધિની ઝલક પ્રાપ્ત થાય એમ બને. ગાંધીજી પછી તંત્રી બનેલા કિ.ઘ. મશરુવાળાનું હરિજનબંધુ દર અઠવાડિયે નિયમિત આવતું. મશરુવાળા પછી થોડાક વખત માટે મગનલાલ પ્ર. દેસાઈએ હરિજન બંધુ ચલાવેલું. એમાં આવતા રાજાજીના લેખો મને ખૂબ ગમતા. અમદાવાદથી ગટુલાલ ગોપીલાલ ધ્રુવ સમાજસુધારકનું પાક્ષિક જ્યોતિર્ધર પ્રગટ કરતા. ગટુભાઈ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં બા ના ગુરૂ હતા. મ.પ્ર. દેસાઈએ શિક્ષણ અને સાહિત્ય માસિકમાં ઉપનિષદો પર લેખમાળા કરેલી. પ્રૌઢો વાંચી શકે તેવા મોટા ટાઈપમાં અમદાવાદના નવજીવન કાર્યાલયમાંથી પ્રગટ થયું માસિક કોડિયું આવતું. વડોદરાના બાજવાડામાંથી પ્રગટ થતું બાલજીવન આવતું અને ચરોતર એજ્યુકેશન સોસાયટી તરફથી પ્રટ થતું બાલમિત્ર પણ આપતું. સુરતથી પ્રગટ થતું ગાંડીવ આવતું અને  મુંબઈથી પ્રગટ થતું રમકડું પણ આવતું. બાપૂ ગાતાપ્રેસ ગોરખપુરનું હિંદી માસિક કલ્યાણ મગાવતા. આ ઉપરાંત અખંડ આનંદ આવતું. બાપૂ વર્ધાની રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ સાથે સક્રિય પણ સંકળાયેલા. અને હિંદીના વર્ગો ચલાવતા તેથી રાષ્ટ્રભાષા નામનું હિંદી સામયિક કાયમ આવતું.  
સન્‌ ૧૯૫૦-૬૦ના અરસામાં અમારે ઘરે જે-જે સામયિકો આવતાં તેની યાદી ઘણી લાંબી થાય. એ યાદી પરથી પરિવારની સંસ્કાર-સમૃદ્ધિની ઝલક પ્રાપ્ત થાય એમ બને. ગાંધીજી પછી તંત્રી બનેલા કિ.ઘ. મશરુવાળાનું હરિજનબંધુ દર અઠવાડિયે નિયમિત આવતું. મશરુવાળા પછી થોડાક વખત માટે મગનલાલ પ્ર. દેસાઈએ હરિજન બંધુ ચલાવેલું. એમાં આવતા રાજાજીના લેખો મને ખૂબ ગમતા. અમદાવાદથી ગટુલાલ ગોપીલાલ ધ્રુવ સમાજસુધારકનું પાક્ષિક જ્યોતિર્ધર પ્રગટ કરતા. ગટુભાઈ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં બા ના ગુરૂ હતા. મ.પ્ર. દેસાઈએ શિક્ષણ અને સાહિત્ય માસિકમાં ઉપનિષદો પર લેખમાળા કરેલી. પ્રૌઢો વાંચી શકે તેવા મોટા ટાઈપમાં અમદાવાદના નવજીવન કાર્યાલયમાંથી પ્રગટ થયું માસિક કોડિયું આવતું. વડોદરાના બાજવાડામાંથી પ્રગટ થતું બાલજીવન આવતું અને ચરોતર એજ્યુકેશન સોસાયટી તરફથી પ્રટ થતું બાલમિત્ર પણ આપતું. સુરતથી પ્રગટ થતું ગાંડીવ આવતું અને  મુંબઈથી પ્રગટ થતું રમકડું પણ આવતું. બાપૂ ગાતાપ્રેસ ગોરખપુરનું હિંદી માસિક કલ્યાણ મગાવતા. આ ઉપરાંત અખંડ આનંદ આવતું. બાપૂ વર્ધાની રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ સાથે સક્રિય પણ સંકળાયેલા. અને હિંદીના વર્ગો ચલાવતા તેથી રાષ્ટ્રભાષા નામનું હિંદી સામયિક કાયમ આવતું.  
ઘરે તે દિવસોમાં બે વખત ટપાલ આવતી અને રવિવારે પણ આવતી. અમારી ટપાલમાં કોઈ સામયિક ન હોય એવું ભાગ્યેજ બનતું. કોઈ જ ટપાલ ન હોય ત્યારે મફતમાં મળતું અમેરિકન સંદેશ આવી પહોંચતું. કરસનદાસ માણેકનું નચિકેતા આવતું. આવા સામયિકો ઉપરાંત છાપાં આવતાં તે વધારામાં. સામયિકોને પણ પોતપોતાના સમયગાળો હોય છે. જમાના આથમે તે સાથે કેટલું બધું અલોપ થઈ જાય છે!
ઘરે તે દિવસોમાં બે વખત ટપાલ આવતી અને રવિવારે પણ આવતી. અમારી ટપાલમાં કોઈ સામયિક ન હોય એવું ભાગ્યેજ બનતું. કોઈ જ ટપાલ ન હોય ત્યારે મફતમાં મળતું અમેરિકન સંદેશ આવી પહોંચતું. કરસનદાસ માણેકનું નચિકેતા આવતું. આવા સામયિકો ઉપરાંત છાપાં આવતાં તે વધારામાં. સામયિકોને પણ પોતપોતાના સમયગાળો હોય છે. જમાના આથમે તે સાથે કેટલું બધું અલોપ થઈ જાય છે!
[‘બિલ્લો ટિલ્લો ટચ’ પૃ. ૧૭૩] ગુણવંત શાહ
{{સ-મ|[‘બિલ્લો ટિલ્લો ટચ’ પૃ. ૧૭૩]||'''ગુણવંત શાહ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૨૧૦.<br>કવિતાઓ નથી હોતી, કવિતા જ હોય છે.'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૧૦.
કવિતાઓ નથી હોતી, કવિતા જ હોય છે.
નવનીત (ગુજરાતી ડાયજેસ્ટ)નું હું સંપાદન કરતી હતી ત્યારે સિતાંશુ યશશ્ચંદ્રને કવિતાઓ વિશે લખવા માટે પત્ર લખેલો. જવાબમાં એમણે લખ્યું : ‘કવિતાઓ નથી હોતી, કવિતા જ હોય છે.’ સહસા એક ઉઘાડ થયો હતો. કવિતા જ હોય છે. ફૂલો નહી, ફૂલ જ હોય છે. મનુષ્યો નહીં, મનુષ્ય જ હોય છે. એક અનન્ય અદ્વિતીય, એકમાં સમગ્રનો અર્ક.
નવનીત (ગુજરાતી ડાયજેસ્ટ)નું હું સંપાદન કરતી હતી ત્યારે સિતાંશુ યશશ્ચંદ્રને કવિતાઓ વિશે લખવા માટે પત્ર લખેલો. જવાબમાં એમણે લખ્યું : ‘કવિતાઓ નથી હોતી, કવિતા જ હોય છે.’ સહસા એક ઉઘાડ થયો હતો. કવિતા જ હોય છે. ફૂલો નહી, ફૂલ જ હોય છે. મનુષ્યો નહીં, મનુષ્ય જ હોય છે. એક અનન્ય અદ્વિતીય, એકમાં સમગ્રનો અર્ક.
[‘મારા જીવનનો વળાંક’, સં. સુરેશ દલાલ, પૃ. ૧૩] ઈશા કુંદનિકા
{{સ-મ|[‘મારા જીવનનો વળાંક’, સં. સુરેશ દલાલ, પૃ. ૧૩]||'''ઈશા કુંદનિકા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૨૧૧.<br>પુરસ્કાર-પ્રાપ્તિનો આનંદ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૧૧.
પુરસ્કાર-પ્રાપ્તિનો આનંદ
ઘેરથી આવતા માસિક સો રૂપિયા પૂરતા ન હતા. નોકરી મળવાનો સંભવ ન હતો. મેં ટૂંકી વાર્તાઓ લખવા માંડી. પહેલી વાર્તા કુમારમાં છપાઈ અને લેખક તરીકે આત્મવિશ્વાસ જન્મ્યો. એક ચિત્રકથા નામનું ફિલ્મી સાપ્તાહિક નીકળતું. તેમાં તો દર અઠવાડિયે મારી વાર્તા છપાતી. ભૂખડી બારસ અવસ્થામાં પુરસ્કારપ્રાપ્તિનો આનંદ આજે નિયમિત કટાર લેખનમાંથી મળતા માતબર પુરસ્કારમાં મળતો નથી.
ઘેરથી આવતા માસિક સો રૂપિયા પૂરતા ન હતા. નોકરી મળવાનો સંભવ ન હતો. મેં ટૂંકી વાર્તાઓ લખવા માંડી. પહેલી વાર્તા કુમારમાં છપાઈ અને લેખક તરીકે આત્મવિશ્વાસ જન્મ્યો. એક ચિત્રકથા નામનું ફિલ્મી સાપ્તાહિક નીકળતું. તેમાં તો દર અઠવાડિયે મારી વાર્તા છપાતી. ભૂખડી બારસ અવસ્થામાં પુરસ્કારપ્રાપ્તિનો આનંદ આજે નિયમિત કટાર લેખનમાંથી મળતા માતબર પુરસ્કારમાં મળતો નથી.
[‘મારા જીવનનાં વળાંક’, સં. સુરેશ દલાલ, પૃ. ૭૦] તારક મહેતા
{{સ-મ|[‘મારા જીવનનાં વળાંક’, સં. સુરેશ દલાલ, પૃ. ૭૦]||'''તારક મહેતા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૨૧૨.<br>સામયિકની ઉમર કરતાં જ્યારે સંપાદકની ઉમર નાની હોય ત્યારે'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૧૨.
સામયિકની ઉમર કરતાં જ્યારે સંપાદકની ઉમર નાની હોય ત્યારે
૧લી જાન્યુઆરી, ૧૯૮૭ના રોજ હું નવનીત-સમર્પણમાં સહાયક તરીકે જોડાયો. નવનીત-સમર્પણ વિવિધલક્ષી સામયિક એટલે અનેક ક્ષેત્રનું પ્રેરણાદાયી અને રુચિકર મળતું રહે. કોઈ પણ વિષય એમાં ઝબકી જાય નવીનતા આકર્ષે. સતત નિર્દોષ રહસ્યમયતા રસ જાળવી રાખે. જોડાયાનાં ૧૩ વર્ષ પછી ૨૦૦૦માં હું સંપાદક નિમાયો. સામયિકની ઉમર કરતાં જ્યારે સંપાદકની ઉમર નાની હોય ત્યારે સામયિક એક વડીલની જેમ ઘણી બધી બાબતો શીખવતું હોય છે. એકંદરે શબ્દોએ સાથ નિભાવ્યો. ઓડિટના આંકડામાં શબ્દો જેટલું સંવેદન ક્યાંથી કાઢત? શબ્દો દ્વારા માણસને પામવાની-માણસાઈને નાણવાની જે તકો ઊભી થઈ તે ક્યારેક સાર્થકતાનો અહેસાસ કરાવે છે.
૧લી જાન્યુઆરી, ૧૯૮૭ના રોજ હું નવનીત-સમર્પણમાં સહાયક તરીકે જોડાયો. નવનીત-સમર્પણ વિવિધલક્ષી સામયિક એટલે અનેક ક્ષેત્રનું પ્રેરણાદાયી અને રુચિકર મળતું રહે. કોઈ પણ વિષય એમાં ઝબકી જાય નવીનતા આકર્ષે. સતત નિર્દોષ રહસ્યમયતા રસ જાળવી રાખે. જોડાયાનાં ૧૩ વર્ષ પછી ૨૦૦૦માં હું સંપાદક નિમાયો. સામયિકની ઉમર કરતાં જ્યારે સંપાદકની ઉમર નાની હોય ત્યારે સામયિક એક વડીલની જેમ ઘણી બધી બાબતો શીખવતું હોય છે. એકંદરે શબ્દોએ સાથ નિભાવ્યો. ઓડિટના આંકડામાં શબ્દો જેટલું સંવેદન ક્યાંથી કાઢત? શબ્દો દ્વારા માણસને પામવાની-માણસાઈને નાણવાની જે તકો ઊભી થઈ તે ક્યારેક સાર્થકતાનો અહેસાસ કરાવે છે.
[‘મારા જીવનનો વળાંક’, સં. સુરેશ દલાલ, પૃ. ૭૯]   દીપક દોશી
{{સ-મ|[‘મારા જીવનનો વળાંક’, સં. સુરેશ દલાલ, પૃ. ૭૯]||'''દીપક દોશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૨૧૩.<br>આનંદલહરીનો અનુભવ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૧૩.
આનંદલહરીનો અનુભવ
લીલાં ને પીળાં પૂંઠાવાળી વિજ્ઞાનવિલાસની થોડી ફાઈલો હજુ મારી નજર સામે તરે છે. તેમાં કટકેકટકે (આજના ભારે શબ્દોમાં કહું તો ધારાવાહી) છપાયેલ વીર દુર્ગાદાસ અને મારૂ સરદારોની વાર્તાએ મારા પર ભારે જાદુ કરેલું, કેટલીયે વખત ફરીફરીને એ વાંચ્યાં કરતો : તેના એકએક પ્રસંગ સાથે મારા અંતરના તાણાવાણા ગૂંથેલા.
લીલાં ને પીળાં પૂંઠાવાળી વિજ્ઞાનવિલાસની થોડી ફાઈલો હજુ મારી નજર સામે તરે છે. તેમાં કટકેકટકે (આજના ભારે શબ્દોમાં કહું તો ધારાવાહી) છપાયેલ વીર દુર્ગાદાસ અને મારૂ સરદારોની વાર્તાએ મારા પર ભારે જાદુ કરેલું, કેટલીયે વખત ફરીફરીને એ વાંચ્યાં કરતો : તેના એકએક પ્રસંગ સાથે મારા અંતરના તાણાવાણા ગૂંથેલા.
આ જ અરસામાં મેં કુમારની ‘કિરીટ’ પ્રાણીકથા વાંચી એને પ્રાણીકથા કહેવી તે જ એ વાર્તાનું ઘોર અપમાન જેવું છે. ‘કિરીટ’ શાળામાંના ગોઠિયા કે ઘરમાંના નાના ભાઈ કરતાંય વધારે નિકટ ને વાસ્તવિક લાગે છે. બહુ દિવસો સુધી એ કુમારની ફાઈલો ઉથલાવીને વાંચી, કિરીટ જોડે જંગલોમાં ભમી આવ્યો, નદીમાં નાહ્યો, લાકડાંના તરાપાની પીઠ પર વહી લાંબી મુસાફરીઓ કરી, લોકોએ નહી ધાર્યું હોય તેવી સફરો માણી.
આ જ અરસામાં મેં કુમારની ‘કિરીટ’ પ્રાણીકથા વાંચી એને પ્રાણીકથા કહેવી તે જ એ વાર્તાનું ઘોર અપમાન જેવું છે. ‘કિરીટ’ શાળામાંના ગોઠિયા કે ઘરમાંના નાના ભાઈ કરતાંય વધારે નિકટ ને વાસ્તવિક લાગે છે. બહુ દિવસો સુધી એ કુમારની ફાઈલો ઉથલાવીને વાંચી, કિરીટ જોડે જંગલોમાં ભમી આવ્યો, નદીમાં નાહ્યો, લાકડાંના તરાપાની પીઠ પર વહી લાંબી મુસાફરીઓ કરી, લોકોએ નહી ધાર્યું હોય તેવી સફરો માણી.
અમારે ત્યાં એ વખતે ઇચ્છારામ સૂર્યરામ દેસાઈવાળું ગુજરાતી પણ આવતું. ઇચ્છારામભાઈએ સ્થાપેલ આ સાપ્તાહિક પોતાના ગ્રાહકોને દર વર્ષે એક ભેટ પુસ્તક આપતું. મોટે ભાગે એ પુસ્તકો ઐતિહાસિક નવલકથાઓ હોય. ઠક્કર નારાયણ વસનજી તેના એકહથ્થુ લેખક. ગુજરાત-રાજસ્થાનના ઇતિહાસને રજૂ કરતી આ નવલકથાઓ તે કાળે સારી પેઠે વંચાઈ હશે. હું પણ પુસ્તક રજિસ્ટર્ડ પાર્સલ તરીકે આવે ત્યારથી ટાંપીને બેસતો, પણ જ્યાં સુધી ગામના બે-ચાર જણ મળી લવાજમ એકઠું ન કરી આપે ત્યાં સુધી રજિસ્ટર્ડ સ્વીકારાય નહી, એટલે પિતાજી વેપારીઓને સમજાવ્યા કરે, ને હું એ પુસ્તક રેપર તોડયા સિવાય બહાર કાઢી શકાય તેમ છે કે નહી તેની મથામણ કર્યા કરું.
અમારે ત્યાં એ વખતે ઇચ્છારામ સૂર્યરામ દેસાઈવાળું ગુજરાતી પણ આવતું. ઇચ્છારામભાઈએ સ્થાપેલ આ સાપ્તાહિક પોતાના ગ્રાહકોને દર વર્ષે એક ભેટ પુસ્તક આપતું. મોટે ભાગે એ પુસ્તકો ઐતિહાસિક નવલકથાઓ હોય. ઠક્કર નારાયણ વસનજી તેના એકહથ્થુ લેખક. ગુજરાત-રાજસ્થાનના ઇતિહાસને રજૂ કરતી આ નવલકથાઓ તે કાળે સારી પેઠે વંચાઈ હશે. હું પણ પુસ્તક રજિસ્ટર્ડ પાર્સલ તરીકે આવે ત્યારથી ટાંપીને બેસતો, પણ જ્યાં સુધી ગામના બે-ચાર જણ મળી લવાજમ એકઠું ન કરી આપે ત્યાં સુધી રજિસ્ટર્ડ સ્વીકારાય નહી, એટલે પિતાજી વેપારીઓને સમજાવ્યા કરે, ને હું એ પુસ્તક રેપર તોડયા સિવાય બહાર કાઢી શકાય તેમ છે કે નહી તેની મથામણ કર્યા કરું.
[‘પીધો અમીરસ અક્ષરનો’, સં. પ્રીતિ શાહ, પૃ. ૩-૪]     ‘દર્શક’
{{સ-મ|[‘પીધો અમીરસ અક્ષરનો’, સં. પ્રીતિ શાહ, પૃ. ૩-૪]||'''‘દર્શક’'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૨૧૪.<br>તૈયારી કેટલી હોવી જોઈએ?'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૧૪.
તૈયારી કેટલી હોવી જોઈએ?
કુમારમાં તંત્રી-સંપાદકનું બધું કામ બચુભાઈ પોતે કરતા. મદદ કોઈ શિખાઉ લેખક જેવા પાસેથી હાથ-પગ હલાવવા પૂરતી જ લે. એવા માણસની જગ્યા ખાલી પડી ત્યારે મેં ઉમેદવારી કરી. બચુભાઈએ મને ટપાલ લખી કે રૂબરૂ મળવા આવો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન વિશે લખવા માટે જે-જે પુસ્તકોની જરૂર પડે તેની યાદી લેતા આવજો! એ જોયા પછી નોકરીની વાત! આટલી સજ્જતા આજે રીસર્ચમાં પણ કદાચ નહીં માગતા હોય.
કુમારમાં તંત્રી-સંપાદકનું બધું કામ બચુભાઈ પોતે કરતા. મદદ કોઈ શિખાઉ લેખક જેવા પાસેથી હાથ-પગ હલાવવા પૂરતી જ લે. એવા માણસની જગ્યા ખાલી પડી ત્યારે મેં ઉમેદવારી કરી. બચુભાઈએ મને ટપાલ લખી કે રૂબરૂ મળવા આવો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન વિશે લખવા માટે જે-જે પુસ્તકોની જરૂર પડે તેની યાદી લેતા આવજો! એ જોયા પછી નોકરીની વાત! આટલી સજ્જતા આજે રીસર્ચમાં પણ કદાચ નહીં માગતા હોય.
[‘પીધો અમીરસ અક્ષરનો’, સં. પ્રીતિ શાહ, પૃ. ૩૯]                                                   વાસુદેવ મહેતા
{{સ-મ|[‘પીધો અમીરસ અક્ષરનો’, સં. પ્રીતિ શાહ, પૃ. ૩૯]||'''વાસુદેવ મહેતા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૨૧૫.<br>‘પરબ’ અંગે પ્રશ્નાવલી'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૧૫.
‘પરબ’ અંગે પ્રશ્નાવલી
પરિષદનું સામયિક ‘પરબ’  રેપર સાથે તો ૩૦૦૦ જેટલા સભ્ય-ગ્રાહકો સુધી પહોંચે છે. કહે છે કે, ‘પરબ’ને મળે છે એટલી ગંજાવર પ્રકાશન-સામગ્રી કોઈ સામયિકને મળતી નહીં હોય. સંપાદકોનું કાર્ય કપરું બની જાય. (નવા સંપાદકને તો વારસામાં મળતી સામગ્રી જ મૂંઝવી નાખે!) પણ આવા સંજોગોમાં ઝીણી ચાળણી ને મજબૂત મન જોઈએ. એ તો ઠીક. પણ ગમે તેટલી સામગ્રી મળતી હોય તો પણ, માત્ર મળેલી સામગ્રીના ચયન આગળ પણ અટકી રહેવું બરાબર ગણાશે? યોજનાપૂર્વક મેળવેલી સામગ્રીથી જ એને ઘાટ આપી શકાય – એની આગવી મુદ્રા રચી શકાય. પરબમાં સંશોધન-વિવેચનના, તૃપ્ત કરે એવા લેખો કેટલા? પરબ વ્યાપક પ્રકારની લેખનસામગ્રી છાપ્યે જાય છે પણ એનાં જ્ઞાનસત્રોમાં, અધિવેશનોમાં થયેલાં વ્યાખ્યાનો હવે ભાગ્યે જ છાપે છે. (અલબત્ત, એનું પણ સંપાદન તો થવું જોઈએ) એ વ્યાખ્યાનો બધાં સુધી શી રીતે પહોંચે? અધિવેશન-પ્રસંગે જ એનું વિતરણ થાય છે, પણ પછી? પુસ્તકરૂપે કે પરબના વિશેષાંકરૂપે પણ એ વક્તવ્યોનું પ્રકાશન ન કરવું જોઈએ? પરિષદની વ્યાખ્યાનમાળાઓમાં જે વક્તવ્યો થાય છે એનું – એ બધાંનું – શું થાય છે? એ લિખિત રૂપે આવે છે ખરાં પરિષદ પાસે? ને તો એ પ્રકાશિત કરાય છે? પરબમાં આને માટે જગા કેમ નથી? (એક વક્તાએ કહેલું કે એમનું પ્રવચન લાંબું છે એમ કહીને એ પરબમાં પ્રગટ ન કરાયેલું!) પરિષદમાં એક સ્વાધ્યાયપીઠ છે ને સંશોધકે એમાં એક/બે વર્ષ કામ કરવાનું હોય છે. એ પ્રકલ્પ(પ્રોજેક્ટ)નું શું થાય છે? એ આખું કામ પુસ્તકરૂપે, કે છેવટે એનું દોહન લેખ રૂપે પરબમાં, પ્રગટ ન કરી શકાય? પરિષદની વિદ્યાપ્રવૃત્તિઓનો ખરો હિસાબ પરબ દ્વારા આપી શકાય.
પરિષદનું સામયિક ‘પરબ’  રેપર સાથે તો ૩૦૦૦ જેટલા સભ્ય-ગ્રાહકો સુધી પહોંચે છે. કહે છે કે, ‘પરબ’ને મળે છે એટલી ગંજાવર પ્રકાશન-સામગ્રી કોઈ સામયિકને મળતી નહીં હોય. સંપાદકોનું કાર્ય કપરું બની જાય. (નવા સંપાદકને તો વારસામાં મળતી સામગ્રી જ મૂંઝવી નાખે!) પણ આવા સંજોગોમાં ઝીણી ચાળણી ને મજબૂત મન જોઈએ. એ તો ઠીક. પણ ગમે તેટલી સામગ્રી મળતી હોય તો પણ, માત્ર મળેલી સામગ્રીના ચયન આગળ પણ અટકી રહેવું બરાબર ગણાશે? યોજનાપૂર્વક મેળવેલી સામગ્રીથી જ એને ઘાટ આપી શકાય – એની આગવી મુદ્રા રચી શકાય. પરબમાં સંશોધન-વિવેચનના, તૃપ્ત કરે એવા લેખો કેટલા? પરબ વ્યાપક પ્રકારની લેખનસામગ્રી છાપ્યે જાય છે પણ એનાં જ્ઞાનસત્રોમાં, અધિવેશનોમાં થયેલાં વ્યાખ્યાનો હવે ભાગ્યે જ છાપે છે. (અલબત્ત, એનું પણ સંપાદન તો થવું જોઈએ) એ વ્યાખ્યાનો બધાં સુધી શી રીતે પહોંચે? અધિવેશન-પ્રસંગે જ એનું વિતરણ થાય છે, પણ પછી? પુસ્તકરૂપે કે પરબના વિશેષાંકરૂપે પણ એ વક્તવ્યોનું પ્રકાશન ન કરવું જોઈએ? પરિષદની વ્યાખ્યાનમાળાઓમાં જે વક્તવ્યો થાય છે એનું – એ બધાંનું – શું થાય છે? એ લિખિત રૂપે આવે છે ખરાં પરિષદ પાસે? ને તો એ પ્રકાશિત કરાય છે? પરબમાં આને માટે જગા કેમ નથી? (એક વક્તાએ કહેલું કે એમનું પ્રવચન લાંબું છે એમ કહીને એ પરબમાં પ્રગટ ન કરાયેલું!) પરિષદમાં એક સ્વાધ્યાયપીઠ છે ને સંશોધકે એમાં એક/બે વર્ષ કામ કરવાનું હોય છે. એ પ્રકલ્પ(પ્રોજેક્ટ)નું શું થાય છે? એ આખું કામ પુસ્તકરૂપે, કે છેવટે એનું દોહન લેખ રૂપે પરબમાં, પ્રગટ ન કરી શકાય? પરિષદની વિદ્યાપ્રવૃત્તિઓનો ખરો હિસાબ પરબ દ્વારા આપી શકાય.
પરિષદનાં જ્ઞાનસત્રો-અધિવેશનોની ગતિવિધિ પરબના અંકોમાં ચીલાચાલુ અહેવાલ કે સમાચાર-નોંધરૂપે પ્રગટ થાય છે. એ સમીક્ષિત અહેવાલરૂપે શા માટે પ્રગટ ન થાય? જ્ઞાનસત્રો ને અધિવેશનોમાં વિવિધ વિષયના વક્તાઓને નિમંત્રણ અપાય છે એમ જ એ આખા કાર્યક્રમના સમીક્ષિત અહેવાલ માટે પણ કોઈ અભ્યાસીને નિમંત્રણ આપી ન શકાય? તો એવો તટસ્થ, સમીક્ષિત અહેવાલ પરબમાં પ્રગટ કરી શકાય. રેઢિયાળ, અર્થહીન ને જાણે કાર્યક્રમપત્રિકાનું જ વર્ણન-વિસ્તરણ હોય એવા અહેવાલો પરિષદના પ્રતિષ્ઠિત સામયિકમાં શોભે છે? પરબમાં પ્રગટ થતા ‘પરિષદવૃત્ત’માં પરિષદ દ્વારા થતી ઘણી પ્રવૃત્તિઓની નોંધ આવે છે – પરિષદની સતત પ્રવૃત્તિશીલતાને એક અંદાજ એ જરૂર આપે છે પણ પૂરો અંદાજ આપે છે? આ બધું કેવળ ‘સમાચાર’ની કક્ષાએ હ્રસ્વ કરી નાખવાની જરૂર ખરી?
પરિષદનાં જ્ઞાનસત્રો-અધિવેશનોની ગતિવિધિ પરબના અંકોમાં ચીલાચાલુ અહેવાલ કે સમાચાર-નોંધરૂપે પ્રગટ થાય છે. એ સમીક્ષિત અહેવાલરૂપે શા માટે પ્રગટ ન થાય? જ્ઞાનસત્રો ને અધિવેશનોમાં વિવિધ વિષયના વક્તાઓને નિમંત્રણ અપાય છે એમ જ એ આખા કાર્યક્રમના સમીક્ષિત અહેવાલ માટે પણ કોઈ અભ્યાસીને નિમંત્રણ આપી ન શકાય? તો એવો તટસ્થ, સમીક્ષિત અહેવાલ પરબમાં પ્રગટ કરી શકાય. રેઢિયાળ, અર્થહીન ને જાણે કાર્યક્રમપત્રિકાનું જ વર્ણન-વિસ્તરણ હોય એવા અહેવાલો પરિષદના પ્રતિષ્ઠિત સામયિકમાં શોભે છે? પરબમાં પ્રગટ થતા ‘પરિષદવૃત્ત’માં પરિષદ દ્વારા થતી ઘણી પ્રવૃત્તિઓની નોંધ આવે છે – પરિષદની સતત પ્રવૃત્તિશીલતાને એક અંદાજ એ જરૂર આપે છે પણ પૂરો અંદાજ આપે છે? આ બધું કેવળ ‘સમાચાર’ની કક્ષાએ હ્રસ્વ કરી નાખવાની જરૂર ખરી?
[પ્રત્યક્ષ, ઑક્ટો.-ડિસે. ૨૦૦૫] રમણ સોની
{{સ-મ|[પ્રત્યક્ષ, ઑક્ટો.-ડિસે. ૨૦૦૫]||'''રમણ સોની'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૨૧૬.<br>‘ગ્રંથસમીક્ષા’ બાબતે શી સ્થિતિ છે?'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૧૬.
‘ગ્રંથસમીક્ષા’ બાબતે શી સ્થિતિ છે?
‘ગ્રંથસમીક્ષા’ની સ્થિતિ બહુ નાજુક છે! એક કારણ તો એ કે, સમીક્ષકો દુર્લભ થતા જાય છે. તત્ત્વનું ટૂંપણું તેમને તુચ્છ લાગતું નથી – ‘સિદ્ધાંત’-વિવેચન એ લખી નાખશે; પ્રવાહ-દર્શન કરીને બાંધે ભારે ચુકાદા આપવામાં (‘આજે ગુજરાતી કવિતા સાવ ઝાંખી પડી ગઈ છે.’ વગેરે વગેરેમાં) એમની કલમ અવરોધ પામતી નથી. પણ પ્રેમલક્ષણાના પ્રવાહનો સીધો સ્પર્શ કરવાનું, મુકાબલો કરવાનું (કે આ કવિની કવિતા તો સાવ ઝાંખી છે કે તેજસ્વી છે વગેરે) એ નથી સ્વીકારતા. જે લખાય છે તે સમીક્ષાઓની સમસ્યાઓ વળી બીજી છે., પુસ્તકનો સંસ્પર્શ કરાવી  આપનારી સૂઝભરી આસ્વાદલક્ષી સમીક્ષા કે પુસ્તકનો મર્મો ખોલી આપનારી – માર્મિક રીતે એનાં ઉત્કૃષ્ટ કે નિકૃષ્ટ તત્ત્વો ચીંધી આપનારી – મૂલ્યલક્ષી સમીક્ષાઓ ઓછી મળે છે. સાર ઘસડનારી, અવતરણભાર-ભારેખમ, ગોળગોળ(ગાર્ડેડ) કે પછી કૃતિનેય બાજુ પર રાખી નિજલીલા-નિમગ્ન રહેતી (સ્વ-તંત્ર) સમીક્ષાઓ વધારે મળે છે. સમીક્ષાની લખાવટના-સમીક્ષાલેખની અભિવ્યક્તિના પણ પ્રશ્નો છે. એ માટે શિબિરો થવા જોઈએ. મારી દૃષ્ટિએ આ તાલીમનો મુદ્દો છે ને ઘણું પરસ્પર પણ શીખવા જેવું છે. છતાં મારે એક બાબત ભારપૂર્વક કહેવાની છે કે સાહિત્યનિષ્ઠાપૂર્વક, લાગ્યું-તે-કહેનારા સમીક્ષકો પણ છે ને એથી તો સમીક્ષાની વિશ્વસનીયતા ટકી છે.
‘ગ્રંથસમીક્ષા’ની સ્થિતિ બહુ નાજુક છે! એક કારણ તો એ કે, સમીક્ષકો દુર્લભ થતા જાય છે. તત્ત્વનું ટૂંપણું તેમને તુચ્છ લાગતું નથી – ‘સિદ્ધાંત’-વિવેચન એ લખી નાખશે; પ્રવાહ-દર્શન કરીને બાંધે ભારે ચુકાદા આપવામાં (‘આજે ગુજરાતી કવિતા સાવ ઝાંખી પડી ગઈ છે.’ વગેરે વગેરેમાં) એમની કલમ અવરોધ પામતી નથી. પણ પ્રેમલક્ષણાના પ્રવાહનો સીધો સ્પર્શ કરવાનું, મુકાબલો કરવાનું (કે આ કવિની કવિતા તો સાવ ઝાંખી છે કે તેજસ્વી છે વગેરે) એ નથી સ્વીકારતા. જે લખાય છે તે સમીક્ષાઓની સમસ્યાઓ વળી બીજી છે., પુસ્તકનો સંસ્પર્શ કરાવી  આપનારી સૂઝભરી આસ્વાદલક્ષી સમીક્ષા કે પુસ્તકનો મર્મો ખોલી આપનારી – માર્મિક રીતે એનાં ઉત્કૃષ્ટ કે નિકૃષ્ટ તત્ત્વો ચીંધી આપનારી – મૂલ્યલક્ષી સમીક્ષાઓ ઓછી મળે છે. સાર ઘસડનારી, અવતરણભાર-ભારેખમ, ગોળગોળ(ગાર્ડેડ) કે પછી કૃતિનેય બાજુ પર રાખી નિજલીલા-નિમગ્ન રહેતી (સ્વ-તંત્ર) સમીક્ષાઓ વધારે મળે છે. સમીક્ષાની લખાવટના-સમીક્ષાલેખની અભિવ્યક્તિના પણ પ્રશ્નો છે. એ માટે શિબિરો થવા જોઈએ. મારી દૃષ્ટિએ આ તાલીમનો મુદ્દો છે ને ઘણું પરસ્પર પણ શીખવા જેવું છે. છતાં મારે એક બાબત ભારપૂર્વક કહેવાની છે કે સાહિત્યનિષ્ઠાપૂર્વક, લાગ્યું-તે-કહેનારા સમીક્ષકો પણ છે ને એથી તો સમીક્ષાની વિશ્વસનીયતા ટકી છે.
પ્રકાશિત થાય છે એ બધાં સાહિત્ય-પુસ્તકો સુલભ નથી બનતાં, મળે છે એમાંથી ‘સમીક્ષા-યોગ્ય’ (ઉત્તમ અને ચર્ચાક્ષમ) ઓછાં મળે, પણ મળે છે ખરાં. ‘યોગ્ય અવલોકનકારો’ નજરે તો ઘણા પડે છે પણ આપણી પ્રેમ-જાળના તંતમાં સંતો ઝલાય-બલકે ફસાય-એટલા જ ખરા ને! પણ એટલાક આવી મળે છે, નિષ્ઠાપ્રતિબદ્ધ અને સજ્જ. કામનાં પુષ્કળ ભારણવાળા, પ્રથિતયશ વિદ્વાનો ને આશાસ્પદ તેજસ્વી નવ-અભ્યાસીઓનો સહયોગ પણ મળે છે.
પ્રકાશિત થાય છે એ બધાં સાહિત્ય-પુસ્તકો સુલભ નથી બનતાં, મળે છે એમાંથી ‘સમીક્ષા-યોગ્ય’ (ઉત્તમ અને ચર્ચાક્ષમ) ઓછાં મળે, પણ મળે છે ખરાં. ‘યોગ્ય અવલોકનકારો’ નજરે તો ઘણા પડે છે પણ આપણી પ્રેમ-જાળના તંતમાં સંતો ઝલાય-બલકે ફસાય-એટલા જ ખરા ને! પણ એટલાક આવી મળે છે, નિષ્ઠાપ્રતિબદ્ધ અને સજ્જ. કામનાં પુષ્કળ ભારણવાળા, પ્રથિતયશ વિદ્વાનો ને આશાસ્પદ તેજસ્વી નવ-અભ્યાસીઓનો સહયોગ પણ મળે છે.
[શબ્દસૃષ્ટિ, ઓક્ટો.-નવે.-૧૯૯૭; ‘તપસીલ’, ૧૯૯૮]                                             રમણ સોની
{{સ-મ|[શબ્દસૃષ્ટિ, ઓક્ટો.-નવે.-૧૯૯૭; ‘તપસીલ’, ૧૯૯૮]||'''રમણ સોની'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૨૧૭.<br>સરજાતા સાહિત્યનો સીધો સંપર્ક...'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૧૭.
સરજાતા સાહિત્યનો સીધો સંપર્ક...
સંપાદકોના અનુભવકથનને અંતર્ગત કરતો ‘પ્રત્યક્ષ’નો સામયિક-સંપાદક-વિશેષાંક (વર્ષ ૪, અંક ૩-૪) તો ગુજરાતી સાહિત્યના સામયિક-પ્રકાશનક્ષેત્રની અભૂતપૂર્વ ઘટના છે, જેમાં રમણ સોનીની પોતીકી રુચિસંપન્નતા તેમજ ગુજરાતી સાહિત્યકોશ-રચનાકાળની ઘડાયેલી એમની ચીવટ અને સૂઝનું સહિયારું પરિણામ દૃષ્ટિપૂર્વકની સામગ્રીની સુરેખ રજૂઆતમાં જોઈ શકાય છે. મધુ કોઠારીએ યોગ્ય રીતે ઉદ્‌ગાર કાઢ્યો છે કે પ્રત્યક્ષ આ અંકથી પેડેસ્ટલ ઉપર મુકાઈ ગયું છે. વળી, કિશોર વ્યાસ પાસે તૈયાર કરાવીને પ્રત્યક્ષે ૧૯૯૪ના વર્ષમાં પ્રગટ થયેલાં ગુજરાતી સાહિત્ય (અને અન્ય કેટલાક વિષયો)નાં પુસ્તકોની સૂચિ ધરી છે તે પણ પુસ્તક-સમીક્ષાના ત્રૈમાસિકે કરવા જેવું કાર્ય કર્યું છે.
સંપાદકોના અનુભવકથનને અંતર્ગત કરતો ‘પ્રત્યક્ષ’નો સામયિક-સંપાદક-વિશેષાંક (વર્ષ ૪, અંક ૩-૪) તો ગુજરાતી સાહિત્યના સામયિક-પ્રકાશનક્ષેત્રની અભૂતપૂર્વ ઘટના છે, જેમાં રમણ સોનીની પોતીકી રુચિસંપન્નતા તેમજ ગુજરાતી સાહિત્યકોશ-રચનાકાળની ઘડાયેલી એમની ચીવટ અને સૂઝનું સહિયારું પરિણામ દૃષ્ટિપૂર્વકની સામગ્રીની સુરેખ રજૂઆતમાં જોઈ શકાય છે. મધુ કોઠારીએ યોગ્ય રીતે ઉદ્‌ગાર કાઢ્યો છે કે પ્રત્યક્ષ આ અંકથી પેડેસ્ટલ ઉપર મુકાઈ ગયું છે. વળી, કિશોર વ્યાસ પાસે તૈયાર કરાવીને પ્રત્યક્ષે ૧૯૯૪ના વર્ષમાં પ્રગટ થયેલાં ગુજરાતી સાહિત્ય (અને અન્ય કેટલાક વિષયો)નાં પુસ્તકોની સૂચિ ધરી છે તે પણ પુસ્તક-સમીક્ષાના ત્રૈમાસિકે કરવા જેવું કાર્ય કર્યું છે.
આમ, ત્રણેક અંક પછી આર્થિક સહાય છૂટી જવા છતાં અને  બે વર્ષને અંતે બે સંપાદકો મુક્ત થઈ ગયા છતાં રમણ સોનીએ એકલે હાથે ‘સ્થિર રહેવું છે પણ સ્થગિત નથી થવું’ (વર્ષ ૫.અંક ૪)નો મંત્ર ચરિતાર્થ કરી બતાવ્યો છે. પ્રત્યક્ષ સરજાતા સાહિત્યના તરત સીધા સંપર્કમાં મૂકી આપનારા હાથપોથી જેવું બની રહે (વર્ષ ૧. અંક૧) એવી એમની નેમને તેઓ કંઈક અંશે પહોંચી વળ્યા છે. પણ એમ પહોંચી વળવામાં એમને ઠીકઠીક સાહિત્યજગતની ઉદાસીનતા, નિષ્ક્રિયતા અને અસહકારનો સામનો કરવો પડ્યો છે. સમકાલીન કૃતિઓ વિશે લખવાનું ટાળવાની વૃત્તિ, લખીને કડવા ન થઈ અજાતશત્રુ રહેવાની પેરવી, દહીંદૂધમાં પગ રાખીને લખાતાં ગોળગોળ લખાણો, પૂર્વગ્રહ અને પક્ષપાતથી દૂષિત પેંતરાઓ, સાહિત્યને નહીં, પણ સાહિત્યના રાજકારણને અને અંગત ગ્રંથિઓને પોષતાં લેખકોનાં મનોવલણો–આ બધાં વચ્ચે સમકાલીન સાહિત્ય વિશે સૂઝ-સજ્જતાપૂર્વકની પૂરી જવાબદારીથી નિષ્પક્ષ અને નિર્ભીક સમીક્ષાઓ લખાવવી અને એ માટે દૃષ્ટિમંત શક્તિ ને સૂઝનો તણખો બતાવનાર નવા સમીક્ષકોની ખોજ કરવી – એ અઘરું કામ છે.
આમ, ત્રણેક અંક પછી આર્થિક સહાય છૂટી જવા છતાં અને  બે વર્ષને અંતે બે સંપાદકો મુક્ત થઈ ગયા છતાં રમણ સોનીએ એકલે હાથે ‘સ્થિર રહેવું છે પણ સ્થગિત નથી થવું’ (વર્ષ ૫.અંક ૪)નો મંત્ર ચરિતાર્થ કરી બતાવ્યો છે. પ્રત્યક્ષ સરજાતા સાહિત્યના તરત સીધા સંપર્કમાં મૂકી આપનારા હાથપોથી જેવું બની રહે (વર્ષ ૧. અંક૧) એવી એમની નેમને તેઓ કંઈક અંશે પહોંચી વળ્યા છે. પણ એમ પહોંચી વળવામાં એમને ઠીકઠીક સાહિત્યજગતની ઉદાસીનતા, નિષ્ક્રિયતા અને અસહકારનો સામનો કરવો પડ્યો છે. સમકાલીન કૃતિઓ વિશે લખવાનું ટાળવાની વૃત્તિ, લખીને કડવા ન થઈ અજાતશત્રુ રહેવાની પેરવી, દહીંદૂધમાં પગ રાખીને લખાતાં ગોળગોળ લખાણો, પૂર્વગ્રહ અને પક્ષપાતથી દૂષિત પેંતરાઓ, સાહિત્યને નહીં, પણ સાહિત્યના રાજકારણને અને અંગત ગ્રંથિઓને પોષતાં લેખકોનાં મનોવલણો–આ બધાં વચ્ચે સમકાલીન સાહિત્ય વિશે સૂઝ-સજ્જતાપૂર્વકની પૂરી જવાબદારીથી નિષ્પક્ષ અને નિર્ભીક સમીક્ષાઓ લખાવવી અને એ માટે દૃષ્ટિમંત શક્તિ ને સૂઝનો તણખો બતાવનાર નવા સમીક્ષકોની ખોજ કરવી – એ અઘરું કામ છે.
એમને લખવું પડ્યું છે કે ‘નબળી કૃતિની સ્પષ્ટ ને આકરી ટીકા કરનાર સમીક્ષકો પર નૈતિક ને માનસિક દબાણો વધતાં જાય છે એ ચિંતાજનક છે.’ (૨.૧) આગળ વધતાં કહે છે કે ‘સંવેદનશીલ અભ્યાસી વિવેચકને માથે દબાણ વધતાં જાય છે ને એને કોઈનો ખુલ્લો ટેકો નથી. કોઈ ખોંખારીને એને પડખે રહેતું નથી.’ (૨.૧) છેવટે સ્પષ્ટ કહે છે – ‘સ્થાપિતોની લોકપ્રિયતાની મગરૂરીના છાકમાં વિવેચનમાત્ર વિશે એલફેલ બોલનારાઓની જોહૂકમી ને ધાક વધવા માંડ્યાં છે. (૨.૧) અને ‘આથી જ નિર્ભીક વિવેચનની ક્યારેય ન હતી એવી આજે જરૂર છે.’ એવા દૃઢ નિશ્ચય પર એ આવે છે. રમણ સોનીની આ નિશ્ચયાત્મક કામગીરીને લક્ષમાં લેતાં રાધેશ્યામ શર્માએ પ્રત્યક્ષ વિશે પ્રમાણ ઉચ્ચાર્યું છે કે, લેખક કે પ્રકાશક ગમે એટલા પ્રતિષ્ઠિત કે પ્રખ્યાત હોય એની સ્પૃહા કે શેહમાં પડ્યા સિવાય મહદંશે વસ્તુલક્ષી ધોરણ જળવાયું છે. (૩.૨)
એમને લખવું પડ્યું છે કે ‘નબળી કૃતિની સ્પષ્ટ ને આકરી ટીકા કરનાર સમીક્ષકો પર નૈતિક ને માનસિક દબાણો વધતાં જાય છે એ ચિંતાજનક છે.’ (૨.૧) આગળ વધતાં કહે છે કે ‘સંવેદનશીલ અભ્યાસી વિવેચકને માથે દબાણ વધતાં જાય છે ને એને કોઈનો ખુલ્લો ટેકો નથી. કોઈ ખોંખારીને એને પડખે રહેતું નથી.’ (૨.૧) છેવટે સ્પષ્ટ કહે છે – ‘સ્થાપિતોની લોકપ્રિયતાની મગરૂરીના છાકમાં વિવેચનમાત્ર વિશે એલફેલ બોલનારાઓની જોહૂકમી ને ધાક વધવા માંડ્યાં છે. (૨.૧) અને ‘આથી જ નિર્ભીક વિવેચનની ક્યારેય ન હતી એવી આજે જરૂર છે.’ એવા દૃઢ નિશ્ચય પર એ આવે છે. રમણ સોનીની આ નિશ્ચયાત્મક કામગીરીને લક્ષમાં લેતાં રાધેશ્યામ શર્માએ પ્રત્યક્ષ વિશે પ્રમાણ ઉચ્ચાર્યું છે કે, લેખક કે પ્રકાશક ગમે એટલા પ્રતિષ્ઠિત કે પ્રખ્યાત હોય એની સ્પૃહા કે શેહમાં પડ્યા સિવાય મહદંશે વસ્તુલક્ષી ધોરણ જળવાયું છે. (૩.૨)
[પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૧૯૯૭]     ચંદ્રકાન્ત ટોપીવાળા
{{સ-મ|[પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૧૯૯૭]||'''ચંદ્રકાન્ત ટોપીવાળા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}
૦ ૦ ૦<br>
{{સ-મ||૦ ૦ ૦}}<br>
હવે આગળ–<hr>
'''હવે આગળ–'''<br>
ગુજરાતી સાહિત્ય-સામયિકો : એક દૃષ્ટિપાત
'''ગુજરાતી સાહિત્ય-સામયિકો : એક દૃષ્ટિપાત'''
<hr>
<hr>
{{Heading|ગુજરાતી સાહિત્ય-સામયિકો : એક દૃષ્ટિપાત|રમણ સોની}}
{{Heading|ગુજરાતી સાહિત્ય-સામયિકો : એક દૃષ્ટિપાત|રમણ સોની}}

Navigation menu