26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
{{Right|(‘શબ્દ સાથે મારો સંબંધ’, સં. હર્ષ બ્રહ્મભટ્ટ, અનિલ ચાવડા, પૃ. ૫૪)}} | {{Right|(‘શબ્દ સાથે મારો સંબંધ’, સં. હર્ષ બ્રહ્મભટ્ટ, અનિલ ચાવડા, પૃ. ૫૪)}} | ||
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ હાલોલ અને કણજરીમાં. કણજરીના દરબાર જૂની રંગભૂમિના આશક, નાટકકાર ને કવિ. દરબારમાં રોજ મિજલસ થાય. તરુણ ચંદ્રકાન્તની કવિતા અંગેની પાત્રતાના કારણે મિજલસમાં હાજર થવા નોતરું મળે. પિતાજી ખિજાય. આમ તો સાતમા ધોરણથી કવિતાની શરૂઆત. ૧૯૪૮માં ગાંધીજીનો દેહાંત થતાં કાવ્ય લખેલું: ‘એવા બાપુ અમર રહો!’ કિશોર વયથી જ એમને ગાંધીજી ગમતા ને ખાદી પહેરવાની ઇચ્છા થતી. ૧૯૫૦ પછીથી આઠમા ધોરણથી અમદાવાદમાં કાંકરિયાની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં. રવીન્દ્રનાથનું પ્રબળ ખેંચાણ. મૅટ્રિક સુધીમાં પ્રચલિત છંદો પર ઠીક ઠીક પ્રભુત્વ મેળવી લીધેલું. શાળાજીવન દરમિયાન કવિતાના વ્યાયામથી પાંચ-સાત નોટો ભરી દીધેલી. પ્રોપ્રાયરી હાઈસ્કૂલમાં તેઓ ભણતા ત્યારે કવિ શ્રી ઉમાશંકર જોષીનાં દર્શન થયેલાં. ઉમાશંકર સ્કૂલમાં આવેલા ને વ્યાખ્યાન આપવા માટે ‘ભોમિયા વિના’ ગીત ગાયેલું. શાળાના વાર્ષિક અંકમાં એમનું કાવ્ય ‘મા શારદે!’ છપાયેલું. | પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ હાલોલ અને કણજરીમાં. કણજરીના દરબાર જૂની રંગભૂમિના આશક, નાટકકાર ને કવિ. દરબારમાં રોજ મિજલસ થાય. તરુણ ચંદ્રકાન્તની કવિતા અંગેની પાત્રતાના કારણે મિજલસમાં હાજર થવા નોતરું મળે. પિતાજી ખિજાય. આમ તો સાતમા ધોરણથી કવિતાની શરૂઆત. ૧૯૪૮માં ગાંધીજીનો દેહાંત થતાં કાવ્ય લખેલું: ‘એવા બાપુ અમર રહો!’ કિશોર વયથી જ એમને ગાંધીજી ગમતા ને ખાદી પહેરવાની ઇચ્છા થતી. ૧૯૫૦ પછીથી આઠમા ધોરણથી અમદાવાદમાં કાંકરિયાની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં. રવીન્દ્રનાથનું પ્રબળ ખેંચાણ. મૅટ્રિક સુધીમાં પ્રચલિત છંદો પર ઠીક ઠીક પ્રભુત્વ મેળવી લીધેલું. શાળાજીવન દરમિયાન કવિતાના વ્યાયામથી પાંચ-સાત નોટો ભરી દીધેલી. પ્રોપ્રાયરી હાઈસ્કૂલમાં તેઓ ભણતા ત્યારે કવિ શ્રી ઉમાશંકર જોષીનાં દર્શન થયેલાં. ઉમાશંકર સ્કૂલમાં આવેલા ને વ્યાખ્યાન આપવા માટે ‘ભોમિયા વિના’ ગીત ગાયેલું. શાળાના વાર્ષિક અંકમાં એમનું કાવ્ય ‘મા શારદે!’ છપાયેલું. | ||
Line 54: | Line 55: | ||
'''ચંદ્રકાન્તને ઝટપટ હળથી ભાંગી ખેતર સપાટ કરીએ,''' | '''ચંદ્રકાન્તને ઝટપટ હળથી ભાંગી ખેતર સપાટ કરીએ,''' | ||
'''ચં દ્ર કા ન્ત ને ભાં ગી ક ણ ક ણ ખ લા સ ક રી એ….’''' | '''ચં દ્ર કા ન્ત ને ભાં ગી ક ણ ક ણ ખ લા સ ક રી એ….’''' | ||
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૫-૧૬)}} | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
જાતને શોધવાની અને પામવાની આ સર્જનાત્મક પ્રક્રિયા એમના અપૂર્વ અને અનન્ય અંગત નિબંધો ‘નંદ સામવેદી’માંય ચાલે છે. ‘આ-નંદપર્વ’ શીર્ષકથી લાભશંકર ઠાકરે ચંદ્રકાન્ત શેઠના પ્રતિનિધિ નિબંધોનું સંપાદન કર્યું છે. એની પ્રસ્તાવનામાં લાભશંકરે યથાર્થ નોંધ્યું છે — | |||
'''‘આ નિબંધોમાં ચંદ્રકાન્તનાં બાહ્ય રૂપોનો ભુક્કો કરી અસલ, આંતરિક ચંદ્રકાન્તને પામવાનો, નિબંધકારનો શોધપુરુષાર્થ છે.’''' | |||
ચંદ્રકાન્ત શેઠની ભીતર ધૂણી ધખાવીને એક કવિ જો બેઠેલો ન હોત તો કદાચ ‘નંદ સામવેદી’નો જન્મ થયો ન હોત, કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘પવન રૂપેરી’માં પહેલું કાવ્ય છે — ‘ક્યાં છો ચંદ્રકાન્ત?’ એના ઉત્તરની શોધ સતત ચાલતી રહી છે. નિબંધકાર તરીકેની કેફિયત આપતાં આ કવિએ કહ્યું છે — | |||
'''‘મારામાં કોઈ સાચુકલો — અસલી ચંદ્રકાન્ત હોય તો તેની ખોજ માટેના ઉધામા આદર્યા અને તેનું સીધું પરિણામે તે ‘નંદ સામવેદી’.’''' | |||
'''‘ ‘નંદ સામવેદી’ને મારી ‘અધર સેલ્ફ’ કહી શકાય.’''' | |||
{{Right|(‘શબ્દયાત્રા: ચંદ્રકાન્ત શેઠ’, સં. શ્રદ્ધા ત્રિવેદી, પૃ. ૧૦૨)}} | |||
આમ કવિ ચંદ્રકાન્ત શેઠ અને ‘નંદ સામવેદી’ એક જ અસલ સિક્કાની બે બાજુઓ છે, એમાં સતનો રણકાર છે. ‘નંદ સામવેદી’, ‘આર્યપુત્ર’, ‘બાલચંદ્ર’, ‘દક્ષ પ્રજાપતિ’ વગેરે ઉપનામોથી એમણે લખ્યું છે. શા માટે આ ઉપનામો?! પોતાનાં જ અનેક બાહ્ય રૂપોને તપાસવાં સ્તો ને એમાંથી સાચા ચંદ્રકાન્તને શોધવા સ્તો! | |||
‘ગોરંભો’ કાવ્યમાં કવિ કહે છે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
'''‘જાતે પોતાનું દર્પણ થવું.''' | |||
'''પોતે જ પોતાની સામે ઊભા રહી''' | |||
'''પોતાને રંગે હાથ પકડવો…''' | |||
'''— આ પ્રક્રિયા જ મને તળે-ઉપર કરી નાખે છે…’''' | |||
</poem> | |||
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૫૮)}} | |||
{{Poem2Open}} | |||
જાતને તળે-ઉપર કરવાની આ પ્રક્રિયા સતત ચાલતી રહી છે. | |||
‘ક્યાં છો ચંદ્રકાન્ત?’માં કવિ પોતાનાં બાહ્ય રૂપો વચ્ચે ‘અસલ ચંદ્રકાન્ત’ને શોધવા કેવા કેવા કીમિયા કરે છે! — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
'''‘કેટલાય કૅમેરાની આંખો પ્હેરી,''' | |||
'''અંધાકરો આંજી આંજી.''' | |||
'''પ્રકાશોથી રંગી રંગી,''' | |||
'''પ્લેટોમાં ઠાંસી ઠાંસીને,''' | |||
'''ચંદ્રકાન્તો ચારે કોર મૂકી મૂકી જોયા;''' | |||
'''ચંદ્રકાન્ત પાના જેવા સાવ કોરા!''' | |||
'''ચારે કોર ચંદ્રકાન્તો''' | |||
'''ખીચોખીચ''' | |||
'''કીડિયારાં રચી રચી જીવે,''' | |||
'''— એમાં હું જ હોઉં સાચો''' | |||
'''એક તો બતાવો મને,''' | |||
'''ચંદ્રકાન્ત ક્યાં છે?''' | |||
'''ક્યાં છે?''' | |||
'''ક્યાં છે?'''’ | |||
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨)}} | |||
</poem> | </poem> |
edits