સરસ્વતીચંદ્ર ભાગ ૪/મલ્લમહાભવન અથવા રત્નનગરીની રાજ્યવેધશાળા અને મહાભારતનો અર્થ વિસ્તાર.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Heading|મલ્લમહાભવન અથવા રત્નનગરીની રાજ્યવેધશાળા અને મહાભારતનો અર્થ વિસ્તાર.|}}
{{Heading|મલ્લમહાભવન અથવા રત્નનગરીની રાજ્યવેધશાળા અને મહાભારતનો અર્થ વિસ્તાર.|}}


<center>लौकिकानां हि साधूनामर्थं वागनुवर्तते ।</center>
<center>ऋषीणां पुनराद्यानां वाचमर्थोऽनुधावति ॥</center>
<center>'''भवभूति:'''</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
लौकिकानां हि साधूनामर्थं वागनुवर्तते ।
ऋषीणां पुनराद्यानां वाचमर्थोऽनुधावति ॥
भवभूति:
રાણા ખાચરના સત્કારને અર્થે ભરેલી સભામાં થયેલી ચર્ચાએ મણિરાજના હૃદયમાં અનેક વિચારો ઉઠાડ્યા. પોતાના પિતાની દીર્ધદષ્ટિ ઉપર, સંયમ ઉપર અને રાજ્ય-નીતિ ઉપર એની દૃષ્ટિ જતી ત્યારે એ ઉત્સાહમાં આવતો. અન્ય રાજાઓના અપભ્રંશ જોતો ત્યારે એ નિરાશ થતો હતો. ઈંગ્રેજ અધિકારીઓમાંના દુષ્ટ વર્ગની સત્તાનું પ્રાબલ્ય જોઈ એને ક્રોધ ઉપજતો. તેમાંના મૂર્ખ અને ઉન્મત્ત ભાગની ચેષ્ટાઓ​જોઈ હૃદયમાં ગૌરવ આવતું. અન્ય દેશી રાજાઓની દુષ્ટતા જોઈ એ હૃદયમાં શોક ઉભરાતા. તેમની મૂર્ખતા, પ્રમત્તતા અને ભયંકર અવ્યવસ્થાનાં ચિત્ર દૃષ્ટિ આગળ પ્રત્યક્ષ થતાં એનાં નેત્રમાંથી અશ્રુધારાઓ અપ્રતિહત ચાલતી. ઈંગ્રેજ અધિકારીઓમાંના સુજ્ઞ અને ઉદાત્ત વર્ગના આશ્રયનું પોતે આસ્વાદન કરેલું હતું તે સ્મરણમાં આવતાં આશાના કિરણ દૃષ્ટિમર્યાદા તળે સંતાયલા કોઈ સુર્યના બિમ્બમાંથી નીકળતા લાગતા ઈંગ્રેજ સરકારની રાજ્યનીતિ જોઈ તેના મસ્તિકમાં ઘડીક અવ્યવસ્થા થતી અને ઘડીક શાંતિ થતી. આવા ચાર પાંચ દિવસ ગાળ્યા, અને તે પછી એક દિવસે મધ્યાન્હવેળાએ આશા અને નિરાશા વચ્ચે દોલાયમાન થતો યુવાન્ રાજા મલ્લમહાભવનના કુરુક્ષેત્રભવન નામનાં ખંડમાં એક છેડેથી બીજા છેડા સુધી આવજાવ કરતો હતો.
રાણા ખાચરના સત્કારને અર્થે ભરેલી સભામાં થયેલી ચર્ચાએ મણિરાજના હૃદયમાં અનેક વિચારો ઉઠાડ્યા. પોતાના પિતાની દીર્ધદષ્ટિ ઉપર, સંયમ ઉપર અને રાજ્ય-નીતિ ઉપર એની દૃષ્ટિ જતી ત્યારે એ ઉત્સાહમાં આવતો. અન્ય રાજાઓના અપભ્રંશ જોતો ત્યારે એ નિરાશ થતો હતો. ઈંગ્રેજ અધિકારીઓમાંના દુષ્ટ વર્ગની સત્તાનું પ્રાબલ્ય જોઈ એને ક્રોધ ઉપજતો. તેમાંના મૂર્ખ અને ઉન્મત્ત ભાગની ચેષ્ટાઓ​જોઈ હૃદયમાં ગૌરવ આવતું. અન્ય દેશી રાજાઓની દુષ્ટતા જોઈ એ હૃદયમાં શોક ઉભરાતા. તેમની મૂર્ખતા, પ્રમત્તતા અને ભયંકર અવ્યવસ્થાનાં ચિત્ર દૃષ્ટિ આગળ પ્રત્યક્ષ થતાં એનાં નેત્રમાંથી અશ્રુધારાઓ અપ્રતિહત ચાલતી. ઈંગ્રેજ અધિકારીઓમાંના સુજ્ઞ અને ઉદાત્ત વર્ગના આશ્રયનું પોતે આસ્વાદન કરેલું હતું તે સ્મરણમાં આવતાં આશાના કિરણ દૃષ્ટિમર્યાદા તળે સંતાયલા કોઈ સુર્યના બિમ્બમાંથી નીકળતા લાગતા ઈંગ્રેજ સરકારની રાજ્યનીતિ જોઈ તેના મસ્તિકમાં ઘડીક અવ્યવસ્થા થતી અને ઘડીક શાંતિ થતી. આવા ચાર પાંચ દિવસ ગાળ્યા, અને તે પછી એક દિવસે મધ્યાન્હવેળાએ આશા અને નિરાશા વચ્ચે દોલાયમાન થતો યુવાન્ રાજા મલ્લમહાભવનના કુરુક્ષેત્રભવન નામનાં ખંડમાં એક છેડેથી બીજા છેડા સુધી આવજાવ કરતો હતો.


Line 13: Line 13:
"વિધાચતુર, નામ કોઈનું અમર રહેલું નથી અને ર્‌હેવાનું નથી. નામ અને રૂપ એજ નશ્વરતાનાં સ્વરૂપ છે. પણ તમારી ઈચ્છાને કંઈક અનુકૂળ થવાય અને ભવિષ્યમાં જ્યાં સુધી આ રાજ્યમાં બુદ્ધિમાન્ નીતિમાન્ રાજાઓ રાજ્ય કરવા ઉત્પન્ન થાય ત્યાં સુધી તેમની બુદ્ધિને આપણા અનુભવનું કાંઈક અવલમ્બન મળે અને પ્રજા પાસેથી આ સિંહાસન પાસે આવેલું દ્રવ્ય પ્રજાને ફળે એવા વ્યયનો માર્ગ કાંઈ ક્‌હાડીશું.”
"વિધાચતુર, નામ કોઈનું અમર રહેલું નથી અને ર્‌હેવાનું નથી. નામ અને રૂપ એજ નશ્વરતાનાં સ્વરૂપ છે. પણ તમારી ઈચ્છાને કંઈક અનુકૂળ થવાય અને ભવિષ્યમાં જ્યાં સુધી આ રાજ્યમાં બુદ્ધિમાન્ નીતિમાન્ રાજાઓ રાજ્ય કરવા ઉત્પન્ન થાય ત્યાં સુધી તેમની બુદ્ધિને આપણા અનુભવનું કાંઈક અવલમ્બન મળે અને પ્રજા પાસેથી આ સિંહાસન પાસે આવેલું દ્રવ્ય પ્રજાને ફળે એવા વ્યયનો માર્ગ કાંઈ ક્‌હાડીશું.”


આ સૂચના પછી મલ્લરાજે રત્નગરીની રાજ્યવેધશાળા નામના ભવનની કલ્પના[૧] કરી અને યુવરાજે તેનો આલેખ[૨] કરાવી તે પ્રમાણે કાર્યસિદ્ધિ[૩] કરાવી. વૃદ્ધ મહારાજાની ઈચ્છા પ્રમાણે તેનું નામ રાજ્યવેધશાળા (એટલે રાજ્યરૂપ આકાશમાં ગમન કરનાર ગ્રહોની ગતિ આદિનું દર્શન કરવાની વેધશાળા[૪]) પાડ્યું, તેની સાથેજ યુવરાજની ઈચ્છાથી એનું નામ મલ્લમહાભવન પણ પાડ્યું અને ઉભય નામના લેખ એ ભવનના તોરણ ઉપર કોતરાવ્યા. આ તોરણુદ્વારમાં[૫] પેસતાં એક વિશાળ અને સુન્દર ઉધાનમાં જવું પડતું અનેક લતાગૃહો, કુઞ્વજવનો, તળાવ, વાવો, કુવાઓ, કુંડો, બેઠકો, ઘટાઓ, અને પશુપક્ષિના પંજરોનાં ચિત્ર જેવા સાજવચ્ચે, થઇને જતાં અન્તે એ મહાભવન આવતું.
આ સૂચના પછી મલ્લરાજે રત્નગરીની રાજ્યવેધશાળા નામના ભવનની કલ્પના<ref>Mental design માનસિક કલ્પના</ref> કરી અને યુવરાજે તેનો આલેખ<ref>Written design</ref> કરાવી તે પ્રમાણે કાર્યસિદ્ધિ<ref>Execution</ref> કરાવી. વૃદ્ધ મહારાજાની ઈચ્છા પ્રમાણે તેનું નામ રાજ્યવેધશાળા (એટલે રાજ્યરૂપ આકાશમાં ગમન કરનાર ગ્રહોની ગતિ આદિનું દર્શન કરવાની વેધશાળા<ref>Observatory</ref> પાડ્યું, તેની સાથેજ યુવરાજની ઈચ્છાથી એનું નામ મલ્લમહાભવન પણ પાડ્યું અને ઉભય નામના લેખ એ ભવનના તોરણ ઉપર કોતરાવ્યા. આ તોરણુદ્વારમાં<ref>Gate</ref>પેસતાં એક વિશાળ અને સુન્દર ઉધાનમાં જવું પડતું અનેક લતાગૃહો, કુઞ્વજવનો, તળાવ, વાવો, કુવાઓ, કુંડો, બેઠકો, ઘટાઓ, અને પશુપક્ષિના પંજરોનાં ચિત્ર જેવા સાજવચ્ચે, થઇને જતાં અન્તે એ મહાભવન આવતું.


એ ભવનમાં વૃદ્ધ મહારાજે પોતાના અનુયાયી રાજાઓના ઉપદેશ માટે વિચિત્ર યોજનાઓ કરી ક્‌હાડી હતી. અલિન્દમાર્ગમાં[૬]થી મુખદ્વારમાં પેસતાં તરત વિદુરભવન નામનો લાંબો ખંડ આવતો. એ ખંડની પાછળ બીજા પાંચ ખંડ હતા. એ પાંચ ખંડનાં નામ દુર્યોધનભવન, દુ:શાસનભવન, કર્ણભવન, દ્રોણભવન અને પિતામહભવન, એવાં હતાં.
એ ભવનમાં વૃદ્ધ મહારાજે પોતાના અનુયાયી રાજાઓના ઉપદેશ માટે વિચિત્ર યોજનાઓ કરી ક્‌હાડી હતી. અલિન્દમાર્ગમાં<ref>Gate</ref>થી મુખદ્વારમાં પેસતાં તરત વિદુરભવન નામનો લાંબો ખંડ આવતો. એ ખંડની પાછળ બીજા પાંચ ખંડ હતા. એ પાંચ ખંડનાં નામ દુર્યોધનભવન, દુ:શાસનભવન, કર્ણભવન, દ્રોણભવન અને પિતામહભવન, એવાં હતાં.


Mental design માનસિક કલ્પના
​આ પાંચે ખંડની હાર કૌરવશાળા નામથી ઓળખાતી. તે પાંચેનાં દ્વાર કુરુક્ષેત્ર નામના એક બીજા લાંબા ખંડમાં પડતાં, એ ખંડની એક પાસ પાંડુભવન અને બીજી પાસ ધૃતરાષ્ટ્રભવન હતાં. કુરુક્ષેત્રની બીજી પાસ કૌરવશાળાની સામે પાંડવશાળા હતી ને તેનાં દ્વાર પણ કુરુક્ષેત્રમાંજ પડતાં. પાંડવશાળાના પાંચ ખંડ નામે ધર્મભવન, ભીમભવન, અર્જુનભવન, નકુલભવન અને સહદેવભવન એવાં હતાં. એ પાંચેની પાછળ પાંચાલીભવન નામનો લાંબો ખંડ હતો અને તેમાં તે પાંચેનાં દ્વાર પડતાં હતાં.
Written design
Execution
Observatory
Gate
Porch, Portico, બંગલાના દરવાજા આગળ અગાશી અથવા અારકા વગેરેવાળી જગા.
​આ પાંચે ખંડની હાર કૌરવશાળા નામથી ઓળખાતી. તે પાંચેનાં દ્વાર
કુરુક્ષેત્ર નામના એક બીજા લાંબા ખંડમાં પડતાં, એ ખંડની એક પાસ પાંડુભવન અને બીજી પાસ ધૃતરાષ્ટ્રભવન હતાં. કુરુક્ષેત્રની બીજી પાસ કૌરવશાળાની સામે પાંડવશાળા હતી ને તેનાં દ્વાર પણ કુરુક્ષેત્રમાંજ પડતાં. પાંડવશાળાના પાંચ ખંડ નામે ધર્મભવન, ભીમભવન, અર્જુનભવન, નકુલભવન અને સહદેવભવન એવાં હતાં. એ પાંચેની પાછળ પાંચાલીભવન નામનો લાંબો ખંડ હતો અને તેમાં તે પાંચેનાં દ્વાર પડતાં હતાં.


ચંદ્રકાન્ત અને વીરરાવનાં મર્મવેધક વાક્યોને વિદ્યાચતુરે વિદુરભવનમાં ઉત્તર આપેલા હતા તેનાથી મણિરાજને તૃપ્તિ થઈ ન હતી અને મર્મવચન એના મર્મભાગને ગુપ્ત કળાથી કાપતાં હતાં. આ વેદનાના નિવારણને માટે આજ વિદ્યાચતુરે તે બે જણને મલ્લમહાભવન જોવા બોલાવ્યા હતા અને એ ભવનનાં રહસ્યનું પ્રકટીકરણ કરી એટલાથી જ તેમને તૃપ્ત કરવા અને મણિરાજને શંકારહિત કરવા વિદ્યાચતુરે કલ્પના કરી હતી. તે ઉભય ગૃહસ્થોના પક્ષપાતનું સ્થાન સરસ્વતીચન્દ્ર રત્નનગરી આવ્યો હતો ત્યારે આ ભવનમાં આવી ગયો હતો અને નવા વિચાર લેઈ ગયો હતો એ વાતથી એ ગૃહસ્થોને આ સ્થાનમાં આવવાં આકર્ષણ થયું હતું. તેમની વાટ જોઈ યુવાન મણિરાજ કુરુક્ષેત્ર ભવનમાં આતુરતાથી, હેરાફેરા કરતો હતો.
ચંદ્રકાન્ત અને વીરરાવનાં મર્મવેધક વાક્યોને વિદ્યાચતુરે વિદુરભવનમાં ઉત્તર આપેલા હતા તેનાથી મણિરાજને તૃપ્તિ થઈ ન હતી અને મર્મવચન એના મર્મભાગને ગુપ્ત કળાથી કાપતાં હતાં. આ વેદનાના નિવારણને માટે આજ વિદ્યાચતુરે તે બે જણને મલ્લમહાભવન જોવા બોલાવ્યા હતા અને એ ભવનનાં રહસ્યનું પ્રકટીકરણ કરી એટલાથી જ તેમને તૃપ્ત કરવા અને મણિરાજને શંકારહિત કરવા વિદ્યાચતુરે કલ્પના કરી હતી. તે ઉભય ગૃહસ્થોના પક્ષપાતનું સ્થાન સરસ્વતીચન્દ્ર રત્નનગરી આવ્યો હતો ત્યારે આ ભવનમાં આવી ગયો હતો અને નવા વિચાર લેઈ ગયો હતો એ વાતથી એ ગૃહસ્થોને આ સ્થાનમાં આવવાં આકર્ષણ થયું હતું. તેમની વાટ જોઈ યુવાન મણિરાજ કુરુક્ષેત્ર ભવનમાં આતુરતાથી, હેરાફેરા કરતો હતો.


થોડીવારમાં અતિથિમંડળને લઈ વિદ્યાચતુર ત્યાં આવ્યો. કુરૂક્ષેત્રની વચ્ચે એકાસન*[૧] અને અનેકાસન†[૨] સામસામી હતાં તે ઉપર સઉ ગોઠવાયા. કેટલીક સાધારણ પૃચ્છા અને વાર્તા થયા પછી આ ભવનસંબંધે વાર્તા ચાલી. વિધાચતુરે એનો ઇતિહાસ કહી બતાવ્યો. મલ્લરાજનું હૃદય તેમાં જણાતાં વીરરાવને પણ તેના ઉપર પ્રીતિ ઉપજી.
થોડીવારમાં અતિથિમંડળને લઈ વિદ્યાચતુર ત્યાં આવ્યો. કુરૂક્ષેત્રની વચ્ચે એકાસન<ref>ખુરશીઓ</ref> અને અનેકાસન<ref>બાંક, કોચ.</ref> સામસામી હતાં તે ઉપર સઉ ગોઠવાયા. કેટલીક સાધારણ પૃચ્છા અને વાર્તા થયા પછી આ ભવનસંબંધે વાર્તા ચાલી. વિધાચતુરે એનો ઇતિહાસ કહી બતાવ્યો. મલ્લરાજનું હૃદય તેમાં જણાતાં વીરરાવને પણ તેના ઉપર પ્રીતિ ઉપજી.


કેવું ભવ્ય અંતઃકરણ ! ચંદ્રકાન્ત ! Look at the poetry of His late Highness's heart ! There's something stern and magnificent in his views, words, and acts ! ” વીરરાવે હૃદય ફુલાવી ચંદ્રકાન્ત ભણી જોઈ કહ્યું.
કેવું ભવ્ય અંતઃકરણ ! ચંદ્રકાન્ત ! Look at the poetry of His late Highness's heart ! There's something stern and magnificent in his views, words, and acts ! ” વીરરાવે હૃદય ફુલાવી ચંદ્રકાન્ત ભણી જોઈ કહ્યું.
Line 36: Line 29:
ચંદ્રકાંત બોલ્યો.
ચંદ્રકાંત બોલ્યો.


* ખુરશીઓ
 
†બાંક, કોચ.
વીર૦– છી છી છી છી ! ચન્દ્રકાન્ત ! તમે કંઈ સમજ્યા જ નથી. આખી રાત્રિના આખા આકાશમાં ચંદ્ર વૃદ્ધિક્ષય પામતો એકલો એક ફરે છે તેથી જગત્ ઉંઘતું મટતું નથી અને અન્ધકાર સમસ્ત નાશ પામતો નથી. મલ્લમહારાજની પોતાનીજ નિરાશાનું કારણ જુવો ! તમારા દેશના હોલ્લા પેઠે છાપરા ઉપર બોલતા બોલતા તેઓ થાકી ગયા અને માત્ર એક જ બોલ બોલ્યા કે “એકલો શું કરું ? એકલો શું કરું ?”
વીર૦– છી છી છી છી ! ચન્દ્રકાન્ત ! તમે કંઈ સમજ્યા જ નથી. આખી રાત્રિના આખા આકાશમાં ચંદ્ર વૃદ્ધિક્ષય પામતો એકલો એક ફરે છે તેથી જગત્ ઉંઘતું મટતું નથી અને અન્ધકાર સમસ્ત નાશ પામતો નથી. મલ્લમહારાજની પોતાનીજ નિરાશાનું કારણ જુવો ! તમારા દેશના હોલ્લા પેઠે છાપરા ઉપર બોલતા બોલતા તેઓ થાકી ગયા અને માત્ર એક જ બોલ બોલ્યા કે “એકલો શું કરું ? એકલો શું કરું ?”
19,010

edits

Navigation menu