26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિ અને કવિતાઃ વેણીભાઈ પુરોહિત|}} {{Poem2Open}} <center>'''૧'''</center> કવિશ્રી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 28: | Line 28: | ||
::: '''વાટકે વાટકે ભરશું રે લોલ.''' | ::: '''વાટકે વાટકે ભરશું રે લોલ.''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
ગામડામાં પડતી સવારનું સુંદર ચિત્રાત્મક અને લયાત્મક વર્ણન કરતા કવિને વાત તો કરવી છે – પરોઢિયે ઊઠીને કામે ચડતી ‘નાનકડી નાર’ – નવોઢાની. કામોની યાદી સાથે હેલે ચડતું અલ્લડ યૌવન. હૈયે ફોરતો ફાગણ, સાહેલીઓ સાથે વાતો કરવાની ઉતાવળ. કાચી ઊંઘમાંથી ઊઠતી નાનકડી નારની સ્થિતિ. ઊઠતાંવેંત કામ ચીંધતાં સાસુ-સસરાના અવાજો સંભળાતાં – | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
'''કાચી નીંદરને કાંઠેથી સપનું''' | |||
::: '''મુઠ્ઠી વાળીને ભાગ્યું રે લોલ.''' | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પાછલી રાતનું સપનુંય ન જોઈ શકે એવી નવોઢાની સ્થિતિ, તેના હૈયાના ભાવો, રોજિંદી જીવનશૈલી વગેરે સરસ રીતે નિરૂપાયાં છે. | |||
વેણીભાઈની કાવ્યસૃષ્ટિમાં વિષયવૈવિધ્ય જોવા મળે છે. પ્રેમ, પ્રણય-વિરહ, પ્રકૃતિ, રાષ્ટ્રભાવના, ગાંધીયુગના સંસ્કારો, ચિંતન, અધ્યાત્મ વગેરે તેમની કવિતામાં સહજ વણાઈને આવે છે. તો સમાજથી કવિ દૂર રહ્યા નથી એટલે જ મજૂરની વેદનાને પણ વાચા મળી છે. તો પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપોનું તેમને આકર્ષણ છે જે અનેક ભાવોને વાચા આપે છે. જેમ કે, ‘તેડા’માં આઠ આઠ માસથી વર્ષાની રાહ જોતા મોરલા – મેઘરાજાને વર્ષાને મોકલવાની વિનંતી કરે છે ત્યારે વર્ષા વિના પ્રકૃતિની શી સ્થિતિ છે, તેનું વર્ણન – | |||
{{Poem2Close}} | |||
edits